ભારતીય સમાજ લિવ-ઈન રિલેશનશીપને સ્વીકારતો નથી, બ્રેક-અપ પછી મહિલા માટે એકલા રહેવું મુશ્કેલ: અલ્હાબાદ HC


  • Published By :
  • Published Date : 2023-02-24 15:17:12

દેશમાં લિવ-ઈન રિલેશનશીપમાં રહેતા યુગલોની સંખ્યા વધી રહી છે. જો કે લિવ-ઈન રિલેશનશીપમાં રહેતું કપલ જ્યારે અલગ થાય છે ત્યારે મહિલાઓને જ ભોગવવું પડતું હોય છે. આખરે લિવ-ઈન રિલેશનશીપમાં રહેતી મહિલા તેના પાર્ટનર સામે બળાત્કારનો કેસ નોંધાવતી હોય છે. આવા જ એક કેસને લઈ અલ્લાહબાદ હાઈકોર્ટે મહત્વનો યુકાદો આપ્યો છે.


અલ્લાહબાદ હાઈકોર્ટે શું કહ્યું?


અલ્હાબાદ હાઈકોર્ટે તાજેતરમાં જ અવલોકન કર્યું હતું કે લિવ-ઈન રિલેશનશીપના બ્રેક-અપ પછી મહિલા માટે એકલા રહેવું મુશ્કેલ છે. કોર્ટે કહ્યું કે ભારતીય સમાજ મોટાભાગે આવા સંબંધોને સ્વીકારતો નથી. પોતાની પરિણીત લિવ-ઇન પાર્ટનર પર બળાત્કાર કરવાના આરોપીને જામીન આપતા અલ્હાબાદ હાઇકોર્ટે અવલોકન કર્યું હતું કે લિવ-ઇન રિલેશનશિપ તૂટી ગયા પછી એક મહિલા માટે એકલા રહેવું મુશ્કેલ છે. ભારતીય સમાજ સામાન્ય રીતે આવા સંબંધોને મંજૂર કરતો નથી. કોર્ટે કહ્યું કે આવી સ્થિતિમાં મહિલા પાસે તેના લિવ-ઈન પાર્ટનર સામે FIR નોંધવા સિવાય કોઈ વિકલ્પ બચતો નથી જેવું કે આ કેસમાં થયું છે.



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.