પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શા માટે કરી પાકિસ્તાન માટે પ્રાર્થના?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-30 12:04:18



પાકિસ્તાન એક તો આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યું છે, ત્યારે ચોમાસાએ પાકિસ્તાનની પડ્યા પર પાટા જેવી પરિસ્થિતિનું નિર્માણ કરી દીધુ છે. 2010 બાદ ફરીવાર પાકિસ્તાનમાં ભયંકર પૂરની પરિસ્થિતિ સર્જાતા જાનમાલને ભારે નુકસાન સર્જાયું છે. ત્યારે પાકિસ્તાનમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થતાં હજારો લોકોના મોત થયા છે અને કરોડો લોકો ઘરવિહોણા થયા છે, ત્યારે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી પાકિસ્તાન માટે પ્રાર્થના કરી હતી. 


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાકિસ્તાન માટે શું કરી પ્રાર્થના? 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટર પર ટ્વીટ કરતા લખ્યું હતું કે, "પાકિસ્તાનમાં પૂરને કારણે થયેલી તબાહી જોઈને દુઃખ થયું. અમે પીડિતોના પરિવારો, ઘાયલો અને આ કુદરતી આફતથી પ્રભાવિત તમામ લોકો પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરીએ છીએ અને સામાન્ય સ્થિતિની  આશા રાખીએ છીએ." 


શા માટે પાકિસ્તાનમાં થયું જાનમાલને મોટી સંખ્યામાં નુકસાન?

દક્ષિણ પશ્ચિમી ચોમાસાના કારણે પાકિસ્તાનમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે. આ એજ પવનો છે જે ભારતમાં ચોમાસુ લાવે છે. જુન મહિનાના સમયમાં પશ્ચિમના પવનો અરબ સાગરથી ભારત તરફ વહે છે. સૌથી પહેલા કેરલમાં ચોમાસાનું આગમન થાય છે. ત્યાર બાદ ચોમાસુ ઉપર બાજુ પહોંચતું થાય છે. વાયવ્યના (ગુજરાતથી પાકિસ્તાન બાજુની દિશા) પવનના કારણે છેલ્લે ગુજરાત બાદ ચોમાસુ પાકિસ્તાન તરફ પહોંચે છે. ટૂંકમાં સમજીએ તો ભારત પછી પાકિસ્તાનમાં ચોમાસાનું આગમન થાય છે. જુલાઈ અને ઓગસ્ટ માસમાં પાકિસ્તાનમાં સૌથી વધુ વરસાદ નોંધાય છે. સામાન્ય રીતે પાકિસ્તાનમાં સરેરાશ 113 MM એટલે કે સાડા ચાર ઈંચ વરસાદ થાય છે. પરંતુ આ ચોમાસામાં 354 MM એટલે કે 13 ઈંચથી વધુ વરસાદ પડતા પૂરની પરિસ્થિતિનું નુકસાન થયું હતું. ટૂંકમાં સમજીએ તો પાકિસ્તાનમાં આ વર્ષે સરેરાશથી ત્રણ ગણાથી વધુ વરસાદ પડતા ભયાનક પરિસ્થિતનું નિર્માણ થયું હતું.  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.