કેદારનાથ મંદિરની બહાર બોયફ્રેન્ડને પ્રપોઝ કરનાર યુવતી કોણ છે? જુઓ વીડિયો જેને લઈ છેડાયો વિવાદ


  • Published By :
  • Published Date : 2023-07-05 16:23:51

ચારધામ યાત્રાનું હિંદુ ધર્મમાં વિશેષ સ્થાન રહેલું છે. પહેલાનો સમય એવો હતો કે ચારધામની યાત્રા માત્ર ઉંમરલાયક લોકો જ કરતા હતા. પરંતુ ધીમે ધીમે કેદારનાથ જવાનો ક્રેઝ યુવાનોમાં પણ વધી રહ્યો છે. યાત્રાધામ કેદારનાથ યુવાના બકેટલિસ્ટમાં હોય છે. ત્યારે સોશિયલ મીડિયામાં આજકાલ એક વીડિયો ખૂબ વાઇરલ થયો છે જેમાં એક યુવતી કેદારનાથ મંદિર પાસે તેના પ્રેમીને પ્રપોઝ કરી રહી છે. યુવતીનો પ્રેમી તેના પ્રપોઝલને સ્વીકારે છે અને તેઓ તરત જ સગાઇ કરી લે છે.. આ વીડિયો વાયરલ થતા ઇન્ટરનેટ પર યુદ્ધ છેડાઇ ગયું છે.. લોકો આ કપલને સોશિયલ મીડિયા પર વખોડી રહ્યા છે.. અને એવું પણ કહેવાયી રહ્યું છે કે મંદિરોમાં દર્શન કરવા જતી વખતે ફોન જમા કરી દે છે.. 

કેદારનાથ મંદિર સાથે યુવતીએ છોકરાને કર્યો પ્રપોઝ

થોડા વર્ષો પહેલા સુશાંતસિંહ રાજપૂતની ફિલ્મ આવી હતી.  જે બાદ કેદારનાથ ધામની લોકપ્રિયતા યુવાનોમાં પણ વધી ગઈ. ચારધામની યાત્રામાં યુવાનો જઈ રહ્યા છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો હતો જેમાં યુવતી કેદારનાથ મંદિરની સામે છોકરાને પ્રપોઝ કરી રહી છે. ઇન્સ્ટાગ્રામ પર રાઇડર ગર્લ વિશાખા નામથી વિશાખા ફૂલસુંગે નામની એક યુવતીનું એકાઉન્ટ છે. આ એકાઉન્ટ પરથી જ આ વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો. વિશાખા ફૂલસુંગેના ઇન્સ્ટાગ્રામ પર લાખો ફોલોઅર્સ છે. તે પોતે યુ ટ્યુબર છે અને પોતાની ઓળખાણ મોટો વ્લોગર તરીકેની આપે છે.. મોટો વ્લોગર એટલે કે બાઇક પર જ એકલા જ પોતાનો સામાન લઇને નીકળી પડવું અને અલગ અલગ જગ્યાઓની સફર ખેડવી. જેવું તેના એકાઉન્ટનું નામ છે એમ તેણે બાઇક પર અલગ અલગ સ્થળોની મુલાકાત લઇને અવનવા રેકોર્ડ્ઝ પણ બનાવ્યા છે.. જેમકે મુંબઇથી વિશાખાપટનમની સફર બાઇક પર કરવી, નર્મદા પરિક્રમા કરવી. વિશાખાએ જે વીડિયો પોસ્ટ કર્યો છે એમાં જોઈ શકાય છે કે એક કપલ કેદારનાથ ધામ તરફ હાથ જોડીને ઊભું છે. 


વીડિયો વાયરલ થતાં યુઝર્સ આપી રહ્યા છે અનેક પ્રતિક્રિયા

યુવતી કેમેરાવાળા વ્યક્તિને પાછળથી હાથના ઈશારો કરીને બોલાવે છે. કેમેરા વાળો વ્યક્તિ આગળ વધે છે અને ગુપ્ત રીતે છોકરીના હાથમાં રીંગ મૂકે છે. તરત જ છોકરી તેના ઘૂંટણ પર બેસીને તેના પાર્ટનરને પ્રપોઝ કરે છે. તેનો પાર્ટનર પણ આશ્ચર્યચકિત થઈ જાય છે અને છોકરી તેને રીંગ પહેરાવી દે છે. આ પછી બંને એકબીજાને ગળે લગાવે છે.જ્યારથી આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો ત્યારથી લોકો અલગ અલગ રિએક્શન આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે ફરી એકવાર પ્રલય આવવો જોઇએ અને આ પ્રકારના લોકોને દુનિયામાંથી ઉઠાવી લેવા જોઇએ. તો કોઇ યુઝરે લખ્યું કેદારનાથનું સોનું પીત્તળ થઇ ગયું એમાં કોઇનું મોં ન ખૂલ્યું પરંતુ આ કિસ્સામાં સૌ કોઇ બોલી રહ્યા છે.. જો ગુરુદ્વારામાં લગ્ન થતા હોય તો કેદારનાથ ધામમાં ભોલેનાથને સાક્ષી માનીને બંનેએ એકબીજાને આંગળીઓમાં વીંટી પહેરાવી એમાં શું થઇ ગયું..  


મોબાઈલ લઈ જવા પર મૂકાયો પ્રતિબંધ  

એક નજરે એવું પણ લાગે છે કે સોશિયલ મીડિયા પર વાઇરલ થવા માટે લોકો અવનવા ગતકડા અપનાવતા હોય છે.. એટલે આ પણ એક ગતકડાનો ભાગ હોઇ શકે છે.. જો કે આ પહેલા પણ કેદારનાથમાં એક વીડિયો સામે આવ્યો હતો જેમાં એક વ્યક્તિ તેના કૂતરાને લઇને કેદારનાથ ધામ પહોંચી ગયો હતો અને તેણે કેદારનાથ ધામમાં તેમના કૂતરાને ચરણ સ્પર્શ પણ કરાવ્યા હતા. ત્યારે એક સમાચાર પણ સામે આવી રહ્યા છે કે કેદારનાથ મંદિરની અંદર ફોન નહીં લઈ જવાય. ફોન લઈ જવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યું છે.  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.