વોટ્સએપે લોન્ચ કર્યું આ ધમાકેદાર ફિચર! એક એકાઉન્ટ એકસાથે ચાર ફોન પર ચાલશે! યુઝર્સે આ અંગે આવી આપી પ્રતિક્રિયા!


  • Published By :
  • Published Date : 2023-04-26 11:51:25

આજના જમાનામાં ભાગ્યે જ કોઈ એવો વ્યક્તિ હશે જે વોટ્સએપ નહીં વાપરતો હોય. સામાન્ય લોકો પોતાનો સમય મુખ્યત્વે વોટ્સએપ પર પસાર કરતા હોય છે. ત્યારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ગણાતા વોટ્સએપમાં નવા ફિચરને ઉમેરવામાં આવ્યો છે. મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગે ફેસબુક પર એક પોસ્ટ શેર કરી હતી જેમાં એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી હતી. માર્કે લખ્યું હતું કે આજથી તમે વધુમાં વધુ 4 ફોનમાં એક વોટ્સએપ અકાઉન્ટ લોગિન કરી શકશો. મહત્વનું છે કે આવું ફિચર લાવવામાં આવે તેવી માગ ઘણા સમયથી કરવામાં આવી હતી.      

Image

એક વોટ્સએપ એકાઉન્ટથી લીંક થઈ શકે છે ચાર ફોન!

સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં ઘણા સમયથી અનેક ફેરફાર કરવામાં આવી રહ્યા છે. ટ્વિટર હોય કે પછી વોટ્સએપ હોય તેમાં નવા નવા ફિચર્સ એડ કરવામાં  આવી રહ્યા છે. ત્યારે વોટ્સએપને લઈ માર્ક ઝુકરબર્ગ દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે જે મુજબ એક વોટ્સએપ એકાઉન્ટ ચાર ફોનમાં વાપરી શકાશે. આ ફિચરને કમ્પેનિયન મોડ ફિચર કહવામાં આવી રહ્યું છે. આ ફિચરની મદદથી યૂઝર્સને મલ્ટી ડિવાઈસનો સપોર્ટ મળશે.આ ફિચરની મદદથી યૂઝર્સ એક જ વોટ્સએપ એકાઉન્ટ બીજા ડિવાઈસમાં પણ યૂઝ કરી શકશે. આ ફિચરની માગ લાંબા સમયથી કરવામાં આવી હતી. યુઝર્સે માગ કરી હતી કે અનેક ડિવાઈઝમાં એકાઉન્ટ લોગીન કરી શકે તેવો ફિચર લાવવામાં આવે.   


લોકો આપી રહ્યા છે અલગ અલગ પ્રતિક્રિયા

ટ્વિટર પર આ વસ્તુ ટ્રેન્ડ થઈ રહી છે. જે બાદ આ ફિચરને લઈ લોકો અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. કોઈએ ફેવિકોલની એડને યાદ કરી તો કોઈએ બ્રેકઅપની વાત કરી. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.