કોરોના અંગે લાપરવાહ ન બનવા WHOની અપિલ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-12 13:39:06

વૈશ્વિક મહામારી કોરોનાને કારણે વિશ્વભરમાં કરોડો લોકોએ જીવ ગુમાવ્યા છે. કોરોનાની દહેશત થોડી ઓછી થઈ રહી છે પરંતુ કોરોના સંપૂર્ણ રીતે ખતમ નથી થયો. કોરોના મહામારીને લઈ વૈશ્વિક સ્વાસ્થ્ય સંગઠના પ્રમુખે ચેતવણી આપતા કહ્યું કે વૈશ્વિક સ્તર પર દર સેકેન્ડે 44 લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે.

 

WHOએ આપી ચેતવણી

કોરોના મહામારીએ અનેક પરિવારને વેરવિખેર કરી નાખ્યા છે. લગભગ અનેક પરિવારના સભ્યોએ પોતાના પરિવાર જનોને ગુમાવ્યા છે. કોરોના કહેર શાંત થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું હતું પણ તે બધા વચ્ચે વૈશ્વિક સ્વાસ્થય સંગઠને સાવચેતી રાખવા અપીલ કરી છે. મોતનો આંકડો પ્રતિદિન વધી રહ્યો છે. વૈશ્વિક સ્તર પર દર સેકેન્ડમાં 44 લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે.

WHO | World Health Organization 

WHO બનાવશે રણનીતિ

કોરોનાની ગતિ ધીમી પડી છે પરંતુ કોરોના વાયરસ ખતમ ક્યારે થશે તેની ખાતરી કોઈ નહીં આપી શકે. આવતા સપ્તાહમાં WHO 6 સંક્ષિપ્ત નીતિનું એક સેટ પ્રકાશિત કરશે, જેમાંથી આવશ્ક કાર્યવાહીઓને રેખાંકિત કરવામાં આવશે. WHO પ્રમુખે કહ્યું કે, અમને આશા છે કે, દેશ આ સંક્ષિપ્ત વિવરણોનો ઉપયોગ સૌથી અધિક જોખમ વાળા લોકોની રક્ષા કરવા માટે કરશે. મંકીપોક્સ પર તેમણે કહ્યું કે, WHO યુરોપમાં સતત ઘટાડો જોઇ રહ્યું છે.

દરેક વ્યક્તિએ પાળવી જોઈએ કોરોના ગાઈડલાઈન્સ

ભારતમાં કોરોના સંક્રમણ ઓછુ થતા લોકો બેપરવાહ બની ગયા છે. કોરોનાની ગાઈડલાઈન્સનું પણ પાલન નથી કરી રહ્યા. જેને કારણે આવનાર સમયમાં કોરોના ફરી ઉઠલો મારી શકે છે. ત્યારે લોકોએ પોતાની જવાબદારી સમજી કોરોનાના નિયમોનું પાલન કરે.



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.