WFIના અધ્યક્ષ પદની ચૂંટણી પર પંજાબ-હરિયાણા હાઈકોર્ટે લગાવ્યો સ્ટે, આવતી કાલે થવાનું હતું મતદાન


  • Published By :
  • Published Date : 2023-08-11 17:59:26

પંજાબ-હરિયાણા હાઈકોર્ટે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના અધ્યક્ષ પદની ચૂંટણી પર સ્ટે લગાવી દીધો છે. આ ચૂંટણી આવતી કાલે શનિવારે 12 ઓગસ્ટના રોજ યોજાવાની હતી. WFI ના અધ્યક્ષ પદની ચૂંટણીમાં ઘણા મહિનાથી મોડું થઈ રહ્યું છે. હવે છેલ્લે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે સ્ટે લગાવી દેતા  WFIનું ભાવી અધ્ધરતાલ બન્યું છે.WFIના પૂર્વ ચીફ અને બીજેપી સાંસદ વૃજભૂષણ શરણ સિંહ સામે પહેલવાન વિનેશ ફોગાટ, સાક્ષી મલિક અને બજરંગ પુનિયા સહિતના અનેક ખેલાડીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. ત્યાર બાદ નવા અધ્યક્ષની ચૂંટણીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. WFI ના અધ્યક્ષની રેસમાં કોમન વેલ્થ ગેમ્સ 2010ની ચેમ્પીયન અનીતા શ્યોરણ અને કુસ્તી મહાસંઘના પૂર્વ ચીફ વૃજ ભૂષણ શરણ સિંહના નજીકના સંજય સિંહ વચ્ચે સીધો મુકાબલો છે.


કોણ છે મેદાનમાં?


WFI ના અધ્યક્ષ પદની ચૂંટણી  માટે 3 અગ્રણી ઉપાધ્યક્ષ, 6 ઉપાધ્યક્ષ, 3 મહાસચિવ, 2 ખજાનચી, સંયુક્ત સચિવ અને 9 ઉમેદવાર કાર્યકારી સભ્ય પદ માટે મેદાનમાં છે. 15 હોદ્દા માટે 30 ઉમેદવારોએ નામાંકન કર્યું છે. અધ્યક્ષ પર પર એક મહિલાએ પણ ઉમેદવારી નોંધાવી છે. વૃજભૂષણ શરણ સિંહ ચૂંટણી લડવા માટે અયોગ્ય છે કેમ કે તેમણે 12 વર્ષ પૂરા કરી લીધા છે. કુસ્તી મહાસંઘ માટે રાષ્ટ્રિય ખેલ સંહિતા અનુસાર મહત્તમ સમય મર્યાદાને વૃજભૂષણ પાર કરી લીધી છે. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.