કેનેડાના જંગલો થયા આગમાં તબાહ, ન્યુયોર્ક, મેનહટન સહિતના અમેરિકાના રાજ્યોમાં એલર્ટ


  • Published By :
  • Published Date : 2023-06-08 11:59:35

1. આગની જ્વાળાઓમાં લપેટાયું કેનેડા

 કેનેડાનાં જંગલોમાં અત્યાર સુધીની સૌથી ભીષણ આગ લાગી છે. 400થી વધુ જંગલોમાં લાગેલી આગની જ્વાળાઓ ઉત્તર અમેરિકાના 3 હજાર કિલોમીટર સુધીના વિસ્તારો સુધી પહોંચી ગઇ છે..જેને કારણે આ વિસ્તારોમાંથી અંદાજે સવા લાખ લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા છે.. અમેરિકાના મિનેસોટાથી માસાચ્યુસેટ્સ સુધી એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.. આ સિવાય ન્યુયોર્ક સ્ટેટ, વર્મોન્ટ, મેનહટનના કેટલાક  ભાગોમાં આકાશ ધુમાડાથી છવાઇ રહ્યું છે.. અને હવાની ગુણવત્તા બગડી રહી છે.. અમેરિકા મેક્સિકો ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ સહિતના દેશોએ કેનેડામાં મદદ મોકલી છે.. એક હજાર કરતા પણ વધુ ફાયરફાઇટર્સ આગ બુઝાવવાની કામગીરી કરી રહ્યા છે.. આગ લાગવાનું પ્રાથમિક કારણ જો કે ગરમી અને તાપમાનમાં થયેલો સતત વધારો હોવાનું નિષ્ણાતો જણાવી રહ્યા છે.. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ નિવેદન આપ્યું છે કે સ્થિતિ ડરામણી છે.. લોકોને તેમના ઘર છોડવા પડ્યા છે..


2. 19 વર્ષના ટીનએજરે કર્યો ગોળીબાર 

અમેરિકાની વર્જિનિયા યુનિવર્સિટીમાં હાઇસ્કૂલ ગ્રેજ્યુએશન સેરેમની દરમિયાન એક 19 વર્ષના ટીનએજરે અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો..આ ઘટનામાં 2 લોકોના મોત થયા છે.. અને 5 લોકો ઇજાગ્રસ્ત થયા છે.. પોલીસે આ ઘટનામાં હુમલો કરનાર 19 વર્ષના ટીનએજરની અટકાયત કરી છે.. ગન વાયોલન્સ આર્કાઇવના એક રિપોર્ટ મુજબ આ વર્ષે યુએસમાં 200થી વધુ સામૂહિક ગોળીબારની ઘટનાઓ બની છે.. જેમાં અઢી હજારથી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે... 


3. યુક્રેનના ડેમ પર રશિયાનો એટેક, 24 ગામો પાણીમાં

યુક્રેન દેશના સૌથી મોટો ડેમ નોવા કાખોવકા પર રશિયાએ હુમલો કરતા ડેમનો હિસ્સો તૂટી પડ્યો હતો..જેના પછી ડેમની આસપાસના વિસ્તારોમાં ઇમરજન્સી લાગુ કરી ખેરસોન સહિતના વિસ્તારોમાંથી 17 હજાર લોકોને રેસ્ક્યુ કરાયા છે.. આ ડેમ નીપ્રો નદી પર બાંધવામાં આવ્યો હતો જેની આસપાસના અંદાજે 24 ગામોમાં પાણી ભરાઇ ગયા છે.. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ ઇમરજન્સી બેઠક બોલાવી અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી અને ખેરસોનના અધિકારીઓ દ્વારા સ્થિતિને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.. 


4. લોકોને ડ્રોનમાં ઉડાડશે ઇઝરાયેલ

ઇઝરાયેલમાં ડ્રોન ટેક્સીનો પ્રયોગ સફળ રહ્યો છે.. લગભગ 3 વર્ષ પહેલા ઇઝરાયેલની સરકારે ડ્રોન ઇનિશિયેટીવ  પ્રોગ્રામ શરૂ કર્યો હતો.. જે અંતર્ગત ફ્લાઇંગ ટેક્સી શરૂ કરવામાં આવી છે.. કુલ મળીને 11 કંપનીઓએ આ ફ્લાઇંગ ટેક્સીની બનાવટ, પરીક્ષણ સહિતની જવાબદારી લીધી હતી..આ પ્રયોગમાં 2 લોકોને આ ફ્લાઇંગ ટેક્સીમાં બેસાડીને 30 કિમીની યાત્રા કરાવવામાં આવી.. ટેક્સીની બનાવટમાં ખાસ બાબત એ છે કે તેની ડિઝાઇન ડ્રોન વિમાન જેવી જ રાખવામાં આવી છે.. તેમાં રોટર કે પાંખો પણ નથી.. તેમાં નાની સાઇઝની ગ્રીલ્સ છે જે પવનને કાપીને ટેક્સીને આગળ વધવામાં મદદ કરશે.. ઇઝરાયેલની કંપનીઓનો દાવો છે કે આ ફ્લાઈંગ ટેક્સીનું કોમર્શિયલ ઉત્પાદન બે વર્ષમાં શરૂ થઈ જશે. તેનાથી ટ્રાફિક જામમાંથી ઘણી રાહત મળશે.


