WFIના અધ્યક્ષ પદની ચૂંટણી પર પંજાબ-હરિયાણા હાઈકોર્ટે લગાવ્યો સ્ટે, આવતી કાલે થવાનું હતું મતદાન


  • Published By :
  • Published Date : 2023-08-11 17:59:26

પંજાબ-હરિયાણા હાઈકોર્ટે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના અધ્યક્ષ પદની ચૂંટણી પર સ્ટે લગાવી દીધો છે. આ ચૂંટણી આવતી કાલે શનિવારે 12 ઓગસ્ટના રોજ યોજાવાની હતી. WFI ના અધ્યક્ષ પદની ચૂંટણીમાં ઘણા મહિનાથી મોડું થઈ રહ્યું છે. હવે છેલ્લે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે સ્ટે લગાવી દેતા  WFIનું ભાવી અધ્ધરતાલ બન્યું છે.WFIના પૂર્વ ચીફ અને બીજેપી સાંસદ વૃજભૂષણ શરણ સિંહ સામે પહેલવાન વિનેશ ફોગાટ, સાક્ષી મલિક અને બજરંગ પુનિયા સહિતના અનેક ખેલાડીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. ત્યાર બાદ નવા અધ્યક્ષની ચૂંટણીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. WFI ના અધ્યક્ષની રેસમાં કોમન વેલ્થ ગેમ્સ 2010ની ચેમ્પીયન અનીતા શ્યોરણ અને કુસ્તી મહાસંઘના પૂર્વ ચીફ વૃજ ભૂષણ શરણ સિંહના નજીકના સંજય સિંહ વચ્ચે સીધો મુકાબલો છે.


કોણ છે મેદાનમાં?


WFI ના અધ્યક્ષ પદની ચૂંટણી  માટે 3 અગ્રણી ઉપાધ્યક્ષ, 6 ઉપાધ્યક્ષ, 3 મહાસચિવ, 2 ખજાનચી, સંયુક્ત સચિવ અને 9 ઉમેદવાર કાર્યકારી સભ્ય પદ માટે મેદાનમાં છે. 15 હોદ્દા માટે 30 ઉમેદવારોએ નામાંકન કર્યું છે. અધ્યક્ષ પર પર એક મહિલાએ પણ ઉમેદવારી નોંધાવી છે. વૃજભૂષણ શરણ સિંહ ચૂંટણી લડવા માટે અયોગ્ય છે કેમ કે તેમણે 12 વર્ષ પૂરા કરી લીધા છે. કુસ્તી મહાસંઘ માટે રાષ્ટ્રિય ખેલ સંહિતા અનુસાર મહત્તમ સમય મર્યાદાને વૃજભૂષણ પાર કરી લીધી છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે