Bhavnagarમાં નીકળેલી રથયાત્રામાં જ્યારે Rajkot TRP અગ્નિકાંડનો ટેબ્લો હટાવી દેવાયો, લોકો ભરાયા રોષ! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-07-08 10:40:21

અષાઢી બીજના દિવસે રાજ્યના અનેક ભાગોમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી.. અમદાવાદમાં જેવી રીતે રથયાત્રા નીકળે છે તેવી રીતે ભાવનગરમાં પણ રથયાત્રા નીકળી. ગઈકાલે ભાવનગરમાં નીકળેલી રથયાત્રામાં એક ટેબ્લો એવો હતો જેમાં ગુજરાતમાં બનેલી દુર્ઘટનાઓના બેનરો લાગ્યા હતા. રાજકોટ અગ્નિકાંડ, હરણી કાંડ, તક્ષશિલા કાંડ જેવી દુર્ઘટનાઓના પોસ્ટર લાગ્યા હતા. પોલીસે આ ટેબ્લોમાંથી આ બધા પોસ્ટરો હટાવી દેવડાવ્યા અને ટેબ્લો પણ હટાવી દેવાયો હોવાની માહિતી સામે આવી છે. જેને લઈ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો..      

રથયાત્રાના ટેબ્લામાં લગાવાયેલા પોસ્ટરો પોલીસે હટાવી દીધા!

જ્યારે કોઈ દુર્ઘટના સર્જાય છે ત્યારે આપણે ઈશ્વરને પ્રાર્થના કરતા હોઈએ છીએ કે આવી દુર્ઘટનાઓ ના થાય.. ગઈકાલે અનેક લોકોએ રથયાત્રા દરમિયાન આવી પ્રાર્થના ભગવાનને કરી હશે.. રથયાત્રા દરમિયાન Unique ટેબ્લો લોકોનું ધ્યાન ખેંચતું હોય છે.. અનેક ટેબ્લા એવા હોય છે જેમાં નાગરિકોને જાગૃત કરવાની ભાવના રહેલી હોય છે.. ભારે ઉત્સાહ સાથે લોકોએ રથયાત્રામાં ભાગ લીધો. રથયાત્રામાં નીકળતા ટેબ્લા આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે.. ત્યારે સુરત તક્ષશિલાકાંડ , રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ હોય કે પછી હરણી બોટ કાંડ. ભાવનગરની રથયાત્રામાં તક્ષશિલા, રાજકોટ અગ્નિકાંડ અને બોટકાંડના બેનરો સાથે ટ્રક નીકળ્યો હતો. 



પોલીસ દ્વારા બેનરો હટાવી દેવાથી લોકોમાં જોવા મળ્યો રોષ 

લોકોને જાગૃત કરવાના ઉદ્દેશથી આ ટેબ્લો નીકળ્યો હશે.. લોકો આવી દુર્ઘટનાઓને ભૂલી ના જાય, પીડિત પરિવારને ન્યાય મળે તેવી આશા હશે પરંતુ સરદારનગર નજીક આ ટ્રકમાંથી તમામ બેનરો પોલીસે ઉતારી લીધા હતા .પોલીસ દ્વારા આ  બેનરો હટાવવામાં આવતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ રાજકોટ અને હરણી કાંડ પર ટેબ્લો બનાવનારા લોકોએ એ તર્ક આપ્યો છે કે , અમે વાલીઓને જાગૃત કરવા માંગતા હતા , આવી અસલામત જગ્યાએ પોતાના બાળકોને ના મોકલવા. અને માટે જ જાગૃતિ મળે તે માટે પ્લોટ બનાવવામાં આવેલો પણ પોલીસના લોકોએ આવી આ બેનરો ફાડી નાખ્યા, અને ટેબ્લો પણ લઇ લેવાયો છે. ત્યારે આ મામલે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો.. 




અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.