મમતા બેનર્જીને સુપ્રીમની લપડાક, પશ્ચિમ બંગાળમાં પંચાયત ચૂંટણીમાં કેન્દ્રીય દળોની થશે તૈનાતી


  • Published By :
  • Published Date : 2023-06-20 16:09:45

પશ્ચિમ બંગાળના CM મમતા બેનર્જીને સુપ્રીમ કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. પશ્ચિમ બંગાળમાં પંચાયત ચૂંટણીમાં કેન્દ્રીય દળોની તૈનાતી અંગે કલકત્તા હાઈકોર્ટના આદેશને પડકારતી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. કલકત્તા હાઈકોર્ટના આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. આ અંગે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી.


ચૂંટણીમાં કેન્દ્રીય દળોની તૈનાતી થશે


સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળમાં પંચાયત ચૂંટણીમાં કેન્દ્રીય દળોની તૈનાતી અંગે કલકત્તા હાઈકોર્ટના આદેશને પડકારતી અરજીને ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આદેશમાં દખલ કરવાનો ઈન્કાર કર્યો હતો. પશ્ચિમ બંગાળમાં આગામી પંચાયત ચૂંટણીને ધ્યાનમાં રાખીને, કલકત્તા હાઈકોર્ટે 48 કલાકની અંદર દરેક જિલ્લામાં કેન્દ્રીય સુરક્ષા દળોની તૈનાત કરવાનો આદેશ આપ્યો હતો. આ આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. આ અંગે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હતી.


સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારનો ઉધડો લીધો


સુપ્રીમ કોર્ટની સુનાવણી દરમિયાન જસ્ટિસ નાગરત્નેએ પ. બંગાળની હાલની પરિસ્થિતિ અંગે પૂછ્યું હતું, ત્યારે આ અંગે પશ્ચિમ બંગાળ સરકારના વકીલ સિદ્ધાર્થ અગ્રવાલે જણાવ્યું હતું કે 13 જૂને રાજ્ય ચૂંટણી પંચ રાજ્ય સરકાર સાથે સુરક્ષાને લઈને મૂલ્યાંકન કરી રહ્યું હતું, પરંતુ 15 જૂને હાઈકોર્ટે 48 કલાકમાં અર્ધલશ્કરી દળોને તૈનાત કરવાનો આદેશ આપ્યો હતો. સિદ્ધાર્થ અગ્રવાલે કહ્યું કે 8મી જુલાઈએ ચૂંટણી થવાની છે. આના પર જસ્ટિસ નાગરત્ને જણાવ્યું હતું કે હાઈકોર્ટે આ આદેશ એટલા માટે આપ્યો કારણ કે પ. બંગાળમાં 2013, 2018માં હિંસાનો જૂનો ઈતિહાસ છે. જસ્ટિસ નાગરત્ને કહ્યું કે હિંસાના વાતાવરણમાં ચૂંટણી યોજી શકાય નહીં. જસ્ટિસ નાગરત્ને કહ્યું કે જ્યારે લોકોને ઉમેદવારી પત્ર ભરવાની સ્વતંત્રતા પણ નથી, તેમની હત્યા થઈ રહી છે, તો મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણીનો સવાલ જ ઊભો થતો નથી. હિંસાની આવી તમામ ઘટનાઓને ધ્યાનમાં રાખીને હાઈકોર્ટે આવો આદેશ આપ્યો હોવો જોઈએ.ચૂંટણી નિષ્પક્ષ અને મુક્ત હોવી જોઈએ.સમગ્ર રાજ્યમાં 189 સંવેદનશીલ બૂથ છે. પશ્ચિમ બંગાળ સરકારે દાવો કર્યો હતો કે અમે સુરક્ષા માટે સંપૂર્ણ રીતે તૈયાર છીએ.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.