Womans IPL માટે વાયાકોમ-18એ ખરીદ્યા ડિજીટલ રાઈટ્સ, 951 કરોડ રુપિયાની લગાવી બોલી


  • Published By :
  • Published Date : 2023-01-16 19:13:58

Womans IPL 2023ને લઈને વધુ એક મોટા સમાચાર સામે આવ્યાં છે, તાજેતરમાં જ Womans IPLના બ્રોડકાસ્ટ રાઈટ્સ માટે ઓક્શન કરવામાં આવ્યું હતું, જેમાં રિલાઈન્સની કંપની વાયાકોમ-18એ બાજી મારી છે. વાયાકોમ-18એ આ રાઈટ્સ 951 કરોડ રુપિયામાં ખરીદ્યા છે. તેથી હવે Mans IPLની સાથે સાથે Woman IPLનું પ્રસારણ પણ વાયાકોમ-18 પર થશે.


જય શાહે ટ્વિટ કરી પાઠવ્યા અભિનંદન


આ મુદ્દે BCCIના સેક્રેટરી જય શાહે જાણકારી આપતા જણાવ્યું છે કે, વાયાકોમ-18એ BCCI અને  BCCI Womans પર ભરોસો દાખવા બદલ ખૂબ ખૂબ આભાર, જેનો મતલબ એ છે કે આગામી 5 વર્ષ (2023-27)સુધી પ્રતિ મેચ 7.09 કરોડ રુપિયા આપશે, આ મહિલા ક્રિકેટની નજરોમાં ખૂબ જ શાનદાર છે, આજે આ ઓક્શન એક ઐતિહાસિક જનાદેશ છે, આ ભારતમાં મહિલા ક્રિકેટના સશક્તિકરણ માટે એક મોટું અને નિર્ણાયક પગલું છે, જે બધી ઉંમરની મહિલાઓના ભાગીદારી સુનિશ્ચિત કરશે. આ ખરેખર એક નવી સવાર છે. 


પુરુષ આઈપીએલના રાઈટ્સ પણ વાયાકોમ-18 પાસે  


આ પહેલાં વાયાકોમ-18એ પુરુષ આઈપીએલના પણ ડિજીટલ રાઈટ્સ ખરીદ્યા હતાં. વાયાકોમ-18એ 23,758 કરોડ રુપિયામાં પુરુષ આઈપીએલ માટે ડિજીટલ રાઈટ્સ પોતાને કબજે લીધા હતા. તમને જણાવી દઈએ કે પુરુષ આઈપીએલના ડિજીટલ રાઈટ્સ કુલ ચાર પેકેજોમાં વેચવામાં આવ્યાં હતાં, જેમાંથી ત્રણ પેકેજોનાં રાઈટ્સ વાયાકોમ-18એ ખરીદ્યાં હતાં.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.