Womans IPL માટે વાયાકોમ-18એ ખરીદ્યા ડિજીટલ રાઈટ્સ, 951 કરોડ રુપિયાની લગાવી બોલી


  • Published By :
  • Published Date : 2023-01-16 19:13:58

Womans IPL 2023ને લઈને વધુ એક મોટા સમાચાર સામે આવ્યાં છે, તાજેતરમાં જ Womans IPLના બ્રોડકાસ્ટ રાઈટ્સ માટે ઓક્શન કરવામાં આવ્યું હતું, જેમાં રિલાઈન્સની કંપની વાયાકોમ-18એ બાજી મારી છે. વાયાકોમ-18એ આ રાઈટ્સ 951 કરોડ રુપિયામાં ખરીદ્યા છે. તેથી હવે Mans IPLની સાથે સાથે Woman IPLનું પ્રસારણ પણ વાયાકોમ-18 પર થશે.


જય શાહે ટ્વિટ કરી પાઠવ્યા અભિનંદન


આ મુદ્દે BCCIના સેક્રેટરી જય શાહે જાણકારી આપતા જણાવ્યું છે કે, વાયાકોમ-18એ BCCI અને  BCCI Womans પર ભરોસો દાખવા બદલ ખૂબ ખૂબ આભાર, જેનો મતલબ એ છે કે આગામી 5 વર્ષ (2023-27)સુધી પ્રતિ મેચ 7.09 કરોડ રુપિયા આપશે, આ મહિલા ક્રિકેટની નજરોમાં ખૂબ જ શાનદાર છે, આજે આ ઓક્શન એક ઐતિહાસિક જનાદેશ છે, આ ભારતમાં મહિલા ક્રિકેટના સશક્તિકરણ માટે એક મોટું અને નિર્ણાયક પગલું છે, જે બધી ઉંમરની મહિલાઓના ભાગીદારી સુનિશ્ચિત કરશે. આ ખરેખર એક નવી સવાર છે. 


પુરુષ આઈપીએલના રાઈટ્સ પણ વાયાકોમ-18 પાસે  


આ પહેલાં વાયાકોમ-18એ પુરુષ આઈપીએલના પણ ડિજીટલ રાઈટ્સ ખરીદ્યા હતાં. વાયાકોમ-18એ 23,758 કરોડ રુપિયામાં પુરુષ આઈપીએલ માટે ડિજીટલ રાઈટ્સ પોતાને કબજે લીધા હતા. તમને જણાવી દઈએ કે પુરુષ આઈપીએલના ડિજીટલ રાઈટ્સ કુલ ચાર પેકેજોમાં વેચવામાં આવ્યાં હતાં, જેમાંથી ત્રણ પેકેજોનાં રાઈટ્સ વાયાકોમ-18એ ખરીદ્યાં હતાં.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.