પાર્લરમાં વાળ ધોવડાવતી સમયે નસ દબાવવાના કારણે હૈદરાબાદમાં એક મહિલાને આવ્યો "બ્યુટીપાર્લર સ્ટ્રોક"


  • Published By :
  • Published Date : 2022-11-02 08:56:26

મષ્તિષ્કના જમણા સેલિબૈલમમાં અને ડોકની પાછળના ભાગમાં PICA નામની એક મહત્વપૂર્ણ ધમનીમાં ક્લૉટ્સ જોવા મળ્યા હતા.

सलूनमध्ये महिलेला अचानक आला Beauty Parlour Stroke; जाणून घ्या, नेमका काय  प्रकार? - Marathi News | Woman shows symptoms of 'Beauty Parlour Stroke  Syndrome' after a hair wash at salon; know more |

હૈદરાબાદની એક 50 વર્ષીય મહિલાને બ્યૂટી પાર્લરમાં વાળ ધોવડાવતી વખતે સ્ટ્રોકનો સામનો કરવો પડ્યો છે. સારવાર કરતા ડૉક્ટર્સે કહ્યું કે સેલૉનમાં મસાજ કરતી વખતે મહિલાના માથાની નસો દબાવવામાં આવી, જેને કારણે લોહીના વહેણ પર પ્રભાવ પડ્યો ડૉક્ટર્સ પ્રમાણે આ પ્રકારના સ્ટ્રૉકને `બ્યૂટી પાર્લર સ્ટ્રૉક સિંડ્રોમ`ના નામે ઓળખવામાં આવે છે.

Beauty Parlour Stroke Syndrome : पार्लरमध्ये केस धुतल्याने होतो मृत्यू?  जाणून घ्या | Sakal

મહિલા સારવાર માટે અપોલો હૉસ્પિટલ પહોંચી હતી. તેની સારવાર કરતા ડૉક્ટર્સનું કહેવું છે કે જ્યારે તે અમારી પાસે પહોંચી હતી ત્યારે લગભગ 24 કલાક પસાર થઈ ચૂક્યા હતા. તે ખૂબ જ કમજોર હતી અને તેની ચાલમાં પણ ફેર પડી ગયો હતો. અમને જોઈને શંકા તો થઈ હતી કે આ સ્ટ્રૉકને કારણે થયું છે. મષ્તિષ્કના જમણા સેલિબૈલમમાં અને ડોકની પાછળના ભાગમાં PICA નામની એક મહત્વપૂર્ણ ધમનીમાં ક્લૉટ્સ જોવા મળ્યા હતા. અપોલો હૉસ્પિટલના ડૉ. સુધીરે કહ્યું કે મહિલાને સ્ટ્રોક વાળ ધોતી વખતે બેસિન તરફ ડોકના હાઈપરેક્સ્ટેંશન એટલે વળવાને કારણે આવ્યો.

सलूनमध्ये महिलेला अचानक आला Beauty Parlour Stroke; जाणून घ्या, नेमका काय  प्रकार? - Marathi News | Woman shows symptoms of 'Beauty Parlour Stroke  Syndrome' after a hair wash at salon; know more |

ન્યૂરોલૉજિસ્ટ ડૉ. પ્રવીણ કુમાર યાદા, જેમણે છેલ્લા કેટલાય વર્ષોમાં આ પ્રકારના કેસ જોયા છે અને સારવાર કરી છે. તો જાણો તેમના પ્રમાણે આ સ્ટ્રોક કેવી રીતે આવે છે. પ્રવીણ પ્રમાણે "આ ત્યારે થાય છે જ્યારે માલિશ કરનાર ડોક કે માથું જોરથી દબાવે છે, ક્યારેક ક્યારેક મસાજ દરમિયાન ક્રેકનો અવાજ પેદા કરવા માટે ડોક ફેરવવામાં આવે છે. આથી લોહીનું વહન કરનારી નસો પર પ્રભાવ પડે છે, જેને કારણે આ સ્ટ્રૉક આવી શકે છે."


"બ્યૂટી પાર્લર સ્ટ્રોક સિંડ્રોમ"નો પહેલો કેસ 1993માં અમેરિકામાં નોંધવામાં આવ્યો હતો. ત્યાર બાદ ડૉક્ટર્સને આવા અનેક કેસ જોવા મળ્યા. ખાસ કરીને પુરુષોના સેલૉનમાં આવી ઘટનાઓ સામાન્ય થઈ ગઈ હતી.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.