કોમેડિયન કુણાલ કામરા સામે કેમ FIR , શિંદે સેનાએ કરી તોડફોડ.. વિવાદનું કારણ શું?


  • Published By : Payal rathod
  • Published Date : 2025-03-24 17:30:54

કોમેડિયનસનો તો જાણે ખરેખર સમય સારો નથી ચાલી રહ્યો પહેલા મીમમાં આ ચાલતું પણ હવે તો હકીકતમાં એવું થઈ રહ્યું છે પહેલા ઈન્ડિયાસ ગોટ લેટેન્ટ અને હવે કુણાલ કામરા.. કોમેડીમાં વિવાદ છે કે વિવાદ કોમેડી છે ખબર જ નથી પડતી 


કુણાલ કામરા સામે કેમ FIR થઈ? 

આજે વારે મુંબઈના ખાર પોલીસ સ્ટેશનમાં સ્ટેન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરા વિરુદ્ધ FIR થઈ કુણાલ કામરા સામે fir તો સામાન્ય માનવામાં આવે છે કારણકે એમની કોમેડી અને નિવેદનો એતો અનેક વિવાદ ઊભા કર્યા છે પણ આ વખતે તો મામલો ગંભીર થઈ ગયો કેમ તો રવિવારે કામરાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ થયો જેમાં જેમાં તે ડેપ્યુટી સીએમ શિંદેની મજાક ઉડાવતું ગીત ગાઈ રહ્યો હતો. અને આપના દેશમાં વાત જ્યારે રાજનીતિ અને ધર્મની આવે એટલે તરત કોઈ ના કોઈની તો લાગણી દુભાઈ જ જાય છે અને એવુજ થયું શિંદે જૂથના કાર્યકરો ગુસ્સે ભરાયા અને મુંબઈના ખાર વિસ્તારમાં સ્થિત કામરાના સ્ટુડિયોમાં જઈને તોડફોડ કરી નાખી . તોડફોડ બાદ એ સ્ટુડિયો બંધ કરી દેવામાં આવ્યો અને 11 લોકોની ધરપકડ પણ કરી પણ આ વિવાદ ત્યારે વધ્યો જ્યારે એક બાદ એક નેતાઓએ આ વિષે પ્રતિક્રિયા આપી અને લોકોએ જાહેરમાં કુણાલ કામરાના પોસ્ટરો સળગાવ્યા  



વિવાદિત ગીતમાં શું હતું? 

ગીતની શરૂઆતમાં જ ડેપ્યુટી સીએમ એકનાથ શિંદેના લુકનું વર્ણન કરવામાં આવ્યું છે. પછી તેમણે શિવસેના સામે બળવો કરવાની અને ધારાસભ્યો સાથે ગુવાહાટી જવાની વાત કરી. બાદમાં શિંદે થાણેનો રહેવાસી છે અને પહેલાં ઓટોરિક્ષા ચલાવતો હતો. એ જ સમયે શિંદેને ગદ્દાર, પક્ષપલટુ અને ફડણવીસના ખોળામાં બેઠેલા તરીકે વર્ણવવામાં આવ્યા છે.અને એટલે જ શિંદે જુથના લોકો ગુસ્સે ભરાયા 



દેવેન્દ્ર ફડણવીસનું નિવેદન 

આ વિવાદ પર દેવેન્દ્ર ફડણવીસનું નિવેદન પણ સામે આવ્યું જેમાં ફડણવીસે કહ્યું- કુણાલ કામરાએ માફી માગવી જોઈએ, આ સહન કરવામાં આવશે નહીં. કોમેડી કરવાનો અધિકાર છે, પરંતુ જો તે આપણા નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેને બદનામ કરવા માટે કરવામાં આવી રહ્યું હોય તો એ યોગ્ય નથી. જેની સામે ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે મને નથી લાગતું કે કુણાલ કામરાએ કંઈ ખોટું કહ્યું છે. 'ગદ્દારને' ને 'ગદ્દાર' કહેવું એ કોઈ પર હુમલો નથી.


પહેલાના વિવાદો

જોકે આ કોઈ પહેલો વિવાદ તો નથી વર્ષ 2020માં ઈન્ડિગો એરલાઈન્સ અને સ્પાઈસ જેટ દ્વારા કુણાલ કામરા પર થોડા સમય માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.એરલાઈન્સની ફ્લાઈટમાં પત્રકાર અર્નબ ગોસ્વામીને હેરાન કરવાનો આરોપ હતો.2020માં પણ કામરા વિવાદમાં ફસાયા હતા. ત્યારબાદ તેણે જર્મનીની મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે ગીત ગાતા સાત વર્ષના છોકરાનો એડિટેડ વીડિયો શેર કર્યો હતો અને એ પણ એક વિવાદ હતો અને આ લિસ્ટ ખૂબ લાંબી છે હવે ત્યારે પોલીસ કુણાલ કામરાને શોધી રહી છે.. 






ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .