બંગાળના હુગલીમાં રમખાણોની તપાસ માટે પહોંચેલી ટીમને રોકવામાં આવી, પટણા હાઈકોર્ટના પૂર્વ ચીફ જસ્ટીસે ઠાલવ્યો રોષ


  • Published By :
  • Published Date : 2023-04-09 15:23:59

પટણા હાઈકોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ નરસિમ્હા રેડ્ડીની આગેવાની હેઠળની છ સભ્યોની ટીમ પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લામાં ગયા અઠવાડિયે થયેલી સાંપ્રદાયિક હિંસાની તપાસ માટે હિંસાગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેવા પહોંચી હતી પરંતુ પોલીસે તેમને અટકાવી દીધા હતા.


નરસિમ્હા રેડ્ડીએ સરકારની ઝાટકણી કાઢી


નરસિમ્હા રેડ્ડીએ કહ્યું કે અમને રોકવામાં આવ્યા છે અને પોલીસ કહી રહી છે કે આ વિસ્તારમાં સીઆરપીસીની કલમ 144 લાગુ કરવામાં આવી છે પરંતુ અહીં કંઈ નથી. આ લોકો ભયભીત છે કારણ કે તેમને પોલ ખુલી જવાનો ડર છે. એક પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે પટણા હાઈકોર્ટના રિટાયર્ડ ન્યાયાધીશ એલ નરસિમ્હા રેડ્ડીના નેતૃત્વમાં આવેલી એક ટીમને સેરામપુર અને રિશરાના માર્ગમાં કોનનગરની નજીક રોકી દેવા આવ્યા હતા, કેમ કે આ વિસ્તારમાં 144 લાગુ કરવામાં આવી છે. 


આ ટીમ રવિવારે હાવડા જિલ્લાના શિબપુરનો પણ પ્રવાસ કરવાની છે. તે ઉપરાંત તે રામનવમી દરમિયાન આ વિસ્તારોમાં થયેલી હિંસાને લઈ રાજ્યના ગૃહ સચિવ બીપી ગોપાલિકા સાથે મુલાકાતની પણ માગ કરી રહી છે.


સરકાર શું છુપાવી રહી છે?


ફેક્ટ ફાઈન્ડિંગ ટીમના સભ્ય ચારૂ વલી ખન્નાએ કહ્યું, "તે મને રોકી રહ્યા છે અને દીવાલની જેમ ઉભા રહી ગયા છે, સરકાર આખરે શું છુપાવવા માંગે છે? શું રાજ્ય સરકાર કાયદો વ્યવસ્થા બનાવી રાખવામાં સક્ષમ નથી? અમે ટોળું લઈને જઈ રહ્યા નથી, માત્ર રમખાણ પીડિતોને મળવા માગીએ છીએ.




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.