કોણ છે કર્ણાટક પ્રદેશ પ્રમુખ ડી.કે શિવકુમાર જેને માનવામાં આવે છે કોંગ્રેસના સંકટમોચન! ગુજરાતની રાજનીતિ સાથે શું છે તેમનું કનેક્શન?


  • Published By :
  • Published Date : 2023-05-13 15:22:38

કર્ણાટકમાં કોંગ્રેસની જીત લગભગ નિશ્ચિત છે. કોંગ્રેસ દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ કર્ણાટકમાં ઘણો ચૂંટણી પ્રચાર કર્યો હતો. રાહુલ ગાંધી હોય કે પછી પ્રિયંકા ગાંધી હોય દરેક વરિષ્ઠ નેતાઓએ ત્યાં પ્રચાર કર્યો હતો. પરિણામમાં રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા પણ કામમાં લાગી હોય તેવું નિષ્ણાંતોનું માનવું છે. અનેક વિધાનસભાની બેઠકો પરથી આ યાત્રા પસાર થઈ હતી. ત્યારે કોંગ્રેસની જીત પાછળ પ્રદેશ પ્રમુખ ડી.કે શિવકુમારનો પણ મોટો ફાળો છે. તેમને સીએમના ચહેરા તરીકે પણ જોવામાં આવી રહ્યા છે. ગાંધી પરિવાર સાથે તેમનો જૂનો નાતો છે. શિવકુમારને કર્ણાટક કોંગ્રેસના સૌથી અમીર નેતા માનવામાં આવે છે.              


કર્ણાટકના સૌથી અમીર નેતા માનવામાં આવે છે ડી.કે.શિવકુમાર! 

રાહુલ ગાંધીએ કાશ્મીરથી લઈ કન્યાકુમારી સુધી ભારત જોડો યાત્રા કરી હતી. આ યાત્રાને સારો પ્રતિસાદ મળ્યો હતો. કર્ણાટકમાંથી પણ આ યાત્રા પસાર થઈ હતી. રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલી યાત્રાને સફળ નિષ્ણાંતો માની રહ્યા છે. કોંગ્રેસ કર્ણાટકમાં સરકાર બનાવી રહી છે તેવું લાગી રહ્યું છે. કર્ણાટકમાં કોંગ્રેસની જીત પાછળ ત્યાંના પ્રદેશ પ્રમુખ ડી.કે શિવકુમારનું યોગદાન માનવામાં આવી રહ્યું છે. ડી.કે શિવકુમાર અનેક વખત કોંગ્રેસ માટે સંકટમોચક તરીકે સામે આવ્યા છે. કર્ણાટક કોંગ્રેસના સૌથી અમીર નેતા છે. પાર્ટીને મળતા ફન્ડિંગમાં તેમનો મોટો ફાળો હોય છે. તેમની પાસે 840 કરોડની સંપત્તિ છે. ગુજરાતની રાજનીતિમાં પણ તેમનો ફાળો છે.         


ગુજરાતની રાજનીતિમાં પણ નિભાવી ભૂમિકા! 

ગુજરાતની ચૂંટણીમાં જયારે અહમદ પટેલ જયારે રાજયસભા ચૂંટણી લડી રહ્યા હતા ત્યારે ભાજપે કોંગ્રેસનો ગઢ તોડવા અનેક ધારાસભ્યોને લલચાવ્યા હતા તે સમયે શિવકુમારે કોંગ્રેસના 44 ધારાસભ્યોને બેંગ્લોરમાં પોતાના રીસોર્ટમાં સાચવ્યા હતા અને અહમદ પટેલ એક મતે જીત્યા તેમાં ડી.કે.શિવકુમારની ભૂમિકા મહત્વની બની રહી હતી.


અનેક વર્ષો બાદ કર્ણાટકમાં કોંગ્રેસની બનશે સરકાર!

કનકપુર વિધાનસભા સીટ પરથી તેઓ ચૂંટણી લડ્યા હતા. આ તેમની પરંપરાગત સીટ છે. આ સીટ પરથી 8 વખત તે વિજય થયા છે. તેમની ટક્કર ભાજપના રાજસ્વ મંત્રી સાથે હતી. અનેક વર્ષો બાદ કોંગ્રેસ કર્ણાટકમાં સરકાર બનાવી રહી છે. કોંગ્રેસની જીત બાદ ડી.કે શિવકુમારે પ્રતિક્રિયા આપી હતી જેમાં તેઓ ભાવુક થયા હતા. ત્યારે કર્ણાટકના મુખ્યમંત્રી કોણ બનશે તે અંગે વિધાયક દળની બેઠકમાં લેવાશે.  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.