અનુપમ ખેરને શા માટે કરવી પડી રીક્ષામાં મુસાફરી? સોશિયલ મીડિયા પર અભિનેતાએ પોસ્ટ કર્યો વીડિયો


  • Published By :
  • Published Date : 2023-02-06 17:12:44

આવનાર દિવસોમાં બોલિવુડના દિગ્ગજ અભિનેતા અનુપમ ખેર પોતાની આવનારી ફિલ્મ શિવ શાસ્ત્રી બલબોઆને લઈ ચર્ચામાં છે. પોતાના અલગ અલગ અવતારને કારણે તેમની ચર્ચાઓ થતી રહે છે.  સોશિયલ મીડિયા પર તેમણે એક વીડિયો શેર કર્યો હતો જેમાં તેઓ એકદમ અલગ અંદાજમાં જોવા મળ્યા હતા. પોતાને પૂરી રીતના ટ્રાન્સફોર્મ કરી લીધું છે. રવિવારના રોજ તેમની ફિલ્મનું સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અનુપમ ખેર પોતાની ગાડીમાં નહીં પરંતુ ઓટો રીક્ષામાં સવાર થઈ સ્થળ પર પહોંચ્યા હતા. આ દ્રશ્યો જોઈ બધા અચંબિત થઈ ગયા હતા. અભિનેતાએ આ વીડિયો શેર કર્યો છે.

  

ઈવેન્ટ સ્થળ પર રીક્ષામાં પહોંચ્યા અનુપમ ખેર 

મુંબઈ ખાતે શિવ શાસ્ત્રી બલબોઆ ફિલ્મનું સ્પેશીયલ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. સ્ક્રીનિંગ દરમિયાન અભિનેતાઓ અલગ અલગ રીતે સ્થળ પર પહોંચતા હોય છે. ત્યારે અનુપમ ખેર રીક્ષામાં આવ્યા હતા. જાણીને નવાઈ લાગી હશે ને કે આટલો મોટો અભિનેતા રીક્ષામાં શું કામ આવ્યા. મળતી માહિતી અનુસાર તેમને તેમના ડ્રાઈવરે ખોટી જગ્યાએ પહોંચાડી દીધા હતા અને ઈવેન્ટ પર તેમને સમયસર પહોંચવું હતું જેને લઈ તેઓ રીક્ષામાં આવ્યા હતા. અભિનેતાએ આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો જેમાં તેઓ ઓટોમાંથી ઉતરતા દેખાતા હતા.    

  शिव शास्त्री बलबोआ

10 ફેબ્રુઆરીના રોજ ફિલ્મ થશે રિલીઝ   

વીડિયો શેર કરતા તેમણે લખ્યું કે કઈ પણ થઈ શકે છે. કાલે દિલ્હીમાં મારી ફિલ્મ શિવ શાસ્ત્રી બલબોઓની સ્પેશિયલ સ્ક્રીનિંગ થઈ રહી હતી. ડ્રાઈવરે મને ખોટી જગ્યા પર ઉતારી દીધો હતો. મારે સૂટ-બૂટમાં ઓટોમાં જવું પડ્યું હતું. જમીન પર ઉતરીને બહુ મજા આવી. આ ફિલ્મમાં અનુપમ ખેરની સાથે સાથે નીના ગુપ્તા, જુગલ હંસરાજ, નરગિસ ફાખરી અને શારિબ હાશમી મુખ્યભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ 10 ફેબ્રુઆરીએ રિલીઝ થવાની છે.    




રાજકોટમાં આવેલી આજી નદી પર રિવરફ્રન્ટ બનાવવાનો રસ્તો હવે સાફ થઇ ચુક્યો છે. કેમ કે , જંગલેશ્વર વિસ્તારમાં અંદાજે ૪૦૦ કરોડ રૂપિયાની કિંમતની સરકારી જમીન પર ખડકાયેલા ૧૩૫૮ જેટલા મકાનોને દૂર કરવામાં આવશે. આ માટે ગુજરાતના મહેસુલી પંચ દ્વારા સ્થાનિક દબાણકારોની અપીલને રદ કરતો ચુકાદો આપી દેવામાં આવ્યો છે. આ ચુકાદા પછી , ટૂંક સમયમાં જ જંગલેશ્વરમાં ફરી એકવાર ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

" આજે ઈરાન માટે ખુબ મોટો દિવસ છે કેમ કે , ઈરાન પર ખુબ ઘાતક હુમલો કરવામાં આવ્યો છે. " આ શબ્દો છે , અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ. આ એજ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ છે કે જેઓ , અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણીઓના પ્રચાર દરમ્યાન , અમેરિકાને કોઈ પણ નવા યુદ્ધમાં ના ઝોંકવાની કસમ ખાતા હતા અને આજે તેઓ , તેમના બીજા કાર્યકાળના શરુ થયે માત્ર ૧૩ મહિનાની અંદર , ઈરાન પર ખુબ ભારે બોમ્બમારો કરાવી રહ્યા છે. આવનારા , સમયમાં અમેરિકા જમીની સ્તરે ઈરાન પર આક્રમણ કરી શકે છે. તો બીજી તરફ , કુવૈતથી ખબર આવી છે કે , ઈરાનના હુમલામાં એક ભારતીયએ જીવ ગુમાવ્યો છે. વાત કરીએ , ભારતની તો , પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે જે ઉર્જા સંકટ ભારત સામે ઉભું થયું છે તેની સામે કેરોસીનના વેચાણને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

ગુજરાતમાં છેલ્લા ૬ મહિનામાં પોલીસ પર હુમલાની ઘટનામાં વધારો થયો છે. ઓક્ટોબર ૨૦૨૫માં બોટાદના હડદડ ગામે થયેલી હિંસા અને ત્યારબાદ અંબાજીના પાડલીયા ગામે ડિસેમ્બર ૨૦૨૫માં પોલીસ સાથે ઘર્ષણની ઘટના સામે આવી હતી. આ ઉપરાંત થોડાક સમય અગાઉ , પાટણના ઝીલીયા ગામે , અસામાજિક તત્વો દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. હવે , અમદાવાદના નળ સરોવર ખાતે પણ પોલીસ પર હુમલાની ઘટના સામે આવી છે. જેમાં બે પોલીસકર્મી ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.

રાજકોટ રેન્જ IG તરીકે નિર્લિપ્ત રાયની નિમણુંક થતા અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. કેમ કે , હવે નિર્લિપ્ત રાય દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે , આગામી સમયમાં ૧ લી અને ૨જી એપ્રિલે એક લોકસંપર્ક સભા યોજાશે જેમાં તેઓ પોતે વ્યાજખોરોના ત્રાસથી પીડિતોની રજુઆત સાંભળશે. આ ઉપરાંત , જામનગરમાં રેન્જ IG નિર્લિપ્ત રાયની મુલાકાતના બે જ કલાકની અંદર ૭૨ જેટલા ગેરકાયદેસર બાંધકામો તંત્ર દ્વારા ધ્વસ્ત કરી નાખવામાં આવ્યા છે.