કોરોના અંગે લાપરવાહ ન બનવા WHOની અપિલ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-12 13:39:06

વૈશ્વિક મહામારી કોરોનાને કારણે વિશ્વભરમાં કરોડો લોકોએ જીવ ગુમાવ્યા છે. કોરોનાની દહેશત થોડી ઓછી થઈ રહી છે પરંતુ કોરોના સંપૂર્ણ રીતે ખતમ નથી થયો. કોરોના મહામારીને લઈ વૈશ્વિક સ્વાસ્થ્ય સંગઠના પ્રમુખે ચેતવણી આપતા કહ્યું કે વૈશ્વિક સ્તર પર દર સેકેન્ડે 44 લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે.

 

WHOએ આપી ચેતવણી

કોરોના મહામારીએ અનેક પરિવારને વેરવિખેર કરી નાખ્યા છે. લગભગ અનેક પરિવારના સભ્યોએ પોતાના પરિવાર જનોને ગુમાવ્યા છે. કોરોના કહેર શાંત થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું હતું પણ તે બધા વચ્ચે વૈશ્વિક સ્વાસ્થય સંગઠને સાવચેતી રાખવા અપીલ કરી છે. મોતનો આંકડો પ્રતિદિન વધી રહ્યો છે. વૈશ્વિક સ્તર પર દર સેકેન્ડમાં 44 લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે.

WHO | World Health Organization 

WHO બનાવશે રણનીતિ

કોરોનાની ગતિ ધીમી પડી છે પરંતુ કોરોના વાયરસ ખતમ ક્યારે થશે તેની ખાતરી કોઈ નહીં આપી શકે. આવતા સપ્તાહમાં WHO 6 સંક્ષિપ્ત નીતિનું એક સેટ પ્રકાશિત કરશે, જેમાંથી આવશ્ક કાર્યવાહીઓને રેખાંકિત કરવામાં આવશે. WHO પ્રમુખે કહ્યું કે, અમને આશા છે કે, દેશ આ સંક્ષિપ્ત વિવરણોનો ઉપયોગ સૌથી અધિક જોખમ વાળા લોકોની રક્ષા કરવા માટે કરશે. મંકીપોક્સ પર તેમણે કહ્યું કે, WHO યુરોપમાં સતત ઘટાડો જોઇ રહ્યું છે.

દરેક વ્યક્તિએ પાળવી જોઈએ કોરોના ગાઈડલાઈન્સ

ભારતમાં કોરોના સંક્રમણ ઓછુ થતા લોકો બેપરવાહ બની ગયા છે. કોરોનાની ગાઈડલાઈન્સનું પણ પાલન નથી કરી રહ્યા. જેને કારણે આવનાર સમયમાં કોરોના ફરી ઉઠલો મારી શકે છે. ત્યારે લોકોએ પોતાની જવાબદારી સમજી કોરોનાના નિયમોનું પાલન કરે.



ગુજરાતની પાંચ બેઠકો પર પેટા ચૂંટણી થવાની છે... ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું છે અને જેને કારણે ત્યાં પેટા ચૂંટણી થવાની છે. ત્યારે પોરબંદર લોકસભા બેઠકના મતદાતાઓ શું વિચારે છે તે જાણવા જમાવટની ઈલેક્શન યાત્રા પોરબંદર પહોંચી હતી.

દિશાહિન શ્રદ્ધા માણસોને ડૂબાડે છે... શ્રદ્ધા હોવી જોઈએ પરંતુ અનેક વખત માણસ શ્રદ્ધામાં વહી જાય છે. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના જેમાં દિશાહીન શ્રદ્ધાની વાત કરવામાં આવી છે.

પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલા વિવાદને શાંત કરવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. હર્ષ સંઘવીએ અનેક જગ્યાઓ પર બેઠક કરી છે ભાજપના ક્ષત્રિય આગેવાનો સાથે. ત્યારે સુરતમાં સી.આર.પાટીલે દક્ષિણ ગુજરાતના ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક કરી છે.

જમાવટની ટીમે અમદાવાદ પશ્ચિમના ઉમેદવાર ભરત મકવાણા અને દિનેશ મકવાણાને તેમના વિઝન જાણવા માટે ફોન કર્યો હતો. ભાજપના ઉમેદવારે જવાબ ના આપ્યો જ્યારે ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવારે કહ્યું કે શિક્ષા. આરોગ્ય જેવી વસ્તુઓ પર તે ધ્યાન આપશે.