ચૂંટણીમાં EVMના શું ફાયદા? થપ્પા મારવાની સિસ્ટમ અને EVMમાં શું ફર્ક ?


  • Published By :
  • Published Date : 2022-11-08 13:49:58

ચૂંટણીમાં વર્ષોથી થપ્પા મારવાની સિસ્ટમ ચાલતી હતી પણ હવે થપ્પા મારવાની સિસ્ટમ જૂની થઇ છે  અને તેનું સ્થાન ઈવીએમ મશીને લઇ લીધું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઈવીએમ મશીનનો ઉપયોગ થાય છે.પણ તમને એ સવાલ મનમાં થતો હશે કે આ મશીન વીજળી ના હોય તો કેવી રીતે કામ કરે ? તો તમને જણાવી દઈએ કે આ મશીનને વીજળીની જરૂર પડતી નથી કારણે કે આ મશીન 7.5 વોલ્ટના આલ્કલાઈન પાવર પેકથી ચાલે છે. જેથી, વીજળીનું જોડાણ ન હોય એવા વિસ્તારમાં પણ ઈવીએમનો ઉપયોગ કરી શકાય છે 


30 મિનિટમાં માંડ 150 મત જ નોંધાઈ શકે !

જયારે થપ્પા મારવાની સિસ્ટમ હતી ત્યારે ઘણી વાર એવા કિસ્સાઓ સામે આવતા કે તોફાની લોકો દ્વારા બોગસ મતો નાખી દેવામાં આવતા પરંતુ EVM પ્રોગ્રામ એવી રીતે તૈયાર કરવામાં આવ્યો છે કે, EVM એક મિનિટમાં માત્ર પાંચ જ મત નોંધી શકે છે.કોઈ મતદાન મથકે ફાળવેલ એક હજાર જેટલા મતપત્રો તેમની વચ્ચે વહેંચી શકે છે અને તેમાં સિક્કા લગાવી શકે,અને મતપેટીમાં નાખી શકે અને પોલીસ આવે તે પહેલા ભાગી જય શકે છે પણ ઇવીએમમાં અડધા કલાકમાં માત્ર 150 મત જ નોંધી શકે છે તથા જો મતદાન અધિકારી દ્વારા ક્લોજ઼ બટન દેવાય તો પણ મત નોંધાતા નથી 


EVM કેવી રીતે સીલ થતા હોય છે ?

EVM યોગ્ય રીતે કામ કરે છે કે નહિ તે માટે મતદાન પહેલા મોકપોલ રાખવામાં આવતા હોય છે જેની સીધી દેખરેખ પ્રમુખ મતદાન અધિકારી કરતા હોય છે મોકપોલ કાર્ય બાદ મતદાન મથક ખાતે તેને કુલ 4 પ્રકારે સીલ કરવામાં આવે છે.તથા મતદાન પૂર્ણ થયા બાદ મતગણતરી કેન્દ્ર પરિસરમાં આવેલા સ્ટ્રોંગરૂમમાં ઈવીએમ લઇ જવામાં આવે છે 

 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.