શું ભારતમાં આવશે કોરોનાની ચોથી લહેર? જાણો કોરોના અંગે શું કહી રહ્યા છે નિષ્ણાંતો


  • Published By :
  • Published Date : 2023-01-05 10:23:13

કોરોના સંક્રમણને કારણે વિશ્વના દેશોની ચિંતા વધી છે. ચીનમાં તો કોરોનાનો રાફડો ફાટ્યો હોય તેવી રીતે કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. ચીનમાં વધતા કોરોના કેસને કારણે ભારત, પાકિસ્તાન, અમેરિકા જેવા દેશોમાં કોરોનાના કેસ વધી શકે છે તેવી આશંકાઓ સેવાઈ રહી છે. ઓડિશાના હેલ્થ ડિપાર્ટમેન્ટના સ્પેશલ સેક્રેટરીએ એવી સંભાવના વ્યક્ત કરી છે જે અનુસાર ભારતમાં માર્ચ મહિનામાં કોરોનાની ચોથી લહેર આવી શકે છે.


Rural Ahmedabad: 4 talukas account for 84% of Covid cases | Cities News,The  Indian Express


ભારતમાં આવી શકે છે કોરોનાની ચોથી લહેર 

ચીનમાં વધતા કોરોના કેસને કારણે અનેક દેશોએ પ્રતિબંધો લાદી દીધા છે. ભારતમાં પણ કોરોના કેસ માથુ ઉંચકી શકે છે તેવી સંભાવનાઓ હાલ દેખાઈ રહી છે.  XBB 1.5 વેરિઅન્ટથી લોકો સંક્રમિત થઈ રહ્યા છે. તેના પણ કેસ નોંધાઈ રહ્યા છે. ત્યારે ભારતમાં ચોથી લહેર આવી શકે છે તેવો અનુમાન લગાવામાં આવ્યું છે.    


આ રાજ્યોમાં નોંધાયા આટલા કોરોનાના કેસ 

દેશના અનેક રાજ્યોમાં કોરોના કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. લોકો નવા વેરિઅન્ટથી સંક્રમિત થઈ રહ્યા છે. અનેક રાજ્યોમાં નવા વેરિઅન્ટના કેસ નોંધાઈ રહ્યા છે. ઉપરાંત કોરોના કેસની વાત કરીએ તો કેરળમાં નવા 58 કેસ સામે આવ્યા છે. જ્યારે મહારાષ્ટ્રમાં 16 નવા કેસ નોંધાયા છે. કર્ણાટકમાં 34 કેસ નોંધાયા છે. સંક્રમિતોનો આંકડો વધતા તંત્રની ચિંતા વધી છે. આગામી સમયમાં કોરોનાને કારણે વધુ લોકો સંક્રમિત થઈ શકે તેવી સંભાવના નિષ્ણાંતો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.   



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.