પેટા ચૂંટણીના પરિણામ બાદ ગુજરાતના મંત્રી મંડળમાં થશે ફેરફાર? પક્ષપલટો કરનાર નેતાને મળશે ઈનામ? જાણો કોના નામની ચર્ચાઓ તેજ..


  • Published By :
  • Published Date : 2024-06-06 13:54:57

ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ઐતિહાસિક જીત હાંસલ કરી.. 2022ની ચૂંટણીમાં ભાજપે 156 સીટો મેળવી. પરંતુ એકાએક ગુજરાતના રાજકારણમાં પક્ષપલટાની મૌસમ આવી.. અનેક ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું અને ભાજપમાં જોડાઈ ગયા. ત્યારે હવે ચર્ચાઓ થઈ રહી છે કે ગુજરાતના મંત્રીમંડળમાં વિસ્તરણ થઈ શકે છે અને કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ધારાસભ્યોને સ્થાન અપાઈ શકે છે.. લોકસભાની ચૂંટણીમાં ભાજપને ગુજરાતની 26 બેઠકોમાંથી 25 બેઠકો મળી. 

વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે મેળવી 156 બેઠકો 

ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપ્યું જેને કારણે પાંચ વિધાનસભા બેઠકો માટે પેટા ચૂંટણી યોજાઈ.. લોકસભાનું પરિણામ હતું ત્યારે જ પેટા ચૂંટણીનું પરિણામ પણ હતું.. બધાની નજર આ પેટા ચૂંટણીના પરિણામ પર હતી. આ વખતે મતદાતાઓમાં જાણે નિરાશા પણ જોવા મળી હતી મતદાનને લઈ.. 2022માં યોજાયેલી ચૂંટણીમાં ભાજપને 156 સીટો પર વિજય મળ્યો.. કૉંગ્રેસને 17, આમ આદમી પાર્ટીને 5, અપક્ષના 3 અને સમાજવાદી પાર્ટીની 1 બેઠક પર જીત મળી હતી. ગુજરાત વિધાનસભાની હાલની સ્થિતિ ભાજપના 156, કૉંગ્રેસ 13, આમ આદમી પાર્ટી 4, અપક્ષ 2 અને સપાના 1 ધારાસભ્ય છે.. 


કોને ક્યાંથી બનાવાયા ઉમેદવાર?

જે પાંચ બેઠકો માટે મતદાન થયું તે બેઠકો હતી ખંભાત, પોરબંદર, વિજાપુર, વાઘોડિયા અને માણાવદરની. જે ધારાસભ્યોને પહેલા જનતાએ મત આપી જીતાડ્યા હતા તે જ ચહેરાઓને ફરી એક વખત ચૂંટણી લડવા માટે મેદાનમાં ઉતાર્યા.. પાંચે પાંચ વિધાનસભાની પેટા ચૂંટણી પર ભાજપના ઉમેદવારની જીત થઈ... ભાજપે વાઘોડિયા બેઠક પર ભાજપના ધર્મેન્દ્રસિંહ વાઘેલા, માણાવદરથી અરવિંદ લાડાણી, ખંભાતથી ચિરાગ પટેલ, વિજાપુરથી સીજે ચાવડા અને પોરબંદરથી અર્જુન મોઢવાડિયાને મેદાનમાં ઉતાર્યા હતા. પાંચ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર જીત્યા.. 


આવી ચર્ચાઓ એટલા માટે થઈ રહી છે કારણ કે...

ચૂંટણીના પરિણામ આવ્યા બાદ મંત્રી મંડળનું વિસ્તરણ થઈ જશે તેવી વાતો ચર્ચામાં હતી.. ભાજપના વર્તુળોમાં સંભળાતી ચર્ચા મુજબ ધારાસભ્યપદેથી રાજીનામું આપીને કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા બે નેતા અર્જુન  મોઢવાડિયા અને સી. જે. ચાવડાને ભાજપે મંત્રી પદનું વચન આપ્યાની ચર્ચા ગુજરાતના રાજકારણમાં અને નિષ્ણાંતોમાં હતી.. પરિણામમાં બંને ઉમેદવારો જીત્યા છે. જોકે આ વાતે ચર્ચાનું જોર એટલે પકડયું હતું કેમ કે થોડા સમય પહેલા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ ગુજરાતમાં મંત્રીમંડળનું વિસ્તરણ થશે તેવી ટિપ્પણી કરી હતી. રૂપાણીએ વિવિધ પ્રસાર માધ્યમો સમક્ષ નિવેદન કર્યું હતું કે ''ભૂપેન્દ્ર પટેલ સરકારનું કદ અત્યારે તો 17 મંત્રીઓનું છે એટલે વિસ્તરણની શક્યતા ખરી, એ થશે'' આવું નિવેદન આપ્યું હતું, ત્યારે સરકારમાં કેટલાક મંત્રીઓને પડતા મૂકવામાં આવે તેવી અટકળે જોર પકડ્યું છે. 



આ નેતાઓને મંત્રી મંડળમાં મળી શકે છે સ્થાન

મહત્વનું છે કે અર્જુન મોઢવાડિયાએ સારા લીડથી જીત હાંસલ કરી છે..  કોંગ્રેસથી આવેલા 4 ભાજપના ઉમેદવારો આ પેટા ચૂંટણી જીત્યા છે, ત્યારે મંત્રીમંડળમાં સ્થાન મળવાની પ્રબળ શક્યતાઓ છે.. બે મોટા નેતાઓ સી. જે. ચાવડા અને અર્જુન મોઢવાડિયા અંગે પ્રબળ શક્યતાઓ જોવામાં આવી રહી છે. કુંવરજી બાવળીયા, બળવંતસિંહ રાજપુત, રાઘવજી પટેલ અને કુવરજી હળપતિ કોંગ્રેસી ગૌત્રના મંત્રી છે. મહત્વનું છે કે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ધારાસભ્યોને મંત્રી પદ મળે તો નવાઈ નહીં..    



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.