આમીર ખાનની એડ પર કેમ થઈ રહ્યો છે વિરોધ?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-12 21:36:01

બોલિવુડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમીર ખાનની એક એડવર્ટાઈઝમેન્ટનો હાલ વિરોધ થઈ રહ્યો છે. આ એડ ખાનગી બેંકની છે જેમાં અભિનેત્રી કિયારા અડવાણી અને આમીર ખાન દેખાઈ રહ્યા છે. 


આમીર કરી રહ્યા છે ગૃહ પ્રવેશ 

આ એડની અંદર આમીર ખાન ઘર જમાઈ બનીને ગૃહ પ્રવેશ કરી રહ્યા છે. આમીર ખાન સાસરિયાના ઘરમાં કળશને પગથી હટાવી પ્રવેશ કરી રહ્યા છે. કિયારા અડવાણી અને આમીર ખાન નવદંપતી છે અને લગ્ન બાદનો સીન આ એડની અંદર દેખાઈ રહ્યા છે. આમીર ખાન એટલા માટે ઘર જમાઈ બની રહ્યા છે કારણ કે વધુના પિતા બીમાર છે. 


સોશિયલ મીડિયા પર આમીર ખાનને ટ્રોલ કરાયા 

સોશિયલ મીડિયા પર આમીર ખાનને લોકો ટ્રોલ કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે આમીર હિંદુ ધર્મના લોકોની આસ્થા દુભાવી રહ્યા છે. સંસ્કૃતિ બચાવો મંચે પણ આમીર ખાનને ચેતવણી આપી છે. મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોતમ મિશ્રા પણ સમગ્ર મામલે ગુસ્સે થયા છે. નરોતમ મિશ્રાએ કહ્યું હતું કે આવી એડથી લોકોની ભાવનાઓને ઠેસ પહોંચે છે. આમીર ખાનને આવું ના કરી શકે. મેં પણ એડ જોઈ છે અને મને પણ બરોબર નથી લાગ્યું. ફિલ્મ મેકર વિવેક અગ્નીહોત્રી પણ સમગ્ર મામલે ટિપ્પણી કરી હતી.   



સમાચાર સામે આવી રહ્યા છે કે , પાકિસ્તાને ઓપરેશન સિંદૂર પછી ભારતના ૧૫ શહેરો પર હુમલાનો પ્રયાસ કર્યો છે . આ હુમલો ગયી કાલે મોડી રાત્રે ભારતના ૧૫ શહેરો પર ડ્રોન અને મિસાઈલ દ્વારા કરવામાં આવ્યો હતો . પાકિસ્તાનના આ નાપાક હુમલાને આપણી એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ દ્વારા નાકામ કરી નાખવામાં આવ્યો છે. તો આવો જાણીએ એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ શું છે જેને સુદર્શન ચક્ર પણ કહેવામાં આવે છે.

ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .

ભારતીય ઉપમહાદ્વીપમાં યુદ્ધના માહોલ વચ્ચે થોડાક સમય પેહલા ભારત સરકારના ગૃહ મંત્રાલયે આવતીકાલે મોકડ્રિલ માટે ગાઇડલાઇન બહાર પાડી છે. તો આપણે જાણીશું કે આ મોકડ્રીલ અંતર્ગત શું કરવામાં આવે છે ઉપરાંત ગુજરાતમાં ક્યા સ્થળોએ મોકડ્રીલ હાથ ધરવામાં આવશે .

રાજકોટ જિલ્લાનું ગોંડલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે . કેસ દુષ્કર્મનો છે. રાજકોટની એક યુવતીએ રીબડાનાં યુવકની વિરુદ્ધમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી . જે યુવકની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવામાં આવી છે તેણે હવે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. આ ઘટનામાં ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા યુવકે જ્યાં જીવ ગુમાવ્યો ત્યાં પહોંચ્યા છે સાથે જ રીબડાના અગ્રણી ગોવિંદ સકપરીયાએ અનિરુદ્ધ સિંહ જાડેજા પર આક્ષેપ કર્યા છે .