Womans IPL માટે વાયાકોમ-18એ ખરીદ્યા ડિજીટલ રાઈટ્સ, 951 કરોડ રુપિયાની લગાવી બોલી


  • Published By :
  • Published Date : 2023-01-16 19:13:58

Womans IPL 2023ને લઈને વધુ એક મોટા સમાચાર સામે આવ્યાં છે, તાજેતરમાં જ Womans IPLના બ્રોડકાસ્ટ રાઈટ્સ માટે ઓક્શન કરવામાં આવ્યું હતું, જેમાં રિલાઈન્સની કંપની વાયાકોમ-18એ બાજી મારી છે. વાયાકોમ-18એ આ રાઈટ્સ 951 કરોડ રુપિયામાં ખરીદ્યા છે. તેથી હવે Mans IPLની સાથે સાથે Woman IPLનું પ્રસારણ પણ વાયાકોમ-18 પર થશે.


જય શાહે ટ્વિટ કરી પાઠવ્યા અભિનંદન


આ મુદ્દે BCCIના સેક્રેટરી જય શાહે જાણકારી આપતા જણાવ્યું છે કે, વાયાકોમ-18એ BCCI અને  BCCI Womans પર ભરોસો દાખવા બદલ ખૂબ ખૂબ આભાર, જેનો મતલબ એ છે કે આગામી 5 વર્ષ (2023-27)સુધી પ્રતિ મેચ 7.09 કરોડ રુપિયા આપશે, આ મહિલા ક્રિકેટની નજરોમાં ખૂબ જ શાનદાર છે, આજે આ ઓક્શન એક ઐતિહાસિક જનાદેશ છે, આ ભારતમાં મહિલા ક્રિકેટના સશક્તિકરણ માટે એક મોટું અને નિર્ણાયક પગલું છે, જે બધી ઉંમરની મહિલાઓના ભાગીદારી સુનિશ્ચિત કરશે. આ ખરેખર એક નવી સવાર છે. 


પુરુષ આઈપીએલના રાઈટ્સ પણ વાયાકોમ-18 પાસે  


આ પહેલાં વાયાકોમ-18એ પુરુષ આઈપીએલના પણ ડિજીટલ રાઈટ્સ ખરીદ્યા હતાં. વાયાકોમ-18એ 23,758 કરોડ રુપિયામાં પુરુષ આઈપીએલ માટે ડિજીટલ રાઈટ્સ પોતાને કબજે લીધા હતા. તમને જણાવી દઈએ કે પુરુષ આઈપીએલના ડિજીટલ રાઈટ્સ કુલ ચાર પેકેજોમાં વેચવામાં આવ્યાં હતાં, જેમાંથી ત્રણ પેકેજોનાં રાઈટ્સ વાયાકોમ-18એ ખરીદ્યાં હતાં.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે