ભારતીય સમાજ લિવ-ઈન રિલેશનશીપને સ્વીકારતો નથી, બ્રેક-અપ પછી મહિલા માટે એકલા રહેવું મુશ્કેલ: અલ્હાબાદ HC


  • Published By :
  • Published Date : 2023-02-24 15:17:12

દેશમાં લિવ-ઈન રિલેશનશીપમાં રહેતા યુગલોની સંખ્યા વધી રહી છે. જો કે લિવ-ઈન રિલેશનશીપમાં રહેતું કપલ જ્યારે અલગ થાય છે ત્યારે મહિલાઓને જ ભોગવવું પડતું હોય છે. આખરે લિવ-ઈન રિલેશનશીપમાં રહેતી મહિલા તેના પાર્ટનર સામે બળાત્કારનો કેસ નોંધાવતી હોય છે. આવા જ એક કેસને લઈ અલ્લાહબાદ હાઈકોર્ટે મહત્વનો યુકાદો આપ્યો છે.


અલ્લાહબાદ હાઈકોર્ટે શું કહ્યું?


અલ્હાબાદ હાઈકોર્ટે તાજેતરમાં જ અવલોકન કર્યું હતું કે લિવ-ઈન રિલેશનશીપના બ્રેક-અપ પછી મહિલા માટે એકલા રહેવું મુશ્કેલ છે. કોર્ટે કહ્યું કે ભારતીય સમાજ મોટાભાગે આવા સંબંધોને સ્વીકારતો નથી. પોતાની પરિણીત લિવ-ઇન પાર્ટનર પર બળાત્કાર કરવાના આરોપીને જામીન આપતા અલ્હાબાદ હાઇકોર્ટે અવલોકન કર્યું હતું કે લિવ-ઇન રિલેશનશિપ તૂટી ગયા પછી એક મહિલા માટે એકલા રહેવું મુશ્કેલ છે. ભારતીય સમાજ સામાન્ય રીતે આવા સંબંધોને મંજૂર કરતો નથી. કોર્ટે કહ્યું કે આવી સ્થિતિમાં મહિલા પાસે તેના લિવ-ઈન પાર્ટનર સામે FIR નોંધવા સિવાય કોઈ વિકલ્પ બચતો નથી જેવું કે આ કેસમાં થયું છે.



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.