મનીષ સિસોદિયાની ધરપકડ બાદ આપ અને ભાજપના નેતાઓ વચ્ચે શાબ્દિક યુદ્ધ, ગઈ કાલે સીબીઆઈએ કરી હતી કાર્યવાહી


  • Published By :
  • Published Date : 2023-02-27 09:54:19

રવિવારના રોજ સીબીઆઈએ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની ધરપકડ કરી લીધી હતી. સીબીઆઈ દ્વારા એક્સાઈઝ નીતિના અમલીકરણમાં કથિત કૌભાંડના આરોપમાં સિસોદિયાની ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર મનીષ સિસોદિયાને સીબીઆઈ આજે કોર્ટ સમક્ષ રજૂ કરવાની છે. દિલ્હી એક્સાઈઝ પોલિસી મામલે રવિવારે સીબીઆઈ સમક્ષ મનીષ સિસોદિયા રજૂ થયા હતા. 8 કલાકની પૂછપરછ બાદ તેમની ધરપકડ કરી લેવામાં આવી હતી. સિસોદિયાની ધરપકડ થયા બાદ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને ભાજપના નેતાઓ વચ્ચે શાબ્દિક પ્રહાર થયા હતા. મળતી માહિતી અનુસાર આપના કાર્યકર્તાઓ જોરદાર વિરોધ પ્રદર્શન કરશે અને ભાજપના કાર્યાલયનો ઘેરાવો કરશે.


મનીષ સિસોદિયા કોર્ટમાં થશે રજૂ 

કોર્ટમાં રજૂ કરતા પહેલા મનીષ સિસોદિયાના ટેસ્ટ કરવામાં આવશે. સિસોદિયાની આ ધરપકડ પુરાવાને નષ્ટ કરવાના આરોપમાં કરવામાં આવી છે. આબકારી વિભાગના એક અધિકારીએ કહ્યું કે સિસોદિયાએ એવી નીતિ બનાવી હતી જેમાં સરકારને વધારે ફાયદો ન થાય પરંતુ વ્યાપારીઓને ફાયદો થાય. આ નિવેદનના આધાર પર દિલ્હીના ડે.સીએમની રવિવારે સીબીઆઈની પૂછપરછ કરી હતી. જે બાદ મનીષ સિસોદિયાની ધરપકડ કરવામાં આવી હતી.


અરવિંદ કેજરીવાલ આવ્યા મનીષ સિસોદિયાના બચાવમાં 

મનીષ સિસોદિયાની ધરપકડ બાદ આમ આદમી પાર્ટી અને ભાજપના નેતા વચ્ચે શાબ્દિક પ્રહાર શરૂ થઈ ગયો હતો. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમના ઘરે પહોંચ્યા હતા અને પરિવારના સભ્યોને મળ્યા હતા. ત્યાંથી બહાર આવીને અરવિંદ કેજરીવાલે કહ્યું કે અમે જોઈ રહ્યા છીએ કે કેવી રીતે શિક્ષણ માટે કામ કરતા મનીષની ખોટા કેસમાં ધરપકડ કરવામાં આવી છે. મનીષ એક દેશભક્ત માણસ છે. મનીષ એક શરિફ માણસ છે. તે ઉપરાંત આપના પ્રવક્તા સૌરભ ભારદ્વાજે કહ્યું મનીષ સિસોદિયા વિરૂદ્ધ કોઈ સબૂત નથી મળ્યું, પછી ધરપકડ કઈ રીતે કરવામાં આવી. બંને ચાર્જસિટમાં મનીષ સિસોદિયાનું નામ સામેલ નથી. હવે સીબીઆઈ કોર્ટમાં કહેશે તપાસ જ્યાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી જેલમાં રાખવામાં આવશે.


આપના નેતાઓએ આપ્યું સિસોદિયાને સમર્થન 

તે ઉપરાંત આતિશીએ કહ્યું કે મનીષ સિસોદિયાએ આઠ વર્ષમાં દિલ્હીની સરકારી શાળાની કાયા પલટ કરી દીધી છે. એમને આની જ સજા આપવામાં આવી રહી છે. ભાજપ કહી રહી છે આ 10 હજાર કરોડનો ઘોટાળો છે, આ પૈસા ક્યાં છે. સીબીઆઈએ સિસોદિયાના ઘર, એમના સંબંધી તેમજ દોસ્તોના ઘરની પણ તલાસી લીધી હતી, પરંતુ રુપિયા ન મળ્યા. આ રુપિયા ક્યાં છે તે સરકાર નથી બતાવી શકતી. તે ઉપરાંત આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ સંજયસિંહે કહ્યું કે સિસોદિયાની ધરપકડ તાનાશાહી છે.  


ભાજપના નેતાઓએ કર્યા આપ પર પ્રહાર 

ભાજપના નેતાઓએ મનીષ સિયોદિયાની ધરપકડ અંગે પ્રતિક્રિયા આપી છે. ભાજપના નેતાઓનું કહેવું છે કે સિસોદિયાની ધરપકડ થવાની જ હતી, હેવે પછીનો નંબર મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો છે. કપિલ મિશ્રાએ આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે હું પહેલેથી કહું છું કેજરીવાલ, મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન જેલમાં જશે. તે ઉપરાંત ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં આમ આદમી પાર્ટી પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે આપણે મનીષજી વિશે વાત નથી કરી રહ્યા. આપણે આબકારી મંત્રીની વાત નથી કરી રહ્યા. સવાલએ છે કે દારૂના મંત્રીએ  દારૂનું કૌભાંડ કર્યું કે નહીં? શું મનીષજીએ તેમના કમિશનના સંબંધમાં કૌભાંડ કર્યું હતું કે નહીં.  



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.