ચીન પર કોરોના મૃત્યુઆંકનો ઝડપી, નિયમિત અને વિશ્વસનિય ડેટા આપે: WHO


  • Published By :
  • Published Date : 2023-01-12 14:34:36

ચીનમાં કરોના સંક્રમણે સમગ્ર વિશ્વમાં ચિંતા વધારી છે. ચીનની સામ્યવાદી સરકાર દેશમાં કોરોનાના કારણે થતા મૃત્યુઆંક અંગે પણ ગોટાળા કરી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. દુનિયાભરમાં કોવિડના કેસ જે ઝડપથી વધી રહ્યા છે તેથી ચિંતિત બનેલા વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ પણ ચીન પાસે કોરોનાના સાચા આંકડા જાહેર કરવાનું કહ્યું છે.


WHOએ ચીન પાસે માગ્યો સાચો ડેટા


WHOના ચીફ ઘેબ્રિસિયસએ એક પ્રેસ બ્રિફિંગમાં જણાવ્યું હતું  કે ગયા સપ્તાહે WHOની વેબસાઈટે લગભગ 11,500 મોતની માહિતી આપી હતી. જેમાંથી અમેરિકામાં 40 ટકા, યુરોપથી 30 ટકા અને પશ્ચિમ પ્રશાંત ક્ષેત્રથી 30 ટકા હતા. જો કે ચીને  કોરોનાથી સંબંધીત મોતને ઘટાડેલો આકડો રજુ  કર્યો છે. 


WHOના વડાએ ક્હ્યું કે અમે ચીન પાસે હોસ્પિટલમાં દાખલ થયેલા અને મૃત્યુઆંકને લઈને ઝડપી, નિયમિત અને વિશ્વસનિય ડેટા માંગ્યો છે, WHOએ કોરોનાના કેસ અને હોસ્પિટલમાં દાખલ થતા કેસમાં વૃધ્ધી પર ચર્ચા કરવા માટે ચીનના ઉચ્ચ અધિકારીઓ સાથે હાઈ લેવલની બેઠક પણ કરી હતી.


ચીને ઝીરો કોવિડ-19 નિતી ખતમ કરી 


ગત ડિસેમ્બર મહિનાથી જ ચીનની સરકારે લગભગ ત્રણ વર્ષો બાદ કોરોના રોગચાળાને લઈ પોતાની ઝીરો કોવિડ-19 પોલીસી ખતમ કરી દીધી હતી. જેમાંથી થોડા જ સપ્તાહ બાદ કેસમાં જબરદસ્ત વધારો થયો હતો. ત્યાર બાદ જાન્યુઆરીમાં અનિવાર્ય પીસીઆર ટેસ્ટ અને ચીનમાં આવનારા લોકો  માટે સેન્ટ્રલાઈઝ આઈસોલેશન પણ રદ્દ  કરી દીધું છે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.