વધતા કોરોના કેસ વચ્ચે WHOએ કરી અપીલ, જાણો શું કહ્યું WHOએ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-01-13 13:39:34

વિશ્વના અનેક દેશોમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. ચીનમાં કોરોનાને કારણે પરિસ્થિતિ ચિંતા જનક થઈ રહી છે. લાખોની સંખ્યામાં લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. ચીન સહિત ભારત, જાપાન, બ્રિટેન જેવા દેશોમાં કોરોનાને કારણે ચિંતા વધી છે. કોરોના સંક્રમણના ભય વચ્ચે લોકો વિદેશ યાત્રા કરી રહ્યા છે. લાંબી મુસાફરી કરતા લોકોને માસ્ક પહેરવાની અપીલ વિશ્વ આરોગ્ય સંગઠન દ્વારા કરવામાં આવી છે.

દેશના 5 રાજ્યોમાં વધ્યા કોરોના કેસ, કેન્દ્રની ચિંતામાં થયો વધારો | Sandesh

વિશ્વના અનેક દેશોમાં વધ્યું કોરોના સંક્રમણ

કોરોના ફરી એક વખત માથું ઉંચકી રહ્યું છે. દુનિયાના અનેક દેશોમાં કોરોનાના નવા કેસો નોંધાઈ રહ્યા છે. ચીનમાં તો કોરોનાને કારણે હાહાકાર ફેલાઈ ગયો છે. લાખોની સંખ્યામાં કોરોના સંક્રમિત લોકો થઈ રહ્યા છે. ઉપરાંત મૃત્યુઆંક પણ સતત વધી રહ્યો છે. ચીનમાં વધતા કોરોના કેસને કારણે વિશ્વના અનેક દેશોમાં કોરોનાને કારણે ચિંતા વઘી છે.


અમેરિકામાં નોંધાઈ રહ્યા છે નવા વેરિઅન્ટના કેસ 

ચીનમાં એક તરફ કોરોના સંક્રમણ વધી રહ્યું છે તો બીજી તરફ ચીન સરકારે પ્રતિબંધો હળવા કરી દીધા છે. ચીને પોતાની બોર્ડર પણ વિદેશીઓ માટે ખોલી દીધી છે. ચીનમાં વધતા કોરોના કેસને કારણે દુનિયાના અનેક દેશોમાં પ્રતિબંધો લગાવી દેવામાં આવ્યા છે. કોરોનાની સાથે સાથે વેરિઅન્ટ XBB 1.5ના કેસમાં પણ વધારો થયો છે. અમેરિકામાં પણ આના કેસ સતત વધી રહ્યા છે. 

કોરોના વાયરસ કોઈ રોગવાહક પ્રજાતિ દ્વારા માણસમાં ફેલાયો છે. - વિશ્વ આરોગ્ય  સંસ્થા

માસ્ક પહેરવા WHOની અપીલ  

વધતા કોરોના સંક્રમણ વચ્ચે વિશ્વ આરોગ્ય સંસ્થા એટલે કે WHOએ લાંબી મુસાફરી કરનાર લોકોને અપીલ કરી છે. યાત્રિકોને યાત્રા દરમિયાન માસ્ક પહેરવાની અપીલ કરવામાં આવી છે. ઉપરાંત કોરોના પ્રોટોકોલને પણ અનુસરવાની સલાહ આપવામાં આવી છે.   



નિલેશ કુંભાણી અચાનક જ ગાયબ થઇ ગયા હતા. જો કે ગુજરાતમાં ચૂંટણી પુરી થઇ ગઇ છે અને રાજકીય માહોલ થોડો શાંત થઇ ગયો છે પણ છેલ્લા 22 દિવસથી હજું પણ નિલેશ કુંભાણી લાપતા છે. ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના નેતાએ સોશિયલ મીડિયામાં આડકતરી રીતે કુંભાણીનું નામ લીધા વગર પોસ્ટ કરી છે.

વીજળીના કડાકા ભડાકા સાથે અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થશે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે.. મહત્વનું છે કે આકરી ગરમી પડવાને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગરમીથી ક્યારે રાહત મળશે તેવા પ્રશ્નો લોકોને થઈ રહ્યા છે..

ગુજરાતમાં લોકસભા ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે.. ચૂંટણી દરમિયાન અનેક બેઠકો એવી હતી જેની ચર્ચા થતી રહેતી હતી અવાર નવાર.. તેમાંની એક બેઠક છે ભરૂચ લોકસભા બેઠક.. ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને ટિકીટ આપવામાં આવી હતી અને ભાજપે મનસુખ વસાવાને રિપીટ કર્યા છે..

ભાજપમાં જાણે કોંગ્રેસીકરણ થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે... ભાજપમાં થઈ રહેલા કોંગ્રેસીકરણને કારણે ભાજપમાં અંદરોઅંદર ડખા શરૂ થઈ ગયા હોય તેવું લાગે છે.. ભાજપના નેતમાં નારાજગી જોવા મળી રહી છે...નારણ કાછડિયા જાણે પક્ષથી નારાજ હોય તેવું લાગી રહ્યું છે