ઉનાળાની કાળઝાળ ગરમી માટે થઈ જાઓ તૈયાર, હવામાન નિષ્ણાતોએ આપી આ ગંભીર ચેતવણી


  • Published By :
  • Published Date : 2023-03-29 15:27:19

કવિ દલપતરામે તેમના કાવ્યમાં ઉનાળાનું બહું જ સુંદર વર્ણન આ રીતે કર્યું છે .

      

 ઉનાળે ઊંડા જળ જાય, નદી સરોવર જળ સુકાય;

 પામે વનસ્પતિ સૌ પાન, કેસૂડાં રૂડાં ગુણવાન.

 સારા હોજ ફુવારા બાગ, પ્યારા ચંદન પંખા લાગ;

 બોલે કોયલ મીઠાબોલ, તાપ પડે તે તો વણ તોલ. 


આ વર્ષનો ઉનાળો દઝાડનારો રહેશે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, ત્યારે હવે હવામાન નિષ્ણાતોએ પણ આગામી મહિનાઓમાં ભારત, પાકિસ્તાન અને આસપાસના વિસ્તારોમાં તીવ્ર હીટવેવની ચેતવણી આપી છે. ગયા વર્ષે એપ્રિલમાં જ પ્રદેશના કેટલાક ભાગોમાં તાપમાન 40 થી 50 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. ગ્લોબલ વોર્મિંગને કારણે, હીટવેવ દર વર્ષે વધુ ગંભીર બની રહી છે, જેના કારણે મોટી સંખ્યામાં લોકો જીવ ગુમાવે છે. 


'વેટ-બલ્બ ટેમ્પરેચર'ની ચેતવણી


MEER.org,ના ચીફ સ્ટ્રેટેજી ઓફિસર પીટર ડાયન્સએ તેમના ટ્વીટમાં લખ્યું, 'આ વર્ષે ઉનાળો ભારતને માનવ અસ્તિત્વની મર્યાદા સુધી ધકેલી શકે છે. ભારતમાં ફેબ્રુઆરીમાં સૌથી વધુ ગરમીનો રેકોર્ડ સર્જાયા બાદ આગામી સપ્તાહોમાં તાપમાનમાં વધારો થવાની ધારણા છે. પીટર ભલે ભારતનો ઉલ્લેખ કરી રહ્યો હોય, પરંતુ તેમની ચેતવણી ભારતના પડોશી દેશો સહિત સમગ્ર ક્ષેત્રને લાગુ પડે છે. તેમણે લખ્યું કે "જો વૈશ્વિક તાપમાન સતત વધતું રહેશે તો આ પ્રદેશમાં વેટ-બલ્બ (wet-bulb)નું ગંભીર જોખમ છે." અત્રે ઉલ્લેખનિય છે કે ગરમી અને ભેજની ચરમસીમા કે જેનાથી આગળ માણસો ઊંચા તાપમાનને સહન કરી શકતા નથી તેને 'વેટ-બલ્બ ટેમ્પરેચર' કહેવાય છે.


નકશામાં જુઓ ક્યાં છે ગરમીનો પ્રકોપ


પીટરે ગરમીની તીવ્રતા બતાવવા માટે એક નકશો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. જેમાં દક્ષિણ-પશ્ચિમ ભારતનો મોટો ભાગ ભયંકર ગરમીની ઝપેટમાં આવી શકે છે. પાકિસ્તાનનો પૂર્વ ભાગ અને કરાચી, લારખાના, મુલતાન જેવા શહેરો પણ ગરમીથી બચી શકશે નહીં. પાકિસ્તાનના અખબાર ડૉનના સમાચાર અનુસાર, દેશ 'પાણીની તીવ્ર અછત' તરફ આગળ વધી રહ્યો છે. આની સૌથી મોટી અસર પાકિસ્તાનની ખેતી પર પડશે, જે ગયા વર્ષે આવેલા પૂરના કારણે પહેલેાથી જ સમસ્યાઓ સામે ઝઝૂમી રહી છે.



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.