કોહિનૂર હિરો કેમ ટ્વીટર પર ટ્રેન્ડમાં છે?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-09 18:10:51

કેમ કોહિનૂર ટ્વિટર પર ટ્રેન્ડ છે ? 

ગુરુવાર રાતે બ્રિટનના રાણી ક્વીન એલિઝાબેથ દ્વિતીયનું અવસાન થયું હતું. રાણી ક્વીન એલિઝાબેથ બ્રિટનમાં સૌથી લાંબા સમય સુધી સિંહાસન સંભાળનારાં રાણી હતાં. રાણીના મૃત્યુ પછી તેમના મોટા પુત્ર પ્રિન્સ ચાર્લ્સને બ્રિટનના રાજા જાહેર કરવામાં આવ્યા છે. પરંતુ લોકો એ વાત જાણવાનો ઉત્સાહત છે કે રાણીના તાજમાં જે હીરો જડેલો છે તે કોહિનૂર હીરાનું શું થશે? આ કોહિનૂર હવે કોને સોંપવામાં આવશે? એટલે રાણીના મૃત્યુ પછી તરત આ વિષય ટ્વિટર પર ટ્રેન્ડ થઈ ગયો છે. 


કોહિનૂર હીરાનો ઈતિહાસ 

કોહિનૂર હીરો જે 105.6 કેરેટનો છે. જે વિશ્વનો સૌથી કિંમતી અને સૌથી મોટો હીરો માનવામાં આવે છે. ઈતિહાસમાં જઇયે તો કહેવાય કે આ હીરો 14મી સદીમાં આંધ્રપ્રદેશની ખાણમાંથી મળ્યો હતો. પરંતુ જયારે અંગ્રેજોએ પંજાબ પર કબ્જો કર્યો ત્યારે 1877માં બ્રિટનના તે સમયના રાણી વિક્ટોરિયાને સોંપવામાં આવ્યો હતો. ત્યાર પછી કોહિનૂરને બ્રિટનના શાહી તાજમાં સ્થાપવામાં આવ્યો અને બ્રિટનના શાહી તાજમાં કોહીનૂર ઉપરાંત અનેક કિંમતી અને દુર્લભ હીરા અને રત્નો જડેલા છે. ત્યારથી જ કોહિનૂર બ્રિટનના તાજમાં જ જડેલ છે અને આ કોહિનૂર પર ભારત સહીત ચાર દેશ પોતાનો હોવાનો દાવો કરે છે. 


કોને મળશે કોહિનૂર ? 

કહેવાય છે કે રાણીના મૃત્યુ બાદ જે બ્રિટનના રાજા બનશે એટલે કે રાજા ચાર્લસની પત્ની ડચેસ ઓફ કોર્નવોલ કેમિલાને કોહિનૂર સોંપવામાં આવશે. કેમિલાને કોહિનૂરથી જડેલો તાજ આપવામાં આવશે. હાલ તો રાજા ચાર્લ્સ ત્રીજાના રાજ્યાભિષેક સમયએ કેમિલા આ કોહિનૂર પહેરેલી જોવા મળે એવી શક્યતા છે . 


કિંમતી હીરાની મહારાણી એલિઝાબેથના અવસાન બાદ ફરી કોહિનૂર ભારતને પરત કરવાની માંગ ઉઠી છે. જેમ કોહિનૂર દુર્લભ હીરો છે તેમ રાણીના તાજમાં આફ્રિકાનો હીરો 'ગ્રેટ સ્ટાર ઓફ આફ્રિકા' પણ જડેલો છે. તેની કિંમત 400 મિલિયન આસપાસ છે. ભારતે કોહિનૂર પરત માંગ્યો તેમ આફ્રિકાએ પણ 'ગ્રેટ સ્ટાર ઓફ આફ્રિકા'ને પરત કરવાની માગણી કરી છે.



દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.