શા માટે 16 માર્ચે ઉજવાય છે રાષ્ટ્રીય રસીકરણ દિવસ? કયા રોગને નાબુદ કરવા ચલાવાયું હતું અભિયાન


  • Published By :
  • Published Date : 2023-03-16 11:02:04

દર વર્ષે 16 માર્ચના રોજ નેશનલ વેક્સિનેશન ડેની ઉજવણી કરવામાં આવે છે. વર્ષ 1995માં આ જ દિવસે ભારતમાં પ્રથમવાર પોલિયો રસી આપવામાં આવી હતી. જે બાદ દર વર્ષે આ તારીખને નેશનલ વેક્સિનેશન ડે તરીકે ઉજવાય છે. માનવના જીવનમાં રસીકરણનું મહત્વ રહેલું છે અને તે અંગે જ માહિતગાર કરવા આ દિવસે રસીકરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. 


રસીને કારણે વધે છે રોગપ્રતિકારક શક્તિ 

કોરોના કાળે અનેક વસ્તુઓનું મહત્વ સમજાવી દીધું છે. રસીકરણનું પણ મહત્વ આપણને તે સમય દરમિયાન સમજાઈ ગયું હતું. રસીનું મહત્વ સમાજાવવા દર વર્ષે નેશનલ વેક્સિન ડેની ઉજવણી કરવામાં આવે છે. રસીકરણને કારણે સંક્રામક રોગથી બચવા માટે ઈમ્યૂન સિસ્ટમ એક્ટિવ થાય છે. અને રોગ પ્રતિકારક શક્તિને વધુ સારી બનાવે છે. રોગ પ્રતિકારક શક્તિ વધે તે માટે રસીકરણ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. પોલિયોને કારણે અનેક લોકોના જીવ ગયા છે. ત્યારે દેશમાંથી પોલિયોને નાબુદ કરવા સરકાર દ્વારા અભિયાન ચલાવવામાં આવ્યું હતું. 


પોલિયોને નાબુદ કરવા દેશમાં ચાલ્યું હતું અભિયાન  

પોલિયોને કારણે અનેક લોકો ક્ષતિગ્રસ્ત થયા હતા. પોલિયોને જડમૂળથી નાશ કરવા ભારત સરકારે અભિયાન ચલાવ્યું હતું. 16 માર્ચના રોજ પહેલી વાર દેશમાં પોલિયો રસી આપવામાં આવી હતી.  રસીકરણ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. 5 વર્ષ સુધીના બાળકોને પોલિયો રસીના બે ટીપા આપવામાં આવ્યા હતા. આ અભિયાનને સાર્થક કરવા સરકારે ભારે જહેમત ઉઠાવી હતી. સરકાર દ્વારા કરવામાં આવેલા પ્રયાસોનું પરિણામ મળ્યું છે. થોડા વર્ષો પહેલા વિશ્વ આરોગ્ય સંસ્થાએ ભારતને પોલિયો મુક્ત દેશ જાહેર કર્યો હતો. પોલિયો રસીકરણ અભિયાનની સફળતા બાદ ભારતમાં અનેક રસીકરણના અભિયાન ચલાવવામાં આવ્યા હતા. ટીબી, બીસીજી જેવી ગંભીર બિમારીઓથી રક્ષણ મેળવવા વેક્સિન ઉપયોગી સાબિત થઈ છે. 


રસીકરણથી અનેક જીવલેણ બિમારીઓથી મેળવી શકાય છે રક્ષણ

કોરોના કાળે રસીકરણનું મહત્વ આપણને સમજાઈ ગયું હતું. કોરોનાએ વિશ્વમાં હાહાકાર મચાવ્યો હતો. જીવલેણ સાબિત થયેલા કોરોનામાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. ત્યારે કોરોના સામે રક્ષણ મેળવવા કોરોના વેક્સિને મહત્વની ભૂમિકા ભજવી હતી. રસીકરણને કારણે લોકો પોલિયો સહિત અનેક જીવલેણ રોગોથી રક્ષણ મેળવી શકે છે.             




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.