મુંબઈમાં વોટર ટેન્કર એસોસિયેશનની હડતાલથી લોકો ત્રાહિમામ, તંત્રએ કાર્યવાહીની ચેતવણી આપી


  • Published By :
  • Published Date : 2023-02-14 17:59:38

દેશની આર્થિક રાજધાની મુંબઈમાં છેલ્લા પાંચ દિવસથી ચાલી રહેલી વોટર ટેન્કર એસોશિયેશનની હડતાલથી લોકો પરેશાન થયા છે. એસોસિયેશન દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે હડતાલના કારણે અનેક હોટેલો, ક્લબ, મોલ, હાઉસિંગ સોસાયટીઝમાં જળ સંકટ સર્જાયું છે. અત્રે ઉલ્લેખનિય છે કે કેન્દ્રિય ભૂજળ ઓથોરિટીએ આપેલી નવી સુચનાના વિરોધમાં એસોસિયેશનના લગભગ 2500 ટેન્કર ચાલકો હડતાલ પર ઉતરી ગયા છે. તેમની માગ છે કે તે લેખિત આશ્વાસન વગર તેમની હડતાલ સમાપ્ત કરશે નહીં. 


શા માટે હડતાલ?


મુંબઈ શહેરમાં કેન્દ્રીય ભૂજળ ઓથોરિટીએ ટેન્કર સંચાલકો માટે ખાસ ગાઈડલાઈન્સ જાહેર કરી છે. જે મુજબ હવે ટેન્કર સંચાલકો માટે લાયસન્સ અને  કમાણી પર ટેક્સ ચૂકવવો પડશે. તે ઉપરાંત ખાનગી ટેન્કર માલિકોએ ભૂમિગત જળ નિકાળવા માટે 2 હજાર  ચોરસ ફુટની જમીન હોવી જોઈએ. વળી ટેન્કર માલિકો અને પાણી પુરવઠો પુરો પાડનારા લોકોએ સ્થાનિક વહીવટી તંત્રને 6,50,000 રૂપિયાની ચૂકવણી કરવી પડશે અને પાંચથી વધુ ટેન્કર એક ખાસ લેવલથી વધુ પાણી ખેંચી શકશે. ઓથોરિટીએ નવી ગાઈડલાઈનનું પાલન ન કરનારા ટેન્કર એસોસિયેશનને ચેતવણી આપી છે. સ્થાનિક તંત્ર ટેન્કર સંચાલકો સામે પોલીસ કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યું છે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.