કોરોના અંગે WHOએ ચીન પાસે માગ્યા જવાબ


  • Published By :
  • Published Date : 2022-12-31 16:54:38

વિશ્વના અનેક દેશોમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે.  અમેરિકા, જાપાન, ભારત જેવા દેશોમાં કોરોના સંક્રમણ વધતા પ્રતિબંધો લાદી દેવામાં આવ્યા છે. ચીનમાં કોરોના રફતારથી આગળ વધી રહ્યો છે. ત્યારે વધતા કોરોના સંક્રમણને લઈ વિશ્વ આરોગ્ય સંસ્થા હરકતમાં આવી છે. વધતા કોરોના કેસને લઈ WHOએ ચિંતા વ્યક્ત કરી છે. 


ચીનમાં કોરોના કેસ વધતા WHO આવી હરકતમાં   

કોરોના સંક્રમણને કારણે ચીનમાં પરિસ્થિતિ એકદમ ખરાબ થઈ રહી છે. ચીનમાં લાખો લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. હજારોની સંખ્યામાં લોકો મૃત્યુ પામી રહ્યા છે. ચીનમાં વધતા કોરોના સંક્રમણને કારણે વિશ્વના અનેક દેશોએ પ્રતિબંધો લાદી દીધા છે. એક તરફ કોરોના સંક્રમણ વધી રહ્યું છે તો ચીને પ્રતિબંધો હળવા કરી દીધા છે. ચીને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટને પણ મંજૂરી આપી દીધી છે. ચીનમાં કોરોના કેસને કારણે અમેરિકા, જાપાન, ભારત સહિતના અનેક દેશોએ ચીનથી આવતા મુસાફરોને ત્યારે જ પ્રવેશ આપવામાં આવશે જેમનો રિપોર્ટ નેગેઝિટવ હશે. 


કોરોના કેસ અંગેની આપવી પડશે માહિતી   

વધતા કોરોના સંક્રમણને લઈ વિશ્વ આરોગ્ય સંસ્થા હરકતમાં આવી છે. કોરોના અંગે WHOએ ગંભીર ચર્ચા કરી છે. કોરોનાના આંકડા છૂપાવા અંગે ચીન પર અનેક આંકડા છૂપાવાનો આરોપ લગાવામાં આવે છે. પરંતુ આ વાત પર ચીનનો દાવો છે કે તેના આંકડા એકદમ પારદર્શી છે. કોરોના અંગે WHOએ બેઠક કરી છે. વર્ચુઅલ બેઠકમાં જીનોમ સિક્વન્સિંગ હોસ્પિટલમાં દાખલ દર્દીના ડેટા આપવા માટે કહ્યું છે,




દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .

અમદાવાદના સેવન્થ ડે સ્કૂલની ઘટનાની સંપૂર્ણ તપાસ હાલમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. અને હવે ક્રાઇમ બ્રાન્ચ સેવન્થ ડે સ્કૂલની ઘટનામાં તેના સંચાલકો સામે ફરિયાદ દાખલ કરવા માટે કોર્ટની મંજૂરી મેળવશે . હાલમાં ક્રાઇમ બ્રાન્ચની ટિમ આખી ઘટનાની અંદર ઝીણવટભરી તપાસ કરી રહી છે . આપને જણાવી દયિકે , આ આખી ઘટનામાં , સેવન્થ ડે સ્કૂલના સંચાલકોની ખુબ ભારે બેદરકારી સામે આવી છે .

સમાજમાં કેટલીકવાર એવી ઘટનાઓ અને ગુનાઓ બનતા હોય છે કે જેના કારણે સમાજની આત્માને કુઠારાઘાત પહોંચતો હોય છે. આવી જ એક ઘટના અમદાવાદના હાટકેશ્વર ખાતે બની છે . જ્યાં સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી સામાન્ય બાબતે ધોરણ ૮ માં ભણતો વિદ્યાર્થી દસમા ધોરણમાં ભણતા છોકરાને ધારદાર વસ્તુના ઘા મારીને મારી નાખે છે . જેના પ્રત્યાઘાત હવે ખુબ ઊંડા પડ્યા છે. આજે ૨૧ ઓગસ્ટના રોજ યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા સ્કૂલને તાળાબંધીનું એલાન કરવામાં આવ્યું છે. ઉપરાંત વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા મણિનગર અને આસપાસના વિસ્તારોમાં સ્કૂલો બંધ રાખી વિસ્તારને બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે . સાથે જ અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી સિંધી માર્કેટ આજે બંધ છે.