વરૂણ ધવનની ફિલ્મ ભેડિયા બોક્સ ઓફિસ પર મચાવશે ધૂમ?


  • Published By :
  • Published Date : 2022-11-25 17:45:09

બોક્સ ઓફિસ પર અજય દેવગનની ફિલ્મ દ્રશ્યમ 2 ધૂમ મચાવી રહી છે. ત્યારે વરુણ ધવન અને કૃતિ સેનની ફિલ્મ ભેડિયા રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મનું ટ્રેલર જોયા પછી ફિલ્મને જોવા માટે દર્શકો ઉત્સુક હતા. દર્શકોની આતુરતાનો અંત આવી ગયો છે અને ફિલ્મ આજે રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મને ડાયરેક્ટર અમર કૌશિકે ક્રિચર કોમેડી ફિલ્મ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. 

Image

શું છે ફિલ્મની કહાણી?

આ ફિલ્મમાં વરૂણ ધવન ભાસ્કરનો રોલ ભજવી રહ્યો છે. ભાસ્કરને અરૂણાચલ પ્રદેશ સ્થિત જીરોમાં રોડ બનાવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. પ્રોફિટ કમાવાની લાલચમાં ભાસ્કર જંગલની વચ્ચેથી રસ્તો કાઢવાનો પ્લાન બનાવતો હોય છે. ભાસ્કર માટે માત્ર આ પ્રોજેક્ટ હોય છે પરંતુ ત્યાં રહેતા લોકો માટે આ તેમની જીંદગી છે. આ બધા વચ્ચે ભાસ્કરની મુલાકાત પાંડાથી થઈ હતી જે સ્થાનિક અને ભાસ્કર વચ્ચે વાતો પહોંચાડવાનું કામ કરે છે. એક અફવા એવી ઉડી કે આ જંગલમાં વિષાણુ રહે છે જે લોકોનો શિકાર કરે છે જે જંગલને નુકસાન પહોંચાડવાનું કૃત્ય કરે છે. પોતાના કામ માટે જ્યારે ભાસ્કર આ જંગલથી પસાર થાય છે ત્યારે તેનો ભેટો ભેડિયા  સાથે થાય છે. 

Image

ભાસ્કર જ્યારે પોતાનો બચાવ કરવા ભાગી રહ્યો હતો તે દરમિયાન ભેડિકો તેને બચકું ભરી લે છે અને ધીરે ધીરે ભેડિયાના ગુણ તેનામાં આવી જાય છે. ભાસ્કરને આમાંથી બહાર કાઠવા જનાર્દન (અભિષેક બેનર્જી), જેમિન (પાલિન કબાક) મદદ કરે છે. ભાસ્કરને માણસને બનાવા માટે ડોક્ટર અનિકા (કૃતિ સેનન) પણ મદદ કરે છે. તેમની મુલાકાત બાદ આ ફિલ્મમાં ટ્વિસ્ટ આવે છે. આ ફિલ્મ એની પર જ બનાવામાં આવી છે. 

જાણો કેવી છે ભેડિયા ફિલ્મ?

આ ફિલ્મ રિલીઝ થઈ ગઈ છે અને ફિલ્મના રિવ્યુની વાત કરીએ તો કોમેડીની સાથે સાથે હોરર પણ બતાવામાં આવ્યું છે. ફિલ્મને સારા રેટિંગ પણ મળ્યા છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળી શકે છે. આ ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી શકે છે.    




જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.