5. બુશરા બીબીની અલ કાદિર ટ્રસ્ટ કેસમાં પૂછપરછ

 પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની પત્ની બુશરા બીબીની અલ કાદિર ટ્રસ્ટ કૌભાંડ કેસમાં નેશનલ એકાઉન્ટેબિલિટી બ્યુરો દ્વારા પૂછપરછ થશે.. બુશરા બીબીએ લાહોર હાઇકોર્ટમાં અરજી કરીને તેની વિરુદ્ધના તમામ કેસો સામે ધરપકડ પર રોક લગાવવાની એટલે કે પ્રોટેક્શન બેલની માગ કરી છે.. જીઓ ન્યુઝના એક અહેવાલ મુજબ બુશરા બીબીએ નિવેદન આપ્યું છે કે રાજકીય કારણોસર તેની સામે કેસ દાખલ કરવામાં આવ્યા છે.. તેને પોતાના પર થયેલા કોઇ કેસની માહિતી નથી.. 

જોકે આજે તેમણે NAB સામે હાજર થવું પડશે.. જ્યાં તેમનું નિવેદન લેવામાં આવશે.. 


6. અમેરિકા જાસૂસી ઉપગ્રહ તરતો મૂકશે

અમેરિકા સ્પાઇ સેટેલાઇટ લોન્ચ કરવા જઇ રહ્યું છે.. તેના દ્વારા અમેરિકા ચીન અને રશિયાના સેટેલાઇટ્સ અને સ્પેસ વ્હીકલ પર નજર રાખશે..રશિયા અને ચીને પણ સ્પેસમાં એક એવી ટેકનીક વિકસાવી છે જેનાથી ઓર્બિટમાં ફરતા અન્ય સેટેસાઇટ્સની મુવમેન્ટ્સને ટ્રેક કરી શકે.. આથી અમેરિકાએ પણ સ્પર્ધામાં ઉતરીને પોતાના સ્પાઇ સેટેલાઇટ્સ  ડેવલપ કર્યા છે.. તેને સાઇલેન્ટ બાર્કર એવું નામ આપ્યું છે..જુલાઇમાં અમેરિકા આ સેટેલાઇટ્સ લોન્ચ કરશે


7. એજન્ટ દ્વારા કેનેડા ગયેલા 700થી વધુ વિદ્યાર્થીઓ સાથે દગો

કેનેડામાં સ્ટુડન્ટ વિઝા પર ગયેલા સેંકડો પંજાબી વિદ્યાર્થીઓએ સરકાર સામે મોરચો માંડ્યો છે.. આ વિદ્યાર્થી પોતાના ડોક્યુમેન્ટ લઇને જે એજન્ટ મારફતે કેનેડા ગયા હતા તે દસ્તાવેજો યુનિવર્સિટીની તપાસમાં નકલી નીકળ્યા..  કેનેડાની સરકારે છેતરપિંડીનો ભોગ બનેલા આવા 700 વિદ્યાર્થીઓને દેશમાંથી નીકળી જવાનો આદેશ આપ્યો છે.. પણ આ વિદ્યાર્થીઓ માગ કરી રહ્યા છે કે તેમને કેનેડાની અન્ય કોઇ સંસ્થાઓમાં પ્રવેશ આપી દેવામાં આવે..


8. મોબાઇલ લાઇટના સહારે સુદાનની હોસ્પિટલોમાં સારવાર

સુદાનની રાજધાની ખાર્તુમમાં ગૃહયુદ્ધની પરિસ્થિતિને કારણે વીજપુરવઠો ખોરવાઇ ગયો છે..BBCના એક  રિપોર્ટ અનુસાર ખાર્તુમની કેટલીક હોસ્પિટલોમાં ગર્ભવતી સ્ત્રીઓની પ્રસૂતિ માટે મોબાઇલ ફોનની ટોર્ચ લાઇટ પર આધાર રાખવો પડી રહ્યો છે.. એપ્રિલમાં સુદાનમાં 2 લશ્કરી જૂથો વચ્ચે હિંસા ફાટી નીકળી હતી જેના કારણે આખા દેશમાં યુદ્ધનો માહોલ છે.. 


9. ફિનલેન્ડમાં ઓવરસ્પીડીંગ માટે એક કરોડ રૂપિયાનો દંડ

ફિનલેન્ડના હેલસિન્કીમાં ઓવરસ્પીડીંગ માટે એક વ્યક્તિને એક કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો.. આ વ્યક્તિ ફિનલેન્ડના ટાપુ પ્રદેશ આલેન્ડ ટાપુના એક  રોડ પર ગાડી ચલાવી રહ્યો હતો તેની સ્પીડ લિમિટ 50 કિલોમીટરની છે અને તેની કારની સ્પીડ 82 કિલોમીટર પ્રતિ કલાક હતી.ફિનલેન્ડમાં ટ્રાફિક નિયમોના કાયદા અનુસાર દરેક વ્યક્તિને તેની રોજની આવકના અડધા ભાગની રકમનો દંડ ફટકારવામાં આવે છે...ફિનલેન્ડ આ કાયદો ધનિક અપરાધીઓને સજા આપવામાટે લાવ્યુ છે.


10. જાપાનમાં લોકો હસવાની લઇ રહ્યા છે ટ્રેનિંગ 

જાપાનમાં લોકો હસવાની ટ્રેનિંગ લઇ રહ્યા છે...કોરોના મહામારી દરમિયાન જાપાનીઓએ એટલા લાંબા સમય સુધી માસ્ક પહેરી રાખ્યું કે, તેઓ સ્માઈલ કરવાનું ભૂલી ગયા છે.લોકોને માસ્ક પહેરવાની એવી આદત પડી ગઈ છે કે, સરકારે નિયમોમાં ઢીલ આપી છે તેમ છતાં તેઓ માસ્ક પહેરી રહ્યા છે. ..અને માસ્કને લીધે હસવાનું ભૂલી જતા તેઓ ટ્રેનિંગ સેન્ટરમાં જઇ હસવાનું શીખી રહ્યા છે.. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.