શા માટે ઉજવવામાં આવે છે ThanksGiving day? જાણો તેની પાછળ રહેલા રોચક ઈતિહાસને


  • Published By :
  • Published Date : 2022-11-24 11:57:02

આપણા જીવનમાં અનેક લોકોનું યોગદાન રહેલું હોય છે. પરંતુ આપણે તેમના દ્વારા અપાયેલા યોગદાનને ગણતા નથી. દરેક વ્યક્તિ આપણને કંઈકનું કંઈ નવું શિખવી જાય છે. પરંતુ આપણે તેનો આભાર માનતા નથી. થેંક્યું શબ્દ ભલે નાનો લાગે પરંતુ બહુ શક્તિશાળી શબ્દ છે. આપણે કોઈને પણ થેંક્સ અથવા તો આભાર માનીએ છીએ અથવા તો કહીએ છીએ તો તેમના દિલમાં જાણે અજાણે આપણા માટે જગ્યા બની જતી હોય છે. ત્યારે સમગ્ર વિશ્વમાં અને મુખ્યત્વે અમેરિકા, ભારત જેવા દેશોમાં ઉજવવામાં આવે છે. આ દિવસે ભોજન આપવા બદલ પ્રભુનો આભાર માનવામાં આવે છે.

When is Thanksgiving in 2017 | When Is News,The Indian Express

1621માં પ્રથમ વખત કરાઈ હતી ઉજવણી 

અમેરિકા સહિત અનેક દેશોમાં નવેમ્બર મહિનાના ચોથા ગુરૂવારના રોજ આ દિવસ ઉજવવામાં આવે છે. જર્મની, બ્રાઝીલ, જાપાન સહિતના દેશોમાં આ દિવસને ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસે લોકો એક બીજાનો આભાર માને છે અને એક બીજાને થેન્ક્યું કહે છે. એવું માનવામાં આવે છે સૌ પ્રથમ વખત આ દિવસની ઉજવણી 1621માં કરવામાં આવી હતી.

How Thanksgiving is celebrated in India | India.com

અમેરિકામાં ધામધૂમથી થાય છે આ દિવસની ઉજવણી  

અમેરિકાએ સફળ ખેતી કરી હતી જે બાદ અમેરિકાએ પાડોશી દેશોનો આભાર માન્યો હતો. ત્યારબાદ 1789માં જોર્જ વોસિંગટને આ દિવસની સત્તાવાર રીતે જાહેરાત કરી અને ત્યારથી થેન્સ જીવીંગ ડેને ઉજવાની શરૂઆત થઈ. આ દિવસની ઉજવણી કરવા અમેરિકામાં લોકોને કામ પરથી રજા આપવામાં આવે છે. રજા હોવાને કારણે લોકો પોતાના પરિવાર સાથે રહે અને એક બીજાને ધન્યવાદ કહે. કેનેડામાં ઓક્ટોબરના બીજા સોમવારે થેન્ક્સ ગીવીંગ ડેની ઉજવણી કરવામાં આવે છે.     

Thankyou Stock Photos, Royalty Free Thankyou Images | Depositphotos

એક બીજાને થેન્ક્યુ કહી વધારે આત્મીયતા

આપણે પણ આપણી આસપાસ રેહતા લોકોનો, આપણા પરિવારનો સભ્યોનો તેમજ સાથે કામ કરનાર લોકોનો આભાર માનવો જોઈએ. ઉપરાંત ભગવાનનો પણ આભાર માનવો જોઈએ. કારણ કે તે જ આપણને લગતી તમામ વસ્તુઓ આપણા સુધી પહોંચાડે છે. અનેક લોકો આને Gratitude પણ કહે છે. જો દિલથી કોઈનો આભાર માનીએને તો આપણા સંબંધ વધારે મજબૂત બને છે અને દિલમાં રહેલી તમામ નારાજગી દૂર થાય છે. 




ગીર સોમનાથ જિલ્લામાં "સોમનાથ અમૃત મહોત્સવની" જબરદસ્ત તૈયારી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અવસરે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે આવવાના છે. ત્યારે , નગરપાલિકાનો એક કર્મચારી નારિયેળી દૂર કરવા માટે ઝાડ પર ચઢે છે. આ પછી તેઓ પોતાનું બેલેન્સ ગુમાવતા જમીન પર પડે છે અને જીવ ગુમાવે છે. ત્યારબાદ જિલ્લાના કોળી સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ પછી , ગીર સોમનાથના MLA વિમલ ચુડાસમા અને જૂનાગઢના MP રાજેશ ચુડાસમા પીડિત પરિવારને મળવા પહોંચી જાય છે. જેનાથી ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

તમિલનાડુના રાજકીય માહોલ ગરમાયેલો છે કેમ કે, ૨૩૪ ધારાસભ્યોનું કદ ધરાવતી તમિલનાડુંની વિધાનસભામાં વિજયની પાર્ટી TVK પાસે મેજીક ફિગર નથી. આ ઉપરાંત , જયારે તેમણે ગવર્નર રાજેન્દ્ર આરલેકર સાથે મુલાકાત કરી ત્યારે , વિજય પાસે ૧૧૮નો મેજીક ફિગર નહોતો આ કારણે , ગવર્નર રાજેન્દ્ર આરલેકર દ્વારા ૧૧૮ ધારાસભ્યોના સહી સાથે પ્રસ્તાવ લાવવાની વાત કરવામાં આવી છે. બીજી તરફ , વિજયે પોતાની પાર્ટીના ૧૦૮ ધારાસભ્યોને મામલ્લાપુરમ ખાતે રિસોર્ટમાં મોકલી દીધા છે. તમિલનાડુંમાં રિસોર્ટ પોલિટિક્સ શરૂઆત થઇ ચુકી છે.

એપ્રિલ, ૨૦૧૭માં જયારે ઓરિસ્સાના ભુવનેશ્વરમાં ભારતીય જનતા પાર્ટીની કાર્યકારિણી મળી હતી તેમાં , વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે , ભારતીય જનતા પાર્ટીનો સુવર્ણ યુગ ત્યારે જ હશે કે જયારે ભાજપ ઓરિસ્સા , પશ્ચિમ બંગાળ અને કેરળમાં પોતાની સરકાર બનાવે. પાંચ રાજ્યોમાં જનાદેશ આવી ગયો છે. સૌથી ચોંકાવનારા પરિણામ પશ્ચિમ બંગાળના રહ્યા છે. કેમ કે , ૧૫ વર્ષ પછી પશ્ચિમ બંગાળમાં ભાજપે સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લીધી છે. ૧૯૫ બેઠકો સાથે સરકાર બનાવવા જઈ રહ્યો છે.

રાજકોટના ગોંડલમાં નિલેશ રૈયાણીના કેસમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની મુશ્કેલીઓ વધી શકે છે. કેમ કે, નિલેશ રૈયાણી કેસમાં ફરિયાદી જયેશ સાટોડિયાના નાનાં ભાઈ જગદીશ સાટોડિયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે જેમાં તેમના દ્વારા નિલેશ રૈયાણી કેસ જે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે તેને ગુજરાત સરકાર તરફથી ઝડપથી ચલાવવા અપીલ કરી કરી છે. આ બાબતે કોઈ કાર્યવાહી ના થવા પર આગામી ૧૫ દિવસમાં જગદીશ સાટોડિયાએ સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ કરવાની ચીમકી ઉચ્ચારી છે. તો આવો જાણીએ શું છે સમાચાર?