કોમેડિયન કુણાલ કામરા સામે કેમ FIR , શિંદે સેનાએ કરી તોડફોડ.. વિવાદનું કારણ શું?


  • Published By : Payal rathod
  • Published Date : 2025-03-24 17:30:54

કોમેડિયનસનો તો જાણે ખરેખર સમય સારો નથી ચાલી રહ્યો પહેલા મીમમાં આ ચાલતું પણ હવે તો હકીકતમાં એવું થઈ રહ્યું છે પહેલા ઈન્ડિયાસ ગોટ લેટેન્ટ અને હવે કુણાલ કામરા.. કોમેડીમાં વિવાદ છે કે વિવાદ કોમેડી છે ખબર જ નથી પડતી 


કુણાલ કામરા સામે કેમ FIR થઈ? 

આજે વારે મુંબઈના ખાર પોલીસ સ્ટેશનમાં સ્ટેન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરા વિરુદ્ધ FIR થઈ કુણાલ કામરા સામે fir તો સામાન્ય માનવામાં આવે છે કારણકે એમની કોમેડી અને નિવેદનો એતો અનેક વિવાદ ઊભા કર્યા છે પણ આ વખતે તો મામલો ગંભીર થઈ ગયો કેમ તો રવિવારે કામરાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ થયો જેમાં જેમાં તે ડેપ્યુટી સીએમ શિંદેની મજાક ઉડાવતું ગીત ગાઈ રહ્યો હતો. અને આપના દેશમાં વાત જ્યારે રાજનીતિ અને ધર્મની આવે એટલે તરત કોઈ ના કોઈની તો લાગણી દુભાઈ જ જાય છે અને એવુજ થયું શિંદે જૂથના કાર્યકરો ગુસ્સે ભરાયા અને મુંબઈના ખાર વિસ્તારમાં સ્થિત કામરાના સ્ટુડિયોમાં જઈને તોડફોડ કરી નાખી . તોડફોડ બાદ એ સ્ટુડિયો બંધ કરી દેવામાં આવ્યો અને 11 લોકોની ધરપકડ પણ કરી પણ આ વિવાદ ત્યારે વધ્યો જ્યારે એક બાદ એક નેતાઓએ આ વિષે પ્રતિક્રિયા આપી અને લોકોએ જાહેરમાં કુણાલ કામરાના પોસ્ટરો સળગાવ્યા  



વિવાદિત ગીતમાં શું હતું? 

ગીતની શરૂઆતમાં જ ડેપ્યુટી સીએમ એકનાથ શિંદેના લુકનું વર્ણન કરવામાં આવ્યું છે. પછી તેમણે શિવસેના સામે બળવો કરવાની અને ધારાસભ્યો સાથે ગુવાહાટી જવાની વાત કરી. બાદમાં શિંદે થાણેનો રહેવાસી છે અને પહેલાં ઓટોરિક્ષા ચલાવતો હતો. એ જ સમયે શિંદેને ગદ્દાર, પક્ષપલટુ અને ફડણવીસના ખોળામાં બેઠેલા તરીકે વર્ણવવામાં આવ્યા છે.અને એટલે જ શિંદે જુથના લોકો ગુસ્સે ભરાયા 



દેવેન્દ્ર ફડણવીસનું નિવેદન 

આ વિવાદ પર દેવેન્દ્ર ફડણવીસનું નિવેદન પણ સામે આવ્યું જેમાં ફડણવીસે કહ્યું- કુણાલ કામરાએ માફી માગવી જોઈએ, આ સહન કરવામાં આવશે નહીં. કોમેડી કરવાનો અધિકાર છે, પરંતુ જો તે આપણા નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેને બદનામ કરવા માટે કરવામાં આવી રહ્યું હોય તો એ યોગ્ય નથી. જેની સામે ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે મને નથી લાગતું કે કુણાલ કામરાએ કંઈ ખોટું કહ્યું છે. 'ગદ્દારને' ને 'ગદ્દાર' કહેવું એ કોઈ પર હુમલો નથી.


પહેલાના વિવાદો

જોકે આ કોઈ પહેલો વિવાદ તો નથી વર્ષ 2020માં ઈન્ડિગો એરલાઈન્સ અને સ્પાઈસ જેટ દ્વારા કુણાલ કામરા પર થોડા સમય માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.એરલાઈન્સની ફ્લાઈટમાં પત્રકાર અર્નબ ગોસ્વામીને હેરાન કરવાનો આરોપ હતો.2020માં પણ કામરા વિવાદમાં ફસાયા હતા. ત્યારબાદ તેણે જર્મનીની મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે ગીત ગાતા સાત વર્ષના છોકરાનો એડિટેડ વીડિયો શેર કર્યો હતો અને એ પણ એક વિવાદ હતો અને આ લિસ્ટ ખૂબ લાંબી છે હવે ત્યારે પોલીસ કુણાલ કામરાને શોધી રહી છે.. 






અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.