કેદારનાથ મંદિરની બહાર બોયફ્રેન્ડને પ્રપોઝ કરનાર યુવતી કોણ છે? જુઓ વીડિયો જેને લઈ છેડાયો વિવાદ


  • Published By :
  • Published Date : 2023-07-05 16:23:51

ચારધામ યાત્રાનું હિંદુ ધર્મમાં વિશેષ સ્થાન રહેલું છે. પહેલાનો સમય એવો હતો કે ચારધામની યાત્રા માત્ર ઉંમરલાયક લોકો જ કરતા હતા. પરંતુ ધીમે ધીમે કેદારનાથ જવાનો ક્રેઝ યુવાનોમાં પણ વધી રહ્યો છે. યાત્રાધામ કેદારનાથ યુવાના બકેટલિસ્ટમાં હોય છે. ત્યારે સોશિયલ મીડિયામાં આજકાલ એક વીડિયો ખૂબ વાઇરલ થયો છે જેમાં એક યુવતી કેદારનાથ મંદિર પાસે તેના પ્રેમીને પ્રપોઝ કરી રહી છે. યુવતીનો પ્રેમી તેના પ્રપોઝલને સ્વીકારે છે અને તેઓ તરત જ સગાઇ કરી લે છે.. આ વીડિયો વાયરલ થતા ઇન્ટરનેટ પર યુદ્ધ છેડાઇ ગયું છે.. લોકો આ કપલને સોશિયલ મીડિયા પર વખોડી રહ્યા છે.. અને એવું પણ કહેવાયી રહ્યું છે કે મંદિરોમાં દર્શન કરવા જતી વખતે ફોન જમા કરી દે છે.. 

કેદારનાથ મંદિર સાથે યુવતીએ છોકરાને કર્યો પ્રપોઝ

થોડા વર્ષો પહેલા સુશાંતસિંહ રાજપૂતની ફિલ્મ આવી હતી.  જે બાદ કેદારનાથ ધામની લોકપ્રિયતા યુવાનોમાં પણ વધી ગઈ. ચારધામની યાત્રામાં યુવાનો જઈ રહ્યા છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો હતો જેમાં યુવતી કેદારનાથ મંદિરની સામે છોકરાને પ્રપોઝ કરી રહી છે. ઇન્સ્ટાગ્રામ પર રાઇડર ગર્લ વિશાખા નામથી વિશાખા ફૂલસુંગે નામની એક યુવતીનું એકાઉન્ટ છે. આ એકાઉન્ટ પરથી જ આ વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો. વિશાખા ફૂલસુંગેના ઇન્સ્ટાગ્રામ પર લાખો ફોલોઅર્સ છે. તે પોતે યુ ટ્યુબર છે અને પોતાની ઓળખાણ મોટો વ્લોગર તરીકેની આપે છે.. મોટો વ્લોગર એટલે કે બાઇક પર જ એકલા જ પોતાનો સામાન લઇને નીકળી પડવું અને અલગ અલગ જગ્યાઓની સફર ખેડવી. જેવું તેના એકાઉન્ટનું નામ છે એમ તેણે બાઇક પર અલગ અલગ સ્થળોની મુલાકાત લઇને અવનવા રેકોર્ડ્ઝ પણ બનાવ્યા છે.. જેમકે મુંબઇથી વિશાખાપટનમની સફર બાઇક પર કરવી, નર્મદા પરિક્રમા કરવી. વિશાખાએ જે વીડિયો પોસ્ટ કર્યો છે એમાં જોઈ શકાય છે કે એક કપલ કેદારનાથ ધામ તરફ હાથ જોડીને ઊભું છે. 


વીડિયો વાયરલ થતાં યુઝર્સ આપી રહ્યા છે અનેક પ્રતિક્રિયા

યુવતી કેમેરાવાળા વ્યક્તિને પાછળથી હાથના ઈશારો કરીને બોલાવે છે. કેમેરા વાળો વ્યક્તિ આગળ વધે છે અને ગુપ્ત રીતે છોકરીના હાથમાં રીંગ મૂકે છે. તરત જ છોકરી તેના ઘૂંટણ પર બેસીને તેના પાર્ટનરને પ્રપોઝ કરે છે. તેનો પાર્ટનર પણ આશ્ચર્યચકિત થઈ જાય છે અને છોકરી તેને રીંગ પહેરાવી દે છે. આ પછી બંને એકબીજાને ગળે લગાવે છે.જ્યારથી આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો ત્યારથી લોકો અલગ અલગ રિએક્શન આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે ફરી એકવાર પ્રલય આવવો જોઇએ અને આ પ્રકારના લોકોને દુનિયામાંથી ઉઠાવી લેવા જોઇએ. તો કોઇ યુઝરે લખ્યું કેદારનાથનું સોનું પીત્તળ થઇ ગયું એમાં કોઇનું મોં ન ખૂલ્યું પરંતુ આ કિસ્સામાં સૌ કોઇ બોલી રહ્યા છે.. જો ગુરુદ્વારામાં લગ્ન થતા હોય તો કેદારનાથ ધામમાં ભોલેનાથને સાક્ષી માનીને બંનેએ એકબીજાને આંગળીઓમાં વીંટી પહેરાવી એમાં શું થઇ ગયું..  


મોબાઈલ લઈ જવા પર મૂકાયો પ્રતિબંધ  

એક નજરે એવું પણ લાગે છે કે સોશિયલ મીડિયા પર વાઇરલ થવા માટે લોકો અવનવા ગતકડા અપનાવતા હોય છે.. એટલે આ પણ એક ગતકડાનો ભાગ હોઇ શકે છે.. જો કે આ પહેલા પણ કેદારનાથમાં એક વીડિયો સામે આવ્યો હતો જેમાં એક વ્યક્તિ તેના કૂતરાને લઇને કેદારનાથ ધામ પહોંચી ગયો હતો અને તેણે કેદારનાથ ધામમાં તેમના કૂતરાને ચરણ સ્પર્શ પણ કરાવ્યા હતા. ત્યારે એક સમાચાર પણ સામે આવી રહ્યા છે કે કેદારનાથ મંદિરની અંદર ફોન નહીં લઈ જવાય. ફોન લઈ જવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યું છે.  



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.