વેક્સિનની આડ અસરને કારણે 'કોવિશિલ્ડ' બનાવતી કંપની AstraZeneca વિશ્વભરમાંથી તેની કોરોના રસી પાછી ખેંચી લેશે? જાણો વિગતવાર


  • Published By :
  • Published Date : 2024-05-08 13:33:09

AstraZeneca દ્વારા બનાવવામાં આવેલી કોરોના વેક્સિનને લઈ એક મોટી અપડેટ સામે આવી છે.. છેલ્લા ઘણા સમયથી કોરોના વેક્સિનની ચર્ચાઓ થઈ રહી છે... ભારતમાં આપણે જેને કોરોના વેક્સિન કોવિશિલ્ડ તરીકે જાણીએ તે રસીના તમામ સ્ટોકને કંપનીએ પરત મંગાવી દીધા છે તેવી માહિતી સામે આવી છે.. કોવિશિલ્ડ બનાવતી બ્રિટિશ ફાર્માસ્યુટિકલ કંપની એસ્ટ્રાઝેનેકાએ મોટો નિર્ણય લીધો છે વેક્સિનને લઈ.. આ ફાર્માસ્યુટિકલ ઉત્પાદન કંપની હવે વિશ્વભરમાંથી તેની રસી પાછી ખેંચી રહી છે કારણ કે આ વેક્સિનને લઈ બબાલ ચાલી રહી છે....  

કોર્ટમાં કંપનીએ સ્વીકાર કર્યો હતો કે... 

થોડા વર્ષો પહેલા કોરોનાને કારણે અનેક પરિવારોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે. કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સાઓમાં સતત વધારો જોવા મળ્યો હતો.. અનેક લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા હતા.. તે વખતે એવી વાતો થતી કે કોરોના વેક્સિનને કારણે હાર્ટ એટેક આવી રહ્યો છે... આ બધા વચ્ચે થોડા સમય પહેલા કંપનીએ કાર્ટમાં સ્વીકાર્યું હતું કે તેમની રસીને કારણે લોહી ગંઠાવવું જેવી ગંભીર બિમારીઓ થઈ શકે છે.. આ બાદ અનેક લોકોમાં વેક્સિનને લઈ ડર બેસી ગયો છે.. 


કંપનીએ નિર્ણય લીધો કે.. 

આ બધા વચ્ચે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે કંપનીએ વિશ્વભરમાં તેની કોવિડ-19 રસીની ખરીદી અને વેચાણ બંધ કરવાનો નિર્ણય લીધો છે. બ્રિટિશ અખબાર ધ ટેલિગ્રાફના અહેવાલ મુજબ, કંપનીએ કહ્યું છે કે હવે રસીનું નિર્માણ અને સપ્લાય કરવામાં આવી રહ્યું નથી. મહત્વનું છે કે આ લિસ્ટમાં ભારતની કોરોના વેક્સિન કોવિશિલ્ડનો પણ સમાવેશ થાય છે... 



કંપની દ્વારા આપવામાં આવ્યું આ કારણ..  

કંપની દ્વારા આ નિર્ણય શા માટે લેવામાં આવ્યો તે પણ જણાવવામાં આવ્યું છે તેવી માહિતી સામે આવી છે.. મળતી માહિતી અનુસાર AstraZeneca દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે આડ અસરોને કારણે રસી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો નથી. કંપનીએ કહ્યું કે વ્યાપારી કારણોસર આ રસીને બજારોમાંથી હટાવી દેવામાં આવી છે. હવે બજારમાં બીજી ઘણી અદ્યતન રસીઓ ઉપલબ્ધ છે, જે વાયરસના વિવિધ પ્રકારો સામે લડી શકે છે. 



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.