શૂં ચૂંટણી પૂર્ણ થયા બાદ કોઈ સિધી જઈ દશમતની સુરક્ષા સુનિશ્ચિત કરશે? જેટલું અસમંજસ આટલા વર્ષોમાં નહીં થયું તેટલું અસમંજસ હમણાં થતું હશે દશમતને..


  • Published By :
  • Published Date : 2023-07-08 15:15:23

કેટલું ભયાનક છે માનવતાને તાર તાર કરી દેતી ઘટનાનું તમાશો બની જવું. કેટલું ભયાનક છે એ તમાશામાં પક્ષ માત્રને સામેલ થતા જોવુ. પીપલી લાઈવ ફિલ્મ જોઈ છે. ના જોઈ હોઈ તો જોઈ લેજો. 13 વર્ષ થયા એ કહાનીને, દર્શાવવામાં આવી હતી નથ્થા નામે ખેડૂતની દારૂણ વાસ્તવિકતા પણ 13 વર્ષ પછી ય સમાજ. સરકાર, કે મીડિયા કશું બદલાયું હોય એમ લાગે છે? 

એ ઘટના જ ભયાનકતાની પરાકાષ્ઠા હતી જ્યારે પ્રવેશ શુક્લા દારુ અને સત્તાના નશામાં ચકનાચુર થઈને અસ્થીર મગજના આદિવાસી દશમત પર પેશાબ કરી રહ્યો હતો. પણ એના પછી આટલા દિવસ સુધી જે થઈ રહ્યું છે એ તો એનાથી પણ ભયાનક છે. સૌથી પહેલા દશમત રાવતનું સોગંદનામું આવવું અને વીડિયો હોવા છતાં પણ એણે કશું જ નથી કર્યું એવું ફરમાન કરી દેવું. કેટલુ સરળ હોય છે ગરીબની ઈજ્જત, સન્માન અને પછી એનું સત્ય પણ એની પાસેથી ખરીદી લેવું. ખરીદી ના શકાય તો છીનવી લેવું. આટલું થયું એ પણ ઓછું હોય એમ સન્માન આપવાના નામે સતત આટલા દિવસોથી દશમત રાવતના તમાશા થઈ રહ્યા છે. પહેલા મુખ્યમંત્રી આવાસ પર એના ચરણ પખાળવા, પછી એને પકવાનોનું ભોજન પીરસવું. દશમતને સવાલ કર્યો કે મુખ્યમંત્રીને મળ્યા પછી શું કહેશો તો દશમત શું કહેવાનો.... કદાચ એણે પહેલા ભોપાલ જોયું પણ નહીં હોય અને હવે એ સીધા મુખ્યમંત્રી આવાસ પહોંચ્યો હતો. એણે કહ્યું કે મંત્રીને મળ્યો, સારુ લાગ્યુ, હવે પાછો જાવ છું. જે થયું એ થયું. એનાથી વિશેષ એ શું કહેવાનો. આ એ દશમત છે જેના પર પેલો પ્રવેશ પેશાબ કરતો હતો છતાંય એણે પ્રતિકાર સુદ્ધા નહોતો કર્યો. પછી દશમત પાછો સીધી પહોંચ્યો તો કૉંગ્રેસના જિલ્લા અધ્યક્ષ પહોંચ્યા અને એને ગંગાજળથી પવિત્ર કર્યો.

  

 

શું આ ખરેખર એની સાથે ન્યાય થઈ રહ્યો છે? ચૂંટણી પુરી થઈ જશે પછી શું આમાંથી કોઈ સીધી જિલ્લામાં જઈને દશમતની સુરક્ષા સુનિશ્ચિત કરી શકવાના છે? એની કેટલી ભયાનક મજબૂરી હશે કે એણે કહેવું પડ્યું કે પ્રવેશને એની ભુલનો અહેસાસ છે તો એની પર કાર્યવાહી ના થવી જોઈએ. 

સન્માનના દરરોજના નાટકોથી લીરેલીરા ઉડાડવામાં આવે છે!

એના પર પેશાબ કરવામાં આવ્યો ત્યારે એને જે અપમાન મહેસુસ નહીં થયું હોય એટલી અસમંજસ દશમતને છેલ્લા થોડા દિવસોથી થતી હશે... વર્ષોના વર્ષો યુગોના યુગો બદલાયા પણ શું કામ આત્મસન્માન આપવાના નામે આજે પણ એના સન્માનના દરરોજના નાટકોથી લીરેલીરા ઉડાડવામાં આવે છે. શું આ એની સાથે ન્યાય થઈ રહ્યો છે. સર્કસમાં વાંદરાને મનમરજી પ્રમાણે નચાડો કે પ્રાણીઓનું પ્રદર્શન કરો એનાથી વિશેષ શું થઈ રહ્યું છે. વાસી વિચાર અને કાળા વિચારોથી વિશેષ આ રાજનીતિ એને કશું જ નથી પીરસી રહી. ખરેખર માણસને ઈશ્વર બનાવી નાખવું સરળ છે પણ એને માણસ સમજવું મુશ્કેલ એ સાબિત થઈ રહ્યું છે.



Who does not know the famous Indian industrialist Dhirajlal Hira Chand Ambani alias Dhirubhai Ambani. Many people have heard his story from working at a petrol pump to establishing a company like Reliance Industries. But very few people know how much struggle he has had to reach here and what thoughts and principles he lives by. 28th December is Dhirubhai Ambani's birthday. Before that, Parimalbhai Nathwani has written an article on Dhirubhai's life and his principles. In the article, Parimal Nathwani has described Dhirubhai's life by linking it with the principles of Geeta.

અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.