ચાલુ કાર્યક્રમમાં હરિયાણાના સીએમ કોની પર ભડક્યા? એવું શું કહી દીધું કે તેમના ભાષણની સોશિયલ મીડિયા પર થઈ રહી છે આલોચના! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-05-15 12:57:43

પોતાના નિવેદનને કારણે રાજનેતાઓ અનેક વખત વિવાદોમાં ઘેરાઈ જતા હોય છે. ત્યારે હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર પણ પોતાના ભાષણ દરમિયાન આપેલા નિવેદનને લઈ હાલ ચર્ચાઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર તેમનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તેઓ કહી રહ્યા છે 'આ તો આપવાળો છે, રાજનીતિ કરવા આવ્યો છે.. ઉઠાવીને બહાર ફેંકો આને'. આ નિવેદનથી તે વિવાદમાં આવી ગયા છે.

  


મનોહરલાલ ખટ્ટરનો વીડિયો થયો વાયરલ!

હરિયાણાના સિરસામાં મનોહર લાલ ખટ્ટર જનસંવાદ કાર્યક્રમ કરી રહ્યા હતા. કાર્યક્રમમાં નશા મુક્તિની વાતો કરવામાં આવી રહી હતી. સીએમ લોકોની સલાહ સૂચનો પણ લઈ રહ્યા હતા. ત્યારે અચાનક જ એક વ્યક્તિ તેમને સવાલો કરવાનું શરૂ કરી દે છે. વ્યક્તિના સવાલો સાંભળીને હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર ભડકી ઉઠ્યા અને તે વ્યક્તિને આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા છે. તેમ કહીને સુરક્ષાકર્મચારીઓને આ વ્યક્તિને પકડીને બહાર ફેંકી દેવા કહે છે. મનોહર લાલ ખટ્ટરની આવી પ્રતિક્રિયાની સોશિયલ મીડિયામાં આલોચના થઈ રહી છે કે તમે મુખ્યમંત્રી પદે બેઠા છો આવું બોલો તે સારું ના લાગે.  


મહિલાના સવાલ પર ભડક્યા હતા સીએમ! 

આ પહેલી વાર નથી જ્યારે મનોહર લાલ ખટ્ટર પોતાના નિવેદનને લઈ ચર્ચામાં આવ્યા હોય. એની પહેલા પણ, જ્યારે તેમના કાર્યક્રમમાં એક મહિલાએ સવાલ કર્યો હતો ત્યારે કહી દીધું હતું કે તું બેસી જા તું ક્યાંકથી શીખીને આવી છે. તું ચૂપ કર.. પછી મહિલાએ કહ્યું હતું કે મને કોણ શીખવાડે.. હું મારા મુખ્યમંત્રીને સવાલ પણ ના કરી શકું. ત્યારે સીએમના આવા નિવેદનો અંગે તમે શું કહેશો? 




આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.