The Kerala Story પર પશ્ચિમ બંગાળ સરકારે લગાવ્યો પ્રતિબંધ, CM મમતા બેનર્જીએ આપ્યું આ કારણ


  • Published By :
  • Published Date : 2023-05-08 19:15:00

પશ્ચિમ બંગાળ સરકારે ધ કેરાલા સ્ટોરી ફિલ્મ પર પ્રતિબંધ લગાવી દીધો છે. ટ્રેલર રિલીઝ થયું ત્યારથી જ આ ફિલ્મ વિવાદોમાં ઘેરાયેલી છે. ફિલ્મને કેરળ સહિત અનેક રાજ્યોમાં વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. હવે મમતા સરકારે પણ રાજ્યમાં કોઈ પણ પ્રકારની અપ્રિય ઘટના ન બને અને રાજ્યમાં શાંતિ જળવાઈ રહે તે માટે આ નિર્ણય લીધો છે. 


સીએમ મમતા બેનર્જીએ શું કહ્યું? 


પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ધ કેરાલા સ્ટોરી મામલે ભાજપ અને સીપીઆઈ(એમ) પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે હવે બંગાલ ફાઈલ પર પણ તૈયારી કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે હું કેરળના મુખ્યમંત્રીને જણાવવા માંગું છું કે તમારી પાર્ટી સીપીઆઈ(એમ) બિજેપીની સાથે કામ કરી રહી છે. અને તે જ પાર્ટી કેરળ ફાઈલ પણ બતાવે છે. તેમણે પહેલા કાશ્મીર અને ત્યાર બાદ હવે કેરળને બદનામ કર્યું છે. 


ફિલ્મ બોક્સ ઓફિસ કરી રહી છે મબલખ કમાણી 


અત્રે ઉલ્લેખનિય છે કે વિવાદો છતાં ધ કેરાલા સ્ટોરી ફિલ્મ બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી રહી છે. ફિલ્મને ક્રિટિક્સની સાથે લોકોની પણ પ્રશંસા મળી રહી છે. આ  જ કારણ છે કે ફિલ્મએ વિક એન્ડ પર 30 કરોડથી પણ વધુનું કલેક્શન કરી લીધું છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ હજું પણ સારૂં પ્રદર્શન કર



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.