અનુપમ ખેરને શા માટે કરવી પડી રીક્ષામાં મુસાફરી? સોશિયલ મીડિયા પર અભિનેતાએ પોસ્ટ કર્યો વીડિયો


  • Published By :
  • Published Date : 2023-02-06 17:12:44

આવનાર દિવસોમાં બોલિવુડના દિગ્ગજ અભિનેતા અનુપમ ખેર પોતાની આવનારી ફિલ્મ શિવ શાસ્ત્રી બલબોઆને લઈ ચર્ચામાં છે. પોતાના અલગ અલગ અવતારને કારણે તેમની ચર્ચાઓ થતી રહે છે.  સોશિયલ મીડિયા પર તેમણે એક વીડિયો શેર કર્યો હતો જેમાં તેઓ એકદમ અલગ અંદાજમાં જોવા મળ્યા હતા. પોતાને પૂરી રીતના ટ્રાન્સફોર્મ કરી લીધું છે. રવિવારના રોજ તેમની ફિલ્મનું સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અનુપમ ખેર પોતાની ગાડીમાં નહીં પરંતુ ઓટો રીક્ષામાં સવાર થઈ સ્થળ પર પહોંચ્યા હતા. આ દ્રશ્યો જોઈ બધા અચંબિત થઈ ગયા હતા. અભિનેતાએ આ વીડિયો શેર કર્યો છે.

  

ઈવેન્ટ સ્થળ પર રીક્ષામાં પહોંચ્યા અનુપમ ખેર 

મુંબઈ ખાતે શિવ શાસ્ત્રી બલબોઆ ફિલ્મનું સ્પેશીયલ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. સ્ક્રીનિંગ દરમિયાન અભિનેતાઓ અલગ અલગ રીતે સ્થળ પર પહોંચતા હોય છે. ત્યારે અનુપમ ખેર રીક્ષામાં આવ્યા હતા. જાણીને નવાઈ લાગી હશે ને કે આટલો મોટો અભિનેતા રીક્ષામાં શું કામ આવ્યા. મળતી માહિતી અનુસાર તેમને તેમના ડ્રાઈવરે ખોટી જગ્યાએ પહોંચાડી દીધા હતા અને ઈવેન્ટ પર તેમને સમયસર પહોંચવું હતું જેને લઈ તેઓ રીક્ષામાં આવ્યા હતા. અભિનેતાએ આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો જેમાં તેઓ ઓટોમાંથી ઉતરતા દેખાતા હતા.    

  शिव शास्त्री बलबोआ

10 ફેબ્રુઆરીના રોજ ફિલ્મ થશે રિલીઝ   

વીડિયો શેર કરતા તેમણે લખ્યું કે કઈ પણ થઈ શકે છે. કાલે દિલ્હીમાં મારી ફિલ્મ શિવ શાસ્ત્રી બલબોઓની સ્પેશિયલ સ્ક્રીનિંગ થઈ રહી હતી. ડ્રાઈવરે મને ખોટી જગ્યા પર ઉતારી દીધો હતો. મારે સૂટ-બૂટમાં ઓટોમાં જવું પડ્યું હતું. જમીન પર ઉતરીને બહુ મજા આવી. આ ફિલ્મમાં અનુપમ ખેરની સાથે સાથે નીના ગુપ્તા, જુગલ હંસરાજ, નરગિસ ફાખરી અને શારિબ હાશમી મુખ્યભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ 10 ફેબ્રુઆરીએ રિલીઝ થવાની છે.    




જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.