બંગાળના હુગલીમાં રમખાણોની તપાસ માટે પહોંચેલી ટીમને રોકવામાં આવી, પટણા હાઈકોર્ટના પૂર્વ ચીફ જસ્ટીસે ઠાલવ્યો રોષ


  • Published By :
  • Published Date : 2023-04-09 15:23:59

પટણા હાઈકોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ નરસિમ્હા રેડ્ડીની આગેવાની હેઠળની છ સભ્યોની ટીમ પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લામાં ગયા અઠવાડિયે થયેલી સાંપ્રદાયિક હિંસાની તપાસ માટે હિંસાગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેવા પહોંચી હતી પરંતુ પોલીસે તેમને અટકાવી દીધા હતા.


નરસિમ્હા રેડ્ડીએ સરકારની ઝાટકણી કાઢી


નરસિમ્હા રેડ્ડીએ કહ્યું કે અમને રોકવામાં આવ્યા છે અને પોલીસ કહી રહી છે કે આ વિસ્તારમાં સીઆરપીસીની કલમ 144 લાગુ કરવામાં આવી છે પરંતુ અહીં કંઈ નથી. આ લોકો ભયભીત છે કારણ કે તેમને પોલ ખુલી જવાનો ડર છે. એક પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે પટણા હાઈકોર્ટના રિટાયર્ડ ન્યાયાધીશ એલ નરસિમ્હા રેડ્ડીના નેતૃત્વમાં આવેલી એક ટીમને સેરામપુર અને રિશરાના માર્ગમાં કોનનગરની નજીક રોકી દેવા આવ્યા હતા, કેમ કે આ વિસ્તારમાં 144 લાગુ કરવામાં આવી છે. 


આ ટીમ રવિવારે હાવડા જિલ્લાના શિબપુરનો પણ પ્રવાસ કરવાની છે. તે ઉપરાંત તે રામનવમી દરમિયાન આ વિસ્તારોમાં થયેલી હિંસાને લઈ રાજ્યના ગૃહ સચિવ બીપી ગોપાલિકા સાથે મુલાકાતની પણ માગ કરી રહી છે.


સરકાર શું છુપાવી રહી છે?


ફેક્ટ ફાઈન્ડિંગ ટીમના સભ્ય ચારૂ વલી ખન્નાએ કહ્યું, "તે મને રોકી રહ્યા છે અને દીવાલની જેમ ઉભા રહી ગયા છે, સરકાર આખરે શું છુપાવવા માંગે છે? શું રાજ્ય સરકાર કાયદો વ્યવસ્થા બનાવી રાખવામાં સક્ષમ નથી? અમે ટોળું લઈને જઈ રહ્યા નથી, માત્ર રમખાણ પીડિતોને મળવા માગીએ છીએ.




આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.