કોરોના કેસ વધતા ઈસુદાન ગઢવીએ યોગ્ય વ્યવસ્થા કરવા સરકારને રજૂઆત કરી


  • Published By :
  • Published Date : 2022-12-25 13:20:09

કોરોનાની દહેશત સમગ્ર વિશ્વમાં ફરી એક વખત ફેલાઈ રહી છે. કોરોનાએ અનેક લોકોનો જીવ લીધો છે. અનેક પરિવારોએ પોતાના સભ્યોને ગુમાવ્યા છે. ત્યારે કોરોના ફરી એક વખત માથું ઊંચકી રહ્યું છે. ફરી એક વખત કોરોના ન વકરે તે માટે તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી ઈસુદાન ગઢવીએ આપના કાર્યકર્તાઓ સાથે ખંભાળિયા સરકારી હોસ્પિટલની મુલાકાત લીધી હતી.

  

ઈસુદાન ગઢવીએ આરોગ્યતંત્રની તૈયારીનું કર્યું નિરીક્ષણ

કોરોના મહામારીએ સમગ્ર દુનિયામાં હાહાકાર મચાવ્યો છે. કોરોના કેસમાં ફરી એક વખત વધારો જોવા મળી રહ્યો છે. વિશ્વભરના અનેક દેશોમાં કોરોના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. ચીન, જાપાન જેવા દેશોમાં કોરોનાથી લાખો લોકો સંક્રમિત થઈ રહ્યા છે. ત્યારે ભારત સરકાર પણ વધતા કોરોના સંક્રમણને લઈ સતર્ક થઈ છે. અનેક ગાઈડલાઈન્સ બહાર પાડવામાં આવી છે. ત્યારે ગુજરાત સરકાર પણ કોરોનાની પરિસ્થિતિને પહોંચી વળવા સજજ થઈ રહી છે. કોરોનાની દહેશત વચ્ચે આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ ખંભાળિયા સરકારી હોસ્પિટલની મુલાકાત લીધી હતી. 


પૂરતી વ્યવસ્થા ઉભી કરવા સરકારને અપીલ કરી 

હોસ્પિટલની મુલાકાત લઈ સુવિધાઓ ચકાસી હતા. ઈસુદાન ગઢવીએ ગુજરાત સરકારને પૂરતી વ્યવસ્થા કરવા માટે અપીલ કરી હતી. સ્ટાફની ભરતી વહેલી તકે કરવા અપીલ કરી હતી. જરૂરી સાધનો ઉપલબ્ઘ કરાવા પણ સરકારને અપીલ કરી હતી.   



ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.