વોટ્સએપે લોન્ચ કર્યું આ ધમાકેદાર ફિચર! એક એકાઉન્ટ એકસાથે ચાર ફોન પર ચાલશે! યુઝર્સે આ અંગે આવી આપી પ્રતિક્રિયા!


  • Published By :
  • Published Date : 2023-04-26 11:51:25

આજના જમાનામાં ભાગ્યે જ કોઈ એવો વ્યક્તિ હશે જે વોટ્સએપ નહીં વાપરતો હોય. સામાન્ય લોકો પોતાનો સમય મુખ્યત્વે વોટ્સએપ પર પસાર કરતા હોય છે. ત્યારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ગણાતા વોટ્સએપમાં નવા ફિચરને ઉમેરવામાં આવ્યો છે. મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગે ફેસબુક પર એક પોસ્ટ શેર કરી હતી જેમાં એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી હતી. માર્કે લખ્યું હતું કે આજથી તમે વધુમાં વધુ 4 ફોનમાં એક વોટ્સએપ અકાઉન્ટ લોગિન કરી શકશો. મહત્વનું છે કે આવું ફિચર લાવવામાં આવે તેવી માગ ઘણા સમયથી કરવામાં આવી હતી.      

Image

એક વોટ્સએપ એકાઉન્ટથી લીંક થઈ શકે છે ચાર ફોન!

સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં ઘણા સમયથી અનેક ફેરફાર કરવામાં આવી રહ્યા છે. ટ્વિટર હોય કે પછી વોટ્સએપ હોય તેમાં નવા નવા ફિચર્સ એડ કરવામાં  આવી રહ્યા છે. ત્યારે વોટ્સએપને લઈ માર્ક ઝુકરબર્ગ દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે જે મુજબ એક વોટ્સએપ એકાઉન્ટ ચાર ફોનમાં વાપરી શકાશે. આ ફિચરને કમ્પેનિયન મોડ ફિચર કહવામાં આવી રહ્યું છે. આ ફિચરની મદદથી યૂઝર્સને મલ્ટી ડિવાઈસનો સપોર્ટ મળશે.આ ફિચરની મદદથી યૂઝર્સ એક જ વોટ્સએપ એકાઉન્ટ બીજા ડિવાઈસમાં પણ યૂઝ કરી શકશે. આ ફિચરની માગ લાંબા સમયથી કરવામાં આવી હતી. યુઝર્સે માગ કરી હતી કે અનેક ડિવાઈઝમાં એકાઉન્ટ લોગીન કરી શકે તેવો ફિચર લાવવામાં આવે.   


લોકો આપી રહ્યા છે અલગ અલગ પ્રતિક્રિયા

ટ્વિટર પર આ વસ્તુ ટ્રેન્ડ થઈ રહી છે. જે બાદ આ ફિચરને લઈ લોકો અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. કોઈએ ફેવિકોલની એડને યાદ કરી તો કોઈએ બ્રેકઅપની વાત કરી. 



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.