પાર્લરમાં વાળ ધોવડાવતી સમયે નસ દબાવવાના કારણે હૈદરાબાદમાં એક મહિલાને આવ્યો "બ્યુટીપાર્લર સ્ટ્રોક"


  • Published By :
  • Published Date : 2022-11-02 08:56:26

મષ્તિષ્કના જમણા સેલિબૈલમમાં અને ડોકની પાછળના ભાગમાં PICA નામની એક મહત્વપૂર્ણ ધમનીમાં ક્લૉટ્સ જોવા મળ્યા હતા.

सलूनमध्ये महिलेला अचानक आला Beauty Parlour Stroke; जाणून घ्या, नेमका काय  प्रकार? - Marathi News | Woman shows symptoms of 'Beauty Parlour Stroke  Syndrome' after a hair wash at salon; know more |

હૈદરાબાદની એક 50 વર્ષીય મહિલાને બ્યૂટી પાર્લરમાં વાળ ધોવડાવતી વખતે સ્ટ્રોકનો સામનો કરવો પડ્યો છે. સારવાર કરતા ડૉક્ટર્સે કહ્યું કે સેલૉનમાં મસાજ કરતી વખતે મહિલાના માથાની નસો દબાવવામાં આવી, જેને કારણે લોહીના વહેણ પર પ્રભાવ પડ્યો ડૉક્ટર્સ પ્રમાણે આ પ્રકારના સ્ટ્રૉકને `બ્યૂટી પાર્લર સ્ટ્રૉક સિંડ્રોમ`ના નામે ઓળખવામાં આવે છે.

Beauty Parlour Stroke Syndrome : पार्लरमध्ये केस धुतल्याने होतो मृत्यू?  जाणून घ्या | Sakal

મહિલા સારવાર માટે અપોલો હૉસ્પિટલ પહોંચી હતી. તેની સારવાર કરતા ડૉક્ટર્સનું કહેવું છે કે જ્યારે તે અમારી પાસે પહોંચી હતી ત્યારે લગભગ 24 કલાક પસાર થઈ ચૂક્યા હતા. તે ખૂબ જ કમજોર હતી અને તેની ચાલમાં પણ ફેર પડી ગયો હતો. અમને જોઈને શંકા તો થઈ હતી કે આ સ્ટ્રૉકને કારણે થયું છે. મષ્તિષ્કના જમણા સેલિબૈલમમાં અને ડોકની પાછળના ભાગમાં PICA નામની એક મહત્વપૂર્ણ ધમનીમાં ક્લૉટ્સ જોવા મળ્યા હતા. અપોલો હૉસ્પિટલના ડૉ. સુધીરે કહ્યું કે મહિલાને સ્ટ્રોક વાળ ધોતી વખતે બેસિન તરફ ડોકના હાઈપરેક્સ્ટેંશન એટલે વળવાને કારણે આવ્યો.

सलूनमध्ये महिलेला अचानक आला Beauty Parlour Stroke; जाणून घ्या, नेमका काय  प्रकार? - Marathi News | Woman shows symptoms of 'Beauty Parlour Stroke  Syndrome' after a hair wash at salon; know more |

ન્યૂરોલૉજિસ્ટ ડૉ. પ્રવીણ કુમાર યાદા, જેમણે છેલ્લા કેટલાય વર્ષોમાં આ પ્રકારના કેસ જોયા છે અને સારવાર કરી છે. તો જાણો તેમના પ્રમાણે આ સ્ટ્રોક કેવી રીતે આવે છે. પ્રવીણ પ્રમાણે "આ ત્યારે થાય છે જ્યારે માલિશ કરનાર ડોક કે માથું જોરથી દબાવે છે, ક્યારેક ક્યારેક મસાજ દરમિયાન ક્રેકનો અવાજ પેદા કરવા માટે ડોક ફેરવવામાં આવે છે. આથી લોહીનું વહન કરનારી નસો પર પ્રભાવ પડે છે, જેને કારણે આ સ્ટ્રૉક આવી શકે છે."


"બ્યૂટી પાર્લર સ્ટ્રોક સિંડ્રોમ"નો પહેલો કેસ 1993માં અમેરિકામાં નોંધવામાં આવ્યો હતો. ત્યાર બાદ ડૉક્ટર્સને આવા અનેક કેસ જોવા મળ્યા. ખાસ કરીને પુરુષોના સેલૉનમાં આવી ઘટનાઓ સામાન્ય થઈ ગઈ હતી.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.