WFIના અધ્યક્ષ પદની ચૂંટણી પર પંજાબ-હરિયાણા હાઈકોર્ટે લગાવ્યો સ્ટે, આવતી કાલે થવાનું હતું મતદાન


  • Published By :
  • Published Date : 2023-08-11 17:59:26

પંજાબ-હરિયાણા હાઈકોર્ટે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના અધ્યક્ષ પદની ચૂંટણી પર સ્ટે લગાવી દીધો છે. આ ચૂંટણી આવતી કાલે શનિવારે 12 ઓગસ્ટના રોજ યોજાવાની હતી. WFI ના અધ્યક્ષ પદની ચૂંટણીમાં ઘણા મહિનાથી મોડું થઈ રહ્યું છે. હવે છેલ્લે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે સ્ટે લગાવી દેતા  WFIનું ભાવી અધ્ધરતાલ બન્યું છે.WFIના પૂર્વ ચીફ અને બીજેપી સાંસદ વૃજભૂષણ શરણ સિંહ સામે પહેલવાન વિનેશ ફોગાટ, સાક્ષી મલિક અને બજરંગ પુનિયા સહિતના અનેક ખેલાડીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. ત્યાર બાદ નવા અધ્યક્ષની ચૂંટણીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. WFI ના અધ્યક્ષની રેસમાં કોમન વેલ્થ ગેમ્સ 2010ની ચેમ્પીયન અનીતા શ્યોરણ અને કુસ્તી મહાસંઘના પૂર્વ ચીફ વૃજ ભૂષણ શરણ સિંહના નજીકના સંજય સિંહ વચ્ચે સીધો મુકાબલો છે.


કોણ છે મેદાનમાં?


WFI ના અધ્યક્ષ પદની ચૂંટણી  માટે 3 અગ્રણી ઉપાધ્યક્ષ, 6 ઉપાધ્યક્ષ, 3 મહાસચિવ, 2 ખજાનચી, સંયુક્ત સચિવ અને 9 ઉમેદવાર કાર્યકારી સભ્ય પદ માટે મેદાનમાં છે. 15 હોદ્દા માટે 30 ઉમેદવારોએ નામાંકન કર્યું છે. અધ્યક્ષ પર પર એક મહિલાએ પણ ઉમેદવારી નોંધાવી છે. વૃજભૂષણ શરણ સિંહ ચૂંટણી લડવા માટે અયોગ્ય છે કેમ કે તેમણે 12 વર્ષ પૂરા કરી લીધા છે. કુસ્તી મહાસંઘ માટે રાષ્ટ્રિય ખેલ સંહિતા અનુસાર મહત્તમ સમય મર્યાદાને વૃજભૂષણ પાર કરી લીધી છે. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.