દેશ બંધારણથી અને સુપ્રીમ કોર્ટથી ચાલશે, જંતર-મંતરથી નહીં: WFI પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ


  • Published By :
  • Published Date : 2023-04-29 20:25:52

દિલ્હીના જંતર-મંતર પર કુસ્તીબાજોના ધરણા ચાલુ છે. આજે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિત તમામ વિપક્ષી નેતાઓ વિરોધ સ્થળ પર પહોંચ્યા હતા. કુસ્તીબાજો WFI પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. આ દરમિયાન ભાજપના સાંસદ અને WFI પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું છે કે હું અયોધ્યામાં મોટો થયો છું. હું સંતોની વચ્ચે રહ્યો છું. આ દેશ જંતર-મંતર પરથી નહીં, સુપ્રીમ કોર્ટથી ચાલશે, બંધારણથી ચાલશે.


'દેશ બંધારણથી ચાલશે, જંતર-મંતરથી નહીં'


મીડિયા સાથે વાત કરતા WFIના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહે કહ્યું કે, 'મેં પહેલા જ કહ્યું હતું કે હું કંઈ જ કહીશ  નહીં. હું અયોધ્યામાં મોટો થયો છું, મારું બાળપણ અયોધ્યામાં જ વીત્યું છે. તમે મારા વિશે સંતોને પૂછી શકો છો. જેમ સંતોએ કહ્યું છે કે આ દેશ બંધારણથી ચાલશે, દેશ સુપ્રીમ કોર્ટથી ચાલશે... જંતર-મંતરથી નહીં ચાલે.


'હું રાજીનામું આપવા તૈયાર છું'


જંતર-મંતર પર કુસ્તીબાજો વિરોધ કરી રહ્યા છે ત્યારથી બ્રિજભૂષણ સિંહે ખુલીને કશું કહ્યું નથી. આજે પણ તેણે સ્પષ્ટ કહ્યું હતું કે તે આ મુદ્દે હું કંઈ પણ બોલવા માંગતો નથી. ગઈકાલે સુપ્રીમ કોર્ટના નિર્દેશ પર તેમની સામે FIR નોંધવામાં આવી છે. આમાં POCSO એક્ટ પણ સામેલ છે. તેણે એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું કે જો કુસ્તીબાજો મારા રાજીનામાથી સંતુષ્ટ છે તો હું રાજીનામું આપવા તૈયાર છું. મને ન્યાયતંત્રમાં પૂરો વિશ્વાસ છે, દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.