કેદારનાથ મંદિરની બહાર બોયફ્રેન્ડને પ્રપોઝ કરનાર યુવતી કોણ છે? જુઓ વીડિયો જેને લઈ છેડાયો વિવાદ


  • Published By :
  • Published Date : 2023-07-05 16:23:51

ચારધામ યાત્રાનું હિંદુ ધર્મમાં વિશેષ સ્થાન રહેલું છે. પહેલાનો સમય એવો હતો કે ચારધામની યાત્રા માત્ર ઉંમરલાયક લોકો જ કરતા હતા. પરંતુ ધીમે ધીમે કેદારનાથ જવાનો ક્રેઝ યુવાનોમાં પણ વધી રહ્યો છે. યાત્રાધામ કેદારનાથ યુવાના બકેટલિસ્ટમાં હોય છે. ત્યારે સોશિયલ મીડિયામાં આજકાલ એક વીડિયો ખૂબ વાઇરલ થયો છે જેમાં એક યુવતી કેદારનાથ મંદિર પાસે તેના પ્રેમીને પ્રપોઝ કરી રહી છે. યુવતીનો પ્રેમી તેના પ્રપોઝલને સ્વીકારે છે અને તેઓ તરત જ સગાઇ કરી લે છે.. આ વીડિયો વાયરલ થતા ઇન્ટરનેટ પર યુદ્ધ છેડાઇ ગયું છે.. લોકો આ કપલને સોશિયલ મીડિયા પર વખોડી રહ્યા છે.. અને એવું પણ કહેવાયી રહ્યું છે કે મંદિરોમાં દર્શન કરવા જતી વખતે ફોન જમા કરી દે છે.. 

કેદારનાથ મંદિર સાથે યુવતીએ છોકરાને કર્યો પ્રપોઝ

થોડા વર્ષો પહેલા સુશાંતસિંહ રાજપૂતની ફિલ્મ આવી હતી.  જે બાદ કેદારનાથ ધામની લોકપ્રિયતા યુવાનોમાં પણ વધી ગઈ. ચારધામની યાત્રામાં યુવાનો જઈ રહ્યા છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો હતો જેમાં યુવતી કેદારનાથ મંદિરની સામે છોકરાને પ્રપોઝ કરી રહી છે. ઇન્સ્ટાગ્રામ પર રાઇડર ગર્લ વિશાખા નામથી વિશાખા ફૂલસુંગે નામની એક યુવતીનું એકાઉન્ટ છે. આ એકાઉન્ટ પરથી જ આ વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો. વિશાખા ફૂલસુંગેના ઇન્સ્ટાગ્રામ પર લાખો ફોલોઅર્સ છે. તે પોતે યુ ટ્યુબર છે અને પોતાની ઓળખાણ મોટો વ્લોગર તરીકેની આપે છે.. મોટો વ્લોગર એટલે કે બાઇક પર જ એકલા જ પોતાનો સામાન લઇને નીકળી પડવું અને અલગ અલગ જગ્યાઓની સફર ખેડવી. જેવું તેના એકાઉન્ટનું નામ છે એમ તેણે બાઇક પર અલગ અલગ સ્થળોની મુલાકાત લઇને અવનવા રેકોર્ડ્ઝ પણ બનાવ્યા છે.. જેમકે મુંબઇથી વિશાખાપટનમની સફર બાઇક પર કરવી, નર્મદા પરિક્રમા કરવી. વિશાખાએ જે વીડિયો પોસ્ટ કર્યો છે એમાં જોઈ શકાય છે કે એક કપલ કેદારનાથ ધામ તરફ હાથ જોડીને ઊભું છે. 


વીડિયો વાયરલ થતાં યુઝર્સ આપી રહ્યા છે અનેક પ્રતિક્રિયા

યુવતી કેમેરાવાળા વ્યક્તિને પાછળથી હાથના ઈશારો કરીને બોલાવે છે. કેમેરા વાળો વ્યક્તિ આગળ વધે છે અને ગુપ્ત રીતે છોકરીના હાથમાં રીંગ મૂકે છે. તરત જ છોકરી તેના ઘૂંટણ પર બેસીને તેના પાર્ટનરને પ્રપોઝ કરે છે. તેનો પાર્ટનર પણ આશ્ચર્યચકિત થઈ જાય છે અને છોકરી તેને રીંગ પહેરાવી દે છે. આ પછી બંને એકબીજાને ગળે લગાવે છે.જ્યારથી આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો ત્યારથી લોકો અલગ અલગ રિએક્શન આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે ફરી એકવાર પ્રલય આવવો જોઇએ અને આ પ્રકારના લોકોને દુનિયામાંથી ઉઠાવી લેવા જોઇએ. તો કોઇ યુઝરે લખ્યું કેદારનાથનું સોનું પીત્તળ થઇ ગયું એમાં કોઇનું મોં ન ખૂલ્યું પરંતુ આ કિસ્સામાં સૌ કોઇ બોલી રહ્યા છે.. જો ગુરુદ્વારામાં લગ્ન થતા હોય તો કેદારનાથ ધામમાં ભોલેનાથને સાક્ષી માનીને બંનેએ એકબીજાને આંગળીઓમાં વીંટી પહેરાવી એમાં શું થઇ ગયું..  


મોબાઈલ લઈ જવા પર મૂકાયો પ્રતિબંધ  

એક નજરે એવું પણ લાગે છે કે સોશિયલ મીડિયા પર વાઇરલ થવા માટે લોકો અવનવા ગતકડા અપનાવતા હોય છે.. એટલે આ પણ એક ગતકડાનો ભાગ હોઇ શકે છે.. જો કે આ પહેલા પણ કેદારનાથમાં એક વીડિયો સામે આવ્યો હતો જેમાં એક વ્યક્તિ તેના કૂતરાને લઇને કેદારનાથ ધામ પહોંચી ગયો હતો અને તેણે કેદારનાથ ધામમાં તેમના કૂતરાને ચરણ સ્પર્શ પણ કરાવ્યા હતા. ત્યારે એક સમાચાર પણ સામે આવી રહ્યા છે કે કેદારનાથ મંદિરની અંદર ફોન નહીં લઈ જવાય. ફોન લઈ જવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યું છે.  



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.