શૂં ચૂંટણી પૂર્ણ થયા બાદ કોઈ સિધી જઈ દશમતની સુરક્ષા સુનિશ્ચિત કરશે? જેટલું અસમંજસ આટલા વર્ષોમાં નહીં થયું તેટલું અસમંજસ હમણાં થતું હશે દશમતને..


  • Published By :
  • Published Date : 2023-07-08 15:15:23

કેટલું ભયાનક છે માનવતાને તાર તાર કરી દેતી ઘટનાનું તમાશો બની જવું. કેટલું ભયાનક છે એ તમાશામાં પક્ષ માત્રને સામેલ થતા જોવુ. પીપલી લાઈવ ફિલ્મ જોઈ છે. ના જોઈ હોઈ તો જોઈ લેજો. 13 વર્ષ થયા એ કહાનીને, દર્શાવવામાં આવી હતી નથ્થા નામે ખેડૂતની દારૂણ વાસ્તવિકતા પણ 13 વર્ષ પછી ય સમાજ. સરકાર, કે મીડિયા કશું બદલાયું હોય એમ લાગે છે? 

એ ઘટના જ ભયાનકતાની પરાકાષ્ઠા હતી જ્યારે પ્રવેશ શુક્લા દારુ અને સત્તાના નશામાં ચકનાચુર થઈને અસ્થીર મગજના આદિવાસી દશમત પર પેશાબ કરી રહ્યો હતો. પણ એના પછી આટલા દિવસ સુધી જે થઈ રહ્યું છે એ તો એનાથી પણ ભયાનક છે. સૌથી પહેલા દશમત રાવતનું સોગંદનામું આવવું અને વીડિયો હોવા છતાં પણ એણે કશું જ નથી કર્યું એવું ફરમાન કરી દેવું. કેટલુ સરળ હોય છે ગરીબની ઈજ્જત, સન્માન અને પછી એનું સત્ય પણ એની પાસેથી ખરીદી લેવું. ખરીદી ના શકાય તો છીનવી લેવું. આટલું થયું એ પણ ઓછું હોય એમ સન્માન આપવાના નામે સતત આટલા દિવસોથી દશમત રાવતના તમાશા થઈ રહ્યા છે. પહેલા મુખ્યમંત્રી આવાસ પર એના ચરણ પખાળવા, પછી એને પકવાનોનું ભોજન પીરસવું. દશમતને સવાલ કર્યો કે મુખ્યમંત્રીને મળ્યા પછી શું કહેશો તો દશમત શું કહેવાનો.... કદાચ એણે પહેલા ભોપાલ જોયું પણ નહીં હોય અને હવે એ સીધા મુખ્યમંત્રી આવાસ પહોંચ્યો હતો. એણે કહ્યું કે મંત્રીને મળ્યો, સારુ લાગ્યુ, હવે પાછો જાવ છું. જે થયું એ થયું. એનાથી વિશેષ એ શું કહેવાનો. આ એ દશમત છે જેના પર પેલો પ્રવેશ પેશાબ કરતો હતો છતાંય એણે પ્રતિકાર સુદ્ધા નહોતો કર્યો. પછી દશમત પાછો સીધી પહોંચ્યો તો કૉંગ્રેસના જિલ્લા અધ્યક્ષ પહોંચ્યા અને એને ગંગાજળથી પવિત્ર કર્યો.

  

 

શું આ ખરેખર એની સાથે ન્યાય થઈ રહ્યો છે? ચૂંટણી પુરી થઈ જશે પછી શું આમાંથી કોઈ સીધી જિલ્લામાં જઈને દશમતની સુરક્ષા સુનિશ્ચિત કરી શકવાના છે? એની કેટલી ભયાનક મજબૂરી હશે કે એણે કહેવું પડ્યું કે પ્રવેશને એની ભુલનો અહેસાસ છે તો એની પર કાર્યવાહી ના થવી જોઈએ. 

સન્માનના દરરોજના નાટકોથી લીરેલીરા ઉડાડવામાં આવે છે!

એના પર પેશાબ કરવામાં આવ્યો ત્યારે એને જે અપમાન મહેસુસ નહીં થયું હોય એટલી અસમંજસ દશમતને છેલ્લા થોડા દિવસોથી થતી હશે... વર્ષોના વર્ષો યુગોના યુગો બદલાયા પણ શું કામ આત્મસન્માન આપવાના નામે આજે પણ એના સન્માનના દરરોજના નાટકોથી લીરેલીરા ઉડાડવામાં આવે છે. શું આ એની સાથે ન્યાય થઈ રહ્યો છે. સર્કસમાં વાંદરાને મનમરજી પ્રમાણે નચાડો કે પ્રાણીઓનું પ્રદર્શન કરો એનાથી વિશેષ શું થઈ રહ્યું છે. વાસી વિચાર અને કાળા વિચારોથી વિશેષ આ રાજનીતિ એને કશું જ નથી પીરસી રહી. ખરેખર માણસને ઈશ્વર બનાવી નાખવું સરળ છે પણ એને માણસ સમજવું મુશ્કેલ એ સાબિત થઈ રહ્યું છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.