દિલ્હીમાં યમુનાની જળ સપાટીએ છેલ્લા 45 વર્ષનો રેકોર્ડ તોડ્યો, જળસ્તર 207. 55 મીટરે પહોંચતા કલમ 144 લાગુ


  • Published By :
  • Published Date : 2023-07-12 15:42:26

દેશની રાજધાની દિલ્હીમાં ભારે વરસાદના કારણે સ્થિતી ચિંતાજનક બની છે. દિલ્હીમાં યમુનાની જળ સપાટીએ છેલ્લા 45 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. હાલ યમુનાની જળ સપાટી 207. 55 મીટરે પહોંચી ગઈ છે. આ પરિસ્થિતી છેલ્લા કેટલાક દિવસોથી થઈ રહેલા સતત વરસાદ અને હરિયાણાના હથિનીકુંડ બેરેજમાંથી 3 લાખ ક્યુસેક પાણી છોડવાના કારણે સર્જાઈ છે. આ પહેલા ભૂતકાળમાં 9 જુન 1978ના રોજ યમુના નદીની જળ સપાટી  207.49  મીટર નોંધવામાં આવી હતી.


ધોધમાર વરસાદની આગાહી


યમુનાની જળ સપાટીમાં રેકોર્ડ વૃધ્ધી બાદ હવે દિલ્હીમાં પૂરની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે હજુ પણ ભારે વરસાદની આગાહી કરી છે. આ જ કારણે દિલ્હી વહીવટી તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. દિલ્હી સરકારે સંભવીત પૂરગ્રસ્ત વિસ્તારોમાં સીઆરપીસીની કલમ 144 અમલી બનાવી છે.


CM કેજરીવાલે બોલાવી ઈમર્જન્સી બેઠક

 

દિલ્હીમાં યમુના નદીમાં જળ સ્તરે વર્ષ 1978નો રેકોર્ડ  તોડતા અને પૂરની આશંકાઓ વચ્ચે ઈમર્જન્સી બેઠક બોલાવી છે. દિલ્હી સચિવાલયમાં યોજાનારી આ બેઠકમાં વિવિધ સરકારી વિભાગના ટોચના અધિકારીઓ ઉપસ્થિત રહેશે.  આ બેઠકમાં પૂરથી ઉભી થનારી પરિસ્થિતીઓ અંગે ચર્ચા કરવામાં આવશે. તે ઉપરાંત રાહત અને બચાવ કામગીરીની રણનિતી અંગે પણ ચર્ચાની સંભાવના છે.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .