શું પઠાણ ફિલ્મને કરવો પડશે બોયકોટનો સામનો??


  • Published By :
  • Published Date : 2022-12-13 14:22:11

પઠાણને કારણે શાહરૂખ ખાન હાલ ચર્ચામાં છે. 2023માં દિપીકા પાદુકોણ, શાહરૂખ ખાન સહિતના કલાકારો ફિલ્મમાં જોવા મળવાના છે. ફરી એક વખત બોલિવુડમાં બોયકોટ ટ્રેન્ડ પાછો આવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. સુશાંતસિંહને યાદ કરી ફેન્સ આ ફિલ્મને બોયકોટ કરવાની માગ કરી રહ્યા છે. ટ્વિટર પર બોયકોટ પઠાણ ટ્વિટ ટ્રેન્ડીંગ જોવા મળી રહ્યું છે. 

Shahrukh khan upcoming film pathan update know the trailer and song release  detail


ટ્વિટર પર ચાલતો બોયકોટ પઠાણ ટ્રેન્ડ

શાહરૂખ ખાન પોતાની ફિલ્મ પઠાણને લઈ અનેક ધાર્મિક સ્થળોની મુલાકાત લઈ રહ્યા છે. માતા વૈષ્ણોદેવીના દરબારમાં પહોંચ્યા હતા. થોડા સમય પહેલા જ પઠાણ ફિલ્મનું બેશરમ સોન્ગ લોન્ચ થયું હતું. આ સોન્ગની દર્શકો ટીકા કરી રહ્યા છે. સોન્ગ રિલીઝ થયું એ બાદ બધે આ સોન્ગમાં  દિપીકા અને શાહરૂખને જોઈ લોકો ટીકા કરી રહ્યા છે. આ સોન્ગને લઈ અનેક લોકો પઠાણને બોયકોટ કરવાની માગ કરી રહ્યા છે.




દીપિકાના ડ્રેસને લઈને પણ છેડોયો વિવાદ

આ સોન્ગને લઈ ટીકાઓ કરવામાં આવી રહી છે. અનેક યુઝર્સ શાહરૂખના જૂના વીડિયો વાયરલ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર બોયકોટ પઠાણ ટ્રેન્ડ ચાલી રહ્યો છે. અનેક યુઝર્સ કહે છે કે આમીર ખાનને જે રીતે સબક શીખવ્યો હતો તે પ્રમાણે શાહરૂખ ખાનને પણ સબક શીખવવો પડશે. ઉપરાંત બેશરમ સોન્ગમાં દીપિકાએ ઓરેન્જ કલરનો ડ્રેસ પહેર્યો છે. જેને લઈને પણ વિવાદ છેડાયો છે.      




જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.