મુંબઈમાં વોટર ટેન્કર એસોસિયેશનની હડતાલથી લોકો ત્રાહિમામ, તંત્રએ કાર્યવાહીની ચેતવણી આપી


  • Published By :
  • Published Date : 2023-02-14 17:59:38

દેશની આર્થિક રાજધાની મુંબઈમાં છેલ્લા પાંચ દિવસથી ચાલી રહેલી વોટર ટેન્કર એસોશિયેશનની હડતાલથી લોકો પરેશાન થયા છે. એસોસિયેશન દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે હડતાલના કારણે અનેક હોટેલો, ક્લબ, મોલ, હાઉસિંગ સોસાયટીઝમાં જળ સંકટ સર્જાયું છે. અત્રે ઉલ્લેખનિય છે કે કેન્દ્રિય ભૂજળ ઓથોરિટીએ આપેલી નવી સુચનાના વિરોધમાં એસોસિયેશનના લગભગ 2500 ટેન્કર ચાલકો હડતાલ પર ઉતરી ગયા છે. તેમની માગ છે કે તે લેખિત આશ્વાસન વગર તેમની હડતાલ સમાપ્ત કરશે નહીં. 


શા માટે હડતાલ?


મુંબઈ શહેરમાં કેન્દ્રીય ભૂજળ ઓથોરિટીએ ટેન્કર સંચાલકો માટે ખાસ ગાઈડલાઈન્સ જાહેર કરી છે. જે મુજબ હવે ટેન્કર સંચાલકો માટે લાયસન્સ અને  કમાણી પર ટેક્સ ચૂકવવો પડશે. તે ઉપરાંત ખાનગી ટેન્કર માલિકોએ ભૂમિગત જળ નિકાળવા માટે 2 હજાર  ચોરસ ફુટની જમીન હોવી જોઈએ. વળી ટેન્કર માલિકો અને પાણી પુરવઠો પુરો પાડનારા લોકોએ સ્થાનિક વહીવટી તંત્રને 6,50,000 રૂપિયાની ચૂકવણી કરવી પડશે અને પાંચથી વધુ ટેન્કર એક ખાસ લેવલથી વધુ પાણી ખેંચી શકશે. ઓથોરિટીએ નવી ગાઈડલાઈનનું પાલન ન કરનારા ટેન્કર એસોસિયેશનને ચેતવણી આપી છે. સ્થાનિક તંત્ર ટેન્કર સંચાલકો સામે પોલીસ કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યું છે. 



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.