વોટ્સએપ બે કલાક પછી શરૂ થયું, યુઝર્સને મેસેજ મોકલવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો


  • Published By :
  • Published Date : 2022-10-25 15:18:53

સોશિયલ મીડિયા મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપનું સર્વર ડાઉન છે. ભારતમાં યુઝર્સને WhatsApp દ્વારા મેસેજ મોકલવામાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.યુજર્સ ટ્વિટર પર #WhatsAppdown ટ્રોલ કરી રહ્યા છે,WhatsAppdown થતાં ટ્વિટર પર લોકોની ભીડ જામી છે..


Meta ની WhatsApp સેવાઓ આંશિક રીતે ખોરવાઈ ગઈ છે. એવા અહેવાલો છે કે વપરાશકર્તાઓને મેસેજિંગ પ્લેટફોર્મ પર સંદેશા મોકલવામાં અથવા પ્રાપ્ત કરવામાં મુશ્કેલી આવી રહી છે. જો કે, ધીમે ધીમે સેવાઓ પુનઃસ્થાપિત કરવામાં આવી રહી છે. ફરી સેવા બપોરે 2.15 કલાકે શરૂ થઈ હતી 

સમગ્ર વિશ્વમાં બપોરથી એપ કામ કરી રહી ન હતી અને તેને અત્યાર સુધીની સૌથી મોટી આઉટેજ તરીકે જોવામાં આવી રહી છે. મેટાએ કહ્યું છે કે તે શક્ય તેટલી વહેલી તકે સેવાઓને સંપૂર્ણપણે પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહી છે.


અત્યાર સુધીમાં 11 હજારથી વધુ યુઝર્સે સોશિયલ મીડિયા પર વોટ્સએપ સર્વિસ બંધ થવાને લઈને ફરિયાદ કરી છે. સ્વતંત્ર ટ્રેકિંગ પોર્ટલ 'DownDetector' એ પણ WhatsApp સેવાઓ ખોરવાઇની પુષ્ટિ કરી છે. સોશિયલ મીડિયા મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપનું સર્વર ડાઉન છે. ભારતમાં યુઝર્સને WhatsApp દ્વારા મેસેજ મોકલવામાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.


મેટા કંપનીના પ્રવક્તાએ વ્હોટ્સએપ બંધ કરવા અંગે નિવેદન જાહેર કર્યું છે. તેમણે કહ્યું કે અમને ખબર છે કે કેટલાક લોકોને મેસેજ મોકલવામાં સમસ્યા આવી રહી છે અને અમે શક્ય તેટલી વહેલી તકે દરેક માટે WhatsApp પુનઃસ્થાપિત કરવા માટે કામ કરી રહ્યા છીએ. તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ WhatsAppએ સત્તાવાર રીતે જાહેરાત કરી હતી કે 25 ઓક્ટોબરથી WhatsApp ઘણા સ્માર્ટફોનમાં તેનું સપોર્ટ બંધ કરી દેશે. એપલ જેવી મોટી કંપનીઓ પણ આ ફોનમાં સામેલ છે. આ પછી વોટ્સએપ પર આ ડાઉન જોવા મળી રહ્યું છે.


સ્ટેટસ પણ અપલોડ કરી શકતા નથી

9 Fixes for Whatsapp Status Not Uploading or

જો કે યુઝર્સ 12.30 વાગ્યા પહેલા વોટ્સએપ સ્ટેટસનું શેર કરેલ સ્ટેટસ જોઈ શકે છે, પરંતુ હાલમાં કરોડો યુઝર્સને નવું સ્ટેટસ પોસ્ટ કરવાથી લઈને મેસેજ મોકલવા સુધીની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. ઉપરાંત, યુઝર્સ પહેલાથી પોસ્ટ કરેલા સ્ટેટસને ડિલીટ કરી શકતા નથી. સમગ્ર દેશમાં આ ઘટાડો જોવા મળી રહ્યો છે. મુખ્ય શહેરો મુંબઈ, દિલ્હી, કોલકાતા અને લખનૌમાં સૌથી વધુ સમસ્યાઓ જોવા મળી રહી છે, ડાઉનડિટેક્ટરના જણાવ્યા અનુસાર.


યુજર્સ વિવિધ પ્રકારના memes બનાવી ટ્વિટર પર શેર કરી રહ્યા છે



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.