બંગાળ પંચાયત ચૂંટણી: 696 બૂથ પર ફરી મતદાન ચાલુ, મુર્શિદાબાદમાં મોડી રાત્રે પથ્થરમારો, પોલીસ તૈનાત


  • Published By :
  • Published Date : 2023-07-10 16:17:15

પશ્વિમ બંગાળમાં મુર્સિંદાબાદ સહિત 19 જિલ્લાઓમાં 696 મતદાન કેન્દ્રો ઉપર ફરીથી મતદાન થઈ રહ્યું છે. શનિવારે આ સીટો ઉપર હિંસા અને મતપેટીને નુકસાન પહોંચાડવામાં આવ્યા બાદ આ સીટો ઉપર ચૂંટણી અમાન્ય જાહેર કરી હતી. આ સીટો ઉપર સોમવારે સાંજે 5 વાગ્યા સુધી મતદાન થશે. સુરક્ષાને ધ્યાનમાં રાખતા દરેક બુથ ઉપર રાજ્ય પોલીસ ઉપરાંત કેન્દ્રીય દળોના ચાર જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.


મુર્શિદાબાદમાં સૌથી વધારે 174 બુથ પર મતદાન


પશ્વિમ બંગાળમાં જે જિલ્લાઓમાં ફરીથી મતદાન જાહેર કરવામાં આવ્યું છે એમાં મુર્શિદાબાદમાં સૌથી વધારે 174 બુથ છે. ત્યારબાદ માલદામાં 110 બુથ છે. નદિયામાં 89 મતદાન કેન્દ્ર પર, કૂચ બિહારમાં 53, ઉત્તર 24 પરગણામાં 46, ઉત્તર દિનાજપુરમાં 42, દક્ષિણ 24 પરગણામાં 36, પૂર્વ મેદિનીપુરમાં 31 અને હુગલીમાં 29 મતદાન કેન્દ્રો પર પુન: મતદાન થઈ રહ્યું છે.


કોંગ્રેસ અને ભાજપે કર્યો વિરોધ


કોંગ્રેસની પશ્વિમ બંગાળ એકમના અધ્યક્ષ અધીર રંજન ચૌધરીએ રવિવારે આરોપ લગાવ્યો હતો કે ગૃહમંત્રી તરફથી કેન્દ્રીય દળોને રાજ્યમાં તૈનાત કરવા માટે મોડો આદેશ આપવામાં આવ્યો હતો. આ કારણે જ ટીએમસીને મત લૂંટવામાં મદદ મળી હતી. કોંગ્રસે આરોપ લગાવ્યો છે કે બીજેપી અને ટીએમસી વચ્ચે સમજૂતી થઈ ગઈ છે. ત્યારબાદ મમતા બેનર્જી 2024ની લોકસભા ચૂંટણીમાં એકજુટ થઈ વિપક્ષનો ખેલ બગાડી શકે છે. અધીર રંજને કહ્યું કે મતતા બેનર્જી વિપક્ષી મોર્ચે ગદ્દાર તરીકે કામ કરશે. પશ્ચિમ બંગાળ ભાજપના અધ્યક્ષ સુકાંત મજૂમદારે કહ્યું કે ભાજપાએ લગભગ 10 હજાર બુથો પર મતદાન કરાવવાની માગ કરી હતી. પરંતું મને જાણવા મળ્યું છે કે લગભગ 600 બુથો પર ફરીથી મતદાન કરાવવામાં આવશે. જે પ્રકારે હિંસા થઈ છે તે ભયાનક છે.



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.