ચૂંટણીમાં EVMના શું ફાયદા? થપ્પા મારવાની સિસ્ટમ અને EVMમાં શું ફર્ક ?


  • Published By :
  • Published Date : 2022-11-08 13:49:58

ચૂંટણીમાં વર્ષોથી થપ્પા મારવાની સિસ્ટમ ચાલતી હતી પણ હવે થપ્પા મારવાની સિસ્ટમ જૂની થઇ છે  અને તેનું સ્થાન ઈવીએમ મશીને લઇ લીધું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઈવીએમ મશીનનો ઉપયોગ થાય છે.પણ તમને એ સવાલ મનમાં થતો હશે કે આ મશીન વીજળી ના હોય તો કેવી રીતે કામ કરે ? તો તમને જણાવી દઈએ કે આ મશીનને વીજળીની જરૂર પડતી નથી કારણે કે આ મશીન 7.5 વોલ્ટના આલ્કલાઈન પાવર પેકથી ચાલે છે. જેથી, વીજળીનું જોડાણ ન હોય એવા વિસ્તારમાં પણ ઈવીએમનો ઉપયોગ કરી શકાય છે 


30 મિનિટમાં માંડ 150 મત જ નોંધાઈ શકે !

જયારે થપ્પા મારવાની સિસ્ટમ હતી ત્યારે ઘણી વાર એવા કિસ્સાઓ સામે આવતા કે તોફાની લોકો દ્વારા બોગસ મતો નાખી દેવામાં આવતા પરંતુ EVM પ્રોગ્રામ એવી રીતે તૈયાર કરવામાં આવ્યો છે કે, EVM એક મિનિટમાં માત્ર પાંચ જ મત નોંધી શકે છે.કોઈ મતદાન મથકે ફાળવેલ એક હજાર જેટલા મતપત્રો તેમની વચ્ચે વહેંચી શકે છે અને તેમાં સિક્કા લગાવી શકે,અને મતપેટીમાં નાખી શકે અને પોલીસ આવે તે પહેલા ભાગી જય શકે છે પણ ઇવીએમમાં અડધા કલાકમાં માત્ર 150 મત જ નોંધી શકે છે તથા જો મતદાન અધિકારી દ્વારા ક્લોજ઼ બટન દેવાય તો પણ મત નોંધાતા નથી 


EVM કેવી રીતે સીલ થતા હોય છે ?

EVM યોગ્ય રીતે કામ કરે છે કે નહિ તે માટે મતદાન પહેલા મોકપોલ રાખવામાં આવતા હોય છે જેની સીધી દેખરેખ પ્રમુખ મતદાન અધિકારી કરતા હોય છે મોકપોલ કાર્ય બાદ મતદાન મથક ખાતે તેને કુલ 4 પ્રકારે સીલ કરવામાં આવે છે.તથા મતદાન પૂર્ણ થયા બાદ મતગણતરી કેન્દ્ર પરિસરમાં આવેલા સ્ટ્રોંગરૂમમાં ઈવીએમ લઇ જવામાં આવે છે 

 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.