પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શા માટે કરી પાકિસ્તાન માટે પ્રાર્થના?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-30 12:04:18



પાકિસ્તાન એક તો આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યું છે, ત્યારે ચોમાસાએ પાકિસ્તાનની પડ્યા પર પાટા જેવી પરિસ્થિતિનું નિર્માણ કરી દીધુ છે. 2010 બાદ ફરીવાર પાકિસ્તાનમાં ભયંકર પૂરની પરિસ્થિતિ સર્જાતા જાનમાલને ભારે નુકસાન સર્જાયું છે. ત્યારે પાકિસ્તાનમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થતાં હજારો લોકોના મોત થયા છે અને કરોડો લોકો ઘરવિહોણા થયા છે, ત્યારે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી પાકિસ્તાન માટે પ્રાર્થના કરી હતી. 


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાકિસ્તાન માટે શું કરી પ્રાર્થના? 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટર પર ટ્વીટ કરતા લખ્યું હતું કે, "પાકિસ્તાનમાં પૂરને કારણે થયેલી તબાહી જોઈને દુઃખ થયું. અમે પીડિતોના પરિવારો, ઘાયલો અને આ કુદરતી આફતથી પ્રભાવિત તમામ લોકો પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરીએ છીએ અને સામાન્ય સ્થિતિની  આશા રાખીએ છીએ." 


શા માટે પાકિસ્તાનમાં થયું જાનમાલને મોટી સંખ્યામાં નુકસાન?

દક્ષિણ પશ્ચિમી ચોમાસાના કારણે પાકિસ્તાનમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે. આ એજ પવનો છે જે ભારતમાં ચોમાસુ લાવે છે. જુન મહિનાના સમયમાં પશ્ચિમના પવનો અરબ સાગરથી ભારત તરફ વહે છે. સૌથી પહેલા કેરલમાં ચોમાસાનું આગમન થાય છે. ત્યાર બાદ ચોમાસુ ઉપર બાજુ પહોંચતું થાય છે. વાયવ્યના (ગુજરાતથી પાકિસ્તાન બાજુની દિશા) પવનના કારણે છેલ્લે ગુજરાત બાદ ચોમાસુ પાકિસ્તાન તરફ પહોંચે છે. ટૂંકમાં સમજીએ તો ભારત પછી પાકિસ્તાનમાં ચોમાસાનું આગમન થાય છે. જુલાઈ અને ઓગસ્ટ માસમાં પાકિસ્તાનમાં સૌથી વધુ વરસાદ નોંધાય છે. સામાન્ય રીતે પાકિસ્તાનમાં સરેરાશ 113 MM એટલે કે સાડા ચાર ઈંચ વરસાદ થાય છે. પરંતુ આ ચોમાસામાં 354 MM એટલે કે 13 ઈંચથી વધુ વરસાદ પડતા પૂરની પરિસ્થિતિનું નુકસાન થયું હતું. ટૂંકમાં સમજીએ તો પાકિસ્તાનમાં આ વર્ષે સરેરાશથી ત્રણ ગણાથી વધુ વરસાદ પડતા ભયાનક પરિસ્થિતનું નિર્માણ થયું હતું.  



નિલેશ કુંભાણી અચાનક જ ગાયબ થઇ ગયા હતા. જો કે ગુજરાતમાં ચૂંટણી પુરી થઇ ગઇ છે અને રાજકીય માહોલ થોડો શાંત થઇ ગયો છે પણ છેલ્લા 22 દિવસથી હજું પણ નિલેશ કુંભાણી લાપતા છે. ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના નેતાએ સોશિયલ મીડિયામાં આડકતરી રીતે કુંભાણીનું નામ લીધા વગર પોસ્ટ કરી છે.

વીજળીના કડાકા ભડાકા સાથે અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થશે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે.. મહત્વનું છે કે આકરી ગરમી પડવાને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગરમીથી ક્યારે રાહત મળશે તેવા પ્રશ્નો લોકોને થઈ રહ્યા છે..

ગુજરાતમાં લોકસભા ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે.. ચૂંટણી દરમિયાન અનેક બેઠકો એવી હતી જેની ચર્ચા થતી રહેતી હતી અવાર નવાર.. તેમાંની એક બેઠક છે ભરૂચ લોકસભા બેઠક.. ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને ટિકીટ આપવામાં આવી હતી અને ભાજપે મનસુખ વસાવાને રિપીટ કર્યા છે..

ભાજપમાં જાણે કોંગ્રેસીકરણ થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે... ભાજપમાં થઈ રહેલા કોંગ્રેસીકરણને કારણે ભાજપમાં અંદરોઅંદર ડખા શરૂ થઈ ગયા હોય તેવું લાગે છે.. ભાજપના નેતમાં નારાજગી જોવા મળી રહી છે...નારણ કાછડિયા જાણે પક્ષથી નારાજ હોય તેવું લાગી રહ્યું છે