કોરોના અંગે લાપરવાહ ન બનવા WHOની અપિલ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-12 13:39:06

વૈશ્વિક મહામારી કોરોનાને કારણે વિશ્વભરમાં કરોડો લોકોએ જીવ ગુમાવ્યા છે. કોરોનાની દહેશત થોડી ઓછી થઈ રહી છે પરંતુ કોરોના સંપૂર્ણ રીતે ખતમ નથી થયો. કોરોના મહામારીને લઈ વૈશ્વિક સ્વાસ્થ્ય સંગઠના પ્રમુખે ચેતવણી આપતા કહ્યું કે વૈશ્વિક સ્તર પર દર સેકેન્ડે 44 લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે.

 

WHOએ આપી ચેતવણી

કોરોના મહામારીએ અનેક પરિવારને વેરવિખેર કરી નાખ્યા છે. લગભગ અનેક પરિવારના સભ્યોએ પોતાના પરિવાર જનોને ગુમાવ્યા છે. કોરોના કહેર શાંત થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું હતું પણ તે બધા વચ્ચે વૈશ્વિક સ્વાસ્થય સંગઠને સાવચેતી રાખવા અપીલ કરી છે. મોતનો આંકડો પ્રતિદિન વધી રહ્યો છે. વૈશ્વિક સ્તર પર દર સેકેન્ડમાં 44 લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે.

WHO | World Health Organization 

WHO બનાવશે રણનીતિ

કોરોનાની ગતિ ધીમી પડી છે પરંતુ કોરોના વાયરસ ખતમ ક્યારે થશે તેની ખાતરી કોઈ નહીં આપી શકે. આવતા સપ્તાહમાં WHO 6 સંક્ષિપ્ત નીતિનું એક સેટ પ્રકાશિત કરશે, જેમાંથી આવશ્ક કાર્યવાહીઓને રેખાંકિત કરવામાં આવશે. WHO પ્રમુખે કહ્યું કે, અમને આશા છે કે, દેશ આ સંક્ષિપ્ત વિવરણોનો ઉપયોગ સૌથી અધિક જોખમ વાળા લોકોની રક્ષા કરવા માટે કરશે. મંકીપોક્સ પર તેમણે કહ્યું કે, WHO યુરોપમાં સતત ઘટાડો જોઇ રહ્યું છે.

દરેક વ્યક્તિએ પાળવી જોઈએ કોરોના ગાઈડલાઈન્સ

ભારતમાં કોરોના સંક્રમણ ઓછુ થતા લોકો બેપરવાહ બની ગયા છે. કોરોનાની ગાઈડલાઈન્સનું પણ પાલન નથી કરી રહ્યા. જેને કારણે આવનાર સમયમાં કોરોના ફરી ઉઠલો મારી શકે છે. ત્યારે લોકોએ પોતાની જવાબદારી સમજી કોરોનાના નિયમોનું પાલન કરે.



ઉત્તર ગુજરાતમાં આજકાલ એક અસામાજિક તત્વનું નામ ખુબ ચર્ચામાં છે તે છે , ભાવેશ રબારી. આ એજ ભાવેશ રબારી છે કે જેના રામાધણી નામના ફાર્મ હાઉસ પર પોલીસ પર ૧૮ જેટલા અસામાજિક તત્વોએ પોલીસ પર હુમલો કર્યો હતો. ત્યારબાદ , આ ૧૮ જેટલા અસામાજિક તત્વોનો વરઘોડો ચાણસ્માના બજારમાં કાઢવામાં આવ્યો હતો. આ પછી , ભાવેશ રબારીના ફાર્મ હાઉસ પર બુલડોઝર ફેરવી નાખવામાં આવે છે. આજે ભાવેશ રબારી અને તેના સાગરીતોની સામે નવી ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

આપણી બંધારણીય સંસ્થા ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન એટલેકે , GPSCને ગુજરાતની વડી અદાલત દ્વારા વેધક ટિપ્પણીઓ કરવામાં આવી છે. જેમાં ગુજરાત હાઇકોર્ટે GPSCને આપખુદ ગણાવી છે. આ ઉપરાંત, GPSCના પેપર સેંટરને લઇને ફરી સવાલ ઉભા થયા છે. હવે હાઇકોર્ટે GPSCને પેપર સેંટરના નામ પણ ડિસ્કલોઝ કરવાનો આદેશ આપ્યો છે.

વિશ્વ યુદ્ધના ભયંકર સંકટ વચ્ચેથી પસાર થઈ રહ્યું છે. અનેક માણસો જે શિપ પર પોતાના કામ માટે સવાર થઈને નીકળ્યા હતા એમના મૃત્યુના સમાચાર છે. સનકી નેતાઓનું દુનિયાભરમાં ફેલાતુ શાસન માણસ જાતના અસ્તિત્વ સામે પડકાર બનીને ઉભુ છે. ગુજરાત જેવુ વૈશ્વિક રાજ્ય આની અસરથી બાકાત નથી. સામાન્ય માણસ જેની પાસે ગેસનું પાઈપ કનેક્શન નથી એ તો એજન્સીને કોલ કરીને બુક કરેલો ગેસનો બાટલો નથી મળતો તો એની લાઈનમાં લાગે છે. મોરબીથી માંડીને મહેસાણાના કારખાના બંધ છે. અનેક એક્સપોર્ટ ઉદ્યોગને અસર થઈ છે. ટુંકમાં મુદ્દા પર આવુ તો ચિંતા કરવા માટે, ચર્ચા કરવા માટે અનેક વિષયો છે.. પણ આપણે ધ ગ્રેટ ગુજરાતી સમાજો… આપણી ચર્ચાનો મુખ્ય મુદ્દો શું છે? છોકરીએ લગ્ન ક્યાં કરવા તે.

ગોંડલમાં આમ આદમી પાર્ટીના નેતા જિગીષા પટેલ પર હુમલો થયો હતો જેના કારણે , ત્યાંના રાજકીય વાતાવરણમાં ગરમાવો આવી ગયો હતો. આ પછી ગોંડલની પોલીસ દ્વારા જિગીષા પટેલ પર હુમલો કરનાર બે મહિલાની ધરપકડ કરવામાં આવી છે . આ ઉપરાંત , પોલીસ દ્વારા અન્ય આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.