કોણ છે કર્ણાટક પ્રદેશ પ્રમુખ ડી.કે શિવકુમાર જેને માનવામાં આવે છે કોંગ્રેસના સંકટમોચન! ગુજરાતની રાજનીતિ સાથે શું છે તેમનું કનેક્શન?


  • Published By :
  • Published Date : 2023-05-13 15:22:38

કર્ણાટકમાં કોંગ્રેસની જીત લગભગ નિશ્ચિત છે. કોંગ્રેસ દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ કર્ણાટકમાં ઘણો ચૂંટણી પ્રચાર કર્યો હતો. રાહુલ ગાંધી હોય કે પછી પ્રિયંકા ગાંધી હોય દરેક વરિષ્ઠ નેતાઓએ ત્યાં પ્રચાર કર્યો હતો. પરિણામમાં રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા પણ કામમાં લાગી હોય તેવું નિષ્ણાંતોનું માનવું છે. અનેક વિધાનસભાની બેઠકો પરથી આ યાત્રા પસાર થઈ હતી. ત્યારે કોંગ્રેસની જીત પાછળ પ્રદેશ પ્રમુખ ડી.કે શિવકુમારનો પણ મોટો ફાળો છે. તેમને સીએમના ચહેરા તરીકે પણ જોવામાં આવી રહ્યા છે. ગાંધી પરિવાર સાથે તેમનો જૂનો નાતો છે. શિવકુમારને કર્ણાટક કોંગ્રેસના સૌથી અમીર નેતા માનવામાં આવે છે.              


કર્ણાટકના સૌથી અમીર નેતા માનવામાં આવે છે ડી.કે.શિવકુમાર! 

રાહુલ ગાંધીએ કાશ્મીરથી લઈ કન્યાકુમારી સુધી ભારત જોડો યાત્રા કરી હતી. આ યાત્રાને સારો પ્રતિસાદ મળ્યો હતો. કર્ણાટકમાંથી પણ આ યાત્રા પસાર થઈ હતી. રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલી યાત્રાને સફળ નિષ્ણાંતો માની રહ્યા છે. કોંગ્રેસ કર્ણાટકમાં સરકાર બનાવી રહી છે તેવું લાગી રહ્યું છે. કર્ણાટકમાં કોંગ્રેસની જીત પાછળ ત્યાંના પ્રદેશ પ્રમુખ ડી.કે શિવકુમારનું યોગદાન માનવામાં આવી રહ્યું છે. ડી.કે શિવકુમાર અનેક વખત કોંગ્રેસ માટે સંકટમોચક તરીકે સામે આવ્યા છે. કર્ણાટક કોંગ્રેસના સૌથી અમીર નેતા છે. પાર્ટીને મળતા ફન્ડિંગમાં તેમનો મોટો ફાળો હોય છે. તેમની પાસે 840 કરોડની સંપત્તિ છે. ગુજરાતની રાજનીતિમાં પણ તેમનો ફાળો છે.         


ગુજરાતની રાજનીતિમાં પણ નિભાવી ભૂમિકા! 

ગુજરાતની ચૂંટણીમાં જયારે અહમદ પટેલ જયારે રાજયસભા ચૂંટણી લડી રહ્યા હતા ત્યારે ભાજપે કોંગ્રેસનો ગઢ તોડવા અનેક ધારાસભ્યોને લલચાવ્યા હતા તે સમયે શિવકુમારે કોંગ્રેસના 44 ધારાસભ્યોને બેંગ્લોરમાં પોતાના રીસોર્ટમાં સાચવ્યા હતા અને અહમદ પટેલ એક મતે જીત્યા તેમાં ડી.કે.શિવકુમારની ભૂમિકા મહત્વની બની રહી હતી.


અનેક વર્ષો બાદ કર્ણાટકમાં કોંગ્રેસની બનશે સરકાર!

કનકપુર વિધાનસભા સીટ પરથી તેઓ ચૂંટણી લડ્યા હતા. આ તેમની પરંપરાગત સીટ છે. આ સીટ પરથી 8 વખત તે વિજય થયા છે. તેમની ટક્કર ભાજપના રાજસ્વ મંત્રી સાથે હતી. અનેક વર્ષો બાદ કોંગ્રેસ કર્ણાટકમાં સરકાર બનાવી રહી છે. કોંગ્રેસની જીત બાદ ડી.કે શિવકુમારે પ્રતિક્રિયા આપી હતી જેમાં તેઓ ભાવુક થયા હતા. ત્યારે કર્ણાટકના મુખ્યમંત્રી કોણ બનશે તે અંગે વિધાયક દળની બેઠકમાં લેવાશે.  



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.