BCCIના અધ્યક્ષ સૌરવ ગાંગુલી જ રહેશે કે બદલાશે?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-14 12:22:40

આજે ભારતીય ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલી બન્યા રહેશે કે નહીં તે મામલે નિર્ણય લેવામાં આવશે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે પદાધિકારીઓ વચ્ચે કુલિંગ ઓફ સમયને સમાપ્ત કરવામાં નહીં આવે. સૌરવ ગાંગુલી સહતિ 6 અધિકારીઓના ભવિષ્ય મામલે આજે નિર્ણય લેવામાં આવશે. 


શું હોય છે કુલિંગ ઓફ પીરિયડ?

6 વર્ષ પૂરા થવાની સાથે જ BCCIના પદાધિકારી કોઈ પણ પદ પર બન્યા રહેવા માટે અને ચૂંટણી લડવા માટે અયોગ્ય થઈ જાય છે. વર્ષ 2018માં લોઢા સમિતિએ નિર્ણય લેતા જણાવ્યું હતું કે કોઈ પણ પદાધિકારી સતત 6 વર્ષ સુધી પદ પર રહેશે તો તેમને 3 વર્ષ માટે કુલિંગ ઓફ પીરિયડમાં જવું પડશે. 3 વર્ષ તેમને કોઈ પણ પદ પર નહીં રાખી શકાય તે સમયગાળાને કુલિંગ ઓફ પીરિયડ ગણાય છે. 


BCCI સચિવ જય શાહ, BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલી સહિતના સદસ્યોએ સતત છ વર્ષોથી અનેક પદો પર પદભાર સંભાળી રહ્યા છે. જેના કારણે તેમને કુલિંગ ઑફ પીરિયડમાં જવું પડશે.  



96 બેઠકો માટે મતદાન થયું હતું અને ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં કેદ થયા છે. પાંચ વાગ્યા સુધી સામે આવેલા આંકડાની વાત કરીએ તો 62.31 ટકા સરેરાશ મતદાન નોંધાયું છે.. સૌથી વધારે મતદાન પશ્ચિમ બંગાળમાં નોંધાયું છે જ્યારે જમ્મુ કાશ્મીરમાં સૌથી ઓછું મતદાન નોંધાયું છે.

માતાના પ્રેમને આપણે શબ્દોથી ના તોલી શકીએ.. શબ્દોમાં આપણે તેના પ્રેમનું વર્ણન ના કરી શકીએ.. બાળક દુખી હોય ત્યારે બાળક કરતા પણ વધારે કોઈ દુખી હોય તો તે મા હોય છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે માતાને સમર્પિત એક રચના...

એલઆરડી, પીએમઆઈની ભરતી અંગે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે.. PSI અને LRD ભરતીમાં હજુ એકવાર ફોર્મ ભરવા માટે સાઈટ ખુલશે તેવી માહિતી સામે આવી છે... ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલ દ્વારા આજે પત્રકાર પરિષદ કરવામાં આવી હતી જેમાં તેમણે અનેક મુદ્દાઓને લઈ જાણકારી આપી હતી.

આજે ચોથા તબક્કા માટે મતદાન થઈ રહ્યું છે.. પહેલું, બીજું અને ત્રીજા ચરણ માટે મતદાન થઈ ગયું છે ત્યારે આજે 96 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે... 10 રાજ્યોની 96 બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે. બપોરના એક વાગ્યા સુધી 40.32 સરેરાશ મતદાન થયું છે.