IND vs ENG: શાબાશ સરફરાઝ... પુત્રએ સાકાર કર્યું પિતાનું સપનું, ડેબ્યૂ મેચમાં જ ફટકારી અડધી સદી


  • Published By :
  • Published Date : 2024-02-15 19:51:44

પિતાએ જે સપનું જોયું તે આખરે પુત્રએ સાકાર કર્યું. ઈંગ્લેન્ડ સામે રાજકોટ ટેસ્ટ મેચમાં ભારત તરફથી ડેબ્યૂ કરનાર સરફરાઝ ખાને કમાલ કરી દીધો. સરફરાઝ ખાનને જ્યારે ટેસ્ટ કેપ મળી ત્યારે તેના પિતા પણ ત્યાં હાજર હતા. સરફરાઝને જેવી ટેસ્ટ કેપ મળી કે તે દોડીને તેના પિતા પાસે દોડી ગયો અને તેમને ગળે લગાવ્યા હતા, તેના પિતા પણ ભાવુક બની ગયા હતા અને તેમની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા હતા. હવે બેટિંગ કરવાનો વારો સરફરાઝનો હતો. રોહિત શર્માના આઉટ થયા બાદ સરફરાઝ ખાન બેટિંગ કરવા ક્રિઝ પર આવ્યો હતો.


તોફાની પચાસ રન ફટકાર્યા


જો કે સરફરાઝ ખાન દુર્ભાગ્યપૂર્ણ રહ્યો કે તે રન આઉટ થયો હતો, પરંતુ તે પહેલા તેણે તોફાની પચાસ રન ફટકારીને સ્પષ્ટ કરી દીધું કે હવે તેનો સમય આવી ગયો છે. સરફરાઝે માત્ર 48 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. પુત્રની આ સિદ્ધિ જોઈને સ્ટેડિયમમાં બેઠેલા પિતાની છાતી ગર્વથી ફૂલી ગઈ હતી.


પુત્રના પર્ફોરમન્સથી પિતા સંતૃષ્ટ


તેમના ચહેરા પર જે સ્મિત હતું તેનાથી સ્પષ્ટ થઈ રહ્યું હતું કે તેમને પુત્રના પર્ફોરમન્સથી સંતૃષ્ટ છે. કારણ કે  તેમની આંખો આ દિવસ જોવા માટે તરસતી હતી. સરફરાઝ ખાનના પિતા જ તેના બાળપણના કોચ છે.


પિતા પણ ક્રિકેટર રહી ચૂક્યા છે


ઉલ્લેખનિય છે કે સરફરાઝ ખાનના પિતા પણ ક્રિકેટર રહી ચૂક્યા છે. તેમનું સપનું ભારત માટે ક્રિકેટ રમવાનું હતું, પરંતુ તે ક્યારેય સાકાર થઈ શક્યું નહીં. આ પછી જ તેમણે નક્કી કર્યું કે તે પોતાના બાળકોને ટીમ ઈન્ડિયા માટે તૈયાર કરશે અને તેમના માટે તેમણે દિવસ-રાત એક કર્યો હતો.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.