ચૂંટણીમાં EVMના શું ફાયદા? થપ્પા મારવાની સિસ્ટમ અને EVMમાં શું ફર્ક ?


  • Published By :
  • Published Date : 2022-11-08 13:49:58

ચૂંટણીમાં વર્ષોથી થપ્પા મારવાની સિસ્ટમ ચાલતી હતી પણ હવે થપ્પા મારવાની સિસ્ટમ જૂની થઇ છે  અને તેનું સ્થાન ઈવીએમ મશીને લઇ લીધું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઈવીએમ મશીનનો ઉપયોગ થાય છે.પણ તમને એ સવાલ મનમાં થતો હશે કે આ મશીન વીજળી ના હોય તો કેવી રીતે કામ કરે ? તો તમને જણાવી દઈએ કે આ મશીનને વીજળીની જરૂર પડતી નથી કારણે કે આ મશીન 7.5 વોલ્ટના આલ્કલાઈન પાવર પેકથી ચાલે છે. જેથી, વીજળીનું જોડાણ ન હોય એવા વિસ્તારમાં પણ ઈવીએમનો ઉપયોગ કરી શકાય છે 


30 મિનિટમાં માંડ 150 મત જ નોંધાઈ શકે !

જયારે થપ્પા મારવાની સિસ્ટમ હતી ત્યારે ઘણી વાર એવા કિસ્સાઓ સામે આવતા કે તોફાની લોકો દ્વારા બોગસ મતો નાખી દેવામાં આવતા પરંતુ EVM પ્રોગ્રામ એવી રીતે તૈયાર કરવામાં આવ્યો છે કે, EVM એક મિનિટમાં માત્ર પાંચ જ મત નોંધી શકે છે.કોઈ મતદાન મથકે ફાળવેલ એક હજાર જેટલા મતપત્રો તેમની વચ્ચે વહેંચી શકે છે અને તેમાં સિક્કા લગાવી શકે,અને મતપેટીમાં નાખી શકે અને પોલીસ આવે તે પહેલા ભાગી જય શકે છે પણ ઇવીએમમાં અડધા કલાકમાં માત્ર 150 મત જ નોંધી શકે છે તથા જો મતદાન અધિકારી દ્વારા ક્લોજ઼ બટન દેવાય તો પણ મત નોંધાતા નથી 


EVM કેવી રીતે સીલ થતા હોય છે ?

EVM યોગ્ય રીતે કામ કરે છે કે નહિ તે માટે મતદાન પહેલા મોકપોલ રાખવામાં આવતા હોય છે જેની સીધી દેખરેખ પ્રમુખ મતદાન અધિકારી કરતા હોય છે મોકપોલ કાર્ય બાદ મતદાન મથક ખાતે તેને કુલ 4 પ્રકારે સીલ કરવામાં આવે છે.તથા મતદાન પૂર્ણ થયા બાદ મતગણતરી કેન્દ્ર પરિસરમાં આવેલા સ્ટ્રોંગરૂમમાં ઈવીએમ લઇ જવામાં આવે છે 

 



ભારતમાં અમેરિકાના એમ્બેસેડર સર્જિયો ગોરે પ્લેટફોર્મ એક્સ પર ઈન્ટરનેશલ ક્રિકેટ કાઉન્સિલ અને તેના ચેરમેન જય શાહનો આભાર માન્યો છે. અમેરિકન એમ્બેસેડર સર્જીયો ગોર દ્વારા થોડાક સમય અગાઉ , મુંબઈમાં વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને અમેરિકા વચ્ચે જે ICC T20 વર્લ્ડ કપની મેચ રમાઈ તેમાં હાજરી આપવામાં આવી હતી. સર્જિયો ગોર દ્વારા એ વાતની નોંધ પણ લેવામાં આવી છે કે , અમેરિકામાં ક્રિકેટનું ભવિષ્ય ખુબ ઉજળું છે.

આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.