Bhavnagarમાં નીકળેલી રથયાત્રામાં જ્યારે Rajkot TRP અગ્નિકાંડનો ટેબ્લો હટાવી દેવાયો, લોકો ભરાયા રોષ! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-07-08 10:40:21

અષાઢી બીજના દિવસે રાજ્યના અનેક ભાગોમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી.. અમદાવાદમાં જેવી રીતે રથયાત્રા નીકળે છે તેવી રીતે ભાવનગરમાં પણ રથયાત્રા નીકળી. ગઈકાલે ભાવનગરમાં નીકળેલી રથયાત્રામાં એક ટેબ્લો એવો હતો જેમાં ગુજરાતમાં બનેલી દુર્ઘટનાઓના બેનરો લાગ્યા હતા. રાજકોટ અગ્નિકાંડ, હરણી કાંડ, તક્ષશિલા કાંડ જેવી દુર્ઘટનાઓના પોસ્ટર લાગ્યા હતા. પોલીસે આ ટેબ્લોમાંથી આ બધા પોસ્ટરો હટાવી દેવડાવ્યા અને ટેબ્લો પણ હટાવી દેવાયો હોવાની માહિતી સામે આવી છે. જેને લઈ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો..      

રથયાત્રાના ટેબ્લામાં લગાવાયેલા પોસ્ટરો પોલીસે હટાવી દીધા!

જ્યારે કોઈ દુર્ઘટના સર્જાય છે ત્યારે આપણે ઈશ્વરને પ્રાર્થના કરતા હોઈએ છીએ કે આવી દુર્ઘટનાઓ ના થાય.. ગઈકાલે અનેક લોકોએ રથયાત્રા દરમિયાન આવી પ્રાર્થના ભગવાનને કરી હશે.. રથયાત્રા દરમિયાન Unique ટેબ્લો લોકોનું ધ્યાન ખેંચતું હોય છે.. અનેક ટેબ્લા એવા હોય છે જેમાં નાગરિકોને જાગૃત કરવાની ભાવના રહેલી હોય છે.. ભારે ઉત્સાહ સાથે લોકોએ રથયાત્રામાં ભાગ લીધો. રથયાત્રામાં નીકળતા ટેબ્લા આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે.. ત્યારે સુરત તક્ષશિલાકાંડ , રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ હોય કે પછી હરણી બોટ કાંડ. ભાવનગરની રથયાત્રામાં તક્ષશિલા, રાજકોટ અગ્નિકાંડ અને બોટકાંડના બેનરો સાથે ટ્રક નીકળ્યો હતો. 



પોલીસ દ્વારા બેનરો હટાવી દેવાથી લોકોમાં જોવા મળ્યો રોષ 

લોકોને જાગૃત કરવાના ઉદ્દેશથી આ ટેબ્લો નીકળ્યો હશે.. લોકો આવી દુર્ઘટનાઓને ભૂલી ના જાય, પીડિત પરિવારને ન્યાય મળે તેવી આશા હશે પરંતુ સરદારનગર નજીક આ ટ્રકમાંથી તમામ બેનરો પોલીસે ઉતારી લીધા હતા .પોલીસ દ્વારા આ  બેનરો હટાવવામાં આવતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ રાજકોટ અને હરણી કાંડ પર ટેબ્લો બનાવનારા લોકોએ એ તર્ક આપ્યો છે કે , અમે વાલીઓને જાગૃત કરવા માંગતા હતા , આવી અસલામત જગ્યાએ પોતાના બાળકોને ના મોકલવા. અને માટે જ જાગૃતિ મળે તે માટે પ્લોટ બનાવવામાં આવેલો પણ પોલીસના લોકોએ આવી આ બેનરો ફાડી નાખ્યા, અને ટેબ્લો પણ લઇ લેવાયો છે. ત્યારે આ મામલે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો.. 




થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .