બજરંગ પૂનિયાને ગોળી મારવાનું કહેનાર Ex IPS NC અસ્થાના કોણ? પૂનિયાએ આપ્યો વળતો જવાબ


  • Published By :
  • Published Date : 2023-05-29 18:16:36

પહેલવાનોના વિરોધની ચર્ચા ટીવીમાં ઓછી થઈ રહી છે પણ ગઈકાલે પહેલવાનો સાથે જે થયું તેની એક ઘટનાની સોશિયલ મીડિયાની અંદર ખૂબ ચર્ચા થઈ રહી છે. રવિવારે પહેલવાનોના વિરોધ બાદ તેમને રોકવામાં આવ્યા ત્યારે બજરંગ પૂનિયાએ મીડિયાને કહ્યું હતું કે અમને ગોળી મારી દો. જેના જવાબમાં નિવૃત IPSએ લખ્યું, "જરૂરત પડી તો ગોળી પણ મારી દઈશું." જેનો વળતો જવાબ પહેલવાન બજરંગ પૂનિયાએ આપ્યો, "કહી દો ક્યાં આવવાનું છે ગોળી ખાવા." 

ગઈકાલે પહેલવાનોઓ વિરોધ કર્યો ત્યારે બજરંગ પુનિયાએ પોલીસ કાર્યવાહી સામે કહ્યું હતું કે આના કરતા તો ગોળી મારી દો. જેના પર પૂર્વ આપીએસ અધિકારી એનસી અસ્થાનાએ ટ્વીટ કરી છે જેણે વિવાદ ઉભો કરી દીધો છે. વિવાદ પણ થવો સ્વાભાવિક હતો કારણ કે તેમણે પહેલવાનોને ગોળી મારવાની વાત કરી દીધી છે. અહીં સુધી જ તે રોકાયા ના હતા તેમણે તો એવું પણ કહી દીધું હતું કે પહેલવાનોને પોસ્ટમોર્ટમ ટેબલ પર મળીશું... તેમની ટ્વીટ જુઓ 

પહેલવાનો સામે અનેક કલમો હેઠળ થઈ ફરિયાદ 

વિગતવાર વાત કરીએ તો દિલ્લી પોલીસે પહેલવાનો સામે દંગા કરવા, ગેરકાયદેસર રીતે સભા કરવા, સરકારી અધિકારીને સેવા કરતા રોકવા, સરકારી અધિકારીના આદેશનું પાલન ન કરવું, સરકારી અધિકારીને ઘાયલ કરવા સહિતની કલમો હેઠળ ફરિયાદ કરી છે. તો બીજી બાજુ પહેલવાનોનું કહેવું છે કે પહેલવાનો સામે કેસ કરવા દિલ્લી પોલીસને સાત દિવસ લાગે છે પણ અમારી સામે ફરિયાદ કરવામાં પોલીસને સાત કલાક પણ નથી લાગતા. 

કોણ છે પૂર્વ આઈપીએસ એનસી અસ્થાના?

ડોક્ટર એનસી અસ્થાના કેરળના પોલીસ મહાનિદેશક રહી ચૂક્યા છે. તે પહેલા એનસી અસ્થાના બીએસએફ અને સીઆરપીએફમાં એડીજી પદે પણ સેવા આપી ચૂક્યા છે. તેમના ટ્વીટર બાયોમાં જોઈએ તો ખબર પડે છે કે તેમની 51 પુસ્તકો અને 265 રીસર્ચ પેપર અને આર્ટિકલ જાહેર થઈ ગયા છે. અગાઉ પણ તે પોતાની ટ્વીટના લીધે વિવાદમાં આવી ચૂક્યા છે. ગયા વર્ષે જૂનમાં ઉત્તરપ્રદેશમાં હિંસા થયા બાદ એક વીડિયો વાયરલ થયો હત. જેમાં પોલીસ કર્મચારી અમુક લોકોને માર મારતો હતો. ત્યારે એનસી અસ્થાનાએ ટ્વીટ કરી હતી. અત્યંત હી મનોહારી દ્રશ્ય. સુંદર અતી સુંદર. હેકડી એસે હી નિકલતી હૈ. 

પહેલવાનો એક મહિનાથી વધારે સમયથી દિલ્લીના જંતરમંતર પર વિરોધ કરી રહ્યા છે. તેમની માગ છે કે WFIના વડા બૃજભૂષણ શરણ સિંહને હટાવી દેવામાં આવે. કારણ કે તે મહિલા પહેલવાનોનું શારીરિક શોષણ કરી રહ્યા છે. જેની સામે બૃજભૂષણ સિંહ કહી રહ્યા છે કે પહેલવાનો મારા પર ખોટા આક્ષેપો કરી રહ્યા છે. રવિવારે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન હતું તે પહેલા પહેલવાનોએ જાહેરાત કરી હતી કે મહિલા પહેલવાનો મહિલા મહાપંચાયતમાં સામેલ થશે અને નવી પાર્લામેન્ટ હાઉસ સામે બેસીને ધરણા કરશે. જો કે પહેલવાન કૂચ કરે તે પહેલા જ શનિવાર રાતે જ પોલીસનો કાફલો ખડગી દેવામાં આવ્યો હતો અને રવિવારે પોલીસે તેમને રોક્યા હતા ત્યારે ઘર્ષણ થઈ ગયું હતું. જ્યારે બજરંગ પૂનિયાએ કહ્યું હતું કે અમને ગોળી મારી દો. 




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.