કોરોના અંગે લાપરવાહ ન બનવા WHOની અપિલ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-12 13:39:06

વૈશ્વિક મહામારી કોરોનાને કારણે વિશ્વભરમાં કરોડો લોકોએ જીવ ગુમાવ્યા છે. કોરોનાની દહેશત થોડી ઓછી થઈ રહી છે પરંતુ કોરોના સંપૂર્ણ રીતે ખતમ નથી થયો. કોરોના મહામારીને લઈ વૈશ્વિક સ્વાસ્થ્ય સંગઠના પ્રમુખે ચેતવણી આપતા કહ્યું કે વૈશ્વિક સ્તર પર દર સેકેન્ડે 44 લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે.

 

WHOએ આપી ચેતવણી

કોરોના મહામારીએ અનેક પરિવારને વેરવિખેર કરી નાખ્યા છે. લગભગ અનેક પરિવારના સભ્યોએ પોતાના પરિવાર જનોને ગુમાવ્યા છે. કોરોના કહેર શાંત થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું હતું પણ તે બધા વચ્ચે વૈશ્વિક સ્વાસ્થય સંગઠને સાવચેતી રાખવા અપીલ કરી છે. મોતનો આંકડો પ્રતિદિન વધી રહ્યો છે. વૈશ્વિક સ્તર પર દર સેકેન્ડમાં 44 લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે.

WHO | World Health Organization 

WHO બનાવશે રણનીતિ

કોરોનાની ગતિ ધીમી પડી છે પરંતુ કોરોના વાયરસ ખતમ ક્યારે થશે તેની ખાતરી કોઈ નહીં આપી શકે. આવતા સપ્તાહમાં WHO 6 સંક્ષિપ્ત નીતિનું એક સેટ પ્રકાશિત કરશે, જેમાંથી આવશ્ક કાર્યવાહીઓને રેખાંકિત કરવામાં આવશે. WHO પ્રમુખે કહ્યું કે, અમને આશા છે કે, દેશ આ સંક્ષિપ્ત વિવરણોનો ઉપયોગ સૌથી અધિક જોખમ વાળા લોકોની રક્ષા કરવા માટે કરશે. મંકીપોક્સ પર તેમણે કહ્યું કે, WHO યુરોપમાં સતત ઘટાડો જોઇ રહ્યું છે.

દરેક વ્યક્તિએ પાળવી જોઈએ કોરોના ગાઈડલાઈન્સ

ભારતમાં કોરોના સંક્રમણ ઓછુ થતા લોકો બેપરવાહ બની ગયા છે. કોરોનાની ગાઈડલાઈન્સનું પણ પાલન નથી કરી રહ્યા. જેને કારણે આવનાર સમયમાં કોરોના ફરી ઉઠલો મારી શકે છે. ત્યારે લોકોએ પોતાની જવાબદારી સમજી કોરોનાના નિયમોનું પાલન કરે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.