Indiaનાં જ નહિ વિશ્વભરનાં ખેડૂતો કેમ આંદોલન કરી રહ્યા છે? દેશ બદલાય છે પરંતુ ખેડૂતોની પરિસ્થિતિ નથી બદલાતી..


  • Published By :
  • Published Date : 2024-02-24 09:22:28

દેશના ખેડૂતો રસ્તા પર ઉતરી ગયા છે. પોતાની માગને લઈ ખેડૂતો રસ્તા પર આંદોલન કરવા માટે ઉતર્યા છે. દિલ્હી તરફ ખેડૂતો કૂચ કરી રહ્યા છે. સામાન્ય રીતે એવું લાગતું હોય છે કે ભારત દેશના ખેડૂતો આંદોલન કરવા માટે રસ્તા પર ઉતરે છે પરંતુ ના.. વિશ્વભરના ખેડૂતો પોતાની માગ માટે રસ્તા પર ઉતર્યા છે. ભારતમાં અત્યારે પોતાના હક માટે "જગતનો તાત" લડી રહ્યો છે. અને આવી જ સ્થિતિ વિશ્વના બીજા દેશોમાં પણ છે. ખેડૂતો માટે  દેશ બદલાય પણ ખેડૂતોની સ્થિતિ ત્યાંની ત્યાં છે 

ક્યાં ક્યાં ખેડૂતોએ કર્યા છે આંદોલન?

અત્યારે દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે. ખેડૂતોને જોઈએ તો ખ્યાલ આવે કે છેલ્લા એક વર્ષમાં વિશ્વના 65 દેશોના ખેડૂતોએ કૃષિ કાયદાઓનો વિરોધ કર્યો છે અને સેના માટે તો પોતાના હક માટે ભારતમાં જેમ ખેડૂતો વિરોધ કરી રહ્યા છે તેવી જ રીતે વિશ્વના બીજા દેશોના ખેડૂતો કૃષિ ક્ષેત્રના કાયદાઓ સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ભારત સિવાય યુરોપ,અમેરિકા,આફ્રિકા ખંડમાં પણ ખેડૂતો આવીજ રીતે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને સૌથી ભયાનક વાત તો એ છે કે દક્ષિણ અમેરિકામાં છેલ્લા 1 વર્ષમાં 67 ટકા ખેડૂતો કોઇની કોઈ માંગણીઓ માટે રસ્તા પર ઉતર્યા છે એક મહિના પહેલા યુરોપના સૌથી મોટા દેશો પૈકીના એક જર્મનીમાં પણ ખેડૂતોએ ભારતના ખેડૂતો જેવુ આંદોલન શરુ કર્યુ હતું જેમાં જર્મનીમાં ખેડૂતોને મળતી સબસિડીમાં સરકારે કાપ મુકયા બાદ મોટા પાયે ખેડૂતો રસ્તા પર ઉતર્યા હતા આકરી ઠંડી વચ્ચે જર્મનીના તમામ 16 રાજ્યોમાં ખેડૂતો રસ્તા પરથી હટવા તૈયાર ન હતા.



આ મુદ્દાઓને લઈ વિશ્વભરના ખેડૂતો કરી રહ્યા છે આંદોલન!

જો ખેડૂતોના પ્રશ્નની વાત કરીએ તો ડિઝલ પર સબસિડી,પોષણક્ષમ ભાવો,પાકના નુકશાન બદલ યોગ્ય વળતર,પોતાની ઉપજના પૂરતા ભાવ ના મળવા,ખેડૂતને મળતા રાહતપેકેજ. આવા મુદ્દાઑ સાથે વિશ્વના ખેડૂતો અલગ અલગ જગ્યાએ પોટેસ્ટ કરી રહ્યા છે યુરોપમાં (24દેશો), આફ્રિકામાં (12 દેશો),એશિયા (11દેશો) ઉતર અને દક્ષિણ અમેરિકા માં આઠ-આઠ દેશો અને ઓસ્ટ્રેલિયામાં (2દેશો) માં ખેડૂતો અત્યાર સુધીમાં આંદોલન કરી ચૂક્યા છે મધ્ય અમેરિકામાં મેક્સિકોના ખેડૂતો સૌથી વધારે નારાજ છે ત્યાં માંકઈ અને ઘઉના યોગ્ય ભાવ ન મળતા ખેડૂતો નારાજ હતા. 


પોતાની માગ સાથે ખેડૂતો ફરી એક વાર રસ્તા પર ઉતર્યા છે!

આપણાં દેશની વાત કરીએ તો ભારતમાં પણ પોતાની માંગણીઓ માટે બીજીવાર ખેડૂતો રસ્તા પર આવ્યા  છે. જેમાં મુખ્ય મુદ્દો દરવખતે ન્યૂનતમ સમર્થન મૂલ્ય (એમએસપી) રહ્યો છે.જ્યારે બજારમાં પોતાની ઉપજના ખેડૂતોને પૂરતા ભાવ ના મળે ત્યારે સરકાર ટેકાના ભાવથી ખરીદી કરે છે. પણ ખેડૂતોની એવી માંગ છે કે એમએસપી કાયદો બને. આ માંગ સાથે પંજાબના ખેડૂતોએ શંભુ અને ખનૌરી બોર્ડરથી દિલ્હી જવાની કૂચ કરી હતી જે હાલ 2 દિવસ માટે મોકૂફ રાખવામાં આવી છે. બે દિવસ પહેલા જ ખનૌરી બોર્ડર પર વિરોધ પ્રદર્શન દરમિયાન એક યુવા ખેડૂતના મોતનાં સમાચાર આવ્યા હતા ખેડૂતોનો દાવો છે કે શુભકરણનું મોત રબરની ગોળી માથામાં વાગવાને કારણે થયું હતું. અથડામણમાં 52 ખેડૂતો અને 12 પોલીસકર્મીઓ ઘાયલ થયા એવી વાત પણ સામે આવી રહી છે.


દિલ્હીથી અનેક કિલોમીટર દૂર છે ખેડૂતો પરંતુ... 

હજુ દિલ્હી ખેડૂતો પહોંચે એ પહેલાજ તમામ બોર્ડર પર પોલીસ તૈનાત કરવામાં આવી છે. સાથે જ ત્યાં એ રીતે તૈયારીઓ કરવામાં આવી છે જેનાથી દિલ્હીના લોકોને તકલીફ પડી રહી છે હજુ ખેડૂતો તો દિલ્હીથી ઘણા દૂર છે પણ હાલ ખેડૂતોએ પોતાની કૂચ 2 દિવસ માટે રોકી છે પણ મૂળ વાત તો એજ છે કે ભારતના ખેડૂતો હોય કે બીજા કોઈ પણના બધા પરેશાન જ છે એટલે કાશીએ જાવ તો પણ કાગડા કાળા જેવી જ પરિસ્થિતિ છે! આ માહિતી, રિસર્ચ એકત્ર કરવામાં મદદ કરી છે અમારા ત્યાં ઈન્ટન તરીકે જોડાયેલા કિશને. 



દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.