વધતા કોરોના કેસ વચ્ચે WHOએ કરી અપીલ, જાણો શું કહ્યું WHOએ


  • Published By :
  • Published Date : 2023-01-13 13:39:34

વિશ્વના અનેક દેશોમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. ચીનમાં કોરોનાને કારણે પરિસ્થિતિ ચિંતા જનક થઈ રહી છે. લાખોની સંખ્યામાં લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. ચીન સહિત ભારત, જાપાન, બ્રિટેન જેવા દેશોમાં કોરોનાને કારણે ચિંતા વધી છે. કોરોના સંક્રમણના ભય વચ્ચે લોકો વિદેશ યાત્રા કરી રહ્યા છે. લાંબી મુસાફરી કરતા લોકોને માસ્ક પહેરવાની અપીલ વિશ્વ આરોગ્ય સંગઠન દ્વારા કરવામાં આવી છે.

દેશના 5 રાજ્યોમાં વધ્યા કોરોના કેસ, કેન્દ્રની ચિંતામાં થયો વધારો | Sandesh

વિશ્વના અનેક દેશોમાં વધ્યું કોરોના સંક્રમણ

કોરોના ફરી એક વખત માથું ઉંચકી રહ્યું છે. દુનિયાના અનેક દેશોમાં કોરોનાના નવા કેસો નોંધાઈ રહ્યા છે. ચીનમાં તો કોરોનાને કારણે હાહાકાર ફેલાઈ ગયો છે. લાખોની સંખ્યામાં કોરોના સંક્રમિત લોકો થઈ રહ્યા છે. ઉપરાંત મૃત્યુઆંક પણ સતત વધી રહ્યો છે. ચીનમાં વધતા કોરોના કેસને કારણે વિશ્વના અનેક દેશોમાં કોરોનાને કારણે ચિંતા વઘી છે.


અમેરિકામાં નોંધાઈ રહ્યા છે નવા વેરિઅન્ટના કેસ 

ચીનમાં એક તરફ કોરોના સંક્રમણ વધી રહ્યું છે તો બીજી તરફ ચીન સરકારે પ્રતિબંધો હળવા કરી દીધા છે. ચીને પોતાની બોર્ડર પણ વિદેશીઓ માટે ખોલી દીધી છે. ચીનમાં વધતા કોરોના કેસને કારણે દુનિયાના અનેક દેશોમાં પ્રતિબંધો લગાવી દેવામાં આવ્યા છે. કોરોનાની સાથે સાથે વેરિઅન્ટ XBB 1.5ના કેસમાં પણ વધારો થયો છે. અમેરિકામાં પણ આના કેસ સતત વધી રહ્યા છે. 

કોરોના વાયરસ કોઈ રોગવાહક પ્રજાતિ દ્વારા માણસમાં ફેલાયો છે. - વિશ્વ આરોગ્ય  સંસ્થા

માસ્ક પહેરવા WHOની અપીલ  

વધતા કોરોના સંક્રમણ વચ્ચે વિશ્વ આરોગ્ય સંસ્થા એટલે કે WHOએ લાંબી મુસાફરી કરનાર લોકોને અપીલ કરી છે. યાત્રિકોને યાત્રા દરમિયાન માસ્ક પહેરવાની અપીલ કરવામાં આવી છે. ઉપરાંત કોરોના પ્રોટોકોલને પણ અનુસરવાની સલાહ આપવામાં આવી છે.   



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .