આમીર ખાનની એડ પર કેમ થઈ રહ્યો છે વિરોધ?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-12 21:36:01

બોલિવુડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમીર ખાનની એક એડવર્ટાઈઝમેન્ટનો હાલ વિરોધ થઈ રહ્યો છે. આ એડ ખાનગી બેંકની છે જેમાં અભિનેત્રી કિયારા અડવાણી અને આમીર ખાન દેખાઈ રહ્યા છે. 


આમીર કરી રહ્યા છે ગૃહ પ્રવેશ 

આ એડની અંદર આમીર ખાન ઘર જમાઈ બનીને ગૃહ પ્રવેશ કરી રહ્યા છે. આમીર ખાન સાસરિયાના ઘરમાં કળશને પગથી હટાવી પ્રવેશ કરી રહ્યા છે. કિયારા અડવાણી અને આમીર ખાન નવદંપતી છે અને લગ્ન બાદનો સીન આ એડની અંદર દેખાઈ રહ્યા છે. આમીર ખાન એટલા માટે ઘર જમાઈ બની રહ્યા છે કારણ કે વધુના પિતા બીમાર છે. 


સોશિયલ મીડિયા પર આમીર ખાનને ટ્રોલ કરાયા 

સોશિયલ મીડિયા પર આમીર ખાનને લોકો ટ્રોલ કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે આમીર હિંદુ ધર્મના લોકોની આસ્થા દુભાવી રહ્યા છે. સંસ્કૃતિ બચાવો મંચે પણ આમીર ખાનને ચેતવણી આપી છે. મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોતમ મિશ્રા પણ સમગ્ર મામલે ગુસ્સે થયા છે. નરોતમ મિશ્રાએ કહ્યું હતું કે આવી એડથી લોકોની ભાવનાઓને ઠેસ પહોંચે છે. આમીર ખાનને આવું ના કરી શકે. મેં પણ એડ જોઈ છે અને મને પણ બરોબર નથી લાગ્યું. ફિલ્મ મેકર વિવેક અગ્નીહોત્રી પણ સમગ્ર મામલે ટિપ્પણી કરી હતી.   



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી