કોરોના અંગે WHOએ ચીન પાસે માગ્યા જવાબ


  • Published By :
  • Published Date : 2022-12-31 16:54:38

વિશ્વના અનેક દેશોમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે.  અમેરિકા, જાપાન, ભારત જેવા દેશોમાં કોરોના સંક્રમણ વધતા પ્રતિબંધો લાદી દેવામાં આવ્યા છે. ચીનમાં કોરોના રફતારથી આગળ વધી રહ્યો છે. ત્યારે વધતા કોરોના સંક્રમણને લઈ વિશ્વ આરોગ્ય સંસ્થા હરકતમાં આવી છે. વધતા કોરોના કેસને લઈ WHOએ ચિંતા વ્યક્ત કરી છે. 


ચીનમાં કોરોના કેસ વધતા WHO આવી હરકતમાં   

કોરોના સંક્રમણને કારણે ચીનમાં પરિસ્થિતિ એકદમ ખરાબ થઈ રહી છે. ચીનમાં લાખો લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. હજારોની સંખ્યામાં લોકો મૃત્યુ પામી રહ્યા છે. ચીનમાં વધતા કોરોના સંક્રમણને કારણે વિશ્વના અનેક દેશોએ પ્રતિબંધો લાદી દીધા છે. એક તરફ કોરોના સંક્રમણ વધી રહ્યું છે તો ચીને પ્રતિબંધો હળવા કરી દીધા છે. ચીને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટને પણ મંજૂરી આપી દીધી છે. ચીનમાં કોરોના કેસને કારણે અમેરિકા, જાપાન, ભારત સહિતના અનેક દેશોએ ચીનથી આવતા મુસાફરોને ત્યારે જ પ્રવેશ આપવામાં આવશે જેમનો રિપોર્ટ નેગેઝિટવ હશે. 


કોરોના કેસ અંગેની આપવી પડશે માહિતી   

વધતા કોરોના સંક્રમણને લઈ વિશ્વ આરોગ્ય સંસ્થા હરકતમાં આવી છે. કોરોના અંગે WHOએ ગંભીર ચર્ચા કરી છે. કોરોનાના આંકડા છૂપાવા અંગે ચીન પર અનેક આંકડા છૂપાવાનો આરોપ લગાવામાં આવે છે. પરંતુ આ વાત પર ચીનનો દાવો છે કે તેના આંકડા એકદમ પારદર્શી છે. કોરોના અંગે WHOએ બેઠક કરી છે. વર્ચુઅલ બેઠકમાં જીનોમ સિક્વન્સિંગ હોસ્પિટલમાં દાખલ દર્દીના ડેટા આપવા માટે કહ્યું છે,




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.