ચીન સરકારનો આવો તો કેવો નિર્ણય, વિદેશથી આવતા લોકોએ નહીં થવું ક્વોરેન્ટાઈન


  • Published By :
  • Published Date : 2022-12-27 10:02:04

ચીનમાં વધતા કોરોના કેસ વાયુ વેગે વધી રહ્યા છે. લાખોની સંખ્યામાં લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. ચીનની પરિસ્થિતિને જોતા દુનિયાના દેશોની ચિંતામાં વધારો થયો છે. પરંતુ વધતા કોરોના કેસની વચ્ચે ચીન સરકારે એવો નિર્ણય લીધો છે જેને કારણે આગામી દિવસોમાં ચીનમાં કોરોના એકદમ વધી શકે છે. ચીન સરકારના નવા નિયમો અનુસાર 8 જાન્યુઆરીથી વિદેશથી આવતા લોકોએ ક્વોરેન્ટાઈન થવાનું ફરજિયાત નહીં હોય. માર્ચ 2020માં ચીન સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો. 


તમામ અંતરરાષ્ટ્રીય ફ્લાઈટને અપાઈ મંજૂરી 

વિશ્વના અનેક દેશોમાં કોરોનાને કારણે લોકો મોતને ભેટી રહ્યા છે. ચીન, જાપાન જેવા દેશોમાં કોરોનાની સ્થિતિ એકદમ બગડી રહી છે. ચીનમાં તો લાખો લોકો કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. એક દિવસમાં 10 લાખ જેટલા કેસો નોંધાઈ રહ્યા છે. વધતા કોરોના કેસ વચ્ચે ચીન સરકારે ઝીરો કોવિડ પોલિસીને હળવી કરી છે. ચીન સરકારે કહ્યું છે કે 8 જાન્યુઆરીથી વિદેશથી આવતા લોકોએ ક્વોરેન્ટાઈન નહીં થવું પડે. ઉપરાંત તમામ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટને પરવાનગી આપવામાં આવી છે. ત્રણ વર્ષ બાદ તમામ દેશના યાત્રીઓ ચીનમાં જઈ શકશે.


આ નિર્ણયને કારણે વધી શકે છે કોરોના સંક્રમણ

ચીનમાં કોરોના વધવાને કારણે ચીન સરકારે ઝીરો કોવિડ પોલિસી લાગુ કરી હતી. પરંતુ સ્થાનિકો દ્વારા આ નીતિનો વિરોધ કરવામાં આવ્યો હતો. લોકોએ રસ્તા પર ઉતરી આ નીતિનો વિરોધ કર્યો હતો ઉપરાંત ચીનના રાષ્ટ્રપતિના રાજીનામાની માગ પણ કરી હતી. વધતા વિરોધને જોતા ચીન સરકારે નિયમોને હળવા કર્યા. નિયમો હળવા થવાને કારણે કોરોના કેસમાં ઉછાળો જોવા મળ્યો હતો. લાખોની સંખ્યામાં લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. ત્યારે વધુ એક નિયમ હળવો કરતા ચીન સરકારે વિદેશથી આવતા લોકો માટે ક્વોરેન્ટાઈન રહેવું મરજીયાત કરી દેવામાં આવ્યું છે. ચીન સરકારના આ નિયમને કારણે કોરોના સંક્રમિતોની સંખ્યામાં હજી પણ વધારો થઈ શકે છે.  




રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.