શા માટે ઉજવવામાં આવે છે ThanksGiving day? જાણો તેની પાછળ રહેલા રોચક ઈતિહાસને


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2022-11-24 11:57:02

આપણા જીવનમાં અનેક લોકોનું યોગદાન રહેલું હોય છે. પરંતુ આપણે તેમના દ્વારા અપાયેલા યોગદાનને ગણતા નથી. દરેક વ્યક્તિ આપણને કંઈકનું કંઈ નવું શિખવી જાય છે. પરંતુ આપણે તેનો આભાર માનતા નથી. થેંક્યું શબ્દ ભલે નાનો લાગે પરંતુ બહુ શક્તિશાળી શબ્દ છે. આપણે કોઈને પણ થેંક્સ અથવા તો આભાર માનીએ છીએ અથવા તો કહીએ છીએ તો તેમના દિલમાં જાણે અજાણે આપણા માટે જગ્યા બની જતી હોય છે. ત્યારે સમગ્ર વિશ્વમાં અને મુખ્યત્વે અમેરિકા, ભારત જેવા દેશોમાં ઉજવવામાં આવે છે. આ દિવસે ભોજન આપવા બદલ પ્રભુનો આભાર માનવામાં આવે છે.

When is Thanksgiving in 2017 | When Is News,The Indian Express

1621માં પ્રથમ વખત કરાઈ હતી ઉજવણી 

અમેરિકા સહિત અનેક દેશોમાં નવેમ્બર મહિનાના ચોથા ગુરૂવારના રોજ આ દિવસ ઉજવવામાં આવે છે. જર્મની, બ્રાઝીલ, જાપાન સહિતના દેશોમાં આ દિવસને ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસે લોકો એક બીજાનો આભાર માને છે અને એક બીજાને થેન્ક્યું કહે છે. એવું માનવામાં આવે છે સૌ પ્રથમ વખત આ દિવસની ઉજવણી 1621માં કરવામાં આવી હતી.

How Thanksgiving is celebrated in India | India.com

અમેરિકામાં ધામધૂમથી થાય છે આ દિવસની ઉજવણી  

અમેરિકાએ સફળ ખેતી કરી હતી જે બાદ અમેરિકાએ પાડોશી દેશોનો આભાર માન્યો હતો. ત્યારબાદ 1789માં જોર્જ વોસિંગટને આ દિવસની સત્તાવાર રીતે જાહેરાત કરી અને ત્યારથી થેન્સ જીવીંગ ડેને ઉજવાની શરૂઆત થઈ. આ દિવસની ઉજવણી કરવા અમેરિકામાં લોકોને કામ પરથી રજા આપવામાં આવે છે. રજા હોવાને કારણે લોકો પોતાના પરિવાર સાથે રહે અને એક બીજાને ધન્યવાદ કહે. કેનેડામાં ઓક્ટોબરના બીજા સોમવારે થેન્ક્સ ગીવીંગ ડેની ઉજવણી કરવામાં આવે છે.     

Thankyou Stock Photos, Royalty Free Thankyou Images | Depositphotos

એક બીજાને થેન્ક્યુ કહી વધારે આત્મીયતા

આપણે પણ આપણી આસપાસ રેહતા લોકોનો, આપણા પરિવારનો સભ્યોનો તેમજ સાથે કામ કરનાર લોકોનો આભાર માનવો જોઈએ. ઉપરાંત ભગવાનનો પણ આભાર માનવો જોઈએ. કારણ કે તે જ આપણને લગતી તમામ વસ્તુઓ આપણા સુધી પહોંચાડે છે. અનેક લોકો આને Gratitude પણ કહે છે. જો દિલથી કોઈનો આભાર માનીએને તો આપણા સંબંધ વધારે મજબૂત બને છે અને દિલમાં રહેલી તમામ નારાજગી દૂર થાય છે. 




સુરત લોકસભા બેઠકના ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર નિલેશ કુંભાણી અનેક દિવસોથી ગાયબ હતા. કોંગ્રેસે તેમને સસ્પેન્ડ કર્યા છે. ત્યારે આજે તેમણે વીડિયો બનાવી પોતાની પ્રતિકિયા આપી છે.

આપના પૂર્વ નેતા અલ્પેશ કથિરીયા અને ધાર્મિક માલવિયા ભાજપમાં જોડાવાના છે. આ મામલે ગોપાલ ઈટાલિયાએ પ્રતિક્રિયા આપી છે.. પ્રતિક્રિયા આપતા તેમણે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા.

કમાવવાની પાછળ આપણે એટલા બધા લાગી ગયા છીએ કે આપણને ખબર જ નથી પડતી કે આપણી જીંદગી પૂરી થઈ રહી છે... જવાનમાં આપણે ક્યારે ઘરડા થઈ જઈશું તેની ખબર નહીં પડે.. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના જે વાતને બહુ સારી રીતે સમજાવે છે...

જમાવટની ઈલેક્શન યાત્રા અલગ અલગ વિસ્તારોમાં ફરી રહી છે. અનેક યુવાનો, બાળકો સાથે વાત કરી હતી ત્યારે તેમણે જે કહ્યું જે વિચારવા જેવું છે.. બાળકો જે જોવે છે તે કહે છે...