અનુપમ ખેરને શા માટે કરવી પડી રીક્ષામાં મુસાફરી? સોશિયલ મીડિયા પર અભિનેતાએ પોસ્ટ કર્યો વીડિયો


  • Published By :
  • Published Date : 2023-02-06 17:12:44

આવનાર દિવસોમાં બોલિવુડના દિગ્ગજ અભિનેતા અનુપમ ખેર પોતાની આવનારી ફિલ્મ શિવ શાસ્ત્રી બલબોઆને લઈ ચર્ચામાં છે. પોતાના અલગ અલગ અવતારને કારણે તેમની ચર્ચાઓ થતી રહે છે.  સોશિયલ મીડિયા પર તેમણે એક વીડિયો શેર કર્યો હતો જેમાં તેઓ એકદમ અલગ અંદાજમાં જોવા મળ્યા હતા. પોતાને પૂરી રીતના ટ્રાન્સફોર્મ કરી લીધું છે. રવિવારના રોજ તેમની ફિલ્મનું સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અનુપમ ખેર પોતાની ગાડીમાં નહીં પરંતુ ઓટો રીક્ષામાં સવાર થઈ સ્થળ પર પહોંચ્યા હતા. આ દ્રશ્યો જોઈ બધા અચંબિત થઈ ગયા હતા. અભિનેતાએ આ વીડિયો શેર કર્યો છે.

  

ઈવેન્ટ સ્થળ પર રીક્ષામાં પહોંચ્યા અનુપમ ખેર 

મુંબઈ ખાતે શિવ શાસ્ત્રી બલબોઆ ફિલ્મનું સ્પેશીયલ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. સ્ક્રીનિંગ દરમિયાન અભિનેતાઓ અલગ અલગ રીતે સ્થળ પર પહોંચતા હોય છે. ત્યારે અનુપમ ખેર રીક્ષામાં આવ્યા હતા. જાણીને નવાઈ લાગી હશે ને કે આટલો મોટો અભિનેતા રીક્ષામાં શું કામ આવ્યા. મળતી માહિતી અનુસાર તેમને તેમના ડ્રાઈવરે ખોટી જગ્યાએ પહોંચાડી દીધા હતા અને ઈવેન્ટ પર તેમને સમયસર પહોંચવું હતું જેને લઈ તેઓ રીક્ષામાં આવ્યા હતા. અભિનેતાએ આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો જેમાં તેઓ ઓટોમાંથી ઉતરતા દેખાતા હતા.    

  शिव शास्त्री बलबोआ

10 ફેબ્રુઆરીના રોજ ફિલ્મ થશે રિલીઝ   

વીડિયો શેર કરતા તેમણે લખ્યું કે કઈ પણ થઈ શકે છે. કાલે દિલ્હીમાં મારી ફિલ્મ શિવ શાસ્ત્રી બલબોઓની સ્પેશિયલ સ્ક્રીનિંગ થઈ રહી હતી. ડ્રાઈવરે મને ખોટી જગ્યા પર ઉતારી દીધો હતો. મારે સૂટ-બૂટમાં ઓટોમાં જવું પડ્યું હતું. જમીન પર ઉતરીને બહુ મજા આવી. આ ફિલ્મમાં અનુપમ ખેરની સાથે સાથે નીના ગુપ્તા, જુગલ હંસરાજ, નરગિસ ફાખરી અને શારિબ હાશમી મુખ્યભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ 10 ફેબ્રુઆરીએ રિલીઝ થવાની છે.    




ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી