શા માટે ઉજવવામાં આવે છે ThanksGiving day? જાણો તેની પાછળ રહેલા રોચક ઈતિહાસને


  • Published By :
  • Published Date : 2022-11-24 11:57:02

આપણા જીવનમાં અનેક લોકોનું યોગદાન રહેલું હોય છે. પરંતુ આપણે તેમના દ્વારા અપાયેલા યોગદાનને ગણતા નથી. દરેક વ્યક્તિ આપણને કંઈકનું કંઈ નવું શિખવી જાય છે. પરંતુ આપણે તેનો આભાર માનતા નથી. થેંક્યું શબ્દ ભલે નાનો લાગે પરંતુ બહુ શક્તિશાળી શબ્દ છે. આપણે કોઈને પણ થેંક્સ અથવા તો આભાર માનીએ છીએ અથવા તો કહીએ છીએ તો તેમના દિલમાં જાણે અજાણે આપણા માટે જગ્યા બની જતી હોય છે. ત્યારે સમગ્ર વિશ્વમાં અને મુખ્યત્વે અમેરિકા, ભારત જેવા દેશોમાં ઉજવવામાં આવે છે. આ દિવસે ભોજન આપવા બદલ પ્રભુનો આભાર માનવામાં આવે છે.

When is Thanksgiving in 2017 | When Is News,The Indian Express

1621માં પ્રથમ વખત કરાઈ હતી ઉજવણી 

અમેરિકા સહિત અનેક દેશોમાં નવેમ્બર મહિનાના ચોથા ગુરૂવારના રોજ આ દિવસ ઉજવવામાં આવે છે. જર્મની, બ્રાઝીલ, જાપાન સહિતના દેશોમાં આ દિવસને ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસે લોકો એક બીજાનો આભાર માને છે અને એક બીજાને થેન્ક્યું કહે છે. એવું માનવામાં આવે છે સૌ પ્રથમ વખત આ દિવસની ઉજવણી 1621માં કરવામાં આવી હતી.

How Thanksgiving is celebrated in India | India.com

અમેરિકામાં ધામધૂમથી થાય છે આ દિવસની ઉજવણી  

અમેરિકાએ સફળ ખેતી કરી હતી જે બાદ અમેરિકાએ પાડોશી દેશોનો આભાર માન્યો હતો. ત્યારબાદ 1789માં જોર્જ વોસિંગટને આ દિવસની સત્તાવાર રીતે જાહેરાત કરી અને ત્યારથી થેન્સ જીવીંગ ડેને ઉજવાની શરૂઆત થઈ. આ દિવસની ઉજવણી કરવા અમેરિકામાં લોકોને કામ પરથી રજા આપવામાં આવે છે. રજા હોવાને કારણે લોકો પોતાના પરિવાર સાથે રહે અને એક બીજાને ધન્યવાદ કહે. કેનેડામાં ઓક્ટોબરના બીજા સોમવારે થેન્ક્સ ગીવીંગ ડેની ઉજવણી કરવામાં આવે છે.     

Thankyou Stock Photos, Royalty Free Thankyou Images | Depositphotos

એક બીજાને થેન્ક્યુ કહી વધારે આત્મીયતા

આપણે પણ આપણી આસપાસ રેહતા લોકોનો, આપણા પરિવારનો સભ્યોનો તેમજ સાથે કામ કરનાર લોકોનો આભાર માનવો જોઈએ. ઉપરાંત ભગવાનનો પણ આભાર માનવો જોઈએ. કારણ કે તે જ આપણને લગતી તમામ વસ્તુઓ આપણા સુધી પહોંચાડે છે. અનેક લોકો આને Gratitude પણ કહે છે. જો દિલથી કોઈનો આભાર માનીએને તો આપણા સંબંધ વધારે મજબૂત બને છે અને દિલમાં રહેલી તમામ નારાજગી દૂર થાય છે. 




આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.