અમદાવાદના આટલા વોર્ડમાં મૂકાયો છે પાણી કાપ, પાણીની લાઈનમાં લીકેજ થતા થઈ રહ્યું છે રિપેરિંગ કામ!


  • Published By :
  • Published Date : 2023-03-03 12:54:09

પાણીની લાઈનમાં અનેક વખત ભંગાણ થવાના કિસ્સા સામે આવતા હોય છે. અનેક વખત પાણીની લાઈનમાં ભંગાણ થતા પાણીનો વેડફાટ થતો હોય છે. ત્યારે સરખેજ-ગાંધીનગર હાઈવે પર આવેલી મેઈન લાઈનમાં લીકેજ સર્જાયું છે. જેને લઈ લિકેજ રિપેરિંગ કરવામાં આવી રહ્યું છે. જેને કારણે 3 માર્ચની સાંજથી પાંચ માર્ચ સુધી અમદાવાદના અનેક વોર્ડમાં પાણી કાપ મૂકવામાં આવ્યો છે. થલતેજ, સરખેજ, રાણીપ, વાડજ, વેજલપુર, ગોતા, ચાંદલોડિયા, ઘાટલોડિયા, બોડકદેવ અને જોધપુરમાં પાણી કાપ મૂકાયો છે.   

 

પાંચ માર્ચ સુધી રહેશે પાણી કાપ 

ઉનાળાની શરૂઆત થતાં જ પાણીની માગ વધતી હોય છે. પાણીના વપરાશમાં પણ વધારો થતો હોય છે. ત્યારે અમદાવાદના અનેક વોર્ડમાં પાણી કાપ મૂકવામાં આવ્યો છે. 3 માર્ચની સાંજથી બે દિવસ માટે પાણી કાપ મૂકવામાં આવતા પાણી માટે લોકોને વલખા મારવા પડી શકે છે. થલતેજ, સરખેજ, રાણીપ, વાડજ, વેજલપુર, ગોતા, ચાંદલોડિયા, ઘાટલોડિયા, બોડકદેવ અને જોધપુરમાં પાણી કાપ મૂકાયો છે.સરખેજ-ગાંધીનગર હાઈવે પર આવેલી મેઈન લાઈનમાં લિકેજ રિપેરિંગ કરવામાં આવી રહ્યું છે. જેને કારણે 3 માર્ચથી પાંચ માર્ચ સુધી પાણી કાપ રહેશે. મેઈન લાઈનમાં લિકેજની સીધી અસર જાસપુર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં અપાતા પાણી પૂરવઠા પર પડશે. 


પાણી કાપ મૂકાવાથી વધી શકે છે પાણીની માગ  

 સ્માર્ટ સિટી ગણાતા અમદાવાદમાં પણ પાણી કાપ મૂકવામાં આવ્યો છે. પાણી નહીં મળે જેને કારણે અમદાવાદીઓને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. આજ સાંજથી પાણી કાપ મૂકવામાં આવતા પાણીની માગ વધી શકે છે. ઉનાળાની શરુઆત થતાં જ પાણી કાપ મૂકાવાથી સ્થાનિકોમાં નારાજગી જોવા મળી રહી છે.    




પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.