ઉનાળાની કાળઝાળ ગરમી માટે થઈ જાઓ તૈયાર, હવામાન નિષ્ણાતોએ આપી આ ગંભીર ચેતવણી


  • Published By :
  • Published Date : 2023-03-29 15:27:19

કવિ દલપતરામે તેમના કાવ્યમાં ઉનાળાનું બહું જ સુંદર વર્ણન આ રીતે કર્યું છે .

      

 ઉનાળે ઊંડા જળ જાય, નદી સરોવર જળ સુકાય;

 પામે વનસ્પતિ સૌ પાન, કેસૂડાં રૂડાં ગુણવાન.

 સારા હોજ ફુવારા બાગ, પ્યારા ચંદન પંખા લાગ;

 બોલે કોયલ મીઠાબોલ, તાપ પડે તે તો વણ તોલ. 


આ વર્ષનો ઉનાળો દઝાડનારો રહેશે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, ત્યારે હવે હવામાન નિષ્ણાતોએ પણ આગામી મહિનાઓમાં ભારત, પાકિસ્તાન અને આસપાસના વિસ્તારોમાં તીવ્ર હીટવેવની ચેતવણી આપી છે. ગયા વર્ષે એપ્રિલમાં જ પ્રદેશના કેટલાક ભાગોમાં તાપમાન 40 થી 50 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. ગ્લોબલ વોર્મિંગને કારણે, હીટવેવ દર વર્ષે વધુ ગંભીર બની રહી છે, જેના કારણે મોટી સંખ્યામાં લોકો જીવ ગુમાવે છે. 


'વેટ-બલ્બ ટેમ્પરેચર'ની ચેતવણી


MEER.org,ના ચીફ સ્ટ્રેટેજી ઓફિસર પીટર ડાયન્સએ તેમના ટ્વીટમાં લખ્યું, 'આ વર્ષે ઉનાળો ભારતને માનવ અસ્તિત્વની મર્યાદા સુધી ધકેલી શકે છે. ભારતમાં ફેબ્રુઆરીમાં સૌથી વધુ ગરમીનો રેકોર્ડ સર્જાયા બાદ આગામી સપ્તાહોમાં તાપમાનમાં વધારો થવાની ધારણા છે. પીટર ભલે ભારતનો ઉલ્લેખ કરી રહ્યો હોય, પરંતુ તેમની ચેતવણી ભારતના પડોશી દેશો સહિત સમગ્ર ક્ષેત્રને લાગુ પડે છે. તેમણે લખ્યું કે "જો વૈશ્વિક તાપમાન સતત વધતું રહેશે તો આ પ્રદેશમાં વેટ-બલ્બ (wet-bulb)નું ગંભીર જોખમ છે." અત્રે ઉલ્લેખનિય છે કે ગરમી અને ભેજની ચરમસીમા કે જેનાથી આગળ માણસો ઊંચા તાપમાનને સહન કરી શકતા નથી તેને 'વેટ-બલ્બ ટેમ્પરેચર' કહેવાય છે.


નકશામાં જુઓ ક્યાં છે ગરમીનો પ્રકોપ


પીટરે ગરમીની તીવ્રતા બતાવવા માટે એક નકશો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. જેમાં દક્ષિણ-પશ્ચિમ ભારતનો મોટો ભાગ ભયંકર ગરમીની ઝપેટમાં આવી શકે છે. પાકિસ્તાનનો પૂર્વ ભાગ અને કરાચી, લારખાના, મુલતાન જેવા શહેરો પણ ગરમીથી બચી શકશે નહીં. પાકિસ્તાનના અખબાર ડૉનના સમાચાર અનુસાર, દેશ 'પાણીની તીવ્ર અછત' તરફ આગળ વધી રહ્યો છે. આની સૌથી મોટી અસર પાકિસ્તાનની ખેતી પર પડશે, જે ગયા વર્ષે આવેલા પૂરના કારણે પહેલેાથી જ સમસ્યાઓ સામે ઝઝૂમી રહી છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.