ભારતીય સમાજ લિવ-ઈન રિલેશનશીપને સ્વીકારતો નથી, બ્રેક-અપ પછી મહિલા માટે એકલા રહેવું મુશ્કેલ: અલ્હાબાદ HC


  • Published By :
  • Published Date : 2023-02-24 15:17:12

દેશમાં લિવ-ઈન રિલેશનશીપમાં રહેતા યુગલોની સંખ્યા વધી રહી છે. જો કે લિવ-ઈન રિલેશનશીપમાં રહેતું કપલ જ્યારે અલગ થાય છે ત્યારે મહિલાઓને જ ભોગવવું પડતું હોય છે. આખરે લિવ-ઈન રિલેશનશીપમાં રહેતી મહિલા તેના પાર્ટનર સામે બળાત્કારનો કેસ નોંધાવતી હોય છે. આવા જ એક કેસને લઈ અલ્લાહબાદ હાઈકોર્ટે મહત્વનો યુકાદો આપ્યો છે.


અલ્લાહબાદ હાઈકોર્ટે શું કહ્યું?


અલ્હાબાદ હાઈકોર્ટે તાજેતરમાં જ અવલોકન કર્યું હતું કે લિવ-ઈન રિલેશનશીપના બ્રેક-અપ પછી મહિલા માટે એકલા રહેવું મુશ્કેલ છે. કોર્ટે કહ્યું કે ભારતીય સમાજ મોટાભાગે આવા સંબંધોને સ્વીકારતો નથી. પોતાની પરિણીત લિવ-ઇન પાર્ટનર પર બળાત્કાર કરવાના આરોપીને જામીન આપતા અલ્હાબાદ હાઇકોર્ટે અવલોકન કર્યું હતું કે લિવ-ઇન રિલેશનશિપ તૂટી ગયા પછી એક મહિલા માટે એકલા રહેવું મુશ્કેલ છે. ભારતીય સમાજ સામાન્ય રીતે આવા સંબંધોને મંજૂર કરતો નથી. કોર્ટે કહ્યું કે આવી સ્થિતિમાં મહિલા પાસે તેના લિવ-ઈન પાર્ટનર સામે FIR નોંધવા સિવાય કોઈ વિકલ્પ બચતો નથી જેવું કે આ કેસમાં થયું છે.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.