આમીર ખાનની એડ પર કેમ થઈ રહ્યો છે વિરોધ?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-12 21:36:01

બોલિવુડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમીર ખાનની એક એડવર્ટાઈઝમેન્ટનો હાલ વિરોધ થઈ રહ્યો છે. આ એડ ખાનગી બેંકની છે જેમાં અભિનેત્રી કિયારા અડવાણી અને આમીર ખાન દેખાઈ રહ્યા છે. 


આમીર કરી રહ્યા છે ગૃહ પ્રવેશ 

આ એડની અંદર આમીર ખાન ઘર જમાઈ બનીને ગૃહ પ્રવેશ કરી રહ્યા છે. આમીર ખાન સાસરિયાના ઘરમાં કળશને પગથી હટાવી પ્રવેશ કરી રહ્યા છે. કિયારા અડવાણી અને આમીર ખાન નવદંપતી છે અને લગ્ન બાદનો સીન આ એડની અંદર દેખાઈ રહ્યા છે. આમીર ખાન એટલા માટે ઘર જમાઈ બની રહ્યા છે કારણ કે વધુના પિતા બીમાર છે. 


સોશિયલ મીડિયા પર આમીર ખાનને ટ્રોલ કરાયા 

સોશિયલ મીડિયા પર આમીર ખાનને લોકો ટ્રોલ કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે આમીર હિંદુ ધર્મના લોકોની આસ્થા દુભાવી રહ્યા છે. સંસ્કૃતિ બચાવો મંચે પણ આમીર ખાનને ચેતવણી આપી છે. મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોતમ મિશ્રા પણ સમગ્ર મામલે ગુસ્સે થયા છે. નરોતમ મિશ્રાએ કહ્યું હતું કે આવી એડથી લોકોની ભાવનાઓને ઠેસ પહોંચે છે. આમીર ખાનને આવું ના કરી શકે. મેં પણ એડ જોઈ છે અને મને પણ બરોબર નથી લાગ્યું. ફિલ્મ મેકર વિવેક અગ્નીહોત્રી પણ સમગ્ર મામલે ટિપ્પણી કરી હતી.   



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.