મનીષ સિસોદિયાની ધરપકડ બાદ આપ અને ભાજપના નેતાઓ વચ્ચે શાબ્દિક યુદ્ધ, ગઈ કાલે સીબીઆઈએ કરી હતી કાર્યવાહી


  • Published By :
  • Published Date : 2023-02-27 09:54:19

રવિવારના રોજ સીબીઆઈએ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની ધરપકડ કરી લીધી હતી. સીબીઆઈ દ્વારા એક્સાઈઝ નીતિના અમલીકરણમાં કથિત કૌભાંડના આરોપમાં સિસોદિયાની ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર મનીષ સિસોદિયાને સીબીઆઈ આજે કોર્ટ સમક્ષ રજૂ કરવાની છે. દિલ્હી એક્સાઈઝ પોલિસી મામલે રવિવારે સીબીઆઈ સમક્ષ મનીષ સિસોદિયા રજૂ થયા હતા. 8 કલાકની પૂછપરછ બાદ તેમની ધરપકડ કરી લેવામાં આવી હતી. સિસોદિયાની ધરપકડ થયા બાદ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને ભાજપના નેતાઓ વચ્ચે શાબ્દિક પ્રહાર થયા હતા. મળતી માહિતી અનુસાર આપના કાર્યકર્તાઓ જોરદાર વિરોધ પ્રદર્શન કરશે અને ભાજપના કાર્યાલયનો ઘેરાવો કરશે.


મનીષ સિસોદિયા કોર્ટમાં થશે રજૂ 

કોર્ટમાં રજૂ કરતા પહેલા મનીષ સિસોદિયાના ટેસ્ટ કરવામાં આવશે. સિસોદિયાની આ ધરપકડ પુરાવાને નષ્ટ કરવાના આરોપમાં કરવામાં આવી છે. આબકારી વિભાગના એક અધિકારીએ કહ્યું કે સિસોદિયાએ એવી નીતિ બનાવી હતી જેમાં સરકારને વધારે ફાયદો ન થાય પરંતુ વ્યાપારીઓને ફાયદો થાય. આ નિવેદનના આધાર પર દિલ્હીના ડે.સીએમની રવિવારે સીબીઆઈની પૂછપરછ કરી હતી. જે બાદ મનીષ સિસોદિયાની ધરપકડ કરવામાં આવી હતી.


અરવિંદ કેજરીવાલ આવ્યા મનીષ સિસોદિયાના બચાવમાં 

મનીષ સિસોદિયાની ધરપકડ બાદ આમ આદમી પાર્ટી અને ભાજપના નેતા વચ્ચે શાબ્દિક પ્રહાર શરૂ થઈ ગયો હતો. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમના ઘરે પહોંચ્યા હતા અને પરિવારના સભ્યોને મળ્યા હતા. ત્યાંથી બહાર આવીને અરવિંદ કેજરીવાલે કહ્યું કે અમે જોઈ રહ્યા છીએ કે કેવી રીતે શિક્ષણ માટે કામ કરતા મનીષની ખોટા કેસમાં ધરપકડ કરવામાં આવી છે. મનીષ એક દેશભક્ત માણસ છે. મનીષ એક શરિફ માણસ છે. તે ઉપરાંત આપના પ્રવક્તા સૌરભ ભારદ્વાજે કહ્યું મનીષ સિસોદિયા વિરૂદ્ધ કોઈ સબૂત નથી મળ્યું, પછી ધરપકડ કઈ રીતે કરવામાં આવી. બંને ચાર્જસિટમાં મનીષ સિસોદિયાનું નામ સામેલ નથી. હવે સીબીઆઈ કોર્ટમાં કહેશે તપાસ જ્યાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી જેલમાં રાખવામાં આવશે.


આપના નેતાઓએ આપ્યું સિસોદિયાને સમર્થન 

તે ઉપરાંત આતિશીએ કહ્યું કે મનીષ સિસોદિયાએ આઠ વર્ષમાં દિલ્હીની સરકારી શાળાની કાયા પલટ કરી દીધી છે. એમને આની જ સજા આપવામાં આવી રહી છે. ભાજપ કહી રહી છે આ 10 હજાર કરોડનો ઘોટાળો છે, આ પૈસા ક્યાં છે. સીબીઆઈએ સિસોદિયાના ઘર, એમના સંબંધી તેમજ દોસ્તોના ઘરની પણ તલાસી લીધી હતી, પરંતુ રુપિયા ન મળ્યા. આ રુપિયા ક્યાં છે તે સરકાર નથી બતાવી શકતી. તે ઉપરાંત આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ સંજયસિંહે કહ્યું કે સિસોદિયાની ધરપકડ તાનાશાહી છે.  


ભાજપના નેતાઓએ કર્યા આપ પર પ્રહાર 

ભાજપના નેતાઓએ મનીષ સિયોદિયાની ધરપકડ અંગે પ્રતિક્રિયા આપી છે. ભાજપના નેતાઓનું કહેવું છે કે સિસોદિયાની ધરપકડ થવાની જ હતી, હેવે પછીનો નંબર મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો છે. કપિલ મિશ્રાએ આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે હું પહેલેથી કહું છું કેજરીવાલ, મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન જેલમાં જશે. તે ઉપરાંત ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં આમ આદમી પાર્ટી પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે આપણે મનીષજી વિશે વાત નથી કરી રહ્યા. આપણે આબકારી મંત્રીની વાત નથી કરી રહ્યા. સવાલએ છે કે દારૂના મંત્રીએ  દારૂનું કૌભાંડ કર્યું કે નહીં? શું મનીષજીએ તેમના કમિશનના સંબંધમાં કૌભાંડ કર્યું હતું કે નહીં.  



Who does not know the famous Indian industrialist Dhirajlal Hira Chand Ambani alias Dhirubhai Ambani. Many people have heard his story from working at a petrol pump to establishing a company like Reliance Industries. But very few people know how much struggle he has had to reach here and what thoughts and principles he lives by. 28th December is Dhirubhai Ambani's birthday. Before that, Parimalbhai Nathwani has written an article on Dhirubhai's life and his principles. In the article, Parimal Nathwani has described Dhirubhai's life by linking it with the principles of Geeta.

અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.