ઉનાળાની કાળઝાળ ગરમી માટે થઈ જાઓ તૈયાર, હવામાન નિષ્ણાતોએ આપી આ ગંભીર ચેતવણી


  • Published By :
  • Published Date : 2023-03-29 15:27:19

કવિ દલપતરામે તેમના કાવ્યમાં ઉનાળાનું બહું જ સુંદર વર્ણન આ રીતે કર્યું છે .

      

 ઉનાળે ઊંડા જળ જાય, નદી સરોવર જળ સુકાય;

 પામે વનસ્પતિ સૌ પાન, કેસૂડાં રૂડાં ગુણવાન.

 સારા હોજ ફુવારા બાગ, પ્યારા ચંદન પંખા લાગ;

 બોલે કોયલ મીઠાબોલ, તાપ પડે તે તો વણ તોલ. 


આ વર્ષનો ઉનાળો દઝાડનારો રહેશે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, ત્યારે હવે હવામાન નિષ્ણાતોએ પણ આગામી મહિનાઓમાં ભારત, પાકિસ્તાન અને આસપાસના વિસ્તારોમાં તીવ્ર હીટવેવની ચેતવણી આપી છે. ગયા વર્ષે એપ્રિલમાં જ પ્રદેશના કેટલાક ભાગોમાં તાપમાન 40 થી 50 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. ગ્લોબલ વોર્મિંગને કારણે, હીટવેવ દર વર્ષે વધુ ગંભીર બની રહી છે, જેના કારણે મોટી સંખ્યામાં લોકો જીવ ગુમાવે છે. 


'વેટ-બલ્બ ટેમ્પરેચર'ની ચેતવણી


MEER.org,ના ચીફ સ્ટ્રેટેજી ઓફિસર પીટર ડાયન્સએ તેમના ટ્વીટમાં લખ્યું, 'આ વર્ષે ઉનાળો ભારતને માનવ અસ્તિત્વની મર્યાદા સુધી ધકેલી શકે છે. ભારતમાં ફેબ્રુઆરીમાં સૌથી વધુ ગરમીનો રેકોર્ડ સર્જાયા બાદ આગામી સપ્તાહોમાં તાપમાનમાં વધારો થવાની ધારણા છે. પીટર ભલે ભારતનો ઉલ્લેખ કરી રહ્યો હોય, પરંતુ તેમની ચેતવણી ભારતના પડોશી દેશો સહિત સમગ્ર ક્ષેત્રને લાગુ પડે છે. તેમણે લખ્યું કે "જો વૈશ્વિક તાપમાન સતત વધતું રહેશે તો આ પ્રદેશમાં વેટ-બલ્બ (wet-bulb)નું ગંભીર જોખમ છે." અત્રે ઉલ્લેખનિય છે કે ગરમી અને ભેજની ચરમસીમા કે જેનાથી આગળ માણસો ઊંચા તાપમાનને સહન કરી શકતા નથી તેને 'વેટ-બલ્બ ટેમ્પરેચર' કહેવાય છે.


નકશામાં જુઓ ક્યાં છે ગરમીનો પ્રકોપ


પીટરે ગરમીની તીવ્રતા બતાવવા માટે એક નકશો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. જેમાં દક્ષિણ-પશ્ચિમ ભારતનો મોટો ભાગ ભયંકર ગરમીની ઝપેટમાં આવી શકે છે. પાકિસ્તાનનો પૂર્વ ભાગ અને કરાચી, લારખાના, મુલતાન જેવા શહેરો પણ ગરમીથી બચી શકશે નહીં. પાકિસ્તાનના અખબાર ડૉનના સમાચાર અનુસાર, દેશ 'પાણીની તીવ્ર અછત' તરફ આગળ વધી રહ્યો છે. આની સૌથી મોટી અસર પાકિસ્તાનની ખેતી પર પડશે, જે ગયા વર્ષે આવેલા પૂરના કારણે પહેલેાથી જ સમસ્યાઓ સામે ઝઝૂમી રહી છે.



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.