દિલ્હીમાં યમુનાની જળ સપાટીએ છેલ્લા 45 વર્ષનો રેકોર્ડ તોડ્યો, જળસ્તર 207. 55 મીટરે પહોંચતા કલમ 144 લાગુ


  • Published By :
  • Published Date : 2023-07-12 15:42:26

દેશની રાજધાની દિલ્હીમાં ભારે વરસાદના કારણે સ્થિતી ચિંતાજનક બની છે. દિલ્હીમાં યમુનાની જળ સપાટીએ છેલ્લા 45 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. હાલ યમુનાની જળ સપાટી 207. 55 મીટરે પહોંચી ગઈ છે. આ પરિસ્થિતી છેલ્લા કેટલાક દિવસોથી થઈ રહેલા સતત વરસાદ અને હરિયાણાના હથિનીકુંડ બેરેજમાંથી 3 લાખ ક્યુસેક પાણી છોડવાના કારણે સર્જાઈ છે. આ પહેલા ભૂતકાળમાં 9 જુન 1978ના રોજ યમુના નદીની જળ સપાટી  207.49  મીટર નોંધવામાં આવી હતી.


ધોધમાર વરસાદની આગાહી


યમુનાની જળ સપાટીમાં રેકોર્ડ વૃધ્ધી બાદ હવે દિલ્હીમાં પૂરની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે હજુ પણ ભારે વરસાદની આગાહી કરી છે. આ જ કારણે દિલ્હી વહીવટી તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. દિલ્હી સરકારે સંભવીત પૂરગ્રસ્ત વિસ્તારોમાં સીઆરપીસીની કલમ 144 અમલી બનાવી છે.


CM કેજરીવાલે બોલાવી ઈમર્જન્સી બેઠક

 

દિલ્હીમાં યમુના નદીમાં જળ સ્તરે વર્ષ 1978નો રેકોર્ડ  તોડતા અને પૂરની આશંકાઓ વચ્ચે ઈમર્જન્સી બેઠક બોલાવી છે. દિલ્હી સચિવાલયમાં યોજાનારી આ બેઠકમાં વિવિધ સરકારી વિભાગના ટોચના અધિકારીઓ ઉપસ્થિત રહેશે.  આ બેઠકમાં પૂરથી ઉભી થનારી પરિસ્થિતીઓ અંગે ચર્ચા કરવામાં આવશે. તે ઉપરાંત રાહત અને બચાવ કામગીરીની રણનિતી અંગે પણ ચર્ચાની સંભાવના છે.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.