The Kerala Story પર પશ્ચિમ બંગાળ સરકારે લગાવ્યો પ્રતિબંધ, CM મમતા બેનર્જીએ આપ્યું આ કારણ


  • Published By :
  • Published Date : 2023-05-08 19:15:00

પશ્ચિમ બંગાળ સરકારે ધ કેરાલા સ્ટોરી ફિલ્મ પર પ્રતિબંધ લગાવી દીધો છે. ટ્રેલર રિલીઝ થયું ત્યારથી જ આ ફિલ્મ વિવાદોમાં ઘેરાયેલી છે. ફિલ્મને કેરળ સહિત અનેક રાજ્યોમાં વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. હવે મમતા સરકારે પણ રાજ્યમાં કોઈ પણ પ્રકારની અપ્રિય ઘટના ન બને અને રાજ્યમાં શાંતિ જળવાઈ રહે તે માટે આ નિર્ણય લીધો છે. 


સીએમ મમતા બેનર્જીએ શું કહ્યું? 


પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ધ કેરાલા સ્ટોરી મામલે ભાજપ અને સીપીઆઈ(એમ) પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે હવે બંગાલ ફાઈલ પર પણ તૈયારી કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે હું કેરળના મુખ્યમંત્રીને જણાવવા માંગું છું કે તમારી પાર્ટી સીપીઆઈ(એમ) બિજેપીની સાથે કામ કરી રહી છે. અને તે જ પાર્ટી કેરળ ફાઈલ પણ બતાવે છે. તેમણે પહેલા કાશ્મીર અને ત્યાર બાદ હવે કેરળને બદનામ કર્યું છે. 


ફિલ્મ બોક્સ ઓફિસ કરી રહી છે મબલખ કમાણી 


અત્રે ઉલ્લેખનિય છે કે વિવાદો છતાં ધ કેરાલા સ્ટોરી ફિલ્મ બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી રહી છે. ફિલ્મને ક્રિટિક્સની સાથે લોકોની પણ પ્રશંસા મળી રહી છે. આ  જ કારણ છે કે ફિલ્મએ વિક એન્ડ પર 30 કરોડથી પણ વધુનું કલેક્શન કરી લીધું છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ હજું પણ સારૂં પ્રદર્શન કર



રાજકોટમાં આવેલી આજી નદી પર રિવરફ્રન્ટ બનાવવાનો રસ્તો હવે સાફ થઇ ચુક્યો છે. કેમ કે , જંગલેશ્વર વિસ્તારમાં અંદાજે ૪૦૦ કરોડ રૂપિયાની કિંમતની સરકારી જમીન પર ખડકાયેલા ૧૩૫૮ જેટલા મકાનોને દૂર કરવામાં આવશે. આ માટે ગુજરાતના મહેસુલી પંચ દ્વારા સ્થાનિક દબાણકારોની અપીલને રદ કરતો ચુકાદો આપી દેવામાં આવ્યો છે. આ ચુકાદા પછી , ટૂંક સમયમાં જ જંગલેશ્વરમાં ફરી એકવાર ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

" આજે ઈરાન માટે ખુબ મોટો દિવસ છે કેમ કે , ઈરાન પર ખુબ ઘાતક હુમલો કરવામાં આવ્યો છે. " આ શબ્દો છે , અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ. આ એજ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ છે કે જેઓ , અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણીઓના પ્રચાર દરમ્યાન , અમેરિકાને કોઈ પણ નવા યુદ્ધમાં ના ઝોંકવાની કસમ ખાતા હતા અને આજે તેઓ , તેમના બીજા કાર્યકાળના શરુ થયે માત્ર ૧૩ મહિનાની અંદર , ઈરાન પર ખુબ ભારે બોમ્બમારો કરાવી રહ્યા છે. આવનારા , સમયમાં અમેરિકા જમીની સ્તરે ઈરાન પર આક્રમણ કરી શકે છે. તો બીજી તરફ , કુવૈતથી ખબર આવી છે કે , ઈરાનના હુમલામાં એક ભારતીયએ જીવ ગુમાવ્યો છે. વાત કરીએ , ભારતની તો , પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે જે ઉર્જા સંકટ ભારત સામે ઉભું થયું છે તેની સામે કેરોસીનના વેચાણને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

ગુજરાતમાં છેલ્લા ૬ મહિનામાં પોલીસ પર હુમલાની ઘટનામાં વધારો થયો છે. ઓક્ટોબર ૨૦૨૫માં બોટાદના હડદડ ગામે થયેલી હિંસા અને ત્યારબાદ અંબાજીના પાડલીયા ગામે ડિસેમ્બર ૨૦૨૫માં પોલીસ સાથે ઘર્ષણની ઘટના સામે આવી હતી. આ ઉપરાંત થોડાક સમય અગાઉ , પાટણના ઝીલીયા ગામે , અસામાજિક તત્વો દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. હવે , અમદાવાદના નળ સરોવર ખાતે પણ પોલીસ પર હુમલાની ઘટના સામે આવી છે. જેમાં બે પોલીસકર્મી ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.

રાજકોટ રેન્જ IG તરીકે નિર્લિપ્ત રાયની નિમણુંક થતા અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. કેમ કે , હવે નિર્લિપ્ત રાય દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે , આગામી સમયમાં ૧ લી અને ૨જી એપ્રિલે એક લોકસંપર્ક સભા યોજાશે જેમાં તેઓ પોતે વ્યાજખોરોના ત્રાસથી પીડિતોની રજુઆત સાંભળશે. આ ઉપરાંત , જામનગરમાં રેન્જ IG નિર્લિપ્ત રાયની મુલાકાતના બે જ કલાકની અંદર ૭૨ જેટલા ગેરકાયદેસર બાંધકામો તંત્ર દ્વારા ધ્વસ્ત કરી નાખવામાં આવ્યા છે.