BCCIના અધ્યક્ષ સૌરવ ગાંગુલી જ રહેશે કે બદલાશે?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-14 12:22:40

આજે ભારતીય ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલી બન્યા રહેશે કે નહીં તે મામલે નિર્ણય લેવામાં આવશે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે પદાધિકારીઓ વચ્ચે કુલિંગ ઓફ સમયને સમાપ્ત કરવામાં નહીં આવે. સૌરવ ગાંગુલી સહતિ 6 અધિકારીઓના ભવિષ્ય મામલે આજે નિર્ણય લેવામાં આવશે. 


શું હોય છે કુલિંગ ઓફ પીરિયડ?

6 વર્ષ પૂરા થવાની સાથે જ BCCIના પદાધિકારી કોઈ પણ પદ પર બન્યા રહેવા માટે અને ચૂંટણી લડવા માટે અયોગ્ય થઈ જાય છે. વર્ષ 2018માં લોઢા સમિતિએ નિર્ણય લેતા જણાવ્યું હતું કે કોઈ પણ પદાધિકારી સતત 6 વર્ષ સુધી પદ પર રહેશે તો તેમને 3 વર્ષ માટે કુલિંગ ઓફ પીરિયડમાં જવું પડશે. 3 વર્ષ તેમને કોઈ પણ પદ પર નહીં રાખી શકાય તે સમયગાળાને કુલિંગ ઓફ પીરિયડ ગણાય છે. 


BCCI સચિવ જય શાહ, BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલી સહિતના સદસ્યોએ સતત છ વર્ષોથી અનેક પદો પર પદભાર સંભાળી રહ્યા છે. જેના કારણે તેમને કુલિંગ ઑફ પીરિયડમાં જવું પડશે.  



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.