IND vs ENG: શાબાશ સરફરાઝ... પુત્રએ સાકાર કર્યું પિતાનું સપનું, ડેબ્યૂ મેચમાં જ ફટકારી અડધી સદી


  • Published By :
  • Published Date : 2024-02-15 19:51:44

પિતાએ જે સપનું જોયું તે આખરે પુત્રએ સાકાર કર્યું. ઈંગ્લેન્ડ સામે રાજકોટ ટેસ્ટ મેચમાં ભારત તરફથી ડેબ્યૂ કરનાર સરફરાઝ ખાને કમાલ કરી દીધો. સરફરાઝ ખાનને જ્યારે ટેસ્ટ કેપ મળી ત્યારે તેના પિતા પણ ત્યાં હાજર હતા. સરફરાઝને જેવી ટેસ્ટ કેપ મળી કે તે દોડીને તેના પિતા પાસે દોડી ગયો અને તેમને ગળે લગાવ્યા હતા, તેના પિતા પણ ભાવુક બની ગયા હતા અને તેમની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા હતા. હવે બેટિંગ કરવાનો વારો સરફરાઝનો હતો. રોહિત શર્માના આઉટ થયા બાદ સરફરાઝ ખાન બેટિંગ કરવા ક્રિઝ પર આવ્યો હતો.


તોફાની પચાસ રન ફટકાર્યા


જો કે સરફરાઝ ખાન દુર્ભાગ્યપૂર્ણ રહ્યો કે તે રન આઉટ થયો હતો, પરંતુ તે પહેલા તેણે તોફાની પચાસ રન ફટકારીને સ્પષ્ટ કરી દીધું કે હવે તેનો સમય આવી ગયો છે. સરફરાઝે માત્ર 48 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. પુત્રની આ સિદ્ધિ જોઈને સ્ટેડિયમમાં બેઠેલા પિતાની છાતી ગર્વથી ફૂલી ગઈ હતી.


પુત્રના પર્ફોરમન્સથી પિતા સંતૃષ્ટ


તેમના ચહેરા પર જે સ્મિત હતું તેનાથી સ્પષ્ટ થઈ રહ્યું હતું કે તેમને પુત્રના પર્ફોરમન્સથી સંતૃષ્ટ છે. કારણ કે  તેમની આંખો આ દિવસ જોવા માટે તરસતી હતી. સરફરાઝ ખાનના પિતા જ તેના બાળપણના કોચ છે.


પિતા પણ ક્રિકેટર રહી ચૂક્યા છે


ઉલ્લેખનિય છે કે સરફરાઝ ખાનના પિતા પણ ક્રિકેટર રહી ચૂક્યા છે. તેમનું સપનું ભારત માટે ક્રિકેટ રમવાનું હતું, પરંતુ તે ક્યારેય સાકાર થઈ શક્યું નહીં. આ પછી જ તેમણે નક્કી કર્યું કે તે પોતાના બાળકોને ટીમ ઈન્ડિયા માટે તૈયાર કરશે અને તેમના માટે તેમણે દિવસ-રાત એક કર્યો હતો.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.