The Kerala Story પર પશ્ચિમ બંગાળ સરકારે લગાવ્યો પ્રતિબંધ, CM મમતા બેનર્જીએ આપ્યું આ કારણ


  • Published By :
  • Published Date : 2023-05-08 19:15:00

પશ્ચિમ બંગાળ સરકારે ધ કેરાલા સ્ટોરી ફિલ્મ પર પ્રતિબંધ લગાવી દીધો છે. ટ્રેલર રિલીઝ થયું ત્યારથી જ આ ફિલ્મ વિવાદોમાં ઘેરાયેલી છે. ફિલ્મને કેરળ સહિત અનેક રાજ્યોમાં વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. હવે મમતા સરકારે પણ રાજ્યમાં કોઈ પણ પ્રકારની અપ્રિય ઘટના ન બને અને રાજ્યમાં શાંતિ જળવાઈ રહે તે માટે આ નિર્ણય લીધો છે. 


સીએમ મમતા બેનર્જીએ શું કહ્યું? 


પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ધ કેરાલા સ્ટોરી મામલે ભાજપ અને સીપીઆઈ(એમ) પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે હવે બંગાલ ફાઈલ પર પણ તૈયારી કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે હું કેરળના મુખ્યમંત્રીને જણાવવા માંગું છું કે તમારી પાર્ટી સીપીઆઈ(એમ) બિજેપીની સાથે કામ કરી રહી છે. અને તે જ પાર્ટી કેરળ ફાઈલ પણ બતાવે છે. તેમણે પહેલા કાશ્મીર અને ત્યાર બાદ હવે કેરળને બદનામ કર્યું છે. 


ફિલ્મ બોક્સ ઓફિસ કરી રહી છે મબલખ કમાણી 


અત્રે ઉલ્લેખનિય છે કે વિવાદો છતાં ધ કેરાલા સ્ટોરી ફિલ્મ બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી રહી છે. ફિલ્મને ક્રિટિક્સની સાથે લોકોની પણ પ્રશંસા મળી રહી છે. આ  જ કારણ છે કે ફિલ્મએ વિક એન્ડ પર 30 કરોડથી પણ વધુનું કલેક્શન કરી લીધું છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ હજું પણ સારૂં પ્રદર્શન કર



જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.