ચાલુ સંમેલનમાં મહિલાએ વ્યક્તિ પર કર્યો ચપ્પલ વડે હુમલો, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2022-11-29 16:08:54

શ્રદ્ધા મર્ડર કેસમાં દરરોજ કોઈને કોઈ નવા ખુલાસા થઈ રહ્યા છે. શ્રદ્ધાને ન્યાય મળે તે માટે પોલીસ તપાસ કરી રહી છે. આ કેસમાં નવા-નવા વળાંક આવી રહ્યા છે. ત્યારે શ્રદ્ધાને જલ્દી ન્યાય મળે તે માટે હિંદુ એકતા મંચે એક સંમેલન યોજાયું હતું. જે દરમિયાન એક મહિલાએ મર્ડર કેસને લઈ હોબાળો મચાવ્યો હતો. મહિલા સ્ટેજ પર ચઢી ગઈ. જ્યારે તેને નીચે ઉતારવાની કોશિશ કરવામાં આવી ત્યારે મહિલાએ ચપ્પલથી સ્ટેજ પર ઉભેલા વ્યક્તિ પર હુમલો કરી દીધો.

ચપ્પલ વડે મહિલાએ કર્યો હુમલો 

સમગ્ર દેશને શ્રદ્ધા મર્ડર કેસે હચમચાવી નાખી છે. શ્રદ્ધાના બોયફેન્ડ આફતાબે તેની બેરહેમીથી હત્યા કરી નાખી હતી. શ્રદ્ધાના શરીરના 35 ટુકડા કરી અલગ અલગ સ્થળો પર ફેંકી દીધા હતા. પોલીસ આ કેસમાં તપાસ કરી રહી છે. ત્યારે દિલ્હીના છતપુર ખાતે હિંદુ એકતા મંચનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે અચાનક સ્ટેજ પર મોઢુ બાંધીને એક મહિલા ચઢી ગઇ અને મારી વાત કોઈ સાંભળતું નથી એવું કહેવા લાગી. જ્યારે મહિલાને માઈકથી દૂર લઈ જવા માટે એક વ્યક્તિ તેની પાસે આવ્યો ત્યારે મહિલાએ ચપ્પલ ઉતારી તેની પીઢાઈ કરી નાખી. 

No regret even if hanged, will get Hoors in Jannat,' says Shraddha's killed  Aftab during polygraph

આફતાબનો કરાઈ રહ્યો છે પોલીગ્રાફ ટેસ્ટ

કયા કારણોસર આફતાબે શ્રદ્ધાની નિર્મમ હત્યા કરી તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. આફતાબનો પોલીગ્રાફ ટેસ્ટ પણ કરવામાં આવી રહ્યો છે. પોલીસનું માનવું છે કે ટેસ્ટને કારણે શ્રદ્ધાનો કેસ જલ્દી સોલ્વ થઈ જશે.             




અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.