મુંબઈમાં વોટર ટેન્કર એસોસિયેશનની હડતાલથી લોકો ત્રાહિમામ, તંત્રએ કાર્યવાહીની ચેતવણી આપી


  • Published By :
  • Published Date : 2023-02-14 17:59:38

દેશની આર્થિક રાજધાની મુંબઈમાં છેલ્લા પાંચ દિવસથી ચાલી રહેલી વોટર ટેન્કર એસોશિયેશનની હડતાલથી લોકો પરેશાન થયા છે. એસોસિયેશન દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે હડતાલના કારણે અનેક હોટેલો, ક્લબ, મોલ, હાઉસિંગ સોસાયટીઝમાં જળ સંકટ સર્જાયું છે. અત્રે ઉલ્લેખનિય છે કે કેન્દ્રિય ભૂજળ ઓથોરિટીએ આપેલી નવી સુચનાના વિરોધમાં એસોસિયેશનના લગભગ 2500 ટેન્કર ચાલકો હડતાલ પર ઉતરી ગયા છે. તેમની માગ છે કે તે લેખિત આશ્વાસન વગર તેમની હડતાલ સમાપ્ત કરશે નહીં. 


શા માટે હડતાલ?


મુંબઈ શહેરમાં કેન્દ્રીય ભૂજળ ઓથોરિટીએ ટેન્કર સંચાલકો માટે ખાસ ગાઈડલાઈન્સ જાહેર કરી છે. જે મુજબ હવે ટેન્કર સંચાલકો માટે લાયસન્સ અને  કમાણી પર ટેક્સ ચૂકવવો પડશે. તે ઉપરાંત ખાનગી ટેન્કર માલિકોએ ભૂમિગત જળ નિકાળવા માટે 2 હજાર  ચોરસ ફુટની જમીન હોવી જોઈએ. વળી ટેન્કર માલિકો અને પાણી પુરવઠો પુરો પાડનારા લોકોએ સ્થાનિક વહીવટી તંત્રને 6,50,000 રૂપિયાની ચૂકવણી કરવી પડશે અને પાંચથી વધુ ટેન્કર એક ખાસ લેવલથી વધુ પાણી ખેંચી શકશે. ઓથોરિટીએ નવી ગાઈડલાઈનનું પાલન ન કરનારા ટેન્કર એસોસિયેશનને ચેતવણી આપી છે. સ્થાનિક તંત્ર ટેન્કર સંચાલકો સામે પોલીસ કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યું છે. 



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.