મનીષ સિસોદિયાની ધરપકડ બાદ આપ અને ભાજપના નેતાઓ વચ્ચે શાબ્દિક યુદ્ધ, ગઈ કાલે સીબીઆઈએ કરી હતી કાર્યવાહી


  • Published By :
  • Published Date : 2023-02-27 09:54:19

રવિવારના રોજ સીબીઆઈએ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની ધરપકડ કરી લીધી હતી. સીબીઆઈ દ્વારા એક્સાઈઝ નીતિના અમલીકરણમાં કથિત કૌભાંડના આરોપમાં સિસોદિયાની ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર મનીષ સિસોદિયાને સીબીઆઈ આજે કોર્ટ સમક્ષ રજૂ કરવાની છે. દિલ્હી એક્સાઈઝ પોલિસી મામલે રવિવારે સીબીઆઈ સમક્ષ મનીષ સિસોદિયા રજૂ થયા હતા. 8 કલાકની પૂછપરછ બાદ તેમની ધરપકડ કરી લેવામાં આવી હતી. સિસોદિયાની ધરપકડ થયા બાદ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને ભાજપના નેતાઓ વચ્ચે શાબ્દિક પ્રહાર થયા હતા. મળતી માહિતી અનુસાર આપના કાર્યકર્તાઓ જોરદાર વિરોધ પ્રદર્શન કરશે અને ભાજપના કાર્યાલયનો ઘેરાવો કરશે.


મનીષ સિસોદિયા કોર્ટમાં થશે રજૂ 

કોર્ટમાં રજૂ કરતા પહેલા મનીષ સિસોદિયાના ટેસ્ટ કરવામાં આવશે. સિસોદિયાની આ ધરપકડ પુરાવાને નષ્ટ કરવાના આરોપમાં કરવામાં આવી છે. આબકારી વિભાગના એક અધિકારીએ કહ્યું કે સિસોદિયાએ એવી નીતિ બનાવી હતી જેમાં સરકારને વધારે ફાયદો ન થાય પરંતુ વ્યાપારીઓને ફાયદો થાય. આ નિવેદનના આધાર પર દિલ્હીના ડે.સીએમની રવિવારે સીબીઆઈની પૂછપરછ કરી હતી. જે બાદ મનીષ સિસોદિયાની ધરપકડ કરવામાં આવી હતી.


અરવિંદ કેજરીવાલ આવ્યા મનીષ સિસોદિયાના બચાવમાં 

મનીષ સિસોદિયાની ધરપકડ બાદ આમ આદમી પાર્ટી અને ભાજપના નેતા વચ્ચે શાબ્દિક પ્રહાર શરૂ થઈ ગયો હતો. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમના ઘરે પહોંચ્યા હતા અને પરિવારના સભ્યોને મળ્યા હતા. ત્યાંથી બહાર આવીને અરવિંદ કેજરીવાલે કહ્યું કે અમે જોઈ રહ્યા છીએ કે કેવી રીતે શિક્ષણ માટે કામ કરતા મનીષની ખોટા કેસમાં ધરપકડ કરવામાં આવી છે. મનીષ એક દેશભક્ત માણસ છે. મનીષ એક શરિફ માણસ છે. તે ઉપરાંત આપના પ્રવક્તા સૌરભ ભારદ્વાજે કહ્યું મનીષ સિસોદિયા વિરૂદ્ધ કોઈ સબૂત નથી મળ્યું, પછી ધરપકડ કઈ રીતે કરવામાં આવી. બંને ચાર્જસિટમાં મનીષ સિસોદિયાનું નામ સામેલ નથી. હવે સીબીઆઈ કોર્ટમાં કહેશે તપાસ જ્યાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી જેલમાં રાખવામાં આવશે.


આપના નેતાઓએ આપ્યું સિસોદિયાને સમર્થન 

તે ઉપરાંત આતિશીએ કહ્યું કે મનીષ સિસોદિયાએ આઠ વર્ષમાં દિલ્હીની સરકારી શાળાની કાયા પલટ કરી દીધી છે. એમને આની જ સજા આપવામાં આવી રહી છે. ભાજપ કહી રહી છે આ 10 હજાર કરોડનો ઘોટાળો છે, આ પૈસા ક્યાં છે. સીબીઆઈએ સિસોદિયાના ઘર, એમના સંબંધી તેમજ દોસ્તોના ઘરની પણ તલાસી લીધી હતી, પરંતુ રુપિયા ન મળ્યા. આ રુપિયા ક્યાં છે તે સરકાર નથી બતાવી શકતી. તે ઉપરાંત આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ સંજયસિંહે કહ્યું કે સિસોદિયાની ધરપકડ તાનાશાહી છે.  


ભાજપના નેતાઓએ કર્યા આપ પર પ્રહાર 

ભાજપના નેતાઓએ મનીષ સિયોદિયાની ધરપકડ અંગે પ્રતિક્રિયા આપી છે. ભાજપના નેતાઓનું કહેવું છે કે સિસોદિયાની ધરપકડ થવાની જ હતી, હેવે પછીનો નંબર મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો છે. કપિલ મિશ્રાએ આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે હું પહેલેથી કહું છું કેજરીવાલ, મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન જેલમાં જશે. તે ઉપરાંત ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં આમ આદમી પાર્ટી પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે આપણે મનીષજી વિશે વાત નથી કરી રહ્યા. આપણે આબકારી મંત્રીની વાત નથી કરી રહ્યા. સવાલએ છે કે દારૂના મંત્રીએ  દારૂનું કૌભાંડ કર્યું કે નહીં? શું મનીષજીએ તેમના કમિશનના સંબંધમાં કૌભાંડ કર્યું હતું કે નહીં.  



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.