કોહિનૂર હિરો કેમ ટ્વીટર પર ટ્રેન્ડમાં છે?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-09 18:10:51

કેમ કોહિનૂર ટ્વિટર પર ટ્રેન્ડ છે ? 

ગુરુવાર રાતે બ્રિટનના રાણી ક્વીન એલિઝાબેથ દ્વિતીયનું અવસાન થયું હતું. રાણી ક્વીન એલિઝાબેથ બ્રિટનમાં સૌથી લાંબા સમય સુધી સિંહાસન સંભાળનારાં રાણી હતાં. રાણીના મૃત્યુ પછી તેમના મોટા પુત્ર પ્રિન્સ ચાર્લ્સને બ્રિટનના રાજા જાહેર કરવામાં આવ્યા છે. પરંતુ લોકો એ વાત જાણવાનો ઉત્સાહત છે કે રાણીના તાજમાં જે હીરો જડેલો છે તે કોહિનૂર હીરાનું શું થશે? આ કોહિનૂર હવે કોને સોંપવામાં આવશે? એટલે રાણીના મૃત્યુ પછી તરત આ વિષય ટ્વિટર પર ટ્રેન્ડ થઈ ગયો છે. 


કોહિનૂર હીરાનો ઈતિહાસ 

કોહિનૂર હીરો જે 105.6 કેરેટનો છે. જે વિશ્વનો સૌથી કિંમતી અને સૌથી મોટો હીરો માનવામાં આવે છે. ઈતિહાસમાં જઇયે તો કહેવાય કે આ હીરો 14મી સદીમાં આંધ્રપ્રદેશની ખાણમાંથી મળ્યો હતો. પરંતુ જયારે અંગ્રેજોએ પંજાબ પર કબ્જો કર્યો ત્યારે 1877માં બ્રિટનના તે સમયના રાણી વિક્ટોરિયાને સોંપવામાં આવ્યો હતો. ત્યાર પછી કોહિનૂરને બ્રિટનના શાહી તાજમાં સ્થાપવામાં આવ્યો અને બ્રિટનના શાહી તાજમાં કોહીનૂર ઉપરાંત અનેક કિંમતી અને દુર્લભ હીરા અને રત્નો જડેલા છે. ત્યારથી જ કોહિનૂર બ્રિટનના તાજમાં જ જડેલ છે અને આ કોહિનૂર પર ભારત સહીત ચાર દેશ પોતાનો હોવાનો દાવો કરે છે. 


કોને મળશે કોહિનૂર ? 

કહેવાય છે કે રાણીના મૃત્યુ બાદ જે બ્રિટનના રાજા બનશે એટલે કે રાજા ચાર્લસની પત્ની ડચેસ ઓફ કોર્નવોલ કેમિલાને કોહિનૂર સોંપવામાં આવશે. કેમિલાને કોહિનૂરથી જડેલો તાજ આપવામાં આવશે. હાલ તો રાજા ચાર્લ્સ ત્રીજાના રાજ્યાભિષેક સમયએ કેમિલા આ કોહિનૂર પહેરેલી જોવા મળે એવી શક્યતા છે . 


કિંમતી હીરાની મહારાણી એલિઝાબેથના અવસાન બાદ ફરી કોહિનૂર ભારતને પરત કરવાની માંગ ઉઠી છે. જેમ કોહિનૂર દુર્લભ હીરો છે તેમ રાણીના તાજમાં આફ્રિકાનો હીરો 'ગ્રેટ સ્ટાર ઓફ આફ્રિકા' પણ જડેલો છે. તેની કિંમત 400 મિલિયન આસપાસ છે. ભારતે કોહિનૂર પરત માંગ્યો તેમ આફ્રિકાએ પણ 'ગ્રેટ સ્ટાર ઓફ આફ્રિકા'ને પરત કરવાની માગણી કરી છે.



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .