ચાલુ કાર્યક્રમમાં હરિયાણાના સીએમ કોની પર ભડક્યા? એવું શું કહી દીધું કે તેમના ભાષણની સોશિયલ મીડિયા પર થઈ રહી છે આલોચના! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-05-15 12:57:43

પોતાના નિવેદનને કારણે રાજનેતાઓ અનેક વખત વિવાદોમાં ઘેરાઈ જતા હોય છે. ત્યારે હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર પણ પોતાના ભાષણ દરમિયાન આપેલા નિવેદનને લઈ હાલ ચર્ચાઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર તેમનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તેઓ કહી રહ્યા છે 'આ તો આપવાળો છે, રાજનીતિ કરવા આવ્યો છે.. ઉઠાવીને બહાર ફેંકો આને'. આ નિવેદનથી તે વિવાદમાં આવી ગયા છે.

  


મનોહરલાલ ખટ્ટરનો વીડિયો થયો વાયરલ!

હરિયાણાના સિરસામાં મનોહર લાલ ખટ્ટર જનસંવાદ કાર્યક્રમ કરી રહ્યા હતા. કાર્યક્રમમાં નશા મુક્તિની વાતો કરવામાં આવી રહી હતી. સીએમ લોકોની સલાહ સૂચનો પણ લઈ રહ્યા હતા. ત્યારે અચાનક જ એક વ્યક્તિ તેમને સવાલો કરવાનું શરૂ કરી દે છે. વ્યક્તિના સવાલો સાંભળીને હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર ભડકી ઉઠ્યા અને તે વ્યક્તિને આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા છે. તેમ કહીને સુરક્ષાકર્મચારીઓને આ વ્યક્તિને પકડીને બહાર ફેંકી દેવા કહે છે. મનોહર લાલ ખટ્ટરની આવી પ્રતિક્રિયાની સોશિયલ મીડિયામાં આલોચના થઈ રહી છે કે તમે મુખ્યમંત્રી પદે બેઠા છો આવું બોલો તે સારું ના લાગે.  


મહિલાના સવાલ પર ભડક્યા હતા સીએમ! 

આ પહેલી વાર નથી જ્યારે મનોહર લાલ ખટ્ટર પોતાના નિવેદનને લઈ ચર્ચામાં આવ્યા હોય. એની પહેલા પણ, જ્યારે તેમના કાર્યક્રમમાં એક મહિલાએ સવાલ કર્યો હતો ત્યારે કહી દીધું હતું કે તું બેસી જા તું ક્યાંકથી શીખીને આવી છે. તું ચૂપ કર.. પછી મહિલાએ કહ્યું હતું કે મને કોણ શીખવાડે.. હું મારા મુખ્યમંત્રીને સવાલ પણ ના કરી શકું. ત્યારે સીએમના આવા નિવેદનો અંગે તમે શું કહેશો? 




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.