કોણ છે કર્ણાટક પ્રદેશ પ્રમુખ ડી.કે શિવકુમાર જેને માનવામાં આવે છે કોંગ્રેસના સંકટમોચન! ગુજરાતની રાજનીતિ સાથે શું છે તેમનું કનેક્શન?


  • Published By :
  • Published Date : 2023-05-13 15:22:38

કર્ણાટકમાં કોંગ્રેસની જીત લગભગ નિશ્ચિત છે. કોંગ્રેસ દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ કર્ણાટકમાં ઘણો ચૂંટણી પ્રચાર કર્યો હતો. રાહુલ ગાંધી હોય કે પછી પ્રિયંકા ગાંધી હોય દરેક વરિષ્ઠ નેતાઓએ ત્યાં પ્રચાર કર્યો હતો. પરિણામમાં રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા પણ કામમાં લાગી હોય તેવું નિષ્ણાંતોનું માનવું છે. અનેક વિધાનસભાની બેઠકો પરથી આ યાત્રા પસાર થઈ હતી. ત્યારે કોંગ્રેસની જીત પાછળ પ્રદેશ પ્રમુખ ડી.કે શિવકુમારનો પણ મોટો ફાળો છે. તેમને સીએમના ચહેરા તરીકે પણ જોવામાં આવી રહ્યા છે. ગાંધી પરિવાર સાથે તેમનો જૂનો નાતો છે. શિવકુમારને કર્ણાટક કોંગ્રેસના સૌથી અમીર નેતા માનવામાં આવે છે.              


કર્ણાટકના સૌથી અમીર નેતા માનવામાં આવે છે ડી.કે.શિવકુમાર! 

રાહુલ ગાંધીએ કાશ્મીરથી લઈ કન્યાકુમારી સુધી ભારત જોડો યાત્રા કરી હતી. આ યાત્રાને સારો પ્રતિસાદ મળ્યો હતો. કર્ણાટકમાંથી પણ આ યાત્રા પસાર થઈ હતી. રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલી યાત્રાને સફળ નિષ્ણાંતો માની રહ્યા છે. કોંગ્રેસ કર્ણાટકમાં સરકાર બનાવી રહી છે તેવું લાગી રહ્યું છે. કર્ણાટકમાં કોંગ્રેસની જીત પાછળ ત્યાંના પ્રદેશ પ્રમુખ ડી.કે શિવકુમારનું યોગદાન માનવામાં આવી રહ્યું છે. ડી.કે શિવકુમાર અનેક વખત કોંગ્રેસ માટે સંકટમોચક તરીકે સામે આવ્યા છે. કર્ણાટક કોંગ્રેસના સૌથી અમીર નેતા છે. પાર્ટીને મળતા ફન્ડિંગમાં તેમનો મોટો ફાળો હોય છે. તેમની પાસે 840 કરોડની સંપત્તિ છે. ગુજરાતની રાજનીતિમાં પણ તેમનો ફાળો છે.         


ગુજરાતની રાજનીતિમાં પણ નિભાવી ભૂમિકા! 

ગુજરાતની ચૂંટણીમાં જયારે અહમદ પટેલ જયારે રાજયસભા ચૂંટણી લડી રહ્યા હતા ત્યારે ભાજપે કોંગ્રેસનો ગઢ તોડવા અનેક ધારાસભ્યોને લલચાવ્યા હતા તે સમયે શિવકુમારે કોંગ્રેસના 44 ધારાસભ્યોને બેંગ્લોરમાં પોતાના રીસોર્ટમાં સાચવ્યા હતા અને અહમદ પટેલ એક મતે જીત્યા તેમાં ડી.કે.શિવકુમારની ભૂમિકા મહત્વની બની રહી હતી.


અનેક વર્ષો બાદ કર્ણાટકમાં કોંગ્રેસની બનશે સરકાર!

કનકપુર વિધાનસભા સીટ પરથી તેઓ ચૂંટણી લડ્યા હતા. આ તેમની પરંપરાગત સીટ છે. આ સીટ પરથી 8 વખત તે વિજય થયા છે. તેમની ટક્કર ભાજપના રાજસ્વ મંત્રી સાથે હતી. અનેક વર્ષો બાદ કોંગ્રેસ કર્ણાટકમાં સરકાર બનાવી રહી છે. કોંગ્રેસની જીત બાદ ડી.કે શિવકુમારે પ્રતિક્રિયા આપી હતી જેમાં તેઓ ભાવુક થયા હતા. ત્યારે કર્ણાટકના મુખ્યમંત્રી કોણ બનશે તે અંગે વિધાયક દળની બેઠકમાં લેવાશે.  



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.