ચાલુ સંમેલનમાં મહિલાએ વ્યક્તિ પર કર્યો ચપ્પલ વડે હુમલો, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2022-11-29 16:08:54

શ્રદ્ધા મર્ડર કેસમાં દરરોજ કોઈને કોઈ નવા ખુલાસા થઈ રહ્યા છે. શ્રદ્ધાને ન્યાય મળે તે માટે પોલીસ તપાસ કરી રહી છે. આ કેસમાં નવા-નવા વળાંક આવી રહ્યા છે. ત્યારે શ્રદ્ધાને જલ્દી ન્યાય મળે તે માટે હિંદુ એકતા મંચે એક સંમેલન યોજાયું હતું. જે દરમિયાન એક મહિલાએ મર્ડર કેસને લઈ હોબાળો મચાવ્યો હતો. મહિલા સ્ટેજ પર ચઢી ગઈ. જ્યારે તેને નીચે ઉતારવાની કોશિશ કરવામાં આવી ત્યારે મહિલાએ ચપ્પલથી સ્ટેજ પર ઉભેલા વ્યક્તિ પર હુમલો કરી દીધો.

ચપ્પલ વડે મહિલાએ કર્યો હુમલો 

સમગ્ર દેશને શ્રદ્ધા મર્ડર કેસે હચમચાવી નાખી છે. શ્રદ્ધાના બોયફેન્ડ આફતાબે તેની બેરહેમીથી હત્યા કરી નાખી હતી. શ્રદ્ધાના શરીરના 35 ટુકડા કરી અલગ અલગ સ્થળો પર ફેંકી દીધા હતા. પોલીસ આ કેસમાં તપાસ કરી રહી છે. ત્યારે દિલ્હીના છતપુર ખાતે હિંદુ એકતા મંચનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે અચાનક સ્ટેજ પર મોઢુ બાંધીને એક મહિલા ચઢી ગઇ અને મારી વાત કોઈ સાંભળતું નથી એવું કહેવા લાગી. જ્યારે મહિલાને માઈકથી દૂર લઈ જવા માટે એક વ્યક્તિ તેની પાસે આવ્યો ત્યારે મહિલાએ ચપ્પલ ઉતારી તેની પીઢાઈ કરી નાખી. 

No regret even if hanged, will get Hoors in Jannat,' says Shraddha's killed  Aftab during polygraph

આફતાબનો કરાઈ રહ્યો છે પોલીગ્રાફ ટેસ્ટ

કયા કારણોસર આફતાબે શ્રદ્ધાની નિર્મમ હત્યા કરી તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. આફતાબનો પોલીગ્રાફ ટેસ્ટ પણ કરવામાં આવી રહ્યો છે. પોલીસનું માનવું છે કે ટેસ્ટને કારણે શ્રદ્ધાનો કેસ જલ્દી સોલ્વ થઈ જશે.             




અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.