ઉનાળાની કાળઝાળ ગરમી માટે થઈ જાઓ તૈયાર, હવામાન નિષ્ણાતોએ આપી આ ગંભીર ચેતવણી


  • Published By :
  • Published Date : 2023-03-29 15:27:19

કવિ દલપતરામે તેમના કાવ્યમાં ઉનાળાનું બહું જ સુંદર વર્ણન આ રીતે કર્યું છે .

      

 ઉનાળે ઊંડા જળ જાય, નદી સરોવર જળ સુકાય;

 પામે વનસ્પતિ સૌ પાન, કેસૂડાં રૂડાં ગુણવાન.

 સારા હોજ ફુવારા બાગ, પ્યારા ચંદન પંખા લાગ;

 બોલે કોયલ મીઠાબોલ, તાપ પડે તે તો વણ તોલ. 


આ વર્ષનો ઉનાળો દઝાડનારો રહેશે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, ત્યારે હવે હવામાન નિષ્ણાતોએ પણ આગામી મહિનાઓમાં ભારત, પાકિસ્તાન અને આસપાસના વિસ્તારોમાં તીવ્ર હીટવેવની ચેતવણી આપી છે. ગયા વર્ષે એપ્રિલમાં જ પ્રદેશના કેટલાક ભાગોમાં તાપમાન 40 થી 50 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. ગ્લોબલ વોર્મિંગને કારણે, હીટવેવ દર વર્ષે વધુ ગંભીર બની રહી છે, જેના કારણે મોટી સંખ્યામાં લોકો જીવ ગુમાવે છે. 


'વેટ-બલ્બ ટેમ્પરેચર'ની ચેતવણી


MEER.org,ના ચીફ સ્ટ્રેટેજી ઓફિસર પીટર ડાયન્સએ તેમના ટ્વીટમાં લખ્યું, 'આ વર્ષે ઉનાળો ભારતને માનવ અસ્તિત્વની મર્યાદા સુધી ધકેલી શકે છે. ભારતમાં ફેબ્રુઆરીમાં સૌથી વધુ ગરમીનો રેકોર્ડ સર્જાયા બાદ આગામી સપ્તાહોમાં તાપમાનમાં વધારો થવાની ધારણા છે. પીટર ભલે ભારતનો ઉલ્લેખ કરી રહ્યો હોય, પરંતુ તેમની ચેતવણી ભારતના પડોશી દેશો સહિત સમગ્ર ક્ષેત્રને લાગુ પડે છે. તેમણે લખ્યું કે "જો વૈશ્વિક તાપમાન સતત વધતું રહેશે તો આ પ્રદેશમાં વેટ-બલ્બ (wet-bulb)નું ગંભીર જોખમ છે." અત્રે ઉલ્લેખનિય છે કે ગરમી અને ભેજની ચરમસીમા કે જેનાથી આગળ માણસો ઊંચા તાપમાનને સહન કરી શકતા નથી તેને 'વેટ-બલ્બ ટેમ્પરેચર' કહેવાય છે.


નકશામાં જુઓ ક્યાં છે ગરમીનો પ્રકોપ


પીટરે ગરમીની તીવ્રતા બતાવવા માટે એક નકશો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. જેમાં દક્ષિણ-પશ્ચિમ ભારતનો મોટો ભાગ ભયંકર ગરમીની ઝપેટમાં આવી શકે છે. પાકિસ્તાનનો પૂર્વ ભાગ અને કરાચી, લારખાના, મુલતાન જેવા શહેરો પણ ગરમીથી બચી શકશે નહીં. પાકિસ્તાનના અખબાર ડૉનના સમાચાર અનુસાર, દેશ 'પાણીની તીવ્ર અછત' તરફ આગળ વધી રહ્યો છે. આની સૌથી મોટી અસર પાકિસ્તાનની ખેતી પર પડશે, જે ગયા વર્ષે આવેલા પૂરના કારણે પહેલેાથી જ સમસ્યાઓ સામે ઝઝૂમી રહી છે.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.