કોરોના કેસ વધતા ઈસુદાન ગઢવીએ યોગ્ય વ્યવસ્થા કરવા સરકારને રજૂઆત કરી


  • Published By :
  • Published Date : 2022-12-25 13:20:09

કોરોનાની દહેશત સમગ્ર વિશ્વમાં ફરી એક વખત ફેલાઈ રહી છે. કોરોનાએ અનેક લોકોનો જીવ લીધો છે. અનેક પરિવારોએ પોતાના સભ્યોને ગુમાવ્યા છે. ત્યારે કોરોના ફરી એક વખત માથું ઊંચકી રહ્યું છે. ફરી એક વખત કોરોના ન વકરે તે માટે તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી ઈસુદાન ગઢવીએ આપના કાર્યકર્તાઓ સાથે ખંભાળિયા સરકારી હોસ્પિટલની મુલાકાત લીધી હતી.

  

ઈસુદાન ગઢવીએ આરોગ્યતંત્રની તૈયારીનું કર્યું નિરીક્ષણ

કોરોના મહામારીએ સમગ્ર દુનિયામાં હાહાકાર મચાવ્યો છે. કોરોના કેસમાં ફરી એક વખત વધારો જોવા મળી રહ્યો છે. વિશ્વભરના અનેક દેશોમાં કોરોના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. ચીન, જાપાન જેવા દેશોમાં કોરોનાથી લાખો લોકો સંક્રમિત થઈ રહ્યા છે. ત્યારે ભારત સરકાર પણ વધતા કોરોના સંક્રમણને લઈ સતર્ક થઈ છે. અનેક ગાઈડલાઈન્સ બહાર પાડવામાં આવી છે. ત્યારે ગુજરાત સરકાર પણ કોરોનાની પરિસ્થિતિને પહોંચી વળવા સજજ થઈ રહી છે. કોરોનાની દહેશત વચ્ચે આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ ખંભાળિયા સરકારી હોસ્પિટલની મુલાકાત લીધી હતી. 


પૂરતી વ્યવસ્થા ઉભી કરવા સરકારને અપીલ કરી 

હોસ્પિટલની મુલાકાત લઈ સુવિધાઓ ચકાસી હતા. ઈસુદાન ગઢવીએ ગુજરાત સરકારને પૂરતી વ્યવસ્થા કરવા માટે અપીલ કરી હતી. સ્ટાફની ભરતી વહેલી તકે કરવા અપીલ કરી હતી. જરૂરી સાધનો ઉપલબ્ઘ કરાવા પણ સરકારને અપીલ કરી હતી.   



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.