Womans IPL માટે વાયાકોમ-18એ ખરીદ્યા ડિજીટલ રાઈટ્સ, 951 કરોડ રુપિયાની લગાવી બોલી


  • Published By :
  • Published Date : 2023-01-16 19:13:58

Womans IPL 2023ને લઈને વધુ એક મોટા સમાચાર સામે આવ્યાં છે, તાજેતરમાં જ Womans IPLના બ્રોડકાસ્ટ રાઈટ્સ માટે ઓક્શન કરવામાં આવ્યું હતું, જેમાં રિલાઈન્સની કંપની વાયાકોમ-18એ બાજી મારી છે. વાયાકોમ-18એ આ રાઈટ્સ 951 કરોડ રુપિયામાં ખરીદ્યા છે. તેથી હવે Mans IPLની સાથે સાથે Woman IPLનું પ્રસારણ પણ વાયાકોમ-18 પર થશે.


જય શાહે ટ્વિટ કરી પાઠવ્યા અભિનંદન


આ મુદ્દે BCCIના સેક્રેટરી જય શાહે જાણકારી આપતા જણાવ્યું છે કે, વાયાકોમ-18એ BCCI અને  BCCI Womans પર ભરોસો દાખવા બદલ ખૂબ ખૂબ આભાર, જેનો મતલબ એ છે કે આગામી 5 વર્ષ (2023-27)સુધી પ્રતિ મેચ 7.09 કરોડ રુપિયા આપશે, આ મહિલા ક્રિકેટની નજરોમાં ખૂબ જ શાનદાર છે, આજે આ ઓક્શન એક ઐતિહાસિક જનાદેશ છે, આ ભારતમાં મહિલા ક્રિકેટના સશક્તિકરણ માટે એક મોટું અને નિર્ણાયક પગલું છે, જે બધી ઉંમરની મહિલાઓના ભાગીદારી સુનિશ્ચિત કરશે. આ ખરેખર એક નવી સવાર છે. 


પુરુષ આઈપીએલના રાઈટ્સ પણ વાયાકોમ-18 પાસે  


આ પહેલાં વાયાકોમ-18એ પુરુષ આઈપીએલના પણ ડિજીટલ રાઈટ્સ ખરીદ્યા હતાં. વાયાકોમ-18એ 23,758 કરોડ રુપિયામાં પુરુષ આઈપીએલ માટે ડિજીટલ રાઈટ્સ પોતાને કબજે લીધા હતા. તમને જણાવી દઈએ કે પુરુષ આઈપીએલના ડિજીટલ રાઈટ્સ કુલ ચાર પેકેજોમાં વેચવામાં આવ્યાં હતાં, જેમાંથી ત્રણ પેકેજોનાં રાઈટ્સ વાયાકોમ-18એ ખરીદ્યાં હતાં.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.