વરૂણ ધવનની ફિલ્મ ભેડિયા બોક્સ ઓફિસ પર મચાવશે ધૂમ?


  • Published By :
  • Published Date : 2022-11-25 17:45:09

બોક્સ ઓફિસ પર અજય દેવગનની ફિલ્મ દ્રશ્યમ 2 ધૂમ મચાવી રહી છે. ત્યારે વરુણ ધવન અને કૃતિ સેનની ફિલ્મ ભેડિયા રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મનું ટ્રેલર જોયા પછી ફિલ્મને જોવા માટે દર્શકો ઉત્સુક હતા. દર્શકોની આતુરતાનો અંત આવી ગયો છે અને ફિલ્મ આજે રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મને ડાયરેક્ટર અમર કૌશિકે ક્રિચર કોમેડી ફિલ્મ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. 

Image

શું છે ફિલ્મની કહાણી?

આ ફિલ્મમાં વરૂણ ધવન ભાસ્કરનો રોલ ભજવી રહ્યો છે. ભાસ્કરને અરૂણાચલ પ્રદેશ સ્થિત જીરોમાં રોડ બનાવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. પ્રોફિટ કમાવાની લાલચમાં ભાસ્કર જંગલની વચ્ચેથી રસ્તો કાઢવાનો પ્લાન બનાવતો હોય છે. ભાસ્કર માટે માત્ર આ પ્રોજેક્ટ હોય છે પરંતુ ત્યાં રહેતા લોકો માટે આ તેમની જીંદગી છે. આ બધા વચ્ચે ભાસ્કરની મુલાકાત પાંડાથી થઈ હતી જે સ્થાનિક અને ભાસ્કર વચ્ચે વાતો પહોંચાડવાનું કામ કરે છે. એક અફવા એવી ઉડી કે આ જંગલમાં વિષાણુ રહે છે જે લોકોનો શિકાર કરે છે જે જંગલને નુકસાન પહોંચાડવાનું કૃત્ય કરે છે. પોતાના કામ માટે જ્યારે ભાસ્કર આ જંગલથી પસાર થાય છે ત્યારે તેનો ભેટો ભેડિયા  સાથે થાય છે. 

Image

ભાસ્કર જ્યારે પોતાનો બચાવ કરવા ભાગી રહ્યો હતો તે દરમિયાન ભેડિકો તેને બચકું ભરી લે છે અને ધીરે ધીરે ભેડિયાના ગુણ તેનામાં આવી જાય છે. ભાસ્કરને આમાંથી બહાર કાઠવા જનાર્દન (અભિષેક બેનર્જી), જેમિન (પાલિન કબાક) મદદ કરે છે. ભાસ્કરને માણસને બનાવા માટે ડોક્ટર અનિકા (કૃતિ સેનન) પણ મદદ કરે છે. તેમની મુલાકાત બાદ આ ફિલ્મમાં ટ્વિસ્ટ આવે છે. આ ફિલ્મ એની પર જ બનાવામાં આવી છે. 

જાણો કેવી છે ભેડિયા ફિલ્મ?

આ ફિલ્મ રિલીઝ થઈ ગઈ છે અને ફિલ્મના રિવ્યુની વાત કરીએ તો કોમેડીની સાથે સાથે હોરર પણ બતાવામાં આવ્યું છે. ફિલ્મને સારા રેટિંગ પણ મળ્યા છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળી શકે છે. આ ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી શકે છે.    




રાજકોટમાં આવેલી આજી નદી પર રિવરફ્રન્ટ બનાવવાનો રસ્તો હવે સાફ થઇ ચુક્યો છે. કેમ કે , જંગલેશ્વર વિસ્તારમાં અંદાજે ૪૦૦ કરોડ રૂપિયાની કિંમતની સરકારી જમીન પર ખડકાયેલા ૧૩૫૮ જેટલા મકાનોને દૂર કરવામાં આવશે. આ માટે ગુજરાતના મહેસુલી પંચ દ્વારા સ્થાનિક દબાણકારોની અપીલને રદ કરતો ચુકાદો આપી દેવામાં આવ્યો છે. આ ચુકાદા પછી , ટૂંક સમયમાં જ જંગલેશ્વરમાં ફરી એકવાર ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

" આજે ઈરાન માટે ખુબ મોટો દિવસ છે કેમ કે , ઈરાન પર ખુબ ઘાતક હુમલો કરવામાં આવ્યો છે. " આ શબ્દો છે , અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ. આ એજ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ છે કે જેઓ , અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણીઓના પ્રચાર દરમ્યાન , અમેરિકાને કોઈ પણ નવા યુદ્ધમાં ના ઝોંકવાની કસમ ખાતા હતા અને આજે તેઓ , તેમના બીજા કાર્યકાળના શરુ થયે માત્ર ૧૩ મહિનાની અંદર , ઈરાન પર ખુબ ભારે બોમ્બમારો કરાવી રહ્યા છે. આવનારા , સમયમાં અમેરિકા જમીની સ્તરે ઈરાન પર આક્રમણ કરી શકે છે. તો બીજી તરફ , કુવૈતથી ખબર આવી છે કે , ઈરાનના હુમલામાં એક ભારતીયએ જીવ ગુમાવ્યો છે. વાત કરીએ , ભારતની તો , પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે જે ઉર્જા સંકટ ભારત સામે ઉભું થયું છે તેની સામે કેરોસીનના વેચાણને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

ગુજરાતમાં છેલ્લા ૬ મહિનામાં પોલીસ પર હુમલાની ઘટનામાં વધારો થયો છે. ઓક્ટોબર ૨૦૨૫માં બોટાદના હડદડ ગામે થયેલી હિંસા અને ત્યારબાદ અંબાજીના પાડલીયા ગામે ડિસેમ્બર ૨૦૨૫માં પોલીસ સાથે ઘર્ષણની ઘટના સામે આવી હતી. આ ઉપરાંત થોડાક સમય અગાઉ , પાટણના ઝીલીયા ગામે , અસામાજિક તત્વો દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. હવે , અમદાવાદના નળ સરોવર ખાતે પણ પોલીસ પર હુમલાની ઘટના સામે આવી છે. જેમાં બે પોલીસકર્મી ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.

રાજકોટ રેન્જ IG તરીકે નિર્લિપ્ત રાયની નિમણુંક થતા અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. કેમ કે , હવે નિર્લિપ્ત રાય દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે , આગામી સમયમાં ૧ લી અને ૨જી એપ્રિલે એક લોકસંપર્ક સભા યોજાશે જેમાં તેઓ પોતે વ્યાજખોરોના ત્રાસથી પીડિતોની રજુઆત સાંભળશે. આ ઉપરાંત , જામનગરમાં રેન્જ IG નિર્લિપ્ત રાયની મુલાકાતના બે જ કલાકની અંદર ૭૨ જેટલા ગેરકાયદેસર બાંધકામો તંત્ર દ્વારા ધ્વસ્ત કરી નાખવામાં આવ્યા છે.