કોહિનૂર હિરો કેમ ટ્વીટર પર ટ્રેન્ડમાં છે?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-09 18:10:51

કેમ કોહિનૂર ટ્વિટર પર ટ્રેન્ડ છે ? 

ગુરુવાર રાતે બ્રિટનના રાણી ક્વીન એલિઝાબેથ દ્વિતીયનું અવસાન થયું હતું. રાણી ક્વીન એલિઝાબેથ બ્રિટનમાં સૌથી લાંબા સમય સુધી સિંહાસન સંભાળનારાં રાણી હતાં. રાણીના મૃત્યુ પછી તેમના મોટા પુત્ર પ્રિન્સ ચાર્લ્સને બ્રિટનના રાજા જાહેર કરવામાં આવ્યા છે. પરંતુ લોકો એ વાત જાણવાનો ઉત્સાહત છે કે રાણીના તાજમાં જે હીરો જડેલો છે તે કોહિનૂર હીરાનું શું થશે? આ કોહિનૂર હવે કોને સોંપવામાં આવશે? એટલે રાણીના મૃત્યુ પછી તરત આ વિષય ટ્વિટર પર ટ્રેન્ડ થઈ ગયો છે. 


કોહિનૂર હીરાનો ઈતિહાસ 

કોહિનૂર હીરો જે 105.6 કેરેટનો છે. જે વિશ્વનો સૌથી કિંમતી અને સૌથી મોટો હીરો માનવામાં આવે છે. ઈતિહાસમાં જઇયે તો કહેવાય કે આ હીરો 14મી સદીમાં આંધ્રપ્રદેશની ખાણમાંથી મળ્યો હતો. પરંતુ જયારે અંગ્રેજોએ પંજાબ પર કબ્જો કર્યો ત્યારે 1877માં બ્રિટનના તે સમયના રાણી વિક્ટોરિયાને સોંપવામાં આવ્યો હતો. ત્યાર પછી કોહિનૂરને બ્રિટનના શાહી તાજમાં સ્થાપવામાં આવ્યો અને બ્રિટનના શાહી તાજમાં કોહીનૂર ઉપરાંત અનેક કિંમતી અને દુર્લભ હીરા અને રત્નો જડેલા છે. ત્યારથી જ કોહિનૂર બ્રિટનના તાજમાં જ જડેલ છે અને આ કોહિનૂર પર ભારત સહીત ચાર દેશ પોતાનો હોવાનો દાવો કરે છે. 


કોને મળશે કોહિનૂર ? 

કહેવાય છે કે રાણીના મૃત્યુ બાદ જે બ્રિટનના રાજા બનશે એટલે કે રાજા ચાર્લસની પત્ની ડચેસ ઓફ કોર્નવોલ કેમિલાને કોહિનૂર સોંપવામાં આવશે. કેમિલાને કોહિનૂરથી જડેલો તાજ આપવામાં આવશે. હાલ તો રાજા ચાર્લ્સ ત્રીજાના રાજ્યાભિષેક સમયએ કેમિલા આ કોહિનૂર પહેરેલી જોવા મળે એવી શક્યતા છે . 


કિંમતી હીરાની મહારાણી એલિઝાબેથના અવસાન બાદ ફરી કોહિનૂર ભારતને પરત કરવાની માંગ ઉઠી છે. જેમ કોહિનૂર દુર્લભ હીરો છે તેમ રાણીના તાજમાં આફ્રિકાનો હીરો 'ગ્રેટ સ્ટાર ઓફ આફ્રિકા' પણ જડેલો છે. તેની કિંમત 400 મિલિયન આસપાસ છે. ભારતે કોહિનૂર પરત માંગ્યો તેમ આફ્રિકાએ પણ 'ગ્રેટ સ્ટાર ઓફ આફ્રિકા'ને પરત કરવાની માગણી કરી છે.



પરષોત્તમ રૂપાલા વિરૂદ્ધ ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું. તેમની ટિકીટ રદ્દ થાય તેવી માગ સમાજ દ્વારા કરવામાં આવી.. આ બધા વચ્ચે થોડા દિવસ પહેલા સંકલન સમિતી દ્વારા આંદોલનને મોકૂફ રાખવાની જાહેરાત કરાઈ તો હવે પદ્મિની બા વાળાએ પરષોત્તમ રૂપાલાને માફી આપી દીધી છે.

22 એપ્રિલથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં સોઢીની ભૂમિકા ભજવનાર ગુરૂચરન લાપતા હતા! તે 17મેના રોજ ઘરે પાછા આવ્યા છે. પોલીસે તેમની શોધખોળ હાથ ધરી પરંતુ તે મળ્યા ના હતા ત્યારે તે ઘરે પાછા આવ્યા છે જેને લઈ તેમના પરિવારે અને ફેન્સે રાહતનો શ્વાસ લીધો છે.

એક મોટી દુર્ઘટના હરિયાણાના નૂંહમાં બની છે.. નૂંહ જિલ્લાના તાવડુની સરહદ નજીક કુંડલી માનેસર પલવલ એક્સપ્રેસ વે પર દુર્ઘટના બની હતી જેમાં અનેક લોકોના મોત બળી જવાને કારણે થયા છે... મળતી માહિતી અનુસાર આ ઘટનામાં 9 જેટલા લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે દાઝ્યા છે અને તેમની સારવાર ચાલી રહી છે.

ચૈતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચે જાહેરમાં તૂ તૂ મેં મેં થઈ હતી. મનસુખ વસાવાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી જે બાદ રાજનીતિ ગરમાઈ. ચૈતર વસાવા ત્યાં આવી ગયા અને બંને નેતાઓ બાજી પડ્યા..