બંગાળના હુગલીમાં રમખાણોની તપાસ માટે પહોંચેલી ટીમને રોકવામાં આવી, પટણા હાઈકોર્ટના પૂર્વ ચીફ જસ્ટીસે ઠાલવ્યો રોષ


  • Published By :
  • Published Date : 2023-04-09 15:23:59

પટણા હાઈકોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ નરસિમ્હા રેડ્ડીની આગેવાની હેઠળની છ સભ્યોની ટીમ પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લામાં ગયા અઠવાડિયે થયેલી સાંપ્રદાયિક હિંસાની તપાસ માટે હિંસાગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેવા પહોંચી હતી પરંતુ પોલીસે તેમને અટકાવી દીધા હતા.


નરસિમ્હા રેડ્ડીએ સરકારની ઝાટકણી કાઢી


નરસિમ્હા રેડ્ડીએ કહ્યું કે અમને રોકવામાં આવ્યા છે અને પોલીસ કહી રહી છે કે આ વિસ્તારમાં સીઆરપીસીની કલમ 144 લાગુ કરવામાં આવી છે પરંતુ અહીં કંઈ નથી. આ લોકો ભયભીત છે કારણ કે તેમને પોલ ખુલી જવાનો ડર છે. એક પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે પટણા હાઈકોર્ટના રિટાયર્ડ ન્યાયાધીશ એલ નરસિમ્હા રેડ્ડીના નેતૃત્વમાં આવેલી એક ટીમને સેરામપુર અને રિશરાના માર્ગમાં કોનનગરની નજીક રોકી દેવા આવ્યા હતા, કેમ કે આ વિસ્તારમાં 144 લાગુ કરવામાં આવી છે. 


આ ટીમ રવિવારે હાવડા જિલ્લાના શિબપુરનો પણ પ્રવાસ કરવાની છે. તે ઉપરાંત તે રામનવમી દરમિયાન આ વિસ્તારોમાં થયેલી હિંસાને લઈ રાજ્યના ગૃહ સચિવ બીપી ગોપાલિકા સાથે મુલાકાતની પણ માગ કરી રહી છે.


સરકાર શું છુપાવી રહી છે?


ફેક્ટ ફાઈન્ડિંગ ટીમના સભ્ય ચારૂ વલી ખન્નાએ કહ્યું, "તે મને રોકી રહ્યા છે અને દીવાલની જેમ ઉભા રહી ગયા છે, સરકાર આખરે શું છુપાવવા માંગે છે? શું રાજ્ય સરકાર કાયદો વ્યવસ્થા બનાવી રાખવામાં સક્ષમ નથી? અમે ટોળું લઈને જઈ રહ્યા નથી, માત્ર રમખાણ પીડિતોને મળવા માગીએ છીએ.




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.