દેશ બંધારણથી અને સુપ્રીમ કોર્ટથી ચાલશે, જંતર-મંતરથી નહીં: WFI પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ


  • Published By :
  • Published Date : 2023-04-29 20:25:52

દિલ્હીના જંતર-મંતર પર કુસ્તીબાજોના ધરણા ચાલુ છે. આજે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિત તમામ વિપક્ષી નેતાઓ વિરોધ સ્થળ પર પહોંચ્યા હતા. કુસ્તીબાજો WFI પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. આ દરમિયાન ભાજપના સાંસદ અને WFI પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું છે કે હું અયોધ્યામાં મોટો થયો છું. હું સંતોની વચ્ચે રહ્યો છું. આ દેશ જંતર-મંતર પરથી નહીં, સુપ્રીમ કોર્ટથી ચાલશે, બંધારણથી ચાલશે.


'દેશ બંધારણથી ચાલશે, જંતર-મંતરથી નહીં'


મીડિયા સાથે વાત કરતા WFIના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહે કહ્યું કે, 'મેં પહેલા જ કહ્યું હતું કે હું કંઈ જ કહીશ  નહીં. હું અયોધ્યામાં મોટો થયો છું, મારું બાળપણ અયોધ્યામાં જ વીત્યું છે. તમે મારા વિશે સંતોને પૂછી શકો છો. જેમ સંતોએ કહ્યું છે કે આ દેશ બંધારણથી ચાલશે, દેશ સુપ્રીમ કોર્ટથી ચાલશે... જંતર-મંતરથી નહીં ચાલે.


'હું રાજીનામું આપવા તૈયાર છું'


જંતર-મંતર પર કુસ્તીબાજો વિરોધ કરી રહ્યા છે ત્યારથી બ્રિજભૂષણ સિંહે ખુલીને કશું કહ્યું નથી. આજે પણ તેણે સ્પષ્ટ કહ્યું હતું કે તે આ મુદ્દે હું કંઈ પણ બોલવા માંગતો નથી. ગઈકાલે સુપ્રીમ કોર્ટના નિર્દેશ પર તેમની સામે FIR નોંધવામાં આવી છે. આમાં POCSO એક્ટ પણ સામેલ છે. તેણે એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું કે જો કુસ્તીબાજો મારા રાજીનામાથી સંતુષ્ટ છે તો હું રાજીનામું આપવા તૈયાર છું. મને ન્યાયતંત્રમાં પૂરો વિશ્વાસ છે, દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.