ચાલુ કાર્યક્રમમાં હરિયાણાના સીએમ કોની પર ભડક્યા? એવું શું કહી દીધું કે તેમના ભાષણની સોશિયલ મીડિયા પર થઈ રહી છે આલોચના! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-05-15 12:57:43

પોતાના નિવેદનને કારણે રાજનેતાઓ અનેક વખત વિવાદોમાં ઘેરાઈ જતા હોય છે. ત્યારે હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર પણ પોતાના ભાષણ દરમિયાન આપેલા નિવેદનને લઈ હાલ ચર્ચાઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર તેમનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તેઓ કહી રહ્યા છે 'આ તો આપવાળો છે, રાજનીતિ કરવા આવ્યો છે.. ઉઠાવીને બહાર ફેંકો આને'. આ નિવેદનથી તે વિવાદમાં આવી ગયા છે.

  


મનોહરલાલ ખટ્ટરનો વીડિયો થયો વાયરલ!

હરિયાણાના સિરસામાં મનોહર લાલ ખટ્ટર જનસંવાદ કાર્યક્રમ કરી રહ્યા હતા. કાર્યક્રમમાં નશા મુક્તિની વાતો કરવામાં આવી રહી હતી. સીએમ લોકોની સલાહ સૂચનો પણ લઈ રહ્યા હતા. ત્યારે અચાનક જ એક વ્યક્તિ તેમને સવાલો કરવાનું શરૂ કરી દે છે. વ્યક્તિના સવાલો સાંભળીને હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર ભડકી ઉઠ્યા અને તે વ્યક્તિને આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા છે. તેમ કહીને સુરક્ષાકર્મચારીઓને આ વ્યક્તિને પકડીને બહાર ફેંકી દેવા કહે છે. મનોહર લાલ ખટ્ટરની આવી પ્રતિક્રિયાની સોશિયલ મીડિયામાં આલોચના થઈ રહી છે કે તમે મુખ્યમંત્રી પદે બેઠા છો આવું બોલો તે સારું ના લાગે.  


મહિલાના સવાલ પર ભડક્યા હતા સીએમ! 

આ પહેલી વાર નથી જ્યારે મનોહર લાલ ખટ્ટર પોતાના નિવેદનને લઈ ચર્ચામાં આવ્યા હોય. એની પહેલા પણ, જ્યારે તેમના કાર્યક્રમમાં એક મહિલાએ સવાલ કર્યો હતો ત્યારે કહી દીધું હતું કે તું બેસી જા તું ક્યાંકથી શીખીને આવી છે. તું ચૂપ કર.. પછી મહિલાએ કહ્યું હતું કે મને કોણ શીખવાડે.. હું મારા મુખ્યમંત્રીને સવાલ પણ ના કરી શકું. ત્યારે સીએમના આવા નિવેદનો અંગે તમે શું કહેશો? 




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.