શું પઠાણ ફિલ્મને કરવો પડશે બોયકોટનો સામનો??


  • Published By :
  • Published Date : 2022-12-13 14:22:11

પઠાણને કારણે શાહરૂખ ખાન હાલ ચર્ચામાં છે. 2023માં દિપીકા પાદુકોણ, શાહરૂખ ખાન સહિતના કલાકારો ફિલ્મમાં જોવા મળવાના છે. ફરી એક વખત બોલિવુડમાં બોયકોટ ટ્રેન્ડ પાછો આવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. સુશાંતસિંહને યાદ કરી ફેન્સ આ ફિલ્મને બોયકોટ કરવાની માગ કરી રહ્યા છે. ટ્વિટર પર બોયકોટ પઠાણ ટ્વિટ ટ્રેન્ડીંગ જોવા મળી રહ્યું છે. 

Shahrukh khan upcoming film pathan update know the trailer and song release  detail


ટ્વિટર પર ચાલતો બોયકોટ પઠાણ ટ્રેન્ડ

શાહરૂખ ખાન પોતાની ફિલ્મ પઠાણને લઈ અનેક ધાર્મિક સ્થળોની મુલાકાત લઈ રહ્યા છે. માતા વૈષ્ણોદેવીના દરબારમાં પહોંચ્યા હતા. થોડા સમય પહેલા જ પઠાણ ફિલ્મનું બેશરમ સોન્ગ લોન્ચ થયું હતું. આ સોન્ગની દર્શકો ટીકા કરી રહ્યા છે. સોન્ગ રિલીઝ થયું એ બાદ બધે આ સોન્ગમાં  દિપીકા અને શાહરૂખને જોઈ લોકો ટીકા કરી રહ્યા છે. આ સોન્ગને લઈ અનેક લોકો પઠાણને બોયકોટ કરવાની માગ કરી રહ્યા છે.




દીપિકાના ડ્રેસને લઈને પણ છેડોયો વિવાદ

આ સોન્ગને લઈ ટીકાઓ કરવામાં આવી રહી છે. અનેક યુઝર્સ શાહરૂખના જૂના વીડિયો વાયરલ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર બોયકોટ પઠાણ ટ્રેન્ડ ચાલી રહ્યો છે. અનેક યુઝર્સ કહે છે કે આમીર ખાનને જે રીતે સબક શીખવ્યો હતો તે પ્રમાણે શાહરૂખ ખાનને પણ સબક શીખવવો પડશે. ઉપરાંત બેશરમ સોન્ગમાં દીપિકાએ ઓરેન્જ કલરનો ડ્રેસ પહેર્યો છે. જેને લઈને પણ વિવાદ છેડાયો છે.      




ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી