બજરંગ પૂનિયાને ગોળી મારવાનું કહેનાર Ex IPS NC અસ્થાના કોણ? પૂનિયાએ આપ્યો વળતો જવાબ


  • Published By :
  • Published Date : 2023-05-29 18:16:36

પહેલવાનોના વિરોધની ચર્ચા ટીવીમાં ઓછી થઈ રહી છે પણ ગઈકાલે પહેલવાનો સાથે જે થયું તેની એક ઘટનાની સોશિયલ મીડિયાની અંદર ખૂબ ચર્ચા થઈ રહી છે. રવિવારે પહેલવાનોના વિરોધ બાદ તેમને રોકવામાં આવ્યા ત્યારે બજરંગ પૂનિયાએ મીડિયાને કહ્યું હતું કે અમને ગોળી મારી દો. જેના જવાબમાં નિવૃત IPSએ લખ્યું, "જરૂરત પડી તો ગોળી પણ મારી દઈશું." જેનો વળતો જવાબ પહેલવાન બજરંગ પૂનિયાએ આપ્યો, "કહી દો ક્યાં આવવાનું છે ગોળી ખાવા." 

ગઈકાલે પહેલવાનોઓ વિરોધ કર્યો ત્યારે બજરંગ પુનિયાએ પોલીસ કાર્યવાહી સામે કહ્યું હતું કે આના કરતા તો ગોળી મારી દો. જેના પર પૂર્વ આપીએસ અધિકારી એનસી અસ્થાનાએ ટ્વીટ કરી છે જેણે વિવાદ ઉભો કરી દીધો છે. વિવાદ પણ થવો સ્વાભાવિક હતો કારણ કે તેમણે પહેલવાનોને ગોળી મારવાની વાત કરી દીધી છે. અહીં સુધી જ તે રોકાયા ના હતા તેમણે તો એવું પણ કહી દીધું હતું કે પહેલવાનોને પોસ્ટમોર્ટમ ટેબલ પર મળીશું... તેમની ટ્વીટ જુઓ 

પહેલવાનો સામે અનેક કલમો હેઠળ થઈ ફરિયાદ 

વિગતવાર વાત કરીએ તો દિલ્લી પોલીસે પહેલવાનો સામે દંગા કરવા, ગેરકાયદેસર રીતે સભા કરવા, સરકારી અધિકારીને સેવા કરતા રોકવા, સરકારી અધિકારીના આદેશનું પાલન ન કરવું, સરકારી અધિકારીને ઘાયલ કરવા સહિતની કલમો હેઠળ ફરિયાદ કરી છે. તો બીજી બાજુ પહેલવાનોનું કહેવું છે કે પહેલવાનો સામે કેસ કરવા દિલ્લી પોલીસને સાત દિવસ લાગે છે પણ અમારી સામે ફરિયાદ કરવામાં પોલીસને સાત કલાક પણ નથી લાગતા. 

કોણ છે પૂર્વ આઈપીએસ એનસી અસ્થાના?

ડોક્ટર એનસી અસ્થાના કેરળના પોલીસ મહાનિદેશક રહી ચૂક્યા છે. તે પહેલા એનસી અસ્થાના બીએસએફ અને સીઆરપીએફમાં એડીજી પદે પણ સેવા આપી ચૂક્યા છે. તેમના ટ્વીટર બાયોમાં જોઈએ તો ખબર પડે છે કે તેમની 51 પુસ્તકો અને 265 રીસર્ચ પેપર અને આર્ટિકલ જાહેર થઈ ગયા છે. અગાઉ પણ તે પોતાની ટ્વીટના લીધે વિવાદમાં આવી ચૂક્યા છે. ગયા વર્ષે જૂનમાં ઉત્તરપ્રદેશમાં હિંસા થયા બાદ એક વીડિયો વાયરલ થયો હત. જેમાં પોલીસ કર્મચારી અમુક લોકોને માર મારતો હતો. ત્યારે એનસી અસ્થાનાએ ટ્વીટ કરી હતી. અત્યંત હી મનોહારી દ્રશ્ય. સુંદર અતી સુંદર. હેકડી એસે હી નિકલતી હૈ. 

પહેલવાનો એક મહિનાથી વધારે સમયથી દિલ્લીના જંતરમંતર પર વિરોધ કરી રહ્યા છે. તેમની માગ છે કે WFIના વડા બૃજભૂષણ શરણ સિંહને હટાવી દેવામાં આવે. કારણ કે તે મહિલા પહેલવાનોનું શારીરિક શોષણ કરી રહ્યા છે. જેની સામે બૃજભૂષણ સિંહ કહી રહ્યા છે કે પહેલવાનો મારા પર ખોટા આક્ષેપો કરી રહ્યા છે. રવિવારે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન હતું તે પહેલા પહેલવાનોએ જાહેરાત કરી હતી કે મહિલા પહેલવાનો મહિલા મહાપંચાયતમાં સામેલ થશે અને નવી પાર્લામેન્ટ હાઉસ સામે બેસીને ધરણા કરશે. જો કે પહેલવાન કૂચ કરે તે પહેલા જ શનિવાર રાતે જ પોલીસનો કાફલો ખડગી દેવામાં આવ્યો હતો અને રવિવારે પોલીસે તેમને રોક્યા હતા ત્યારે ઘર્ષણ થઈ ગયું હતું. જ્યારે બજરંગ પૂનિયાએ કહ્યું હતું કે અમને ગોળી મારી દો. 




અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.