કોરોના કેસ વધતા ઈસુદાન ગઢવીએ યોગ્ય વ્યવસ્થા કરવા સરકારને રજૂઆત કરી


  • Published By :
  • Published Date : 2022-12-25 13:20:09

કોરોનાની દહેશત સમગ્ર વિશ્વમાં ફરી એક વખત ફેલાઈ રહી છે. કોરોનાએ અનેક લોકોનો જીવ લીધો છે. અનેક પરિવારોએ પોતાના સભ્યોને ગુમાવ્યા છે. ત્યારે કોરોના ફરી એક વખત માથું ઊંચકી રહ્યું છે. ફરી એક વખત કોરોના ન વકરે તે માટે તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી ઈસુદાન ગઢવીએ આપના કાર્યકર્તાઓ સાથે ખંભાળિયા સરકારી હોસ્પિટલની મુલાકાત લીધી હતી.

  

ઈસુદાન ગઢવીએ આરોગ્યતંત્રની તૈયારીનું કર્યું નિરીક્ષણ

કોરોના મહામારીએ સમગ્ર દુનિયામાં હાહાકાર મચાવ્યો છે. કોરોના કેસમાં ફરી એક વખત વધારો જોવા મળી રહ્યો છે. વિશ્વભરના અનેક દેશોમાં કોરોના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. ચીન, જાપાન જેવા દેશોમાં કોરોનાથી લાખો લોકો સંક્રમિત થઈ રહ્યા છે. ત્યારે ભારત સરકાર પણ વધતા કોરોના સંક્રમણને લઈ સતર્ક થઈ છે. અનેક ગાઈડલાઈન્સ બહાર પાડવામાં આવી છે. ત્યારે ગુજરાત સરકાર પણ કોરોનાની પરિસ્થિતિને પહોંચી વળવા સજજ થઈ રહી છે. કોરોનાની દહેશત વચ્ચે આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ ખંભાળિયા સરકારી હોસ્પિટલની મુલાકાત લીધી હતી. 


પૂરતી વ્યવસ્થા ઉભી કરવા સરકારને અપીલ કરી 

હોસ્પિટલની મુલાકાત લઈ સુવિધાઓ ચકાસી હતા. ઈસુદાન ગઢવીએ ગુજરાત સરકારને પૂરતી વ્યવસ્થા કરવા માટે અપીલ કરી હતી. સ્ટાફની ભરતી વહેલી તકે કરવા અપીલ કરી હતી. જરૂરી સાધનો ઉપલબ્ઘ કરાવા પણ સરકારને અપીલ કરી હતી.   



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.