શું ટ્વિટરના CEO પદેથી એલોન મસ્ક આપશે રાજીનામું? કહ્યું લોકો કહેશે તેમ કરીશ


  • Published By :
  • Published Date : 2022-12-19 11:31:27

એલોન મસ્ક જ્યારથી ટ્વિટરના માલિક બન્યા છે. મસ્કના માલિક બન્યા બાદ છેલ્લા ઘણાં સમયથી ટ્વિટરમાં અનેક બદલાવ તેમજ નવા નિયમો લાગુ કરવામાં આવી રહ્યા છે. મસ્કના અનેક નિર્ણયોને કારણે તેમની આલોચના પણ કરવામાં આવી રહી છે. ત્યારે એલોન મસ્કે સોશિયલ મીડિયા પર એક પોલ મૂક્યો છે જેમાં તેમણે યુઝર્સને એક પ્રશ્ન પૂછ્યો છે. મસ્કે પૂછ્યું કે શું હું ટ્વિટરના પ્રમુખ પદને છોડી દઉ?


પોલ દ્વારા મસ્કે યુઝર્સને પૂછ્યો સવાલ 

મસ્કના પ્રમુખ બન્યા બાદ ટ્વિટરની નીતિઓમાં અનેક બદલાવ કરવામાં આવ્યા છે. અનેક વખત તેમના નિર્ણયને લઈ વિવાદ તેમજ ચર્ચાઓ થઈ હતી. નીતિમાં અનેક ફેરફાર કરવાને કારણે લોકો તેમની આલોચના કરવા લાગ્યા હતા. વધતી આલોચના વચ્ચે એલોને સોશિયલ મીડિયા પર પોલ શરૂ કર્યો છે. કરોડો યુઝર્સને મસ્કે એક પ્રશ્ન પૂછ્યો છે. જેમાં તેઓ પૂછી રહ્યા છે શું તેમણે ટ્વિટરના પ્રમુખ પદને છોડી દેવું જોઈએ? વધુમાં મસ્કે કહ્યું કે આ પોલનું જે પરિણામ આવશે તેનું પાલન કરવામાં આવશે.



મોટા નીતિગત ફેરફાર પહેલા કરાશે પોલ - મસ્ક

ટ્વિટરની નીતિઓમાં અનેક મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. અનેક મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. જેને લઈને પણ મસ્કે ટ્વિટ કર્યું છે. મસ્કે લખ્યું કે આગળથી ટ્વિટરમાં કોઈ પણ મોટા નીતિગત ફેરફાર થશે તો પહેલા યુઝર્સની રાય જાણવામાં આવશે. હું માફી માગુ છું અને આવું ફરી વાર નહીં થાય. બદલાવ કરતા પહેલા પોલ કરવામાં આવશે.    




રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.