મમતા બેનર્જીને સુપ્રીમની લપડાક, પશ્ચિમ બંગાળમાં પંચાયત ચૂંટણીમાં કેન્દ્રીય દળોની થશે તૈનાતી


  • Published By :
  • Published Date : 2023-06-20 16:09:45

પશ્ચિમ બંગાળના CM મમતા બેનર્જીને સુપ્રીમ કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. પશ્ચિમ બંગાળમાં પંચાયત ચૂંટણીમાં કેન્દ્રીય દળોની તૈનાતી અંગે કલકત્તા હાઈકોર્ટના આદેશને પડકારતી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. કલકત્તા હાઈકોર્ટના આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. આ અંગે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી.


ચૂંટણીમાં કેન્દ્રીય દળોની તૈનાતી થશે


સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળમાં પંચાયત ચૂંટણીમાં કેન્દ્રીય દળોની તૈનાતી અંગે કલકત્તા હાઈકોર્ટના આદેશને પડકારતી અરજીને ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આદેશમાં દખલ કરવાનો ઈન્કાર કર્યો હતો. પશ્ચિમ બંગાળમાં આગામી પંચાયત ચૂંટણીને ધ્યાનમાં રાખીને, કલકત્તા હાઈકોર્ટે 48 કલાકની અંદર દરેક જિલ્લામાં કેન્દ્રીય સુરક્ષા દળોની તૈનાત કરવાનો આદેશ આપ્યો હતો. આ આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. આ અંગે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હતી.


સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારનો ઉધડો લીધો


સુપ્રીમ કોર્ટની સુનાવણી દરમિયાન જસ્ટિસ નાગરત્નેએ પ. બંગાળની હાલની પરિસ્થિતિ અંગે પૂછ્યું હતું, ત્યારે આ અંગે પશ્ચિમ બંગાળ સરકારના વકીલ સિદ્ધાર્થ અગ્રવાલે જણાવ્યું હતું કે 13 જૂને રાજ્ય ચૂંટણી પંચ રાજ્ય સરકાર સાથે સુરક્ષાને લઈને મૂલ્યાંકન કરી રહ્યું હતું, પરંતુ 15 જૂને હાઈકોર્ટે 48 કલાકમાં અર્ધલશ્કરી દળોને તૈનાત કરવાનો આદેશ આપ્યો હતો. સિદ્ધાર્થ અગ્રવાલે કહ્યું કે 8મી જુલાઈએ ચૂંટણી થવાની છે. આના પર જસ્ટિસ નાગરત્ને જણાવ્યું હતું કે હાઈકોર્ટે આ આદેશ એટલા માટે આપ્યો કારણ કે પ. બંગાળમાં 2013, 2018માં હિંસાનો જૂનો ઈતિહાસ છે. જસ્ટિસ નાગરત્ને કહ્યું કે હિંસાના વાતાવરણમાં ચૂંટણી યોજી શકાય નહીં. જસ્ટિસ નાગરત્ને કહ્યું કે જ્યારે લોકોને ઉમેદવારી પત્ર ભરવાની સ્વતંત્રતા પણ નથી, તેમની હત્યા થઈ રહી છે, તો મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણીનો સવાલ જ ઊભો થતો નથી. હિંસાની આવી તમામ ઘટનાઓને ધ્યાનમાં રાખીને હાઈકોર્ટે આવો આદેશ આપ્યો હોવો જોઈએ.ચૂંટણી નિષ્પક્ષ અને મુક્ત હોવી જોઈએ.સમગ્ર રાજ્યમાં 189 સંવેદનશીલ બૂથ છે. પશ્ચિમ બંગાળ સરકારે દાવો કર્યો હતો કે અમે સુરક્ષા માટે સંપૂર્ણ રીતે તૈયાર છીએ.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.