પેટા ચૂંટણીના પરિણામ બાદ ગુજરાતના મંત્રી મંડળમાં થશે ફેરફાર? પક્ષપલટો કરનાર નેતાને મળશે ઈનામ? જાણો કોના નામની ચર્ચાઓ તેજ..


  • Published By :
  • Published Date : 2024-06-06 13:54:57

ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ઐતિહાસિક જીત હાંસલ કરી.. 2022ની ચૂંટણીમાં ભાજપે 156 સીટો મેળવી. પરંતુ એકાએક ગુજરાતના રાજકારણમાં પક્ષપલટાની મૌસમ આવી.. અનેક ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું અને ભાજપમાં જોડાઈ ગયા. ત્યારે હવે ચર્ચાઓ થઈ રહી છે કે ગુજરાતના મંત્રીમંડળમાં વિસ્તરણ થઈ શકે છે અને કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ધારાસભ્યોને સ્થાન અપાઈ શકે છે.. લોકસભાની ચૂંટણીમાં ભાજપને ગુજરાતની 26 બેઠકોમાંથી 25 બેઠકો મળી. 

વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે મેળવી 156 બેઠકો 

ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપ્યું જેને કારણે પાંચ વિધાનસભા બેઠકો માટે પેટા ચૂંટણી યોજાઈ.. લોકસભાનું પરિણામ હતું ત્યારે જ પેટા ચૂંટણીનું પરિણામ પણ હતું.. બધાની નજર આ પેટા ચૂંટણીના પરિણામ પર હતી. આ વખતે મતદાતાઓમાં જાણે નિરાશા પણ જોવા મળી હતી મતદાનને લઈ.. 2022માં યોજાયેલી ચૂંટણીમાં ભાજપને 156 સીટો પર વિજય મળ્યો.. કૉંગ્રેસને 17, આમ આદમી પાર્ટીને 5, અપક્ષના 3 અને સમાજવાદી પાર્ટીની 1 બેઠક પર જીત મળી હતી. ગુજરાત વિધાનસભાની હાલની સ્થિતિ ભાજપના 156, કૉંગ્રેસ 13, આમ આદમી પાર્ટી 4, અપક્ષ 2 અને સપાના 1 ધારાસભ્ય છે.. 


કોને ક્યાંથી બનાવાયા ઉમેદવાર?

જે પાંચ બેઠકો માટે મતદાન થયું તે બેઠકો હતી ખંભાત, પોરબંદર, વિજાપુર, વાઘોડિયા અને માણાવદરની. જે ધારાસભ્યોને પહેલા જનતાએ મત આપી જીતાડ્યા હતા તે જ ચહેરાઓને ફરી એક વખત ચૂંટણી લડવા માટે મેદાનમાં ઉતાર્યા.. પાંચે પાંચ વિધાનસભાની પેટા ચૂંટણી પર ભાજપના ઉમેદવારની જીત થઈ... ભાજપે વાઘોડિયા બેઠક પર ભાજપના ધર્મેન્દ્રસિંહ વાઘેલા, માણાવદરથી અરવિંદ લાડાણી, ખંભાતથી ચિરાગ પટેલ, વિજાપુરથી સીજે ચાવડા અને પોરબંદરથી અર્જુન મોઢવાડિયાને મેદાનમાં ઉતાર્યા હતા. પાંચ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર જીત્યા.. 


આવી ચર્ચાઓ એટલા માટે થઈ રહી છે કારણ કે...

ચૂંટણીના પરિણામ આવ્યા બાદ મંત્રી મંડળનું વિસ્તરણ થઈ જશે તેવી વાતો ચર્ચામાં હતી.. ભાજપના વર્તુળોમાં સંભળાતી ચર્ચા મુજબ ધારાસભ્યપદેથી રાજીનામું આપીને કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા બે નેતા અર્જુન  મોઢવાડિયા અને સી. જે. ચાવડાને ભાજપે મંત્રી પદનું વચન આપ્યાની ચર્ચા ગુજરાતના રાજકારણમાં અને નિષ્ણાંતોમાં હતી.. પરિણામમાં બંને ઉમેદવારો જીત્યા છે. જોકે આ વાતે ચર્ચાનું જોર એટલે પકડયું હતું કેમ કે થોડા સમય પહેલા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ ગુજરાતમાં મંત્રીમંડળનું વિસ્તરણ થશે તેવી ટિપ્પણી કરી હતી. રૂપાણીએ વિવિધ પ્રસાર માધ્યમો સમક્ષ નિવેદન કર્યું હતું કે ''ભૂપેન્દ્ર પટેલ સરકારનું કદ અત્યારે તો 17 મંત્રીઓનું છે એટલે વિસ્તરણની શક્યતા ખરી, એ થશે'' આવું નિવેદન આપ્યું હતું, ત્યારે સરકારમાં કેટલાક મંત્રીઓને પડતા મૂકવામાં આવે તેવી અટકળે જોર પકડ્યું છે. 



આ નેતાઓને મંત્રી મંડળમાં મળી શકે છે સ્થાન

મહત્વનું છે કે અર્જુન મોઢવાડિયાએ સારા લીડથી જીત હાંસલ કરી છે..  કોંગ્રેસથી આવેલા 4 ભાજપના ઉમેદવારો આ પેટા ચૂંટણી જીત્યા છે, ત્યારે મંત્રીમંડળમાં સ્થાન મળવાની પ્રબળ શક્યતાઓ છે.. બે મોટા નેતાઓ સી. જે. ચાવડા અને અર્જુન મોઢવાડિયા અંગે પ્રબળ શક્યતાઓ જોવામાં આવી રહી છે. કુંવરજી બાવળીયા, બળવંતસિંહ રાજપુત, રાઘવજી પટેલ અને કુવરજી હળપતિ કોંગ્રેસી ગૌત્રના મંત્રી છે. મહત્વનું છે કે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ધારાસભ્યોને મંત્રી પદ મળે તો નવાઈ નહીં..    



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.