ચીન પર કોરોના મૃત્યુઆંકનો ઝડપી, નિયમિત અને વિશ્વસનિય ડેટા આપે: WHO


  • Published By :
  • Published Date : 2023-01-12 14:34:36

ચીનમાં કરોના સંક્રમણે સમગ્ર વિશ્વમાં ચિંતા વધારી છે. ચીનની સામ્યવાદી સરકાર દેશમાં કોરોનાના કારણે થતા મૃત્યુઆંક અંગે પણ ગોટાળા કરી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. દુનિયાભરમાં કોવિડના કેસ જે ઝડપથી વધી રહ્યા છે તેથી ચિંતિત બનેલા વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ પણ ચીન પાસે કોરોનાના સાચા આંકડા જાહેર કરવાનું કહ્યું છે.


WHOએ ચીન પાસે માગ્યો સાચો ડેટા


WHOના ચીફ ઘેબ્રિસિયસએ એક પ્રેસ બ્રિફિંગમાં જણાવ્યું હતું  કે ગયા સપ્તાહે WHOની વેબસાઈટે લગભગ 11,500 મોતની માહિતી આપી હતી. જેમાંથી અમેરિકામાં 40 ટકા, યુરોપથી 30 ટકા અને પશ્ચિમ પ્રશાંત ક્ષેત્રથી 30 ટકા હતા. જો કે ચીને  કોરોનાથી સંબંધીત મોતને ઘટાડેલો આકડો રજુ  કર્યો છે. 


WHOના વડાએ ક્હ્યું કે અમે ચીન પાસે હોસ્પિટલમાં દાખલ થયેલા અને મૃત્યુઆંકને લઈને ઝડપી, નિયમિત અને વિશ્વસનિય ડેટા માંગ્યો છે, WHOએ કોરોનાના કેસ અને હોસ્પિટલમાં દાખલ થતા કેસમાં વૃધ્ધી પર ચર્ચા કરવા માટે ચીનના ઉચ્ચ અધિકારીઓ સાથે હાઈ લેવલની બેઠક પણ કરી હતી.


ચીને ઝીરો કોવિડ-19 નિતી ખતમ કરી 


ગત ડિસેમ્બર મહિનાથી જ ચીનની સરકારે લગભગ ત્રણ વર્ષો બાદ કોરોના રોગચાળાને લઈ પોતાની ઝીરો કોવિડ-19 પોલીસી ખતમ કરી દીધી હતી. જેમાંથી થોડા જ સપ્તાહ બાદ કેસમાં જબરદસ્ત વધારો થયો હતો. ત્યાર બાદ જાન્યુઆરીમાં અનિવાર્ય પીસીઆર ટેસ્ટ અને ચીનમાં આવનારા લોકો  માટે સેન્ટ્રલાઈઝ આઈસોલેશન પણ રદ્દ  કરી દીધું છે. 



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .