શું ભારતમાં આવશે કોરોનાની ચોથી લહેર? જાણો કોરોના અંગે શું કહી રહ્યા છે નિષ્ણાંતો


  • Published By :
  • Published Date : 2023-01-05 10:23:13

કોરોના સંક્રમણને કારણે વિશ્વના દેશોની ચિંતા વધી છે. ચીનમાં તો કોરોનાનો રાફડો ફાટ્યો હોય તેવી રીતે કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. ચીનમાં વધતા કોરોના કેસને કારણે ભારત, પાકિસ્તાન, અમેરિકા જેવા દેશોમાં કોરોનાના કેસ વધી શકે છે તેવી આશંકાઓ સેવાઈ રહી છે. ઓડિશાના હેલ્થ ડિપાર્ટમેન્ટના સ્પેશલ સેક્રેટરીએ એવી સંભાવના વ્યક્ત કરી છે જે અનુસાર ભારતમાં માર્ચ મહિનામાં કોરોનાની ચોથી લહેર આવી શકે છે.


Rural Ahmedabad: 4 talukas account for 84% of Covid cases | Cities News,The  Indian Express


ભારતમાં આવી શકે છે કોરોનાની ચોથી લહેર 

ચીનમાં વધતા કોરોના કેસને કારણે અનેક દેશોએ પ્રતિબંધો લાદી દીધા છે. ભારતમાં પણ કોરોના કેસ માથુ ઉંચકી શકે છે તેવી સંભાવનાઓ હાલ દેખાઈ રહી છે.  XBB 1.5 વેરિઅન્ટથી લોકો સંક્રમિત થઈ રહ્યા છે. તેના પણ કેસ નોંધાઈ રહ્યા છે. ત્યારે ભારતમાં ચોથી લહેર આવી શકે છે તેવો અનુમાન લગાવામાં આવ્યું છે.    


આ રાજ્યોમાં નોંધાયા આટલા કોરોનાના કેસ 

દેશના અનેક રાજ્યોમાં કોરોના કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. લોકો નવા વેરિઅન્ટથી સંક્રમિત થઈ રહ્યા છે. અનેક રાજ્યોમાં નવા વેરિઅન્ટના કેસ નોંધાઈ રહ્યા છે. ઉપરાંત કોરોના કેસની વાત કરીએ તો કેરળમાં નવા 58 કેસ સામે આવ્યા છે. જ્યારે મહારાષ્ટ્રમાં 16 નવા કેસ નોંધાયા છે. કર્ણાટકમાં 34 કેસ નોંધાયા છે. સંક્રમિતોનો આંકડો વધતા તંત્રની ચિંતા વધી છે. આગામી સમયમાં કોરોનાને કારણે વધુ લોકો સંક્રમિત થઈ શકે તેવી સંભાવના નિષ્ણાંતો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.   



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.