શું ટ્વિટરના CEO પદેથી એલોન મસ્ક આપશે રાજીનામું? કહ્યું લોકો કહેશે તેમ કરીશ


  • Published By :
  • Published Date : 2022-12-19 11:31:27

એલોન મસ્ક જ્યારથી ટ્વિટરના માલિક બન્યા છે. મસ્કના માલિક બન્યા બાદ છેલ્લા ઘણાં સમયથી ટ્વિટરમાં અનેક બદલાવ તેમજ નવા નિયમો લાગુ કરવામાં આવી રહ્યા છે. મસ્કના અનેક નિર્ણયોને કારણે તેમની આલોચના પણ કરવામાં આવી રહી છે. ત્યારે એલોન મસ્કે સોશિયલ મીડિયા પર એક પોલ મૂક્યો છે જેમાં તેમણે યુઝર્સને એક પ્રશ્ન પૂછ્યો છે. મસ્કે પૂછ્યું કે શું હું ટ્વિટરના પ્રમુખ પદને છોડી દઉ?


પોલ દ્વારા મસ્કે યુઝર્સને પૂછ્યો સવાલ 

મસ્કના પ્રમુખ બન્યા બાદ ટ્વિટરની નીતિઓમાં અનેક બદલાવ કરવામાં આવ્યા છે. અનેક વખત તેમના નિર્ણયને લઈ વિવાદ તેમજ ચર્ચાઓ થઈ હતી. નીતિમાં અનેક ફેરફાર કરવાને કારણે લોકો તેમની આલોચના કરવા લાગ્યા હતા. વધતી આલોચના વચ્ચે એલોને સોશિયલ મીડિયા પર પોલ શરૂ કર્યો છે. કરોડો યુઝર્સને મસ્કે એક પ્રશ્ન પૂછ્યો છે. જેમાં તેઓ પૂછી રહ્યા છે શું તેમણે ટ્વિટરના પ્રમુખ પદને છોડી દેવું જોઈએ? વધુમાં મસ્કે કહ્યું કે આ પોલનું જે પરિણામ આવશે તેનું પાલન કરવામાં આવશે.



મોટા નીતિગત ફેરફાર પહેલા કરાશે પોલ - મસ્ક

ટ્વિટરની નીતિઓમાં અનેક મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. અનેક મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. જેને લઈને પણ મસ્કે ટ્વિટ કર્યું છે. મસ્કે લખ્યું કે આગળથી ટ્વિટરમાં કોઈ પણ મોટા નીતિગત ફેરફાર થશે તો પહેલા યુઝર્સની રાય જાણવામાં આવશે. હું માફી માગુ છું અને આવું ફરી વાર નહીં થાય. બદલાવ કરતા પહેલા પોલ કરવામાં આવશે.    




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.