અમદાવાદના આટલા વોર્ડમાં મૂકાયો છે પાણી કાપ, પાણીની લાઈનમાં લીકેજ થતા થઈ રહ્યું છે રિપેરિંગ કામ!


  • Published By :
  • Published Date : 2023-03-03 12:54:09

પાણીની લાઈનમાં અનેક વખત ભંગાણ થવાના કિસ્સા સામે આવતા હોય છે. અનેક વખત પાણીની લાઈનમાં ભંગાણ થતા પાણીનો વેડફાટ થતો હોય છે. ત્યારે સરખેજ-ગાંધીનગર હાઈવે પર આવેલી મેઈન લાઈનમાં લીકેજ સર્જાયું છે. જેને લઈ લિકેજ રિપેરિંગ કરવામાં આવી રહ્યું છે. જેને કારણે 3 માર્ચની સાંજથી પાંચ માર્ચ સુધી અમદાવાદના અનેક વોર્ડમાં પાણી કાપ મૂકવામાં આવ્યો છે. થલતેજ, સરખેજ, રાણીપ, વાડજ, વેજલપુર, ગોતા, ચાંદલોડિયા, ઘાટલોડિયા, બોડકદેવ અને જોધપુરમાં પાણી કાપ મૂકાયો છે.   

 

પાંચ માર્ચ સુધી રહેશે પાણી કાપ 

ઉનાળાની શરૂઆત થતાં જ પાણીની માગ વધતી હોય છે. પાણીના વપરાશમાં પણ વધારો થતો હોય છે. ત્યારે અમદાવાદના અનેક વોર્ડમાં પાણી કાપ મૂકવામાં આવ્યો છે. 3 માર્ચની સાંજથી બે દિવસ માટે પાણી કાપ મૂકવામાં આવતા પાણી માટે લોકોને વલખા મારવા પડી શકે છે. થલતેજ, સરખેજ, રાણીપ, વાડજ, વેજલપુર, ગોતા, ચાંદલોડિયા, ઘાટલોડિયા, બોડકદેવ અને જોધપુરમાં પાણી કાપ મૂકાયો છે.સરખેજ-ગાંધીનગર હાઈવે પર આવેલી મેઈન લાઈનમાં લિકેજ રિપેરિંગ કરવામાં આવી રહ્યું છે. જેને કારણે 3 માર્ચથી પાંચ માર્ચ સુધી પાણી કાપ રહેશે. મેઈન લાઈનમાં લિકેજની સીધી અસર જાસપુર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં અપાતા પાણી પૂરવઠા પર પડશે. 


પાણી કાપ મૂકાવાથી વધી શકે છે પાણીની માગ  

 સ્માર્ટ સિટી ગણાતા અમદાવાદમાં પણ પાણી કાપ મૂકવામાં આવ્યો છે. પાણી નહીં મળે જેને કારણે અમદાવાદીઓને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. આજ સાંજથી પાણી કાપ મૂકવામાં આવતા પાણીની માગ વધી શકે છે. ઉનાળાની શરુઆત થતાં જ પાણી કાપ મૂકાવાથી સ્થાનિકોમાં નારાજગી જોવા મળી રહી છે.    




ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી