મમતા બેનર્જીને સુપ્રીમની લપડાક, પશ્ચિમ બંગાળમાં પંચાયત ચૂંટણીમાં કેન્દ્રીય દળોની થશે તૈનાતી


  • Published By :
  • Published Date : 2023-06-20 16:09:45

પશ્ચિમ બંગાળના CM મમતા બેનર્જીને સુપ્રીમ કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. પશ્ચિમ બંગાળમાં પંચાયત ચૂંટણીમાં કેન્દ્રીય દળોની તૈનાતી અંગે કલકત્તા હાઈકોર્ટના આદેશને પડકારતી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. કલકત્તા હાઈકોર્ટના આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. આ અંગે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી.


ચૂંટણીમાં કેન્દ્રીય દળોની તૈનાતી થશે


સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળમાં પંચાયત ચૂંટણીમાં કેન્દ્રીય દળોની તૈનાતી અંગે કલકત્તા હાઈકોર્ટના આદેશને પડકારતી અરજીને ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આદેશમાં દખલ કરવાનો ઈન્કાર કર્યો હતો. પશ્ચિમ બંગાળમાં આગામી પંચાયત ચૂંટણીને ધ્યાનમાં રાખીને, કલકત્તા હાઈકોર્ટે 48 કલાકની અંદર દરેક જિલ્લામાં કેન્દ્રીય સુરક્ષા દળોની તૈનાત કરવાનો આદેશ આપ્યો હતો. આ આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. આ અંગે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હતી.


સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારનો ઉધડો લીધો


સુપ્રીમ કોર્ટની સુનાવણી દરમિયાન જસ્ટિસ નાગરત્નેએ પ. બંગાળની હાલની પરિસ્થિતિ અંગે પૂછ્યું હતું, ત્યારે આ અંગે પશ્ચિમ બંગાળ સરકારના વકીલ સિદ્ધાર્થ અગ્રવાલે જણાવ્યું હતું કે 13 જૂને રાજ્ય ચૂંટણી પંચ રાજ્ય સરકાર સાથે સુરક્ષાને લઈને મૂલ્યાંકન કરી રહ્યું હતું, પરંતુ 15 જૂને હાઈકોર્ટે 48 કલાકમાં અર્ધલશ્કરી દળોને તૈનાત કરવાનો આદેશ આપ્યો હતો. સિદ્ધાર્થ અગ્રવાલે કહ્યું કે 8મી જુલાઈએ ચૂંટણી થવાની છે. આના પર જસ્ટિસ નાગરત્ને જણાવ્યું હતું કે હાઈકોર્ટે આ આદેશ એટલા માટે આપ્યો કારણ કે પ. બંગાળમાં 2013, 2018માં હિંસાનો જૂનો ઈતિહાસ છે. જસ્ટિસ નાગરત્ને કહ્યું કે હિંસાના વાતાવરણમાં ચૂંટણી યોજી શકાય નહીં. જસ્ટિસ નાગરત્ને કહ્યું કે જ્યારે લોકોને ઉમેદવારી પત્ર ભરવાની સ્વતંત્રતા પણ નથી, તેમની હત્યા થઈ રહી છે, તો મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણીનો સવાલ જ ઊભો થતો નથી. હિંસાની આવી તમામ ઘટનાઓને ધ્યાનમાં રાખીને હાઈકોર્ટે આવો આદેશ આપ્યો હોવો જોઈએ.ચૂંટણી નિષ્પક્ષ અને મુક્ત હોવી જોઈએ.સમગ્ર રાજ્યમાં 189 સંવેદનશીલ બૂથ છે. પશ્ચિમ બંગાળ સરકારે દાવો કર્યો હતો કે અમે સુરક્ષા માટે સંપૂર્ણ રીતે તૈયાર છીએ.



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.