WFIના અધ્યક્ષ પદની ચૂંટણી પર પંજાબ-હરિયાણા હાઈકોર્ટે લગાવ્યો સ્ટે, આવતી કાલે થવાનું હતું મતદાન


  • Published By :
  • Published Date : 2023-08-11 17:59:26

પંજાબ-હરિયાણા હાઈકોર્ટે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના અધ્યક્ષ પદની ચૂંટણી પર સ્ટે લગાવી દીધો છે. આ ચૂંટણી આવતી કાલે શનિવારે 12 ઓગસ્ટના રોજ યોજાવાની હતી. WFI ના અધ્યક્ષ પદની ચૂંટણીમાં ઘણા મહિનાથી મોડું થઈ રહ્યું છે. હવે છેલ્લે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે સ્ટે લગાવી દેતા  WFIનું ભાવી અધ્ધરતાલ બન્યું છે.WFIના પૂર્વ ચીફ અને બીજેપી સાંસદ વૃજભૂષણ શરણ સિંહ સામે પહેલવાન વિનેશ ફોગાટ, સાક્ષી મલિક અને બજરંગ પુનિયા સહિતના અનેક ખેલાડીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. ત્યાર બાદ નવા અધ્યક્ષની ચૂંટણીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. WFI ના અધ્યક્ષની રેસમાં કોમન વેલ્થ ગેમ્સ 2010ની ચેમ્પીયન અનીતા શ્યોરણ અને કુસ્તી મહાસંઘના પૂર્વ ચીફ વૃજ ભૂષણ શરણ સિંહના નજીકના સંજય સિંહ વચ્ચે સીધો મુકાબલો છે.


કોણ છે મેદાનમાં?


WFI ના અધ્યક્ષ પદની ચૂંટણી  માટે 3 અગ્રણી ઉપાધ્યક્ષ, 6 ઉપાધ્યક્ષ, 3 મહાસચિવ, 2 ખજાનચી, સંયુક્ત સચિવ અને 9 ઉમેદવાર કાર્યકારી સભ્ય પદ માટે મેદાનમાં છે. 15 હોદ્દા માટે 30 ઉમેદવારોએ નામાંકન કર્યું છે. અધ્યક્ષ પર પર એક મહિલાએ પણ ઉમેદવારી નોંધાવી છે. વૃજભૂષણ શરણ સિંહ ચૂંટણી લડવા માટે અયોગ્ય છે કેમ કે તેમણે 12 વર્ષ પૂરા કરી લીધા છે. કુસ્તી મહાસંઘ માટે રાષ્ટ્રિય ખેલ સંહિતા અનુસાર મહત્તમ સમય મર્યાદાને વૃજભૂષણ પાર કરી લીધી છે. 



ભારતમાં અમેરિકાના એમ્બેસેડર સર્જિયો ગોરે પ્લેટફોર્મ એક્સ પર ઈન્ટરનેશલ ક્રિકેટ કાઉન્સિલ અને તેના ચેરમેન જય શાહનો આભાર માન્યો છે. અમેરિકન એમ્બેસેડર સર્જીયો ગોર દ્વારા થોડાક સમય અગાઉ , મુંબઈમાં વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને અમેરિકા વચ્ચે જે ICC T20 વર્લ્ડ કપની મેચ રમાઈ તેમાં હાજરી આપવામાં આવી હતી. સર્જિયો ગોર દ્વારા એ વાતની નોંધ પણ લેવામાં આવી છે કે , અમેરિકામાં ક્રિકેટનું ભવિષ્ય ખુબ ઉજળું છે.

આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.