બજરંગ પૂનિયાને ગોળી મારવાનું કહેનાર Ex IPS NC અસ્થાના કોણ? પૂનિયાએ આપ્યો વળતો જવાબ


  • Published By :
  • Published Date : 2023-05-29 18:16:36

પહેલવાનોના વિરોધની ચર્ચા ટીવીમાં ઓછી થઈ રહી છે પણ ગઈકાલે પહેલવાનો સાથે જે થયું તેની એક ઘટનાની સોશિયલ મીડિયાની અંદર ખૂબ ચર્ચા થઈ રહી છે. રવિવારે પહેલવાનોના વિરોધ બાદ તેમને રોકવામાં આવ્યા ત્યારે બજરંગ પૂનિયાએ મીડિયાને કહ્યું હતું કે અમને ગોળી મારી દો. જેના જવાબમાં નિવૃત IPSએ લખ્યું, "જરૂરત પડી તો ગોળી પણ મારી દઈશું." જેનો વળતો જવાબ પહેલવાન બજરંગ પૂનિયાએ આપ્યો, "કહી દો ક્યાં આવવાનું છે ગોળી ખાવા." 

ગઈકાલે પહેલવાનોઓ વિરોધ કર્યો ત્યારે બજરંગ પુનિયાએ પોલીસ કાર્યવાહી સામે કહ્યું હતું કે આના કરતા તો ગોળી મારી દો. જેના પર પૂર્વ આપીએસ અધિકારી એનસી અસ્થાનાએ ટ્વીટ કરી છે જેણે વિવાદ ઉભો કરી દીધો છે. વિવાદ પણ થવો સ્વાભાવિક હતો કારણ કે તેમણે પહેલવાનોને ગોળી મારવાની વાત કરી દીધી છે. અહીં સુધી જ તે રોકાયા ના હતા તેમણે તો એવું પણ કહી દીધું હતું કે પહેલવાનોને પોસ્ટમોર્ટમ ટેબલ પર મળીશું... તેમની ટ્વીટ જુઓ 

પહેલવાનો સામે અનેક કલમો હેઠળ થઈ ફરિયાદ 

વિગતવાર વાત કરીએ તો દિલ્લી પોલીસે પહેલવાનો સામે દંગા કરવા, ગેરકાયદેસર રીતે સભા કરવા, સરકારી અધિકારીને સેવા કરતા રોકવા, સરકારી અધિકારીના આદેશનું પાલન ન કરવું, સરકારી અધિકારીને ઘાયલ કરવા સહિતની કલમો હેઠળ ફરિયાદ કરી છે. તો બીજી બાજુ પહેલવાનોનું કહેવું છે કે પહેલવાનો સામે કેસ કરવા દિલ્લી પોલીસને સાત દિવસ લાગે છે પણ અમારી સામે ફરિયાદ કરવામાં પોલીસને સાત કલાક પણ નથી લાગતા. 

કોણ છે પૂર્વ આઈપીએસ એનસી અસ્થાના?

ડોક્ટર એનસી અસ્થાના કેરળના પોલીસ મહાનિદેશક રહી ચૂક્યા છે. તે પહેલા એનસી અસ્થાના બીએસએફ અને સીઆરપીએફમાં એડીજી પદે પણ સેવા આપી ચૂક્યા છે. તેમના ટ્વીટર બાયોમાં જોઈએ તો ખબર પડે છે કે તેમની 51 પુસ્તકો અને 265 રીસર્ચ પેપર અને આર્ટિકલ જાહેર થઈ ગયા છે. અગાઉ પણ તે પોતાની ટ્વીટના લીધે વિવાદમાં આવી ચૂક્યા છે. ગયા વર્ષે જૂનમાં ઉત્તરપ્રદેશમાં હિંસા થયા બાદ એક વીડિયો વાયરલ થયો હત. જેમાં પોલીસ કર્મચારી અમુક લોકોને માર મારતો હતો. ત્યારે એનસી અસ્થાનાએ ટ્વીટ કરી હતી. અત્યંત હી મનોહારી દ્રશ્ય. સુંદર અતી સુંદર. હેકડી એસે હી નિકલતી હૈ. 

પહેલવાનો એક મહિનાથી વધારે સમયથી દિલ્લીના જંતરમંતર પર વિરોધ કરી રહ્યા છે. તેમની માગ છે કે WFIના વડા બૃજભૂષણ શરણ સિંહને હટાવી દેવામાં આવે. કારણ કે તે મહિલા પહેલવાનોનું શારીરિક શોષણ કરી રહ્યા છે. જેની સામે બૃજભૂષણ સિંહ કહી રહ્યા છે કે પહેલવાનો મારા પર ખોટા આક્ષેપો કરી રહ્યા છે. રવિવારે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન હતું તે પહેલા પહેલવાનોએ જાહેરાત કરી હતી કે મહિલા પહેલવાનો મહિલા મહાપંચાયતમાં સામેલ થશે અને નવી પાર્લામેન્ટ હાઉસ સામે બેસીને ધરણા કરશે. જો કે પહેલવાન કૂચ કરે તે પહેલા જ શનિવાર રાતે જ પોલીસનો કાફલો ખડગી દેવામાં આવ્યો હતો અને રવિવારે પોલીસે તેમને રોક્યા હતા ત્યારે ઘર્ષણ થઈ ગયું હતું. જ્યારે બજરંગ પૂનિયાએ કહ્યું હતું કે અમને ગોળી મારી દો. 




હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.