ચાલુ સંમેલનમાં મહિલાએ વ્યક્તિ પર કર્યો ચપ્પલ વડે હુમલો, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2022-11-29 16:08:54

શ્રદ્ધા મર્ડર કેસમાં દરરોજ કોઈને કોઈ નવા ખુલાસા થઈ રહ્યા છે. શ્રદ્ધાને ન્યાય મળે તે માટે પોલીસ તપાસ કરી રહી છે. આ કેસમાં નવા-નવા વળાંક આવી રહ્યા છે. ત્યારે શ્રદ્ધાને જલ્દી ન્યાય મળે તે માટે હિંદુ એકતા મંચે એક સંમેલન યોજાયું હતું. જે દરમિયાન એક મહિલાએ મર્ડર કેસને લઈ હોબાળો મચાવ્યો હતો. મહિલા સ્ટેજ પર ચઢી ગઈ. જ્યારે તેને નીચે ઉતારવાની કોશિશ કરવામાં આવી ત્યારે મહિલાએ ચપ્પલથી સ્ટેજ પર ઉભેલા વ્યક્તિ પર હુમલો કરી દીધો.

ચપ્પલ વડે મહિલાએ કર્યો હુમલો 

સમગ્ર દેશને શ્રદ્ધા મર્ડર કેસે હચમચાવી નાખી છે. શ્રદ્ધાના બોયફેન્ડ આફતાબે તેની બેરહેમીથી હત્યા કરી નાખી હતી. શ્રદ્ધાના શરીરના 35 ટુકડા કરી અલગ અલગ સ્થળો પર ફેંકી દીધા હતા. પોલીસ આ કેસમાં તપાસ કરી રહી છે. ત્યારે દિલ્હીના છતપુર ખાતે હિંદુ એકતા મંચનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે અચાનક સ્ટેજ પર મોઢુ બાંધીને એક મહિલા ચઢી ગઇ અને મારી વાત કોઈ સાંભળતું નથી એવું કહેવા લાગી. જ્યારે મહિલાને માઈકથી દૂર લઈ જવા માટે એક વ્યક્તિ તેની પાસે આવ્યો ત્યારે મહિલાએ ચપ્પલ ઉતારી તેની પીઢાઈ કરી નાખી. 

No regret even if hanged, will get Hoors in Jannat,' says Shraddha's killed  Aftab during polygraph

આફતાબનો કરાઈ રહ્યો છે પોલીગ્રાફ ટેસ્ટ

કયા કારણોસર આફતાબે શ્રદ્ધાની નિર્મમ હત્યા કરી તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. આફતાબનો પોલીગ્રાફ ટેસ્ટ પણ કરવામાં આવી રહ્યો છે. પોલીસનું માનવું છે કે ટેસ્ટને કારણે શ્રદ્ધાનો કેસ જલ્દી સોલ્વ થઈ જશે.             




રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.