ચાલુ સંમેલનમાં મહિલાએ વ્યક્તિ પર કર્યો ચપ્પલ વડે હુમલો, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2022-11-29 16:08:54

શ્રદ્ધા મર્ડર કેસમાં દરરોજ કોઈને કોઈ નવા ખુલાસા થઈ રહ્યા છે. શ્રદ્ધાને ન્યાય મળે તે માટે પોલીસ તપાસ કરી રહી છે. આ કેસમાં નવા-નવા વળાંક આવી રહ્યા છે. ત્યારે શ્રદ્ધાને જલ્દી ન્યાય મળે તે માટે હિંદુ એકતા મંચે એક સંમેલન યોજાયું હતું. જે દરમિયાન એક મહિલાએ મર્ડર કેસને લઈ હોબાળો મચાવ્યો હતો. મહિલા સ્ટેજ પર ચઢી ગઈ. જ્યારે તેને નીચે ઉતારવાની કોશિશ કરવામાં આવી ત્યારે મહિલાએ ચપ્પલથી સ્ટેજ પર ઉભેલા વ્યક્તિ પર હુમલો કરી દીધો.

ચપ્પલ વડે મહિલાએ કર્યો હુમલો 

સમગ્ર દેશને શ્રદ્ધા મર્ડર કેસે હચમચાવી નાખી છે. શ્રદ્ધાના બોયફેન્ડ આફતાબે તેની બેરહેમીથી હત્યા કરી નાખી હતી. શ્રદ્ધાના શરીરના 35 ટુકડા કરી અલગ અલગ સ્થળો પર ફેંકી દીધા હતા. પોલીસ આ કેસમાં તપાસ કરી રહી છે. ત્યારે દિલ્હીના છતપુર ખાતે હિંદુ એકતા મંચનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે અચાનક સ્ટેજ પર મોઢુ બાંધીને એક મહિલા ચઢી ગઇ અને મારી વાત કોઈ સાંભળતું નથી એવું કહેવા લાગી. જ્યારે મહિલાને માઈકથી દૂર લઈ જવા માટે એક વ્યક્તિ તેની પાસે આવ્યો ત્યારે મહિલાએ ચપ્પલ ઉતારી તેની પીઢાઈ કરી નાખી. 

No regret even if hanged, will get Hoors in Jannat,' says Shraddha's killed  Aftab during polygraph

આફતાબનો કરાઈ રહ્યો છે પોલીગ્રાફ ટેસ્ટ

કયા કારણોસર આફતાબે શ્રદ્ધાની નિર્મમ હત્યા કરી તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. આફતાબનો પોલીગ્રાફ ટેસ્ટ પણ કરવામાં આવી રહ્યો છે. પોલીસનું માનવું છે કે ટેસ્ટને કારણે શ્રદ્ધાનો કેસ જલ્દી સોલ્વ થઈ જશે.             




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.