ચીન સરકારનો આવો તો કેવો નિર્ણય, વિદેશથી આવતા લોકોએ નહીં થવું ક્વોરેન્ટાઈન


  • Published By :
  • Published Date : 2022-12-27 10:02:04

ચીનમાં વધતા કોરોના કેસ વાયુ વેગે વધી રહ્યા છે. લાખોની સંખ્યામાં લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. ચીનની પરિસ્થિતિને જોતા દુનિયાના દેશોની ચિંતામાં વધારો થયો છે. પરંતુ વધતા કોરોના કેસની વચ્ચે ચીન સરકારે એવો નિર્ણય લીધો છે જેને કારણે આગામી દિવસોમાં ચીનમાં કોરોના એકદમ વધી શકે છે. ચીન સરકારના નવા નિયમો અનુસાર 8 જાન્યુઆરીથી વિદેશથી આવતા લોકોએ ક્વોરેન્ટાઈન થવાનું ફરજિયાત નહીં હોય. માર્ચ 2020માં ચીન સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો. 


તમામ અંતરરાષ્ટ્રીય ફ્લાઈટને અપાઈ મંજૂરી 

વિશ્વના અનેક દેશોમાં કોરોનાને કારણે લોકો મોતને ભેટી રહ્યા છે. ચીન, જાપાન જેવા દેશોમાં કોરોનાની સ્થિતિ એકદમ બગડી રહી છે. ચીનમાં તો લાખો લોકો કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. એક દિવસમાં 10 લાખ જેટલા કેસો નોંધાઈ રહ્યા છે. વધતા કોરોના કેસ વચ્ચે ચીન સરકારે ઝીરો કોવિડ પોલિસીને હળવી કરી છે. ચીન સરકારે કહ્યું છે કે 8 જાન્યુઆરીથી વિદેશથી આવતા લોકોએ ક્વોરેન્ટાઈન નહીં થવું પડે. ઉપરાંત તમામ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટને પરવાનગી આપવામાં આવી છે. ત્રણ વર્ષ બાદ તમામ દેશના યાત્રીઓ ચીનમાં જઈ શકશે.


આ નિર્ણયને કારણે વધી શકે છે કોરોના સંક્રમણ

ચીનમાં કોરોના વધવાને કારણે ચીન સરકારે ઝીરો કોવિડ પોલિસી લાગુ કરી હતી. પરંતુ સ્થાનિકો દ્વારા આ નીતિનો વિરોધ કરવામાં આવ્યો હતો. લોકોએ રસ્તા પર ઉતરી આ નીતિનો વિરોધ કર્યો હતો ઉપરાંત ચીનના રાષ્ટ્રપતિના રાજીનામાની માગ પણ કરી હતી. વધતા વિરોધને જોતા ચીન સરકારે નિયમોને હળવા કર્યા. નિયમો હળવા થવાને કારણે કોરોના કેસમાં ઉછાળો જોવા મળ્યો હતો. લાખોની સંખ્યામાં લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. ત્યારે વધુ એક નિયમ હળવો કરતા ચીન સરકારે વિદેશથી આવતા લોકો માટે ક્વોરેન્ટાઈન રહેવું મરજીયાત કરી દેવામાં આવ્યું છે. ચીન સરકારના આ નિયમને કારણે કોરોના સંક્રમિતોની સંખ્યામાં હજી પણ વધારો થઈ શકે છે.  




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.