વરૂણ ધવનની ફિલ્મ ભેડિયા બોક્સ ઓફિસ પર મચાવશે ધૂમ?


  • Published By :
  • Published Date : 2022-11-25 17:45:09

બોક્સ ઓફિસ પર અજય દેવગનની ફિલ્મ દ્રશ્યમ 2 ધૂમ મચાવી રહી છે. ત્યારે વરુણ ધવન અને કૃતિ સેનની ફિલ્મ ભેડિયા રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મનું ટ્રેલર જોયા પછી ફિલ્મને જોવા માટે દર્શકો ઉત્સુક હતા. દર્શકોની આતુરતાનો અંત આવી ગયો છે અને ફિલ્મ આજે રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મને ડાયરેક્ટર અમર કૌશિકે ક્રિચર કોમેડી ફિલ્મ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. 

Image

શું છે ફિલ્મની કહાણી?

આ ફિલ્મમાં વરૂણ ધવન ભાસ્કરનો રોલ ભજવી રહ્યો છે. ભાસ્કરને અરૂણાચલ પ્રદેશ સ્થિત જીરોમાં રોડ બનાવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. પ્રોફિટ કમાવાની લાલચમાં ભાસ્કર જંગલની વચ્ચેથી રસ્તો કાઢવાનો પ્લાન બનાવતો હોય છે. ભાસ્કર માટે માત્ર આ પ્રોજેક્ટ હોય છે પરંતુ ત્યાં રહેતા લોકો માટે આ તેમની જીંદગી છે. આ બધા વચ્ચે ભાસ્કરની મુલાકાત પાંડાથી થઈ હતી જે સ્થાનિક અને ભાસ્કર વચ્ચે વાતો પહોંચાડવાનું કામ કરે છે. એક અફવા એવી ઉડી કે આ જંગલમાં વિષાણુ રહે છે જે લોકોનો શિકાર કરે છે જે જંગલને નુકસાન પહોંચાડવાનું કૃત્ય કરે છે. પોતાના કામ માટે જ્યારે ભાસ્કર આ જંગલથી પસાર થાય છે ત્યારે તેનો ભેટો ભેડિયા  સાથે થાય છે. 

Image

ભાસ્કર જ્યારે પોતાનો બચાવ કરવા ભાગી રહ્યો હતો તે દરમિયાન ભેડિકો તેને બચકું ભરી લે છે અને ધીરે ધીરે ભેડિયાના ગુણ તેનામાં આવી જાય છે. ભાસ્કરને આમાંથી બહાર કાઠવા જનાર્દન (અભિષેક બેનર્જી), જેમિન (પાલિન કબાક) મદદ કરે છે. ભાસ્કરને માણસને બનાવા માટે ડોક્ટર અનિકા (કૃતિ સેનન) પણ મદદ કરે છે. તેમની મુલાકાત બાદ આ ફિલ્મમાં ટ્વિસ્ટ આવે છે. આ ફિલ્મ એની પર જ બનાવામાં આવી છે. 

જાણો કેવી છે ભેડિયા ફિલ્મ?

આ ફિલ્મ રિલીઝ થઈ ગઈ છે અને ફિલ્મના રિવ્યુની વાત કરીએ તો કોમેડીની સાથે સાથે હોરર પણ બતાવામાં આવ્યું છે. ફિલ્મને સારા રેટિંગ પણ મળ્યા છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળી શકે છે. આ ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી શકે છે.    




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.