કેદારનાથ મંદિરની બહાર બોયફ્રેન્ડને પ્રપોઝ કરનાર યુવતી કોણ છે? જુઓ વીડિયો જેને લઈ છેડાયો વિવાદ


  • Published By :
  • Published Date : 2023-07-05 16:23:51

ચારધામ યાત્રાનું હિંદુ ધર્મમાં વિશેષ સ્થાન રહેલું છે. પહેલાનો સમય એવો હતો કે ચારધામની યાત્રા માત્ર ઉંમરલાયક લોકો જ કરતા હતા. પરંતુ ધીમે ધીમે કેદારનાથ જવાનો ક્રેઝ યુવાનોમાં પણ વધી રહ્યો છે. યાત્રાધામ કેદારનાથ યુવાના બકેટલિસ્ટમાં હોય છે. ત્યારે સોશિયલ મીડિયામાં આજકાલ એક વીડિયો ખૂબ વાઇરલ થયો છે જેમાં એક યુવતી કેદારનાથ મંદિર પાસે તેના પ્રેમીને પ્રપોઝ કરી રહી છે. યુવતીનો પ્રેમી તેના પ્રપોઝલને સ્વીકારે છે અને તેઓ તરત જ સગાઇ કરી લે છે.. આ વીડિયો વાયરલ થતા ઇન્ટરનેટ પર યુદ્ધ છેડાઇ ગયું છે.. લોકો આ કપલને સોશિયલ મીડિયા પર વખોડી રહ્યા છે.. અને એવું પણ કહેવાયી રહ્યું છે કે મંદિરોમાં દર્શન કરવા જતી વખતે ફોન જમા કરી દે છે.. 

કેદારનાથ મંદિર સાથે યુવતીએ છોકરાને કર્યો પ્રપોઝ

થોડા વર્ષો પહેલા સુશાંતસિંહ રાજપૂતની ફિલ્મ આવી હતી.  જે બાદ કેદારનાથ ધામની લોકપ્રિયતા યુવાનોમાં પણ વધી ગઈ. ચારધામની યાત્રામાં યુવાનો જઈ રહ્યા છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો હતો જેમાં યુવતી કેદારનાથ મંદિરની સામે છોકરાને પ્રપોઝ કરી રહી છે. ઇન્સ્ટાગ્રામ પર રાઇડર ગર્લ વિશાખા નામથી વિશાખા ફૂલસુંગે નામની એક યુવતીનું એકાઉન્ટ છે. આ એકાઉન્ટ પરથી જ આ વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો. વિશાખા ફૂલસુંગેના ઇન્સ્ટાગ્રામ પર લાખો ફોલોઅર્સ છે. તે પોતે યુ ટ્યુબર છે અને પોતાની ઓળખાણ મોટો વ્લોગર તરીકેની આપે છે.. મોટો વ્લોગર એટલે કે બાઇક પર જ એકલા જ પોતાનો સામાન લઇને નીકળી પડવું અને અલગ અલગ જગ્યાઓની સફર ખેડવી. જેવું તેના એકાઉન્ટનું નામ છે એમ તેણે બાઇક પર અલગ અલગ સ્થળોની મુલાકાત લઇને અવનવા રેકોર્ડ્ઝ પણ બનાવ્યા છે.. જેમકે મુંબઇથી વિશાખાપટનમની સફર બાઇક પર કરવી, નર્મદા પરિક્રમા કરવી. વિશાખાએ જે વીડિયો પોસ્ટ કર્યો છે એમાં જોઈ શકાય છે કે એક કપલ કેદારનાથ ધામ તરફ હાથ જોડીને ઊભું છે. 


વીડિયો વાયરલ થતાં યુઝર્સ આપી રહ્યા છે અનેક પ્રતિક્રિયા

યુવતી કેમેરાવાળા વ્યક્તિને પાછળથી હાથના ઈશારો કરીને બોલાવે છે. કેમેરા વાળો વ્યક્તિ આગળ વધે છે અને ગુપ્ત રીતે છોકરીના હાથમાં રીંગ મૂકે છે. તરત જ છોકરી તેના ઘૂંટણ પર બેસીને તેના પાર્ટનરને પ્રપોઝ કરે છે. તેનો પાર્ટનર પણ આશ્ચર્યચકિત થઈ જાય છે અને છોકરી તેને રીંગ પહેરાવી દે છે. આ પછી બંને એકબીજાને ગળે લગાવે છે.જ્યારથી આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો ત્યારથી લોકો અલગ અલગ રિએક્શન આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે ફરી એકવાર પ્રલય આવવો જોઇએ અને આ પ્રકારના લોકોને દુનિયામાંથી ઉઠાવી લેવા જોઇએ. તો કોઇ યુઝરે લખ્યું કેદારનાથનું સોનું પીત્તળ થઇ ગયું એમાં કોઇનું મોં ન ખૂલ્યું પરંતુ આ કિસ્સામાં સૌ કોઇ બોલી રહ્યા છે.. જો ગુરુદ્વારામાં લગ્ન થતા હોય તો કેદારનાથ ધામમાં ભોલેનાથને સાક્ષી માનીને બંનેએ એકબીજાને આંગળીઓમાં વીંટી પહેરાવી એમાં શું થઇ ગયું..  


મોબાઈલ લઈ જવા પર મૂકાયો પ્રતિબંધ  

એક નજરે એવું પણ લાગે છે કે સોશિયલ મીડિયા પર વાઇરલ થવા માટે લોકો અવનવા ગતકડા અપનાવતા હોય છે.. એટલે આ પણ એક ગતકડાનો ભાગ હોઇ શકે છે.. જો કે આ પહેલા પણ કેદારનાથમાં એક વીડિયો સામે આવ્યો હતો જેમાં એક વ્યક્તિ તેના કૂતરાને લઇને કેદારનાથ ધામ પહોંચી ગયો હતો અને તેણે કેદારનાથ ધામમાં તેમના કૂતરાને ચરણ સ્પર્શ પણ કરાવ્યા હતા. ત્યારે એક સમાચાર પણ સામે આવી રહ્યા છે કે કેદારનાથ મંદિરની અંદર ફોન નહીં લઈ જવાય. ફોન લઈ જવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યું છે.  



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.