શા માટે 16 માર્ચે ઉજવાય છે રાષ્ટ્રીય રસીકરણ દિવસ? કયા રોગને નાબુદ કરવા ચલાવાયું હતું અભિયાન


  • Published By :
  • Published Date : 2023-03-16 11:02:04

દર વર્ષે 16 માર્ચના રોજ નેશનલ વેક્સિનેશન ડેની ઉજવણી કરવામાં આવે છે. વર્ષ 1995માં આ જ દિવસે ભારતમાં પ્રથમવાર પોલિયો રસી આપવામાં આવી હતી. જે બાદ દર વર્ષે આ તારીખને નેશનલ વેક્સિનેશન ડે તરીકે ઉજવાય છે. માનવના જીવનમાં રસીકરણનું મહત્વ રહેલું છે અને તે અંગે જ માહિતગાર કરવા આ દિવસે રસીકરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. 


રસીને કારણે વધે છે રોગપ્રતિકારક શક્તિ 

કોરોના કાળે અનેક વસ્તુઓનું મહત્વ સમજાવી દીધું છે. રસીકરણનું પણ મહત્વ આપણને તે સમય દરમિયાન સમજાઈ ગયું હતું. રસીનું મહત્વ સમાજાવવા દર વર્ષે નેશનલ વેક્સિન ડેની ઉજવણી કરવામાં આવે છે. રસીકરણને કારણે સંક્રામક રોગથી બચવા માટે ઈમ્યૂન સિસ્ટમ એક્ટિવ થાય છે. અને રોગ પ્રતિકારક શક્તિને વધુ સારી બનાવે છે. રોગ પ્રતિકારક શક્તિ વધે તે માટે રસીકરણ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. પોલિયોને કારણે અનેક લોકોના જીવ ગયા છે. ત્યારે દેશમાંથી પોલિયોને નાબુદ કરવા સરકાર દ્વારા અભિયાન ચલાવવામાં આવ્યું હતું. 


પોલિયોને નાબુદ કરવા દેશમાં ચાલ્યું હતું અભિયાન  

પોલિયોને કારણે અનેક લોકો ક્ષતિગ્રસ્ત થયા હતા. પોલિયોને જડમૂળથી નાશ કરવા ભારત સરકારે અભિયાન ચલાવ્યું હતું. 16 માર્ચના રોજ પહેલી વાર દેશમાં પોલિયો રસી આપવામાં આવી હતી.  રસીકરણ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. 5 વર્ષ સુધીના બાળકોને પોલિયો રસીના બે ટીપા આપવામાં આવ્યા હતા. આ અભિયાનને સાર્થક કરવા સરકારે ભારે જહેમત ઉઠાવી હતી. સરકાર દ્વારા કરવામાં આવેલા પ્રયાસોનું પરિણામ મળ્યું છે. થોડા વર્ષો પહેલા વિશ્વ આરોગ્ય સંસ્થાએ ભારતને પોલિયો મુક્ત દેશ જાહેર કર્યો હતો. પોલિયો રસીકરણ અભિયાનની સફળતા બાદ ભારતમાં અનેક રસીકરણના અભિયાન ચલાવવામાં આવ્યા હતા. ટીબી, બીસીજી જેવી ગંભીર બિમારીઓથી રક્ષણ મેળવવા વેક્સિન ઉપયોગી સાબિત થઈ છે. 


રસીકરણથી અનેક જીવલેણ બિમારીઓથી મેળવી શકાય છે રક્ષણ

કોરોના કાળે રસીકરણનું મહત્વ આપણને સમજાઈ ગયું હતું. કોરોનાએ વિશ્વમાં હાહાકાર મચાવ્યો હતો. જીવલેણ સાબિત થયેલા કોરોનામાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. ત્યારે કોરોના સામે રક્ષણ મેળવવા કોરોના વેક્સિને મહત્વની ભૂમિકા ભજવી હતી. રસીકરણને કારણે લોકો પોલિયો સહિત અનેક જીવલેણ રોગોથી રક્ષણ મેળવી શકે છે.             




ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાન અકસ્માત થયો છે. એક નાનું એરક્રાફ્ટ , લંડનના સાઉથએન્ડ એરપોર્ટ ખાતે ક્રેશ થઈ ગયું છે. રનવે પરથી ઉડાન ભર્યાના થોડીવારમાં જ આ વિમાન ક્રેશ થયું હતું . ક્રેશ થયા બાદ આ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું . ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ ખાતે જવાનું હતું.

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .