પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શા માટે કરી પાકિસ્તાન માટે પ્રાર્થના?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-30 12:04:18



પાકિસ્તાન એક તો આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યું છે, ત્યારે ચોમાસાએ પાકિસ્તાનની પડ્યા પર પાટા જેવી પરિસ્થિતિનું નિર્માણ કરી દીધુ છે. 2010 બાદ ફરીવાર પાકિસ્તાનમાં ભયંકર પૂરની પરિસ્થિતિ સર્જાતા જાનમાલને ભારે નુકસાન સર્જાયું છે. ત્યારે પાકિસ્તાનમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થતાં હજારો લોકોના મોત થયા છે અને કરોડો લોકો ઘરવિહોણા થયા છે, ત્યારે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી પાકિસ્તાન માટે પ્રાર્થના કરી હતી. 


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાકિસ્તાન માટે શું કરી પ્રાર્થના? 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટર પર ટ્વીટ કરતા લખ્યું હતું કે, "પાકિસ્તાનમાં પૂરને કારણે થયેલી તબાહી જોઈને દુઃખ થયું. અમે પીડિતોના પરિવારો, ઘાયલો અને આ કુદરતી આફતથી પ્રભાવિત તમામ લોકો પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરીએ છીએ અને સામાન્ય સ્થિતિની  આશા રાખીએ છીએ." 


શા માટે પાકિસ્તાનમાં થયું જાનમાલને મોટી સંખ્યામાં નુકસાન?

દક્ષિણ પશ્ચિમી ચોમાસાના કારણે પાકિસ્તાનમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે. આ એજ પવનો છે જે ભારતમાં ચોમાસુ લાવે છે. જુન મહિનાના સમયમાં પશ્ચિમના પવનો અરબ સાગરથી ભારત તરફ વહે છે. સૌથી પહેલા કેરલમાં ચોમાસાનું આગમન થાય છે. ત્યાર બાદ ચોમાસુ ઉપર બાજુ પહોંચતું થાય છે. વાયવ્યના (ગુજરાતથી પાકિસ્તાન બાજુની દિશા) પવનના કારણે છેલ્લે ગુજરાત બાદ ચોમાસુ પાકિસ્તાન તરફ પહોંચે છે. ટૂંકમાં સમજીએ તો ભારત પછી પાકિસ્તાનમાં ચોમાસાનું આગમન થાય છે. જુલાઈ અને ઓગસ્ટ માસમાં પાકિસ્તાનમાં સૌથી વધુ વરસાદ નોંધાય છે. સામાન્ય રીતે પાકિસ્તાનમાં સરેરાશ 113 MM એટલે કે સાડા ચાર ઈંચ વરસાદ થાય છે. પરંતુ આ ચોમાસામાં 354 MM એટલે કે 13 ઈંચથી વધુ વરસાદ પડતા પૂરની પરિસ્થિતિનું નુકસાન થયું હતું. ટૂંકમાં સમજીએ તો પાકિસ્તાનમાં આ વર્ષે સરેરાશથી ત્રણ ગણાથી વધુ વરસાદ પડતા ભયાનક પરિસ્થિતનું નિર્માણ થયું હતું.  



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .