દેશના આ રાજ્યમાં માસ્ક પહેરવું કરાયું ફરજિયાત, કોરોના ન ફેલાય તે માટે લેવાયો નિર્ણય


  • Published By :
  • Published Date : 2023-01-17 10:45:37

વિશ્વના અનેક દેશોમાં કોરોના ફરી માથું ઉંચકી રહ્યું છે.  હજારોની સંખ્યામાં લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. ત્યારે ભારતમાં પણ કોરોનાને લઈ સરકાર એક્ટિવ થઈ ગઈ છે. બહારથી આવતા પ્રવાસીઓ માટે અનેક નિયમો લાગુ કર્યા છે. રાજ્ય સરકારો પણ કોરોનાને લઈ ચિંતિત થઈ છે. ત્યારે કેરળ સરકારે ફરી એક વખત માસ્ક પહેરવો ફરજિયાત કરી દીધો છે. બધી જગ્યાઓ પર માસ્ક પહેરવાનો નિયમ લાગુ કરવામાં આવ્યો છે.


અનેક દેશોમાં વધી કોરોનાને કારણે ચિંતા

દેશમાં કોરોનાએ અનેક વખત હાહાકાર મચાવ્યો છે. અનેક લોકોના કોરોનાને કારણે મોત થયા છે. વિશ્વના અનેક દેશોમાં કોરોના સંક્રમિતોનો આંકડો વધી રહ્યો છે. જેને કારણે ભારતની ચિંતા પણ વધી છે. વિદેશથી આવતા લોકો માટે સરકારે ગાઈડલાઈન્સ બહાર પાડી છે. દેશમાં કોરોનાની વેવ ફરી ન આવે તે માટે પગલા લેવામાં આવી રહ્યા છે.

India logs less than 50,000 daily new Covid-19 cases for 16 days straight |  Deccan Herald


કોરોના ગાઈડલાઈન્સ કેરળ સરકારે જાહેર કરી 

કેરળ સરકારે રાજ્ય માટે ફરી એક વખત કોરોના ગાઈડલાઈન્સ બહાર પાડી છે. જે મુજબ તમામ જગ્યાઓ પર માસ્ક પહેરવું અનિવાર્ય કરવામાં આવ્યું છે. સાર્વજનિક સ્થળો પર, કાર્યસ્થળો ઉપરાંત ધાર્મિક સ્થળો પર માસ્ક પહેરવું ફરજિયાત કરવામાં આવ્યું છે. ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સિંગ પણ લાગુ કરવામાં આવ્યું છે. 

IIT Delhi researchers develop affordable test kits for corona virus |  Education News,The Indian Express

માસ્ક પહેરવું કરાયું ફરજિયાત 

કેરળમાં કોરોના સંક્રમણ ફેલાવાનો ભય વ્યાપી રહ્યો છે. જેને કારણે આગામી 30 દિવસ માટે સરકારે કોરોના ગાઈડલાઈન્સ બહાર પાડી છે. સરકારે બધી દુકાનો, મોલ તેમજ જાહેર જગ્યાઓ પર સેનેટાઈઝરની વ્યવસ્થા કરવાનો આદેશ કર્યો છે. કોરોના કેસની સાથે XBB 1.5 વેરિઅન્ટને કારણે ચિંતા વધી રહી છે. આ વેરિઅન્ટના અનેક કેસો નોંધાઈ રહ્યા છે. આ વેરિઅન્ટ અનેક લોકોને સંક્રમિત કરી શકે છે જેને કારણે સરકારમાં ચિંતા વ્યાપી ઉઠી છે.    




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.