ચીન સરકારનો આવો તો કેવો નિર્ણય, વિદેશથી આવતા લોકોએ નહીં થવું ક્વોરેન્ટાઈન


  • Published By :
  • Published Date : 2022-12-27 10:02:04

ચીનમાં વધતા કોરોના કેસ વાયુ વેગે વધી રહ્યા છે. લાખોની સંખ્યામાં લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. ચીનની પરિસ્થિતિને જોતા દુનિયાના દેશોની ચિંતામાં વધારો થયો છે. પરંતુ વધતા કોરોના કેસની વચ્ચે ચીન સરકારે એવો નિર્ણય લીધો છે જેને કારણે આગામી દિવસોમાં ચીનમાં કોરોના એકદમ વધી શકે છે. ચીન સરકારના નવા નિયમો અનુસાર 8 જાન્યુઆરીથી વિદેશથી આવતા લોકોએ ક્વોરેન્ટાઈન થવાનું ફરજિયાત નહીં હોય. માર્ચ 2020માં ચીન સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો. 


તમામ અંતરરાષ્ટ્રીય ફ્લાઈટને અપાઈ મંજૂરી 

વિશ્વના અનેક દેશોમાં કોરોનાને કારણે લોકો મોતને ભેટી રહ્યા છે. ચીન, જાપાન જેવા દેશોમાં કોરોનાની સ્થિતિ એકદમ બગડી રહી છે. ચીનમાં તો લાખો લોકો કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. એક દિવસમાં 10 લાખ જેટલા કેસો નોંધાઈ રહ્યા છે. વધતા કોરોના કેસ વચ્ચે ચીન સરકારે ઝીરો કોવિડ પોલિસીને હળવી કરી છે. ચીન સરકારે કહ્યું છે કે 8 જાન્યુઆરીથી વિદેશથી આવતા લોકોએ ક્વોરેન્ટાઈન નહીં થવું પડે. ઉપરાંત તમામ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટને પરવાનગી આપવામાં આવી છે. ત્રણ વર્ષ બાદ તમામ દેશના યાત્રીઓ ચીનમાં જઈ શકશે.


આ નિર્ણયને કારણે વધી શકે છે કોરોના સંક્રમણ

ચીનમાં કોરોના વધવાને કારણે ચીન સરકારે ઝીરો કોવિડ પોલિસી લાગુ કરી હતી. પરંતુ સ્થાનિકો દ્વારા આ નીતિનો વિરોધ કરવામાં આવ્યો હતો. લોકોએ રસ્તા પર ઉતરી આ નીતિનો વિરોધ કર્યો હતો ઉપરાંત ચીનના રાષ્ટ્રપતિના રાજીનામાની માગ પણ કરી હતી. વધતા વિરોધને જોતા ચીન સરકારે નિયમોને હળવા કર્યા. નિયમો હળવા થવાને કારણે કોરોના કેસમાં ઉછાળો જોવા મળ્યો હતો. લાખોની સંખ્યામાં લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. ત્યારે વધુ એક નિયમ હળવો કરતા ચીન સરકારે વિદેશથી આવતા લોકો માટે ક્વોરેન્ટાઈન રહેવું મરજીયાત કરી દેવામાં આવ્યું છે. ચીન સરકારના આ નિયમને કારણે કોરોના સંક્રમિતોની સંખ્યામાં હજી પણ વધારો થઈ શકે છે.  




દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .

અમદાવાદના સેવન્થ ડે સ્કૂલની ઘટનાની સંપૂર્ણ તપાસ હાલમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. અને હવે ક્રાઇમ બ્રાન્ચ સેવન્થ ડે સ્કૂલની ઘટનામાં તેના સંચાલકો સામે ફરિયાદ દાખલ કરવા માટે કોર્ટની મંજૂરી મેળવશે . હાલમાં ક્રાઇમ બ્રાન્ચની ટિમ આખી ઘટનાની અંદર ઝીણવટભરી તપાસ કરી રહી છે . આપને જણાવી દયિકે , આ આખી ઘટનામાં , સેવન્થ ડે સ્કૂલના સંચાલકોની ખુબ ભારે બેદરકારી સામે આવી છે .

સમાજમાં કેટલીકવાર એવી ઘટનાઓ અને ગુનાઓ બનતા હોય છે કે જેના કારણે સમાજની આત્માને કુઠારાઘાત પહોંચતો હોય છે. આવી જ એક ઘટના અમદાવાદના હાટકેશ્વર ખાતે બની છે . જ્યાં સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી સામાન્ય બાબતે ધોરણ ૮ માં ભણતો વિદ્યાર્થી દસમા ધોરણમાં ભણતા છોકરાને ધારદાર વસ્તુના ઘા મારીને મારી નાખે છે . જેના પ્રત્યાઘાત હવે ખુબ ઊંડા પડ્યા છે. આજે ૨૧ ઓગસ્ટના રોજ યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા સ્કૂલને તાળાબંધીનું એલાન કરવામાં આવ્યું છે. ઉપરાંત વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા મણિનગર અને આસપાસના વિસ્તારોમાં સ્કૂલો બંધ રાખી વિસ્તારને બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે . સાથે જ અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી સિંધી માર્કેટ આજે બંધ છે.