બંગાળ પંચાયત ચૂંટણી: 696 બૂથ પર ફરી મતદાન ચાલુ, મુર્શિદાબાદમાં મોડી રાત્રે પથ્થરમારો, પોલીસ તૈનાત


  • Published By :
  • Published Date : 2023-07-10 16:17:15

પશ્વિમ બંગાળમાં મુર્સિંદાબાદ સહિત 19 જિલ્લાઓમાં 696 મતદાન કેન્દ્રો ઉપર ફરીથી મતદાન થઈ રહ્યું છે. શનિવારે આ સીટો ઉપર હિંસા અને મતપેટીને નુકસાન પહોંચાડવામાં આવ્યા બાદ આ સીટો ઉપર ચૂંટણી અમાન્ય જાહેર કરી હતી. આ સીટો ઉપર સોમવારે સાંજે 5 વાગ્યા સુધી મતદાન થશે. સુરક્ષાને ધ્યાનમાં રાખતા દરેક બુથ ઉપર રાજ્ય પોલીસ ઉપરાંત કેન્દ્રીય દળોના ચાર જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.


મુર્શિદાબાદમાં સૌથી વધારે 174 બુથ પર મતદાન


પશ્વિમ બંગાળમાં જે જિલ્લાઓમાં ફરીથી મતદાન જાહેર કરવામાં આવ્યું છે એમાં મુર્શિદાબાદમાં સૌથી વધારે 174 બુથ છે. ત્યારબાદ માલદામાં 110 બુથ છે. નદિયામાં 89 મતદાન કેન્દ્ર પર, કૂચ બિહારમાં 53, ઉત્તર 24 પરગણામાં 46, ઉત્તર દિનાજપુરમાં 42, દક્ષિણ 24 પરગણામાં 36, પૂર્વ મેદિનીપુરમાં 31 અને હુગલીમાં 29 મતદાન કેન્દ્રો પર પુન: મતદાન થઈ રહ્યું છે.


કોંગ્રેસ અને ભાજપે કર્યો વિરોધ


કોંગ્રેસની પશ્વિમ બંગાળ એકમના અધ્યક્ષ અધીર રંજન ચૌધરીએ રવિવારે આરોપ લગાવ્યો હતો કે ગૃહમંત્રી તરફથી કેન્દ્રીય દળોને રાજ્યમાં તૈનાત કરવા માટે મોડો આદેશ આપવામાં આવ્યો હતો. આ કારણે જ ટીએમસીને મત લૂંટવામાં મદદ મળી હતી. કોંગ્રસે આરોપ લગાવ્યો છે કે બીજેપી અને ટીએમસી વચ્ચે સમજૂતી થઈ ગઈ છે. ત્યારબાદ મમતા બેનર્જી 2024ની લોકસભા ચૂંટણીમાં એકજુટ થઈ વિપક્ષનો ખેલ બગાડી શકે છે. અધીર રંજને કહ્યું કે મતતા બેનર્જી વિપક્ષી મોર્ચે ગદ્દાર તરીકે કામ કરશે. પશ્ચિમ બંગાળ ભાજપના અધ્યક્ષ સુકાંત મજૂમદારે કહ્યું કે ભાજપાએ લગભગ 10 હજાર બુથો પર મતદાન કરાવવાની માગ કરી હતી. પરંતું મને જાણવા મળ્યું છે કે લગભગ 600 બુથો પર ફરીથી મતદાન કરાવવામાં આવશે. જે પ્રકારે હિંસા થઈ છે તે ભયાનક છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.