કેમ નેહા કક્કર એ આવું કહ્યું ????


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-25 18:06:15

બોલિવૂડમાં છેલ્લા કેટલાક દિવસથી સિંગર નેહા કક્કારનું નવું સોંગ સજના... ચર્ચામાં છે. 19 સપ્ટેમ્બરે રીલીઝ થયેલું ગીત 'મૈંને પાયલ હૈ ખનકાઈ...' ગીતનું ઓફિશિયલ રિમિક્સ છે.1999માં રિલીઝ થયેલા ઓરિજિનલ ગીતમાં ફાલ્ગુનીનો અવાજ હતો.  હવે નેહાએ ગીતને રિમિક્સ કરતાં ફાલ્ગુની પાઠકે રિએક્શન આપ્યું છે.

 

ફાલ્ગુની પાઠકએ શું કહ્યું ?

 

ગીત લોન્ચ થયા બાદ કહ્યું  હું મારા તમામ ચાહકોનો આભાર માનું છું, જેમણે અત્યારસુધી મારું ઓરિજિનલ ગીત પસંદ કર્યું છે. ગીતમાં સાદગી હતી. મેં હજી સુધી નેહા કક્કરના ગીત ' સજના...'નો વીડિયો જોયો નથી. સમયમાં બનાવવામાં આવેલાં ગીતો, વીડિયો, ગીતો અને સંગીતમાં સાદગી હતી. બાબત ખૂબ મહત્ત્વની છે. કદાચ વસ્તુ છે, જે લોકો બહુ યાદ કરી રહ્યા છે. આજકાલ ગીતોનાં રિમિક્સ કરવામાં આવી રહ્યાં છે, એમાંનાં કેટલાંક ખૂબ સારાં છે, પરંતુ લોકોએ ગીત બનાવતી વખતે ધ્યાનમાં રાખવું જોઈએ. કદાચ તેથી લોકોને ગીતોને નાપસંદ કરી રહ્યા છે.

 

અને હવે જ્યારે ફાલ્ગુની પાઠકએ નેહા કક્કરને આડેહાથ લીધા હતા ત્યારે હવે નેહા કકકરે પણ આડકતરી રીતે નામ લીધા વગર જવાબ આપ્યો છે.

 

નેહા કકકરનું રિએક્શન !!!!

નેહાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરીને કહ્યું હતું કે 'હું આજે કેવું ફીલ કરું છું... મેં જીવનમાં જે હાંસિલ કર્યું તેવું વિશ્વમાં ઘણા ઓછા લોકો મેળવી શકતા હોય છે. મેં ઘણી નાની ઉંમરમાં પ્રેમ, લોકપ્રિયતા તથા અગણિત સુપરહિટ ગીતો આપ્યાં છે. અગણિત ટીવી શો, વર્લ્ડ ટૂર કરી. નાનાં બાળકોથી લઈ વૃદ્ધો મારા ચાહકો છે. તમને ખ્યાલ છે, મારી ટેલન્ટ, પરિશ્રમ, ધીરજ તથા હકારાત્મકતાને કારણે મને બધું મળ્યું છે. આજે હું ભગવાન તથા મારા તમામે તમામ ચાહકોનો આભાર માનવા માગું છું. હું ભગવાનના સૌથી વધુ આશીર્વાદ મેળવારનાર બાળકમાંથી એક છું. તમામને આખું જીવન ખુશીઓ મળે તેવી શુભેચ્છા.' અન્ય તેમણે એક પોસ્ટ મૂકી અને તેમ લખ્યું  ' રીતની વાત કરવી, મારા વિશે ખરાબ વાતો કરવી, મને ગાળો આપવી.. જો બધું કરવાથી તમને સારું લાગતું હોય અને તમને એવું હોય કે તમે મારો દિવસ બગાડી શકો છો તો મને સાચે તમારા પ્રત્યે દિલગીરી છે, કારણ કે ખરાબ દિવસો આવવા માટે પણ હું ધન્ય છું. ભગવાનનું બાળક હંમેશાં ખુશ રહે છે, કારણ કે ભગવાન પોતે મને હંમેશાં ખુશ રાખે છે.'

 

અને કેટલાય દિવસથી ચાલતા આ રિએક્શન ખેલ ચર્ચાનો વિષય બન્યો છે ......



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.