બંગાળ પંચાયત ચૂંટણી: 696 બૂથ પર ફરી મતદાન ચાલુ, મુર્શિદાબાદમાં મોડી રાત્રે પથ્થરમારો, પોલીસ તૈનાત


  • Published By :
  • Published Date : 2023-07-10 16:17:15

પશ્વિમ બંગાળમાં મુર્સિંદાબાદ સહિત 19 જિલ્લાઓમાં 696 મતદાન કેન્દ્રો ઉપર ફરીથી મતદાન થઈ રહ્યું છે. શનિવારે આ સીટો ઉપર હિંસા અને મતપેટીને નુકસાન પહોંચાડવામાં આવ્યા બાદ આ સીટો ઉપર ચૂંટણી અમાન્ય જાહેર કરી હતી. આ સીટો ઉપર સોમવારે સાંજે 5 વાગ્યા સુધી મતદાન થશે. સુરક્ષાને ધ્યાનમાં રાખતા દરેક બુથ ઉપર રાજ્ય પોલીસ ઉપરાંત કેન્દ્રીય દળોના ચાર જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.


મુર્શિદાબાદમાં સૌથી વધારે 174 બુથ પર મતદાન


પશ્વિમ બંગાળમાં જે જિલ્લાઓમાં ફરીથી મતદાન જાહેર કરવામાં આવ્યું છે એમાં મુર્શિદાબાદમાં સૌથી વધારે 174 બુથ છે. ત્યારબાદ માલદામાં 110 બુથ છે. નદિયામાં 89 મતદાન કેન્દ્ર પર, કૂચ બિહારમાં 53, ઉત્તર 24 પરગણામાં 46, ઉત્તર દિનાજપુરમાં 42, દક્ષિણ 24 પરગણામાં 36, પૂર્વ મેદિનીપુરમાં 31 અને હુગલીમાં 29 મતદાન કેન્દ્રો પર પુન: મતદાન થઈ રહ્યું છે.


કોંગ્રેસ અને ભાજપે કર્યો વિરોધ


કોંગ્રેસની પશ્વિમ બંગાળ એકમના અધ્યક્ષ અધીર રંજન ચૌધરીએ રવિવારે આરોપ લગાવ્યો હતો કે ગૃહમંત્રી તરફથી કેન્દ્રીય દળોને રાજ્યમાં તૈનાત કરવા માટે મોડો આદેશ આપવામાં આવ્યો હતો. આ કારણે જ ટીએમસીને મત લૂંટવામાં મદદ મળી હતી. કોંગ્રસે આરોપ લગાવ્યો છે કે બીજેપી અને ટીએમસી વચ્ચે સમજૂતી થઈ ગઈ છે. ત્યારબાદ મમતા બેનર્જી 2024ની લોકસભા ચૂંટણીમાં એકજુટ થઈ વિપક્ષનો ખેલ બગાડી શકે છે. અધીર રંજને કહ્યું કે મતતા બેનર્જી વિપક્ષી મોર્ચે ગદ્દાર તરીકે કામ કરશે. પશ્ચિમ બંગાળ ભાજપના અધ્યક્ષ સુકાંત મજૂમદારે કહ્યું કે ભાજપાએ લગભગ 10 હજાર બુથો પર મતદાન કરાવવાની માગ કરી હતી. પરંતું મને જાણવા મળ્યું છે કે લગભગ 600 બુથો પર ફરીથી મતદાન કરાવવામાં આવશે. જે પ્રકારે હિંસા થઈ છે તે ભયાનક છે.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.