વધતા કોરોના કેસ વચ્ચે WHOએ કરી અપીલ, જાણો શું કહ્યું WHOએ


  • Published By :
  • Published Date : 2023-01-13 13:39:34

વિશ્વના અનેક દેશોમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. ચીનમાં કોરોનાને કારણે પરિસ્થિતિ ચિંતા જનક થઈ રહી છે. લાખોની સંખ્યામાં લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. ચીન સહિત ભારત, જાપાન, બ્રિટેન જેવા દેશોમાં કોરોનાને કારણે ચિંતા વધી છે. કોરોના સંક્રમણના ભય વચ્ચે લોકો વિદેશ યાત્રા કરી રહ્યા છે. લાંબી મુસાફરી કરતા લોકોને માસ્ક પહેરવાની અપીલ વિશ્વ આરોગ્ય સંગઠન દ્વારા કરવામાં આવી છે.

દેશના 5 રાજ્યોમાં વધ્યા કોરોના કેસ, કેન્દ્રની ચિંતામાં થયો વધારો | Sandesh

વિશ્વના અનેક દેશોમાં વધ્યું કોરોના સંક્રમણ

કોરોના ફરી એક વખત માથું ઉંચકી રહ્યું છે. દુનિયાના અનેક દેશોમાં કોરોનાના નવા કેસો નોંધાઈ રહ્યા છે. ચીનમાં તો કોરોનાને કારણે હાહાકાર ફેલાઈ ગયો છે. લાખોની સંખ્યામાં કોરોના સંક્રમિત લોકો થઈ રહ્યા છે. ઉપરાંત મૃત્યુઆંક પણ સતત વધી રહ્યો છે. ચીનમાં વધતા કોરોના કેસને કારણે વિશ્વના અનેક દેશોમાં કોરોનાને કારણે ચિંતા વઘી છે.


અમેરિકામાં નોંધાઈ રહ્યા છે નવા વેરિઅન્ટના કેસ 

ચીનમાં એક તરફ કોરોના સંક્રમણ વધી રહ્યું છે તો બીજી તરફ ચીન સરકારે પ્રતિબંધો હળવા કરી દીધા છે. ચીને પોતાની બોર્ડર પણ વિદેશીઓ માટે ખોલી દીધી છે. ચીનમાં વધતા કોરોના કેસને કારણે દુનિયાના અનેક દેશોમાં પ્રતિબંધો લગાવી દેવામાં આવ્યા છે. કોરોનાની સાથે સાથે વેરિઅન્ટ XBB 1.5ના કેસમાં પણ વધારો થયો છે. અમેરિકામાં પણ આના કેસ સતત વધી રહ્યા છે. 

કોરોના વાયરસ કોઈ રોગવાહક પ્રજાતિ દ્વારા માણસમાં ફેલાયો છે. - વિશ્વ આરોગ્ય  સંસ્થા

માસ્ક પહેરવા WHOની અપીલ  

વધતા કોરોના સંક્રમણ વચ્ચે વિશ્વ આરોગ્ય સંસ્થા એટલે કે WHOએ લાંબી મુસાફરી કરનાર લોકોને અપીલ કરી છે. યાત્રિકોને યાત્રા દરમિયાન માસ્ક પહેરવાની અપીલ કરવામાં આવી છે. ઉપરાંત કોરોના પ્રોટોકોલને પણ અનુસરવાની સલાહ આપવામાં આવી છે.   



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.