સેનાના કોઈપણ ભાગમાં કમાન્ડો તરીકે ફરજ બજાવી શકશે મહિલા


  • Published By :
  • Published Date : 2022-12-12 11:54:00

ભારતીય નૌકાદળે એક ઐતિહાસિક નિર્ણય કર્યો છે. જે અંતર્ગત નૌકાદળના વિશિષ્ટ બળોમાં મહિલાઓને સ્થાન આપવામાં આવશે. સેનાના કોઈપણ ભાગમાં કમાન્ડો તરીકે કાર્યભાર મહિલા સંભાળી શકશે તેવી મંજૂરી આપવામાં આવી છે. અધિકારીએ આ અંગેની માહિતી આપી છે પરંતુ સત્તાવાર રીતે જાહેરાત થવાની બાકી છે. 


ભારતીય નૌકાદળમાં મહિલાઓ બની શકશે કમાન્ડો 

ભારતીય સેના, નૌકાદળ તેમજ  એરફોર્સમાં એવી ટૂકડી તેમજ દળ હોય છે જેને વિશેષ ઓપરેશન માટે તાલીમ આપવામાં આવે છે. આ તાલીમ એકદમ સખત હોય છે. ત્યારે એવું માનવામાં આવી રહ્યું છે કે આ તાલીમ મહિલાઓને પણ આપવામાં આવશે. જો મહિલાઓ આ પરિક્ષામાં અને નક્કી કરાયેલા માપદંડમાં પાસ થશે તો તેમને નેવીમાં મરીન કમાન્ડોની પોસ્ટ આપવામાં આવી શકે છે. ભારતના સૈન્ય ઈતિહાસમાં આ ઐતિહાસિક પગલું માનવામાં આવે છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે સીધા જ વિશેષ બળમાં સામેલ નહીં કરવામાં આવે પરંતુ શરૂઆતના સમયે સ્વયંસેવક તરીકે કામ કરવું પડશે. 




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.