મમતા બેનર્જીને સુપ્રીમની લપડાક, પશ્ચિમ બંગાળમાં પંચાયત ચૂંટણીમાં કેન્દ્રીય દળોની થશે તૈનાતી


  • Published By :
  • Published Date : 2023-06-20 16:09:45

પશ્ચિમ બંગાળના CM મમતા બેનર્જીને સુપ્રીમ કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. પશ્ચિમ બંગાળમાં પંચાયત ચૂંટણીમાં કેન્દ્રીય દળોની તૈનાતી અંગે કલકત્તા હાઈકોર્ટના આદેશને પડકારતી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. કલકત્તા હાઈકોર્ટના આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. આ અંગે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી.


ચૂંટણીમાં કેન્દ્રીય દળોની તૈનાતી થશે


સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળમાં પંચાયત ચૂંટણીમાં કેન્દ્રીય દળોની તૈનાતી અંગે કલકત્તા હાઈકોર્ટના આદેશને પડકારતી અરજીને ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આદેશમાં દખલ કરવાનો ઈન્કાર કર્યો હતો. પશ્ચિમ બંગાળમાં આગામી પંચાયત ચૂંટણીને ધ્યાનમાં રાખીને, કલકત્તા હાઈકોર્ટે 48 કલાકની અંદર દરેક જિલ્લામાં કેન્દ્રીય સુરક્ષા દળોની તૈનાત કરવાનો આદેશ આપ્યો હતો. આ આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. આ અંગે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હતી.


સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારનો ઉધડો લીધો


સુપ્રીમ કોર્ટની સુનાવણી દરમિયાન જસ્ટિસ નાગરત્નેએ પ. બંગાળની હાલની પરિસ્થિતિ અંગે પૂછ્યું હતું, ત્યારે આ અંગે પશ્ચિમ બંગાળ સરકારના વકીલ સિદ્ધાર્થ અગ્રવાલે જણાવ્યું હતું કે 13 જૂને રાજ્ય ચૂંટણી પંચ રાજ્ય સરકાર સાથે સુરક્ષાને લઈને મૂલ્યાંકન કરી રહ્યું હતું, પરંતુ 15 જૂને હાઈકોર્ટે 48 કલાકમાં અર્ધલશ્કરી દળોને તૈનાત કરવાનો આદેશ આપ્યો હતો. સિદ્ધાર્થ અગ્રવાલે કહ્યું કે 8મી જુલાઈએ ચૂંટણી થવાની છે. આના પર જસ્ટિસ નાગરત્ને જણાવ્યું હતું કે હાઈકોર્ટે આ આદેશ એટલા માટે આપ્યો કારણ કે પ. બંગાળમાં 2013, 2018માં હિંસાનો જૂનો ઈતિહાસ છે. જસ્ટિસ નાગરત્ને કહ્યું કે હિંસાના વાતાવરણમાં ચૂંટણી યોજી શકાય નહીં. જસ્ટિસ નાગરત્ને કહ્યું કે જ્યારે લોકોને ઉમેદવારી પત્ર ભરવાની સ્વતંત્રતા પણ નથી, તેમની હત્યા થઈ રહી છે, તો મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણીનો સવાલ જ ઊભો થતો નથી. હિંસાની આવી તમામ ઘટનાઓને ધ્યાનમાં રાખીને હાઈકોર્ટે આવો આદેશ આપ્યો હોવો જોઈએ.ચૂંટણી નિષ્પક્ષ અને મુક્ત હોવી જોઈએ.સમગ્ર રાજ્યમાં 189 સંવેદનશીલ બૂથ છે. પશ્ચિમ બંગાળ સરકારે દાવો કર્યો હતો કે અમે સુરક્ષા માટે સંપૂર્ણ રીતે તૈયાર છીએ.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.