વધતા કોરોના કેસ વચ્ચે WHOએ કરી અપીલ, જાણો શું કહ્યું WHOએ


  • Published By :
  • Published Date : 2023-01-13 13:39:34

વિશ્વના અનેક દેશોમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. ચીનમાં કોરોનાને કારણે પરિસ્થિતિ ચિંતા જનક થઈ રહી છે. લાખોની સંખ્યામાં લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. ચીન સહિત ભારત, જાપાન, બ્રિટેન જેવા દેશોમાં કોરોનાને કારણે ચિંતા વધી છે. કોરોના સંક્રમણના ભય વચ્ચે લોકો વિદેશ યાત્રા કરી રહ્યા છે. લાંબી મુસાફરી કરતા લોકોને માસ્ક પહેરવાની અપીલ વિશ્વ આરોગ્ય સંગઠન દ્વારા કરવામાં આવી છે.

દેશના 5 રાજ્યોમાં વધ્યા કોરોના કેસ, કેન્દ્રની ચિંતામાં થયો વધારો | Sandesh

વિશ્વના અનેક દેશોમાં વધ્યું કોરોના સંક્રમણ

કોરોના ફરી એક વખત માથું ઉંચકી રહ્યું છે. દુનિયાના અનેક દેશોમાં કોરોનાના નવા કેસો નોંધાઈ રહ્યા છે. ચીનમાં તો કોરોનાને કારણે હાહાકાર ફેલાઈ ગયો છે. લાખોની સંખ્યામાં કોરોના સંક્રમિત લોકો થઈ રહ્યા છે. ઉપરાંત મૃત્યુઆંક પણ સતત વધી રહ્યો છે. ચીનમાં વધતા કોરોના કેસને કારણે વિશ્વના અનેક દેશોમાં કોરોનાને કારણે ચિંતા વઘી છે.


અમેરિકામાં નોંધાઈ રહ્યા છે નવા વેરિઅન્ટના કેસ 

ચીનમાં એક તરફ કોરોના સંક્રમણ વધી રહ્યું છે તો બીજી તરફ ચીન સરકારે પ્રતિબંધો હળવા કરી દીધા છે. ચીને પોતાની બોર્ડર પણ વિદેશીઓ માટે ખોલી દીધી છે. ચીનમાં વધતા કોરોના કેસને કારણે દુનિયાના અનેક દેશોમાં પ્રતિબંધો લગાવી દેવામાં આવ્યા છે. કોરોનાની સાથે સાથે વેરિઅન્ટ XBB 1.5ના કેસમાં પણ વધારો થયો છે. અમેરિકામાં પણ આના કેસ સતત વધી રહ્યા છે. 

કોરોના વાયરસ કોઈ રોગવાહક પ્રજાતિ દ્વારા માણસમાં ફેલાયો છે. - વિશ્વ આરોગ્ય  સંસ્થા

માસ્ક પહેરવા WHOની અપીલ  

વધતા કોરોના સંક્રમણ વચ્ચે વિશ્વ આરોગ્ય સંસ્થા એટલે કે WHOએ લાંબી મુસાફરી કરનાર લોકોને અપીલ કરી છે. યાત્રિકોને યાત્રા દરમિયાન માસ્ક પહેરવાની અપીલ કરવામાં આવી છે. ઉપરાંત કોરોના પ્રોટોકોલને પણ અનુસરવાની સલાહ આપવામાં આવી છે.   



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.