શું પઠાણ ફિલ્મને કરવો પડશે બોયકોટનો સામનો??


  • Published By :
  • Published Date : 2022-12-13 14:22:11

પઠાણને કારણે શાહરૂખ ખાન હાલ ચર્ચામાં છે. 2023માં દિપીકા પાદુકોણ, શાહરૂખ ખાન સહિતના કલાકારો ફિલ્મમાં જોવા મળવાના છે. ફરી એક વખત બોલિવુડમાં બોયકોટ ટ્રેન્ડ પાછો આવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. સુશાંતસિંહને યાદ કરી ફેન્સ આ ફિલ્મને બોયકોટ કરવાની માગ કરી રહ્યા છે. ટ્વિટર પર બોયકોટ પઠાણ ટ્વિટ ટ્રેન્ડીંગ જોવા મળી રહ્યું છે. 

Shahrukh khan upcoming film pathan update know the trailer and song release  detail


ટ્વિટર પર ચાલતો બોયકોટ પઠાણ ટ્રેન્ડ

શાહરૂખ ખાન પોતાની ફિલ્મ પઠાણને લઈ અનેક ધાર્મિક સ્થળોની મુલાકાત લઈ રહ્યા છે. માતા વૈષ્ણોદેવીના દરબારમાં પહોંચ્યા હતા. થોડા સમય પહેલા જ પઠાણ ફિલ્મનું બેશરમ સોન્ગ લોન્ચ થયું હતું. આ સોન્ગની દર્શકો ટીકા કરી રહ્યા છે. સોન્ગ રિલીઝ થયું એ બાદ બધે આ સોન્ગમાં  દિપીકા અને શાહરૂખને જોઈ લોકો ટીકા કરી રહ્યા છે. આ સોન્ગને લઈ અનેક લોકો પઠાણને બોયકોટ કરવાની માગ કરી રહ્યા છે.




દીપિકાના ડ્રેસને લઈને પણ છેડોયો વિવાદ

આ સોન્ગને લઈ ટીકાઓ કરવામાં આવી રહી છે. અનેક યુઝર્સ શાહરૂખના જૂના વીડિયો વાયરલ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર બોયકોટ પઠાણ ટ્રેન્ડ ચાલી રહ્યો છે. અનેક યુઝર્સ કહે છે કે આમીર ખાનને જે રીતે સબક શીખવ્યો હતો તે પ્રમાણે શાહરૂખ ખાનને પણ સબક શીખવવો પડશે. ઉપરાંત બેશરમ સોન્ગમાં દીપિકાએ ઓરેન્જ કલરનો ડ્રેસ પહેર્યો છે. જેને લઈને પણ વિવાદ છેડાયો છે.      




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.