દેશના આ રાજ્યમાં માસ્ક પહેરવું કરાયું ફરજિયાત, કોરોના ન ફેલાય તે માટે લેવાયો નિર્ણય


  • Published By :
  • Published Date : 2023-01-17 10:45:37

વિશ્વના અનેક દેશોમાં કોરોના ફરી માથું ઉંચકી રહ્યું છે.  હજારોની સંખ્યામાં લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. ત્યારે ભારતમાં પણ કોરોનાને લઈ સરકાર એક્ટિવ થઈ ગઈ છે. બહારથી આવતા પ્રવાસીઓ માટે અનેક નિયમો લાગુ કર્યા છે. રાજ્ય સરકારો પણ કોરોનાને લઈ ચિંતિત થઈ છે. ત્યારે કેરળ સરકારે ફરી એક વખત માસ્ક પહેરવો ફરજિયાત કરી દીધો છે. બધી જગ્યાઓ પર માસ્ક પહેરવાનો નિયમ લાગુ કરવામાં આવ્યો છે.


અનેક દેશોમાં વધી કોરોનાને કારણે ચિંતા

દેશમાં કોરોનાએ અનેક વખત હાહાકાર મચાવ્યો છે. અનેક લોકોના કોરોનાને કારણે મોત થયા છે. વિશ્વના અનેક દેશોમાં કોરોના સંક્રમિતોનો આંકડો વધી રહ્યો છે. જેને કારણે ભારતની ચિંતા પણ વધી છે. વિદેશથી આવતા લોકો માટે સરકારે ગાઈડલાઈન્સ બહાર પાડી છે. દેશમાં કોરોનાની વેવ ફરી ન આવે તે માટે પગલા લેવામાં આવી રહ્યા છે.

India logs less than 50,000 daily new Covid-19 cases for 16 days straight |  Deccan Herald


કોરોના ગાઈડલાઈન્સ કેરળ સરકારે જાહેર કરી 

કેરળ સરકારે રાજ્ય માટે ફરી એક વખત કોરોના ગાઈડલાઈન્સ બહાર પાડી છે. જે મુજબ તમામ જગ્યાઓ પર માસ્ક પહેરવું અનિવાર્ય કરવામાં આવ્યું છે. સાર્વજનિક સ્થળો પર, કાર્યસ્થળો ઉપરાંત ધાર્મિક સ્થળો પર માસ્ક પહેરવું ફરજિયાત કરવામાં આવ્યું છે. ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સિંગ પણ લાગુ કરવામાં આવ્યું છે. 

IIT Delhi researchers develop affordable test kits for corona virus |  Education News,The Indian Express

માસ્ક પહેરવું કરાયું ફરજિયાત 

કેરળમાં કોરોના સંક્રમણ ફેલાવાનો ભય વ્યાપી રહ્યો છે. જેને કારણે આગામી 30 દિવસ માટે સરકારે કોરોના ગાઈડલાઈન્સ બહાર પાડી છે. સરકારે બધી દુકાનો, મોલ તેમજ જાહેર જગ્યાઓ પર સેનેટાઈઝરની વ્યવસ્થા કરવાનો આદેશ કર્યો છે. કોરોના કેસની સાથે XBB 1.5 વેરિઅન્ટને કારણે ચિંતા વધી રહી છે. આ વેરિઅન્ટના અનેક કેસો નોંધાઈ રહ્યા છે. આ વેરિઅન્ટ અનેક લોકોને સંક્રમિત કરી શકે છે જેને કારણે સરકારમાં ચિંતા વ્યાપી ઉઠી છે.    




Who does not know the famous Indian industrialist Dhirajlal Hira Chand Ambani alias Dhirubhai Ambani. Many people have heard his story from working at a petrol pump to establishing a company like Reliance Industries. But very few people know how much struggle he has had to reach here and what thoughts and principles he lives by. 28th December is Dhirubhai Ambani's birthday. Before that, Parimalbhai Nathwani has written an article on Dhirubhai's life and his principles. In the article, Parimal Nathwani has described Dhirubhai's life by linking it with the principles of Geeta.

અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.