વરૂણ ધવનની ફિલ્મ ભેડિયા બોક્સ ઓફિસ પર મચાવશે ધૂમ?


  • Published By :
  • Published Date : 2022-11-25 17:45:09

બોક્સ ઓફિસ પર અજય દેવગનની ફિલ્મ દ્રશ્યમ 2 ધૂમ મચાવી રહી છે. ત્યારે વરુણ ધવન અને કૃતિ સેનની ફિલ્મ ભેડિયા રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મનું ટ્રેલર જોયા પછી ફિલ્મને જોવા માટે દર્શકો ઉત્સુક હતા. દર્શકોની આતુરતાનો અંત આવી ગયો છે અને ફિલ્મ આજે રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મને ડાયરેક્ટર અમર કૌશિકે ક્રિચર કોમેડી ફિલ્મ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. 

Image

શું છે ફિલ્મની કહાણી?

આ ફિલ્મમાં વરૂણ ધવન ભાસ્કરનો રોલ ભજવી રહ્યો છે. ભાસ્કરને અરૂણાચલ પ્રદેશ સ્થિત જીરોમાં રોડ બનાવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. પ્રોફિટ કમાવાની લાલચમાં ભાસ્કર જંગલની વચ્ચેથી રસ્તો કાઢવાનો પ્લાન બનાવતો હોય છે. ભાસ્કર માટે માત્ર આ પ્રોજેક્ટ હોય છે પરંતુ ત્યાં રહેતા લોકો માટે આ તેમની જીંદગી છે. આ બધા વચ્ચે ભાસ્કરની મુલાકાત પાંડાથી થઈ હતી જે સ્થાનિક અને ભાસ્કર વચ્ચે વાતો પહોંચાડવાનું કામ કરે છે. એક અફવા એવી ઉડી કે આ જંગલમાં વિષાણુ રહે છે જે લોકોનો શિકાર કરે છે જે જંગલને નુકસાન પહોંચાડવાનું કૃત્ય કરે છે. પોતાના કામ માટે જ્યારે ભાસ્કર આ જંગલથી પસાર થાય છે ત્યારે તેનો ભેટો ભેડિયા  સાથે થાય છે. 

Image

ભાસ્કર જ્યારે પોતાનો બચાવ કરવા ભાગી રહ્યો હતો તે દરમિયાન ભેડિકો તેને બચકું ભરી લે છે અને ધીરે ધીરે ભેડિયાના ગુણ તેનામાં આવી જાય છે. ભાસ્કરને આમાંથી બહાર કાઠવા જનાર્દન (અભિષેક બેનર્જી), જેમિન (પાલિન કબાક) મદદ કરે છે. ભાસ્કરને માણસને બનાવા માટે ડોક્ટર અનિકા (કૃતિ સેનન) પણ મદદ કરે છે. તેમની મુલાકાત બાદ આ ફિલ્મમાં ટ્વિસ્ટ આવે છે. આ ફિલ્મ એની પર જ બનાવામાં આવી છે. 

જાણો કેવી છે ભેડિયા ફિલ્મ?

આ ફિલ્મ રિલીઝ થઈ ગઈ છે અને ફિલ્મના રિવ્યુની વાત કરીએ તો કોમેડીની સાથે સાથે હોરર પણ બતાવામાં આવ્યું છે. ફિલ્મને સારા રેટિંગ પણ મળ્યા છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળી શકે છે. આ ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી શકે છે.    




ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી