સેનાના કોઈપણ ભાગમાં કમાન્ડો તરીકે ફરજ બજાવી શકશે મહિલા


  • Published By :
  • Published Date : 2022-12-12 11:54:00

ભારતીય નૌકાદળે એક ઐતિહાસિક નિર્ણય કર્યો છે. જે અંતર્ગત નૌકાદળના વિશિષ્ટ બળોમાં મહિલાઓને સ્થાન આપવામાં આવશે. સેનાના કોઈપણ ભાગમાં કમાન્ડો તરીકે કાર્યભાર મહિલા સંભાળી શકશે તેવી મંજૂરી આપવામાં આવી છે. અધિકારીએ આ અંગેની માહિતી આપી છે પરંતુ સત્તાવાર રીતે જાહેરાત થવાની બાકી છે. 


ભારતીય નૌકાદળમાં મહિલાઓ બની શકશે કમાન્ડો 

ભારતીય સેના, નૌકાદળ તેમજ  એરફોર્સમાં એવી ટૂકડી તેમજ દળ હોય છે જેને વિશેષ ઓપરેશન માટે તાલીમ આપવામાં આવે છે. આ તાલીમ એકદમ સખત હોય છે. ત્યારે એવું માનવામાં આવી રહ્યું છે કે આ તાલીમ મહિલાઓને પણ આપવામાં આવશે. જો મહિલાઓ આ પરિક્ષામાં અને નક્કી કરાયેલા માપદંડમાં પાસ થશે તો તેમને નેવીમાં મરીન કમાન્ડોની પોસ્ટ આપવામાં આવી શકે છે. ભારતના સૈન્ય ઈતિહાસમાં આ ઐતિહાસિક પગલું માનવામાં આવે છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે સીધા જ વિશેષ બળમાં સામેલ નહીં કરવામાં આવે પરંતુ શરૂઆતના સમયે સ્વયંસેવક તરીકે કામ કરવું પડશે. 




અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.