ચાલુ કાર્યક્રમમાં હરિયાણાના સીએમ કોની પર ભડક્યા? એવું શું કહી દીધું કે તેમના ભાષણની સોશિયલ મીડિયા પર થઈ રહી છે આલોચના! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-05-15 12:57:43

પોતાના નિવેદનને કારણે રાજનેતાઓ અનેક વખત વિવાદોમાં ઘેરાઈ જતા હોય છે. ત્યારે હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર પણ પોતાના ભાષણ દરમિયાન આપેલા નિવેદનને લઈ હાલ ચર્ચાઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર તેમનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તેઓ કહી રહ્યા છે 'આ તો આપવાળો છે, રાજનીતિ કરવા આવ્યો છે.. ઉઠાવીને બહાર ફેંકો આને'. આ નિવેદનથી તે વિવાદમાં આવી ગયા છે.

  


મનોહરલાલ ખટ્ટરનો વીડિયો થયો વાયરલ!

હરિયાણાના સિરસામાં મનોહર લાલ ખટ્ટર જનસંવાદ કાર્યક્રમ કરી રહ્યા હતા. કાર્યક્રમમાં નશા મુક્તિની વાતો કરવામાં આવી રહી હતી. સીએમ લોકોની સલાહ સૂચનો પણ લઈ રહ્યા હતા. ત્યારે અચાનક જ એક વ્યક્તિ તેમને સવાલો કરવાનું શરૂ કરી દે છે. વ્યક્તિના સવાલો સાંભળીને હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર ભડકી ઉઠ્યા અને તે વ્યક્તિને આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા છે. તેમ કહીને સુરક્ષાકર્મચારીઓને આ વ્યક્તિને પકડીને બહાર ફેંકી દેવા કહે છે. મનોહર લાલ ખટ્ટરની આવી પ્રતિક્રિયાની સોશિયલ મીડિયામાં આલોચના થઈ રહી છે કે તમે મુખ્યમંત્રી પદે બેઠા છો આવું બોલો તે સારું ના લાગે.  


મહિલાના સવાલ પર ભડક્યા હતા સીએમ! 

આ પહેલી વાર નથી જ્યારે મનોહર લાલ ખટ્ટર પોતાના નિવેદનને લઈ ચર્ચામાં આવ્યા હોય. એની પહેલા પણ, જ્યારે તેમના કાર્યક્રમમાં એક મહિલાએ સવાલ કર્યો હતો ત્યારે કહી દીધું હતું કે તું બેસી જા તું ક્યાંકથી શીખીને આવી છે. તું ચૂપ કર.. પછી મહિલાએ કહ્યું હતું કે મને કોણ શીખવાડે.. હું મારા મુખ્યમંત્રીને સવાલ પણ ના કરી શકું. ત્યારે સીએમના આવા નિવેદનો અંગે તમે શું કહેશો? 




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.