બંગાળના હુગલીમાં રમખાણોની તપાસ માટે પહોંચેલી ટીમને રોકવામાં આવી, પટણા હાઈકોર્ટના પૂર્વ ચીફ જસ્ટીસે ઠાલવ્યો રોષ


  • Published By :
  • Published Date : 2023-04-09 15:23:59

પટણા હાઈકોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ નરસિમ્હા રેડ્ડીની આગેવાની હેઠળની છ સભ્યોની ટીમ પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લામાં ગયા અઠવાડિયે થયેલી સાંપ્રદાયિક હિંસાની તપાસ માટે હિંસાગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેવા પહોંચી હતી પરંતુ પોલીસે તેમને અટકાવી દીધા હતા.


નરસિમ્હા રેડ્ડીએ સરકારની ઝાટકણી કાઢી


નરસિમ્હા રેડ્ડીએ કહ્યું કે અમને રોકવામાં આવ્યા છે અને પોલીસ કહી રહી છે કે આ વિસ્તારમાં સીઆરપીસીની કલમ 144 લાગુ કરવામાં આવી છે પરંતુ અહીં કંઈ નથી. આ લોકો ભયભીત છે કારણ કે તેમને પોલ ખુલી જવાનો ડર છે. એક પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે પટણા હાઈકોર્ટના રિટાયર્ડ ન્યાયાધીશ એલ નરસિમ્હા રેડ્ડીના નેતૃત્વમાં આવેલી એક ટીમને સેરામપુર અને રિશરાના માર્ગમાં કોનનગરની નજીક રોકી દેવા આવ્યા હતા, કેમ કે આ વિસ્તારમાં 144 લાગુ કરવામાં આવી છે. 


આ ટીમ રવિવારે હાવડા જિલ્લાના શિબપુરનો પણ પ્રવાસ કરવાની છે. તે ઉપરાંત તે રામનવમી દરમિયાન આ વિસ્તારોમાં થયેલી હિંસાને લઈ રાજ્યના ગૃહ સચિવ બીપી ગોપાલિકા સાથે મુલાકાતની પણ માગ કરી રહી છે.


સરકાર શું છુપાવી રહી છે?


ફેક્ટ ફાઈન્ડિંગ ટીમના સભ્ય ચારૂ વલી ખન્નાએ કહ્યું, "તે મને રોકી રહ્યા છે અને દીવાલની જેમ ઉભા રહી ગયા છે, સરકાર આખરે શું છુપાવવા માંગે છે? શું રાજ્ય સરકાર કાયદો વ્યવસ્થા બનાવી રાખવામાં સક્ષમ નથી? અમે ટોળું લઈને જઈ રહ્યા નથી, માત્ર રમખાણ પીડિતોને મળવા માગીએ છીએ.




અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.