વેક્સિનની આડ અસરને કારણે 'કોવિશિલ્ડ' બનાવતી કંપની AstraZeneca વિશ્વભરમાંથી તેની કોરોના રસી પાછી ખેંચી લેશે? જાણો વિગતવાર


  • Published By :
  • Published Date : 2024-05-08 13:33:09

AstraZeneca દ્વારા બનાવવામાં આવેલી કોરોના વેક્સિનને લઈ એક મોટી અપડેટ સામે આવી છે.. છેલ્લા ઘણા સમયથી કોરોના વેક્સિનની ચર્ચાઓ થઈ રહી છે... ભારતમાં આપણે જેને કોરોના વેક્સિન કોવિશિલ્ડ તરીકે જાણીએ તે રસીના તમામ સ્ટોકને કંપનીએ પરત મંગાવી દીધા છે તેવી માહિતી સામે આવી છે.. કોવિશિલ્ડ બનાવતી બ્રિટિશ ફાર્માસ્યુટિકલ કંપની એસ્ટ્રાઝેનેકાએ મોટો નિર્ણય લીધો છે વેક્સિનને લઈ.. આ ફાર્માસ્યુટિકલ ઉત્પાદન કંપની હવે વિશ્વભરમાંથી તેની રસી પાછી ખેંચી રહી છે કારણ કે આ વેક્સિનને લઈ બબાલ ચાલી રહી છે....  

કોર્ટમાં કંપનીએ સ્વીકાર કર્યો હતો કે... 

થોડા વર્ષો પહેલા કોરોનાને કારણે અનેક પરિવારોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે. કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સાઓમાં સતત વધારો જોવા મળ્યો હતો.. અનેક લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા હતા.. તે વખતે એવી વાતો થતી કે કોરોના વેક્સિનને કારણે હાર્ટ એટેક આવી રહ્યો છે... આ બધા વચ્ચે થોડા સમય પહેલા કંપનીએ કાર્ટમાં સ્વીકાર્યું હતું કે તેમની રસીને કારણે લોહી ગંઠાવવું જેવી ગંભીર બિમારીઓ થઈ શકે છે.. આ બાદ અનેક લોકોમાં વેક્સિનને લઈ ડર બેસી ગયો છે.. 


કંપનીએ નિર્ણય લીધો કે.. 

આ બધા વચ્ચે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે કંપનીએ વિશ્વભરમાં તેની કોવિડ-19 રસીની ખરીદી અને વેચાણ બંધ કરવાનો નિર્ણય લીધો છે. બ્રિટિશ અખબાર ધ ટેલિગ્રાફના અહેવાલ મુજબ, કંપનીએ કહ્યું છે કે હવે રસીનું નિર્માણ અને સપ્લાય કરવામાં આવી રહ્યું નથી. મહત્વનું છે કે આ લિસ્ટમાં ભારતની કોરોના વેક્સિન કોવિશિલ્ડનો પણ સમાવેશ થાય છે... 



કંપની દ્વારા આપવામાં આવ્યું આ કારણ..  

કંપની દ્વારા આ નિર્ણય શા માટે લેવામાં આવ્યો તે પણ જણાવવામાં આવ્યું છે તેવી માહિતી સામે આવી છે.. મળતી માહિતી અનુસાર AstraZeneca દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે આડ અસરોને કારણે રસી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો નથી. કંપનીએ કહ્યું કે વ્યાપારી કારણોસર આ રસીને બજારોમાંથી હટાવી દેવામાં આવી છે. હવે બજારમાં બીજી ઘણી અદ્યતન રસીઓ ઉપલબ્ધ છે, જે વાયરસના વિવિધ પ્રકારો સામે લડી શકે છે. 



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .