The Kerala Story પર પશ્ચિમ બંગાળ સરકારે લગાવ્યો પ્રતિબંધ, CM મમતા બેનર્જીએ આપ્યું આ કારણ


  • Published By :
  • Published Date : 2023-05-08 19:15:00

પશ્ચિમ બંગાળ સરકારે ધ કેરાલા સ્ટોરી ફિલ્મ પર પ્રતિબંધ લગાવી દીધો છે. ટ્રેલર રિલીઝ થયું ત્યારથી જ આ ફિલ્મ વિવાદોમાં ઘેરાયેલી છે. ફિલ્મને કેરળ સહિત અનેક રાજ્યોમાં વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. હવે મમતા સરકારે પણ રાજ્યમાં કોઈ પણ પ્રકારની અપ્રિય ઘટના ન બને અને રાજ્યમાં શાંતિ જળવાઈ રહે તે માટે આ નિર્ણય લીધો છે. 


સીએમ મમતા બેનર્જીએ શું કહ્યું? 


પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ધ કેરાલા સ્ટોરી મામલે ભાજપ અને સીપીઆઈ(એમ) પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે હવે બંગાલ ફાઈલ પર પણ તૈયારી કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે હું કેરળના મુખ્યમંત્રીને જણાવવા માંગું છું કે તમારી પાર્ટી સીપીઆઈ(એમ) બિજેપીની સાથે કામ કરી રહી છે. અને તે જ પાર્ટી કેરળ ફાઈલ પણ બતાવે છે. તેમણે પહેલા કાશ્મીર અને ત્યાર બાદ હવે કેરળને બદનામ કર્યું છે. 


ફિલ્મ બોક્સ ઓફિસ કરી રહી છે મબલખ કમાણી 


અત્રે ઉલ્લેખનિય છે કે વિવાદો છતાં ધ કેરાલા સ્ટોરી ફિલ્મ બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી રહી છે. ફિલ્મને ક્રિટિક્સની સાથે લોકોની પણ પ્રશંસા મળી રહી છે. આ  જ કારણ છે કે ફિલ્મએ વિક એન્ડ પર 30 કરોડથી પણ વધુનું કલેક્શન કરી લીધું છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ હજું પણ સારૂં પ્રદર્શન કર



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .